Home Blog Page 4548

રાશિ ભવિષ્ય 08/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 08/12/2020

અમદાવાદ મેરેથોન બહાદુર સૈનિકોને સમર્પિત

અમદાવાદઃ અમદાવાદસ્થિત અદાણી ગ્રુપે હમણાં અદાણી અમદાવાદ મેરેથોનની ચોથી આવૃત્તિ ધ્વજવંદન દ્વારા આપણા બહાદુર સૈનિકોને સમર્પિત કરી હતી. જૂથનો આ એક વાર્ષિક કાર્યક્રમ છે, જે બહાદુર જવાનો  #run4oursoldiers ને સમર્પિત કરવામાં આવ્યો હતો. કોવિડ19ના રોગચાળા છતાં મેરેથોનને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

આ ઇવેન્ટ #Run4OurSoldiersને વર્ચ્યુઅલી રિમોટના જીપીએસ ટ્રેકિંગથી સહભાગીઓ સાથે સંચાલિત કરવામાં આવી હતી.

આ વર્ષે આ મેરેથોન થકી એકત્ર થયેલી આવક પેરાપ્લેજિક રિહેબિલિટેશન સેન્ટર (પીઆરસી)ને દાન આપવામાં આવશે. આ અંતર્ગત પુણેની કિર્કીના પેરાપેલિક રિહેબિલીટેશન સેન્ટરને રૂ. 21 લાખનું દાન આપવામાં આવ્યું. આ સંસ્થા શારીરિક રીતે અક્ષમ સૈનિકોને અને તેમના પરિવારોને મદદ કરે છે.

મેરેથોનને અદાણી ગ્રુપની એગ્રો, ઓઇલ એન્ડ ગેસ કંપનીના એમડી પ્રણવ અદાણીએ લીલી ઝંડી બતાવી હતી. એર માર્શલ એસ. કે. ઘોટિયા, 11 ઇન્ફ્ન્ટ્રી ડિવિઝનના મેજર જનરલ વિજયકુમાર શર્મા સહિત અનેક ઓફિસર હાજર રહ્યા હતા. આ વર્ષે દેશભરમાંથી 100 સૈનિકો સહિત કુલ 4600 સહભાગીઓએ ભાગ લીધો હતો.

એગ્રો, ઓઇલ એન્ડ ગેસના એમડી પ્રણવ શાહે કહ્યું હતું કે અદાણી અમદાવાદ મેરેથોન વર્ચ્યુઅલ રીતે પણ યોજાઈ એ અમારા માટે ગર્વની ક્ષણ છે. અમારા માટે આ વાર્ષિક મેરેથોન વિશેષ છે, કેમ કે એ અમારા સૈનિકોને શ્રદ્ધાંજલિ નથી આપતા, પરંતુ અમે પુણેમાં ક્રિર્કીના પેરાપ્લેજિક રિહેબિલિટેશન સેન્ટરને પણ ટેકો પૂરો પાડ્યો છે.

આ હાફ મેરેથોનમાં ડિફેન્સ કેટેગરીમાં રાજુ ઓરાઓન, મનજિત સિંહ અને જી. કે. રામુ, અર્જુન પ્રધાન, ચેઇન સિંહ અને રાજેશ સિંહ ચૌહાણ વિજેતા બન્યા હતા.

‘ભારત બંધ’ શાંતિપૂર્ણ રહેશે, ચક્કા-જામ ચાર-કલાકનું રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં 12 દિવસથી દિલ્હી-હરિયાણાના સીમા વિસ્તારોમાં વિરોધ-દેખાવો કરી રહેલા ખેડૂતોનું આંદોલન આવતીકાલે વ્યાપક સ્વરૂપ ધારણ કરશે. એમની હાકલ મુજબ અને ટ્રેડ યુનિયનો તથા વિરોધ પક્ષોના સમર્થન હેઠળ આવતીકાલે ‘ભારત બંધ’ યોજાશે, તે શાંતિપૂર્ણ રહેશે એમ ખેડૂતોના આગેવાનોએ કહ્યું છે. આ દેશવ્યાપી બંધ આમ તો આખા દિવસનું રહેશે, પણ ચક્કા-જામ (રસ્તા-રોકો) આંદોલન સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીનું રહેશે. વિરોધ-દેખાવોને કારણે ફળ તથા પાણી સપ્લાય સહિત અમુક સેવાઓને અસર પડે એવી શક્યતા રહેશે. ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચેની વાટાઘાટનો નવો દોર 9 ડિસેમ્બરે યોજાવાનો છે.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તમામ બજારો બંધ રહેશે. આ રાજ્યોમાં સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ચક્કા-જામ કરાશે. ટ્રાફિક ખોરવાશે. બસ અને ટ્રેનના પ્રવાસીઓને તકલીફ પડી શકે છે. દૂધ, ફળ અને શાકભાજી જેવી ચીજવસ્તુઓની સપ્લાય અટકશે. જોકે એમ્બ્યુલન્સ તથા તાકીદની સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. હોસ્પિટલો પણ ખુલ્લી રહેશે, લગ્ન સમારંભો પર કોઈ અસર પડવા દેવામાં નહીં આવે.

ખેડૂત નેતા ડો. દર્શન પાલે પત્રકારોને કહ્યું કે, આવતીકાલે બંધ દરમિયાન એક પણ રાજકીય નેતાને સ્ટેજ પર ચડવા દેવામાં નહીં આવે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આમ જનતાને તકલીફ ન થાય એટલા માટે કિસાન સંઘ ચક્કા-જામ બપોરે 3 વાગ્યા સુધી જ રાખશે.

આમિરની પુત્રી ઈરા ખાને શેર કરી બિકીનીમાં બોલ્ડ તસવીર…

બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાને બિકીનીમાં સજ્જ થયેલી એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને એને થોડા જ કલાકોમાં 30 હજારથી વધારે લાઈક્સ મળ્યાં હતા. એક બીજી તસવીરમાં તે એક બાથટબમાં આરામથી પડી છે અને કોઈક પુસ્તક વાંચી રહી છે.

ઈરાએ તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, કામકાજની વચ્ચે તમારે થોડોક બ્રેક લેવાની પણ જરૂર પડે.

ઈરા અને જુનૈદ આમિર ખાનનાં પહેલી પત્ની રીના દત્તાથી થયેલાં સંતાનો છે.

ડીપીએસ સ્કૂલમાં ‘ઉદગારોત્સવ’ ઊજવાયો

અમદાવાદઃ ડીપીએસ બોપલમાં કલાત્મક અને સર્જનાત્મક અભિવ્યક્તિના વિવિધ પાસાંઓમાં લીન પ્રતિભાઓ, સર્જકો અને વાક્છટા ધરાવનારાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કેમ્પસમાં સુવિખ્યાત ઇન્ટરસ્કૂલ ઇવેન્ટ ‘સૃજન’નું આયોજન થાય છે. આ વર્ષે સ્થાપનાનાં 25 વર્ષની ઉજવણી અંગર્ગત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે સમયાંતરે વિવિધ પ્રકારની આંતર-શાળાકીય સ્પર્ધાઓના સ્વરૂપમાં સમગ્ર વર્ષ દરમિયાન ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્કૂલના ધોરણ 4-5ના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ બચાવો, યોગનું મહત્ત્વ, સ્વચ્છતા ઝુંબેશમાં શિક્ષણનું મહત્ત્વ, આરોગ્યપ્રદ આહાર વગેરે જેવા પેટા-વિષયોની સાથે ‘સ્વસ્થ ભારત એક નયે આયામ’ પર પોતાના વિચારો અને આઇડિયા રજૂ કરી શકે એ માટે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા શનિવારે આ જ આયોજન હેઠળ એક ઓનલાઇન હિંદી શીર્ઘ સ્પર્ધા ‘ઉદગારોત્સવ’ – આશુ ભાષા પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવી હતી.

આચાર્ય  સુરેન્દર પાલ સચદેવાના વક્તવ્યની સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શહેરની 11 પ્રતિષ્ઠિત શાળામાંથી અતિઉત્સાહી સહભાગીઓએ તેમાં ભાગ લીધો હતો. આ સ્વ-પ્રેરિત અને ઉત્સાહી વક્તાઓએ તેમનાં વક્તવ્યો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. પ્રધાનાચાર્ય સબિના સાહની દ્વારા વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.

વિજેતાઓની યાદીઃ (1) શ્રીધા પંડ્યા – મહારાજા અગ્રસેન વિદ્યાલય, (2) રાહી પટેલ – કેલોરેક્સ પબ્લિક સ્કૂલ ઘાટલોડિયા (3) જૈની શ્રેયાંશ શાહ – એપલ ગ્લોબલ સ્કૂલ

 

 

 

 

એર ઈન્ડિયાને ખરીદવા કર્મચારી-બિડમાં કેબિન-ક્રૂ નહીં જોડાય

નવી દિલ્હીઃ એર ઈન્ડિયામાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે કંપનીના કર્મચારીઓ બિડ રજૂ કરવાના છે, પરંતુ એમાં કેબિન-ક્રૂ કર્મચારીઓ નહીં જોડાય. આ કર્મચારીઓ એને બદલે એમ ઈચ્છે છે કે એમના પગારની બાકી રહેલી રકમ એમને ચૂકવી દેવામાં આવે.

એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરને લખેલા પત્રમાં ઓલ ઈન્ડિયા કેબિન ક્રૂ એસોસિએશને જણાવ્યું છે કે, વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની સરકાર વખતે એર ઈન્ડિયામાં હિસ્સો ખરીદવા માટે કર્મચારીઓ બોલી લગાવે એ નિર્ણયને એસોસિએશને ગર્વથી ટેકો આપ્યો હતો અને જો અત્યારે સંજોગો વધારે સારા હોત તો કેબિન ક્રૂ કર્મચારીઓએ પણ બોલીમાં જોડાવાનું પસંદ કર્યું હોત, પરંતુ અમને રૂ. 1,400 કરોડની રકમ ચૂકવવાની બાકી છે તેથી બિડમાં જોડાવાનું અમારા માટે અશક્ય બની ગયું છે. એસોસિએશનના કેબિન ક્રૂ તમામ ડાયરેક્ટરો અને એક્ઝિક્યૂટિવ્સને એમના બિડમાં સફળ થવાની શુભેચ્છા આપે છે, કારણકે આખરે તો આપણા સૌની એરલાઈન છે, પરંતુ અમે આ સાહસમાં ભાગ લેવાના નથી.

ઉક્ત એસોસિએશને સહીવગરની નોંધનો ઉલ્લેખ કરીને આ પત્ર લખ્યો છે. તે નોંધ એરલાઈનના એક બોર્ડ સભ્યએ લખ્યો હોવાનું કહેવાય છે, જેમાં એર ઈન્ડિયાનો 51 ટકા હિસ્સો કર્મચારીઓ દ્વારા ખરીદવાની બોલી લગાવવાની વાત કહેવામાં આવી છે. કહેવાય છે કે એક ખાનગી ફાઈનાન્સર સાથે ભાગીદારી કરીને એર ઈન્ડિયાના 209 કર્મચારીઓનું એક ગ્રુપ એર ઈન્ડિયામાં 51 ટકા હિસ્સો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રક્રિયાની આગેવાની એર ઈન્ડિયાનાં કમર્શિયલ ડાયરેક્ટર મીનાક્ષી મલિકે લીધી હોવાનું કહેવાય છે.

‘ભારત બંધ’માં ગુજરાત નહીં જોડાય: રૂપાણીની જાહેરાત

અમદાવાદઃ ખેડૂત આંદોલન અને ભારત બંધ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે ખરેખર આ આંદોલનમાં ખેડૂતોનું માત્ર નામ છે બાકી રાજકીય રીતે સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે. આવતી કાલે ગુજરાતમાં બધું ચાલુ રહેશે, બંધને નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ‘ભારત બંધ’ એ વિપક્ષનું ષડયંત્ર છે. કોંગ્રેસ દરેક વખતે પોતાનાં વલણ બદલે છે. કોંગ્રેસ મોદી સરકારને અસ્થિર કરવા માગે છે. કોંગ્રેસ ઉપર કોઈને ભરોસો નથી. જે ચૂંટણીનાં પરિણામોએ સાબિત કરી આપ્યું છે.

મોદી સરકાર સામે દેખાડો કરવા માટે અને ખેડૂતોને ભડકાવવા માટે આ પ્રકારનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. મોદી સરકારે MSPના આધારે ખરીદી કરી છે. જો ભારત બંધના નામે બંધના નામે કોઈએ જો બળજબરીથી બંધ કરાવાશે તો તેની સામે કેસ થશે.

કોંગ્રેસે જ 2019ના ચૂંટણી ઢંઢેરામાં એગ્રિકલ્ચર એક્ટમાં બદલાવની વાત કહી હતી. જે મોદી સરકારે કર્યું છે તેની વિરુદ્ધ કોંગ્રેસ આંદોલન કરવા નીકળી છે. 2013માં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મુખ્ય પ્રધાનોની મીટિંગમાં કહ્યું હતું કે એપીએમસી એક્ટને ખતમ કરી નવા કાયદાઓ કરવાની વાત કરી હતી. મોદી સરકારના શાસનમાં ત્રણ વર્ષમાં 15 હજાર કરોડથી વધુની એમએસપીથી ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતો સંતુષ્ટ છે. આ ખેડૂતોના નામે કોંગ્રેસ આંદોલન કરી રહી  છે.

 કાયદો હાથમાં લેનારાની ખેર નથી

પ્રજાને અપીલ કરીએ છીએ કે હાલમાં શું ચાલી રહ્યું છે તેનાથી જાગ્રત થાવ. જે લોકો ખેડૂતોને નામે ભડકાવવા માટે કાયદો હાથમાં લેશે અને પૂરતો બંદોબસ્ત માગશે તો અમે એ પૂરો પાડીશું.

 

 

 

ભૂમિપૂજન પહેલાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજોઃ વિપક્ષનો આગ્રહ

નવી દિલ્હીઃ સંસદસભ્યોને નવું સંસદભવન મળવાનું છે. નવા સંસદભવનના શિલાન્યાસ માટે 10 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂજા કરવાના છે, પણ આ ભૂમિપૂજનનો અનેક વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ભૂમિપૂજન પહેલાં સર્વધર્મ પ્રાર્થના થવી જોઈએ.

અન્ય ધર્મના નેતાઓને પણ બોલાવવામાં આવે

કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે કે જો વડા પ્રધાન ભૂમિપૂજન કરી રહ્યા છે, તો હું તેમને અન્ય ધર્મોના નેતાઓને પણ આમંત્રિત કરવાનો આગ્રહ કરીશ, જેથી દેશમાં રહેતો દરેક શખ્સ નવા સંસદભવન પ્રત્યે લાગણી અનુભવી શકે.
એનસીપીના નેતા મજિદ મેમનનું કહેવું છે કે જો ભૂમિપૂજન પૂર્વે તમામ ધર્મોના લોકોની એક પ્રાર્થનાસભાનું આયોજન થવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસે નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમનો વિરોધ કર્યો છે. પાર્ટીએ એને ધર્મનિરપેક્ષતા વિરુદ્ધનું જણાવ્યું છે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એ વાતની પુષ્ટિ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે નવા સંસદભવનના શિલાન્યાસ સમારોહમાં સામેલ થશે અને એનું ભૂમિપૂજન કરશે. નવા સંસદભવનની ઈમારત ધરતીકંપના આંચકા સામે ઝીંક ઝીલી શકે એવું મજબૂત બનાવાશે. એને રૂ. 971 કરોડના ખર્ચે 64,500 સ્ક્વેર મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ટાટા પ્રોજેક્ટસ લિ.ને આપવામાં આવ્યો છે. નવા ભવનમાં લોકસભા સભ્યો માટે આશરે 888 સીટો હશે અને રાજ્યસભાના સભ્યો માટે 326થી વધુ સીટો હશે. લોકસભા હોલમાં એકસાથે 1,224 સભ્યો બેસી શકશે.

 

 

 

 

ટીવી સિરિયલ અભિનેત્રી દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન

મુંબઈઃ કોરોના વાઈરસે અભિનયક્ષેત્રની એક વધુ કલાકારનો જીવ લીધો છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ટીવી સિરિયલની અભિનેત્રી દિવ્યા ભટનાગરનું કોવિડ-19, ન્યુમોનિયા સામે અમુક અઠવાડિયા સુધી સંઘર્ષ કર્યા બાદ આજે સવારે નિધન થયું હતું. નવી દિલ્હીમાં જન્મેલાં દિવ્યા ભટનાગર 34 વર્ષનાં હતાં અને એમને ગયા નવેમ્બર મહિનામાં કોરોના થયો હતો. એ છેલ્લા અમુક દિવસોથી વેન્ટીલેટર પર હતાં.

ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી, જે દિવ્યાની ખાસ સહેલી હતી, તેણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાનાં નિધનનાં સમાચાર આપ્યાં હતાં. પોસ્ટમાં દિવ્યા સાથેની પોતાની તસવીર સાથે દેવોલીનાએ દર્દભર્યું લખાણ પણ લખ્યું છે.

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં ‘ગુલાબો’નું પાત્ર ભજવનાર દિવ્યાએ આ ઉપરાંત ‘સંસ્કાર’, ‘ઉડાન’, ‘જીત ગયી તો પિયા મોરે’, ‘વિશ’ જેવી અન્ય સિરિયલોમાં પણ કામ કર્યું હતું. ‘તેરા યાર હૂં મૈં’ કોમેડી શોનું શૂટિંગ ચાલુ હતું એ જ દરમિયાન દિવ્યાની તબિયત લથડી હતી. એમને હાઈ બ્લડપ્રેશરની પણ તકલીફ હતી.