અમદાવાદ ખાતે ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’નો ભવ્ય કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યપાલે અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યું હતું. આ અભૂતપૂર્વ પ્રોજેક્ટ અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાતા ટ્રસ્ટના સહયોગથી સાકાર થવાનો છે, જે પારસી સમાજના વરિષ્ઠ નાગરિકો માટે સન્માનસભર જીવન આપે તે હેતુ સાથે નિર્માણ પામશે.

આ કાર્યક્રમમાં સમાજસેવા અને વિવિધ ક્ષેત્રે યાદગાર યોગદાન આપનારા પારસી સમુદાયના પ્રતિભાશાળી લોકોને ‘પારસી રત્ન’ એવોર્ડ દ્વારા રાજ્યપાલશ્રીએ સન્માનિત કર્યા હતા. આ એવોર્ડે પારસી સમુદાયનાં સામાજિક કાર્યો, માનવતાવાદી ભાવ અને રાષ્ટ્રપ્રતિ પ્રતિબદ્ધતાને ઉજાગર કર્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે દેશના વિકાસમાં પારસી સમાજનું યોગદાન અમૂલ્ય છે. પારસી સમુદાયે હંમેશા રાષ્ટ્રને વધુ આપવાનો સંકલ્પ જાળવ્યો છે અને સમાજને જોડવાની, સંસ્કારોને જાળવવાની અને લોકકલ્યાણની દિશામાં અડગ કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે જે વ્યક્તિ બીજાનો બની જાય અથવા બીજાને પોતાનું બનાવી લે તે જ સાચા અર્થમાં સફળ વ્યક્તિ ગણાય.

રાજ્યપાલે પારસી સમુદાયના આંતરિક સ્વીકાર અને ભારતીય સંસ્કૃતિ સાથે એકરૂપતા વિશે વાત કરતા મહારાજા જયસિંહ અને પારસી આગમનનો ઐતિહાસિક ઉલ્લેખ કર્યો હતો. દૂધમાં સાકર ભળી જાય તેવી તેમની ઉપમા દ્વારા તેમણે જણાવી કે પારસી સમાજ ભારતની વૃદ્ધિમાં ઉમદા રીતે ભળ્યો છે અને દેશના અનેક ક્ષેત્રોને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે.

તેમણે ખાસ કરીને ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે પારસી નેતાઓના કાર્યને રેખાંકિત કર્યું. ટાટા ગ્રુપ દ્વારા દેશને મળેલી પહેલી સ્ટીલ ફેક્ટરી, પહેલી આધુનિક હોટલ, પહેલી હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને પ્રથમ ઉચ્ચ ટેક્નિકલ સંસ્થાઓનાં યોગદાનની યાદ અપાવી હતી. સાથે જ કોરોના સમયગાળા દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાના યોગદાનનો પણ આ તકે ઉલ્લેખ કર્યો, જેમણે ઝડપી વેક્સિન ઉપલબ્ધ કરાવીને રાષ્ટ્ર અને વિશ્વ બંનેનું રક્ષણ કર્યું.

દેશની આર્થિક રાજધાની મુંબઈને ઉભી કરવામાં પારસી સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે એમ જણાવીને રાજ્યપાલે દાદાભાઈ નવરોજી, ફિલ્ડ માર્શલ સેમ માણેકશા અને અન્ય મહાનુભાવોનું સ્મરણ કર્યું. આ પ્રસંગે રાજ્યપાલે પારસી સિનિયર સિટિઝન હોમને સમાજની સંસ્કૃતિ અને માનવતાના પ્રતીક તરીકે ગણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા સૂત્ર “વિકાસ ભી, વિરાસત ભી”ને ધ્યાનમાં રાખીને પારસી સમાજ આગામી સમયમાં પણ રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિય ભૂમિકા ભજવશે એમ રાજ્યપાલશ્રીએ આશાવાદ વ્યક્ત કર્યો.
પારસી સમુદાયના ધાર્મિક વડા દસ્તુરજી ખુર્શીદ દસ્તુરે ટ્રસ્ટની કામગીરીને આવકારી હતી અને સમાજસેવામાં આપેલા યોગદાનને પ્રશંસિત કર્યા. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ રાજ્યપાલશ્રીને સોશિયલ રિફોર્મર તરીકે સંબોધ્યા અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અને વૈદિક અભ્યાસ ક્ષેત્રે ચાલી રહેલા અભિયાનોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં AKBTના ટ્રસ્ટીશ્રીઓ, પારસી ધાર્મિક નેતાઓ અને દેશભરના પારસી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



એક દિવસ સ્વીકૃતિની મિત્ર ગૌરવીએ હસતાં હસતાં પૂછ્યું, “યાર, તારું તો સુપર છે. ઉર્વીલ તારી નજીકમાં જ રહે છે. તું તો ગમે ત્યારે એને મળી શકે!”
સમય અને ખર્ચ પણ ઓછો થાય છે, તેમજ કોઈ મોટી પ્લાનિંગની જરૂર રહેતી નથી. કેટલાક માટે આ એક પ્રકારનું ઓપન જોડાણ પણ બની જાય છે. જ્યાં બે લોકો સાથે સમય વિતાવે છે, એકબીજાને ઓળખે છે, પરંતુ એકબીજાને લઈને કોઈ કડક પ્રતિબદ્ધતા રાખતા નથી. જો કે, આ મોડલ દરેક રિલેશનશીપ માટે યોગ્ય હોય જ એવું નથી એની સફળતા સંપૂર્ણપણે બંને વ્યક્તિઓની વિચારસરણી અને સમજ પર આધારિત રહે છે.
સંપૂર્ણ મેચ શોધે છે. આ બધાની વચ્ચે, એક રસપ્રદ નવો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એ છે ઝિપ-કોડિંગ. જી હા, આ એક એવી નવીનતા છે જેમાં લોકો એમના નજીકના વિસ્તારમાં ડેટ કરવાનું પસંદ કરે છે. આ ટ્રેન્ડ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાસ કરીને આજની યુવતિઓને આ નવો ટ્રેન્ડ આકર્ષી રહ્યો છે જેનો સૌથી વધારે ઉપયોગ પણ એ જ કરે છે.
જો તમે એવા સંબંધની શોધમાં છો જેમાં બંને વ્યક્તિઓ પૂરેપૂરા સમર્પિત અને વિશ્વાસુ હોય, તો ઝિપ-કોડિંગ એવા લોકો માટે યોગ્ય નથી. એ ઉપરાંત, આમા લાગણીથી જોડાયા પછી દુઃખ અનુભવવાનું જોખમ પણ રહે છે, ખાસ કરીને જ્યારે એક વ્યક્તિ વધુ લાગણીશીલ બની જાય.


