Home Blog Page 4564

‘KBC’માં 1-કરોડ જીતનારને ખરેખર કેટલી રકમ મળે?

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની સામે હોટ શીટ પર બેસીને દરેક જણ ઇચ્છે છે કે તે વધુમાં વધુ સવાલોના જવાબ આપે અને વધુમાં વધુ રકમ જીતે, પણ શું તમે જાણો છો કે રૂ. એક કરોડ જીત્યા પછી શોમાં વિજેતા જાહેર થનારને એટલી પૂરેપૂરી રકમ નથી મળતી, એટલે કે રૂ. એક કરોડ જીતનાર વિજેતાને એક મોટો હિસ્સો ટેક્સ તરીકે ચૂકવવો પડે છે.

રૂ. 34.2 લાખની રકમનો ટેક્સ ચૂકવવો પડે

આવકવેરા કાયદાની 194-બી કલમ અનુસાર જો કોઈ સ્પર્ધક રૂ. એક કરોડની રકમ જીતે તો એ રકમ પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડે છે, એટલે કે રૂ. 30 લાખ ટેક્સ લાગે છે. એની સાથે 30 લાખના ટેક્સ પર 10 ટકા સરચાર્જ આપવાનો રહે છે. જે રૂ. ત્રણ લાખ છે. આ ઉપરાંત રૂ. 30 લાખ પર ચાર ટકા સેસ લાગે છે, જે રૂ. 1.2 લાખ થાય છે. આમ કુલ મળીને રૂ. એક કરોડની રકમ પર સ્પર્ધકે રૂ. 34.2 લાખ ટેક્સ પેટે ચૂકવવાના આવે છે. આટલી રકમ ટેક્સમાં આપ્યા પછી તેના હાથમાં આશરે રૂ. 65 લાખ આવે છે.

‘કૌન બનેગા કરોડપતિ’ શોની વર્તમાન સીઝનમાં ત્રણ કરોડપતિ થયા, ત્રણેય મહિલા છે

અમિતાભ બચ્ચનના બહુચર્ચિત શો કેબીસીની 12મી સીઝનમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલા 15 સવાલોના જવાબ આપીને કરોડપતિ બની છે. આ વિજેતાઓ છે – આઇપીએસ અધિકારી મોહિતા શર્મા-ગર્ગ, નાઝિયા નઝીમ અને અનુપા દાસ.

વૈશ્વિક દર્શકગણ માટે ‘ઉત્કલ સંસ્કૃતિ’ દ્વારા ઓડિશા કળાનું પ્રદર્શન

અમદાવાદઃ ‘ઉત્કલ સંસ્કૃતિ’ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સીલન્સ નિર્મિત એક જોમવંતો કાર્યક્રમ છે જે જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ, યૂકેના સહયોગમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલા દર્શકો માટે યોજવામાં આવ્યો હતો. ઓડિશા સોસાયટી ઓફ યૂકેનાં કલ્ચરલ સેક્રેટરી ડો. ભાગ્યશ્રી સિંહે 21 નવેમ્બરે ઓનલાઈન સત્રનો આરંભ કરાવ્યો હતો.

જાણીતા લેખક અને નેહરુ સેન્ટર (ICCR, લંડન)ના ડાયરેક્ટર અમિષ ત્રિપાઠીએ આ કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું હતું. ડો. સહદેવ સ્વૈને સંસ્કૃતિ સેન્ટરની જાણકારી આપી હતી. શિલ્પી ગુરુ ‘પદ્મવિભૂષણ’ ડો. રઘુનાથ મોહાપાત્રએ પત્તચિત્ર કળા વિશે જાણકારી આપી હતી.

ભવનના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારે ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કરવા બદલ આયોજકોને અભિનંદન આપ્યા હતા. યુવા નૃત્યરત્ન એવોર્ડવિજેતા નતાલી રાઉતે ઓડિશી નૃત્ય પેશ કર્યું હતું. ઓડિશા રાજ્યના વણકરોની હસ્તકારીગરી પણ રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત જુદા જુદા કલાકારોએ પરંપરાગત ઓડિશા નૃત્યકળા દ્વારા પરફોર્મ કર્યું હતું. ડો. જયશ્રી નંદાએ ઓડિશાની વાનગીઓ, મહાપ્રસાદ અને છપ્પનભોગ વિશે જાણકારી આપી હતી.

ભારતના યૂઝર્સને મની-ટ્રાન્સફર ફી ચાર્જ નહીંઃ ‘ગૂગલ પે’

મુંબઈઃ ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ગૂગલ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે એની ગૂગલ પે સર્વિસ આવતા વર્ષના જાન્યુઆરીથી તેની વેબ એપ ઉપર મની ટ્રાન્સફર સેવા બંધ કરશે. તે માત્ર અમેરિકામાં જ ઈન્સ્ટન્ટ પૈસા ટ્રાન્સફર સેવા માટે ચોક્કસ રકમની ફી લેશે, આ ચાર્જ ભારતના લોકોને લાગુ કરવામાં નહીં આવે. ભારતમાં ગૂગલ પે અને ગૂગલ પે ફોર બિઝનેસના ઉપયોગ માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

ગૂગલે તેની વેબ એપ ઉપર એક નોટિસ મૂકી છે જેમાં યૂઝર્સને જાણકારી આપવામાં આવી છે કે ગૂગલ પેની વેબસર્વિસ જાન્યુઆરી, 2021થી બંધ થશે.

ગૂગલે અમેરિકામાં વસતા તેના યૂઝર્સને જાણ કરી છે કે 2021ના જાન્યુઆરીથી તમે pay.google.com મારફત બીજા લોકોને પૈસા મોકલી નહીં શકો, કારણ કે આ સેવા બંધ કરાશે. તમે હવે પૈસા મોકલવા અને સ્વીકારવા માટે નવી ગૂગલ પે એપનો જ ઉપયોગ કરજો.

કોરોના કેસોની સંખ્યા 92 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 92 લાખને પાર પહોંચી છે. આ આંકડાને પાર કરવામાં 300 દિવસ લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,376 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 481 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 92,22,216 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,34,699  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 86,42,771 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24  કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 37,816 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,44,746એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

કોરોના પોઝિટિવ દર્દીઓ દ્વારા હોમ આઇસોલેશનનો ભંગ

કોઈ પણ શહેરીજનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને હોમ આઇસોલેશનમાં મુકાય તો સ્વયં શિસ્ત જાળવીને ૧૪ દિવસ ઘરમાં રહેવું ફરજિયાત છે પણ કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેશનનો ભંગ કરી રહ્યાં છે. જેથી અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનની ચિંતામાં વધારો કરી દીધો છે. કેટલાક દર્દીઓ ઘરની બહાર આવીને બેસે છે તો કેટલાક દર્દીઓ સોસાયટીમાં આંટાફેરા કરતા હોય છે. છેલ્લા એક મહિનામાં મ્યુનિ.એ હોમ આઇસોલેશનને ભંગ કરનારા ૧૦થી વધુ વ્યક્તિઓને નોટિસ આપી દીધી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલનું નિધન

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ખજાનચી અને રાજ્યસભાના સદસ્ય એહમદ પટેલનું 71 વર્ષની વયે આજે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એક મહિના પહેલાં એહમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમની તબિયત સતત લથડી રહી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એહમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી.

વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે એહમદ પટેલના નિધનથી દુઃખી છું. દેશના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રાજકીય કારકિર્દી

એહમદ પટેલ 28 વર્ષે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પરથી ચૂંટાયા હતા. અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓ આઠ વાર સંસદસભ્ય રહી ચૂક્યા હતા, જેમાં તેઓ ત્રણ વાર લોકસભા અને પાંચ વાર રાજ્યસભામાંથી ચૂંટાયા હતા.

અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો

એહમદ પટેલના નિધન પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રાએ શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જુન મોઢવાડિયા,પરેશ ધાનાણી અનેક નેતાઓએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

એહમદ પટેલના નિધન પર CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું

એહમદ પટેલના અવસાનથી શોકમગ્ન છું, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા હતી, પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે, એમ મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું.

એહમદ પટેલનો જન્મ ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલા પિરામણ  ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલના પુત્ર હતા. ભરૂચ જિલ્લાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાનમાં મરહુમ એહમદભાઈની દફનવિધિ કરાશે.

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન-રાત્રિ કર્ફ્યૂ નહીં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ મહાબીમારીના કેસ વધી રહ્યા છે તે છતાં રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ ન કરવાનો મહાવિકાસ આઘાડી સરકારે નિર્ણય લીધો છે. ગઈ કાલે અહીં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.

પ્રધાનમંડળે રાજ્યમાં રાતનો કર્ફ્યૂ લાદવાની શક્યતાને પણ નકારી કાઢી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ અગાઉ જણાવી ચૂક્યા છે કે પોતે રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ કરવા ઈચ્છતા નથી, પરંતુ કોરોના વાઈરસનું સંભવિત બીજું મોજું કદાચ સુનામી જેવી અસર ઊભી કરશે.

મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે, અમે રાજ્યમાં ફરીથી લોકડાઉન કે રાત્રી-કર્ફ્યૂ લાદવા વિચારતા નથી. અમે કોરોના ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે એટલે કેસોની સંખ્યા વધી ગઈ છે. પરંતુ પરિસ્થિતિ અંકુશ હેઠળ છે.

૨૫ નવેમ્બર ૨૦૨૦


૨૫ નવેમ્બર ૨૦૨૦

નાઇટિંગલ ઓફ પંજાબઃ સુરીન્દર કૌર

પંજાબી લોકગીતો અને હિન્દી ફિલ્મોના ગાયિકા સુરીન્દરનો જન્મ આજના પાકિસ્તાનના લાહોરમાં ૨૫ નવેમ્બર ૧૯૨૯ના રોજ થયો હતો. પંજાબના લોક ગીતોને વિશિષ્ટ હલકથી ગાઈને ખૂબ લોકપ્રિય બનાવવા માટે અને પંજાબી પોપ સોંગ્સનું નવું જ માર્કેટ વિકસાવવા માટે એમને હંમેશા યાદ કરાશે.

પંજાબી સંગીતને લોકપ્રિય બનાવવા બદલ એ ‘નાઈટિંગલ ઓફ પંજાબ’ તરીકે પણ ઓળખાતા હતા. ૧૯૪૮-૫૨ દરમિયાન સુરીન્દરજીએ હિંદી ફિલ્મોના ગીતો પણ ગાયાં છે.
લગભગ છ દાયકા સુધી વિસ્તરેલી એમની કરિયરમાં બુલે શા ના સૂફી કાફીસ ગાતાં ગાતાં એ સમકાલીન પંજાબી કવિઓ નંદલાલ નૂરપુરી, અમૃતા પ્રિતમ કે શિવકુમાર બટાલવીનાં ગીતોને પણ યાદગાર બનાવતા રહ્યા.

એમનાં લગ્ન દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જોગીન્દર સિંઘ સાથે થયા હતા. એમની ત્રણ દીકરીમાંથી એક દીકરીએ પણ પંજાબી ફોક ગાઇને એમનો વારસો જાળવ્યો છે. ગુરુ નાનકદેવ યુનિવર્સિટીએ સુરીન્દર કૌરને ડી. લીટ. ની પદવી અનાયત કરી છે.

૨૦૦૬માં લાંબી માંદગી બાદ સુરીન્દર કૌરનું ન્યુ જર્સીમાં નિધન થયું હતું. ૧૯૮૪માં સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળ્યા પછી ૨૦૦૬માં એમને પદ્મશ્રીનું સમ્માન પણ મળ્યું છે.

(નરેશ કાપડીઆ-સુરત)

શું તમે અહંકારી છો?

શું તમે અહંકારી છો? તમને એવું લાગે છે કે તમારા અહમ-ઈગો ને તમારે નષ્ટ કરવો જોઈએ? હું કહીશ કે એવું બિલકુલ ન કરશો. ઈગોથી મુક્ત થવાની કે ઈગોને નષ્ટ કરવાની જરૂર નથી. અહમ રાખો, પણ તમારા ખિસ્સામાં રાખો. વારંવાર પ્રદર્શિત ન કરો. તમે અહંભાવથી છૂટવા કેમ ઈચ્છો છો? કારણ તમારો અહંકાર અન્યને તકલીફ આપે છે એના કરતાં વધુ તમને પોતાને તકલીફ આપે છે.

તો પહેલાં તો જાણીએ કે ઈગો એટલે શું? અહમ તમારી અંદરનું સૂક્ષ્મ પરમાણુ છે. એક તો પોતા વિષે સ્વયં નો અભિપ્રાય” હું આ છું.” અથવા  “હું આ નથી” તે ઈગો છે. અને એ જ રીતે  બીજા થી અલગ હોવાનો, જુદાપણાનો અનુભવ તે પણ ઈગો છે. પહેલા પ્રકારનો અહમ, “હું ઓફિસર છું ” અથવા તો “હું કર્નલ/મેજર છું.” હંમેશા જ તમે ઓફિસર કે કર્નલ/મેજર નાં લેબલ સાથે જીવશો તો તમારા પરિવાર સાથે આત્મીયભાવ ક્યારેય નહીં અનુભવી શકો. તમારા પરિવાર માટે તમે પુત્ર છો, પિતા છો, પતિ છો. તમે એક સાથે ઘણી બધી ભૂમિકાઓ નિભાવો છો. આ બધી જ ભૂમિકાઓ માં સંતુલન રાખવું ખુબ જરૂરી છે. અને પ્રત્યેક ભૂમિકાનું આગવું મહત્વ છે તે પણ સમજવું જરૂરી છે. તમે પોતાની જાતની એક સીમિત ઓળખ જ રાખો છો, એક જ લેબલથી પોતાને ઓળખાવો છો તો એ અહંકાર છે, જે તમને જીવનમાં ગેરમાર્ગે દોરતો રહે છે. તો અહમનું વિસ્તરણ કરો. “હું કઈંક છું”(સમબડી) ના સ્તર થી “હું કઈં જ નથી” (નોબડી) એ સ્તર પર પહોંચો અને ત્યાંથી “હું સર્વ કોઈ છું” (એવરીબડી) એ સ્તર સુધીની યાત્રા એ અહમનું વિસ્તરણ કરવાની પ્રક્રિયા છે.

પરંતુ આ પ્રક્રિયા તો તત્વજ્ઞાનનો સિદ્ધાંત લાગે છે, ખરું? ઓફિસ જઈને તમે એમ નહીં કહી શકો કે “હું કઈં જ નથી.” કે ઘરે આવીને તમે એમ નહીં કહી શકો કે “હું જ સર્વસ્વ છું”. એ જ રીતે તમે તમારા અહંને નષ્ટ પણ નહીં કરી શકો. કારણ, જો તમે તમારા અહમ ને નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરશો તો એ પ્રયત્ન જ વધુ મોટા અહંકારનું કારણ બની જશે. તમે અહંકાર કરશો એ બાબતનો કે ” હું નિરહંકારી છું”! તો અહીં હું કહીશ કે સહજતાનો અભ્યાસ રાખો. સહજતા એ અહંકારનું પ્રતિ-ઔષધ છે. તમે સહજ અને અહંકારી બંને એક સાથે નહીં રહી શકો. સહજ અવસ્થામાં તમારો અહમ વિસ્તરણ પામે છે. સહુ કોઈ તમને તમારા પોતાના લાગે છે. જયારે તમે અહમનું વિસ્તરણ કરો છો, ત્યારે તમે એક શિશુ જેવા બની જાઓ છો.

બીજા પ્રકારનો અહમ એટલે આત્મીયતાનો અભાવ! જયારે તમે મસ્તિષ્કથી, બુદ્ધિના સ્તરથી વિચાર કરો છો ત્યારે બીજી વ્યક્તિઓથી ભિન્ન હોવાનો અનુભવ સૌથી વધુ માત્રામાં થતો હોય છે. આત્મવિશ્વાસનો અભાવ પણ અહંકારને પ્રેરે છે. તમે તમારી ભૂલોનો સ્વીકાર કરતાં નથી અને તેને છુપાવવાનો પ્રયત્ન કરો છો. અહંકારથી પ્રેરાઈને તમે ઈચ્છો છો કે તમને કોઈ મૂર્ખ ન સમજે! અને મજાની વાત એ છે કે જેને મૂર્ખ નથી બનવું, અંતે એ જ વ્યક્તિ પોતાને મૂર્ખ સાબિત કરે છે! વાસ્તવમાં તો જો તમે સ્વીકારી લેશો કે તમે મૂર્ખ છો તો અધ્યાત્મના પથ ઉપર એ ડહાપણ ભર્યું પગલું છે. અહંકાર તમને હંમેશા એ અનુભવ આપશે કે તમે બહુ જ ચતુર છો, તમે વિશિષ્ટ છો.

અહંકાર તમને અન્યને પ્રભાવિત કરવાની પ્રેરણા આપશે અને આ આખી પ્રક્રિયામાં તમે અંતે મૂર્ખ જ પુરવાર થશો. પરંતુ તમારામાં જો આત્મ વિશ્વાસ છે તો તમને બીજા કોઈને પ્રભાવિત કરવાની જરૂર નહીં રહે. તમે સહજ રહેશો અને સૌ સાથે આત્મીયતાનો અનુભવ કરશો. અહંકાર ઈચ્છે છે કે સૌ કોઈ મારી જ વાત માને. પરંતુ એક માતા પોતાનાં સંતાન ને કહે છે કે “હું કહું તેમ કર” અથવા તો એક શિક્ષક પોતાના વિદ્યાર્થીને કહે છે કે “હું કહું તેમ કર” તો તે અહંકાર નથી પરંતુ આત્મીયતા છે. તો કોઈ સંવાદ અહંકારના સ્તર પર થી થઇ રહ્યો છે કે આત્મીયતાના સ્તર પરથી એ જાણવા માટે વિવેક બુદ્ધિ હોવી આવશ્યક છે.

અહંકાર અને આત્મસન્માન વચ્ચે શું અંતર છે?

અહંકાર ને તુલના કરવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે છે. જયારે આત્મસન્માન હોવા માટે અન્ય વ્યક્તિ સાથે તુલનાની જરૂર રહેતી નથી. જેમ કે કોઈ વ્યક્તિ ગણિતમાં નિષ્ણાત છે, અને એ પ્રત્યે તેઓ સભાન છે તો એ આત્મસન્માન છે, આત્મવિશ્વાસ છે. પરંતુ જો તેઓ કહે છે કે હું બીજા કરતાં વધુ જાણું છું કે હું તો સર્વશ્રેષ્ઠ છું તો તે અહંકાર છે. વાસ્તવમાં જ્યાં આત્મસન્માનની કમી હોય છે ત્યાં જ અહંકારનું અસ્તિત્વ હોય છે. જો તમે મહત્વાકાંક્ષી છો તો એનો એક અર્થ એ પણ થાય છે કે તમારામાં પોતાનાં ધ્યેય સુધી પહોંચવા માટે આવશ્યક આત્મવિશ્વાસનો અભાવ છે. તમારી દૈનિક ક્રિયાઓ ને લઈને તમે ક્યારેય મહત્વાકાંક્ષી નથી હોતા, જેમ કે ” મેં પાણીની બોટલ ફ્રીઝમાં થી સફળતાપૂર્વક બહાર કાઢી”  કારણ, તમને ખબર છે કે એ તમારા માટે સહજ છે, તમે કરી જ શકશો. એ જ સહજતાથી પ્રત્યેક કાર્ય માટે તમારી અંદર આત્મવિશ્વાસ હોય તો મહત્વાકાંક્ષાનું કોઈ સ્થાન રહેતું નથી. જો તમારામાં આત્મસન્માન છે તો બહારનાં પરિબળો તમારી સ્વસ્થતાને અસર કરી નહીં શકે. હાર-જીત તમારા માટે મહત્વપૂર્ણ નહીં બને. પ્રત્યેક ક્ષણ આનંદમય હશે, પ્રત્યેક ક્ષણ ઉત્સવ હશે.

હૃદય હંમેશા પુરાતન પ્રત્યે આકર્ષાય છે. જૂની મૈત્રી, પ્રીત પુરાણી આ હૃદય ની ભાષા છે. મન હંમેશા કઈં નૂતન ઈચ્છે છે. નવો સેલ ફોન, નવું લેપ ટોપ આ સઘળી મનની ઈચ્છાઓ છે. જયારે અહંકાર કઈંક અઘરું અને અનુપમ કરી બતાવવા ઈચ્છે છે. હોટ એર બલૂનમાં વિશ્વ-પરિભ્રમણ કરવું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો આ બધું અહંકારથી થાય છે. તો અહંકારને ખિસ્સામાં રાખો, જરૂર પડે ત્યારે ઉપયોગ કરો પરંતુ મસ્તિષ્કમાં તેને સ્થાન ન આપો.

મસ્તિષ્ક એ અહંકારનું સુરક્ષિત સ્થાન છે. હૃદય અહંકાર ને તૂટવા દે છે જયારે આત્મા અહંકારને ઓગાળે છે. આત્મા નિરંતર સાક્ષી છે. શરીર, મન, બુદ્ધિ કે અહંકાર ના સ્તર પર શું ઘટિત થઇ રહ્યું છે તેની સાથે આત્માને કોઈ જ સંબંધ નથી. તે પોતાના આનંદપૂર્ણ સ્વભાવમાં છે. નિત્ય છે, નિરંતર છે. ધ્યાન દ્વારા આત્મતત્ત્વ ની ઝલક મળે છે અને સહજ આત્મવિશ્વાસ ની સ્ફુરણા થાય છે., અહંભાવનું વિસ્તરણ થાય છે જે સર્વનું મંગલ અને કલ્યાણ કરે છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 25/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છેકામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છેવેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છેકોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છેશાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાયતમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છેમાર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાયકોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળેવેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાયતમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાયવાહન ધીમે ચલાવવુ અગત્યનુ છેખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છેવણમાગી સલાહસુચન ના આપવીવેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાયતમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાયજૂનીઓળખાણ અચાનક તાજી થાયમનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છેવેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છેયુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાયતમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છેધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકેમાર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળેવેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છેઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છેઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવીવેપારમા જોખમ ભર્યા કામ ન કરવાજીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી. 


આજનો દિવસ સામાન્ય છેકામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહેવાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુવેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છેજુનામતભેદ સુધારવાની તકમળી શકે છેમાર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળેવેપારમા લાભ થઈ શકે છેયુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવોતમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડેઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવેસહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહેવેપારમા જોખમભર્યા કામ ન કરવાવડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છેતમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાયકોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બનેમાંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાયસ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છેવેપારમા લાભ થઈ શકે છેકામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવોખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છેવાહન ધીમે ચલાવવુઆરોગ્યબાબતે થોડુ સાચવવુવેપારમા જોખમ ન કરવુમાર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકેબિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છેતમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળેકોઈ કારણોસર મુસાફરી થઈ શકે છેધાર્યાકામ થાય તેવુ બની શકે છેમાર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છેવેપારમા લાભ થઈ શકે છે.