Home Blog Page 341

૦૨ જાન્યુઆરી ૨૦૨૬

વાસ્તુ: ભક્તિ અને કર્મ વચ્ચે ભૂલાતી નૈતિકતા

લોકો હંમેશા એ દ્વિધામાં હોય છે કે, ભક્તિ કરવી કે કર્મ. એક તરફ લોકો ભક્તિ માર્ગ તરફ વળવા કહે છે તો એની સામે કર્મનો સિદ્ધાંત છે. વળી મૂર્તિ પૂજા એ ત્રીજો માર્ગ છે, અને વ્યક્તિ પૂજા ચોથો. પાંચમો માર્ગ ત્યાગનો છે તો છઠ્ઠો અનુરાગનો.

માણસને મોક્ષ મળશે કે નહીં એની તો સમજણ લાવવાનો સમય જ ક્યાં છે. વળી પોતાની જ વિચારધારા સાચી છે એ સાબિત કરવામાં એકેય માર્ગ તરફ ધ્યાન અપાતું નથી. માત્ર અન્ય લોકો ખરાબ છે એ સમજણ ઉભી થયા પછી ઈશ્વરનો ડર રાખ્યા વિના માણસો અસત્યને સત્ય માની બીજાને છેતરીને સુખની અનુભૂતિ કરે છે. બાકી ઈશ્વરને પૈસા કે પ્રસાદની ક્યા જરૂર છે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક નાટયકાર છું. મને બહુ સફળતા ન મળી એટલે ઘરનો ધંધો જોઈન કરી લીધો. નાટકની છાપનાં લીધે લગ્ન પણ નહોતા થતાં. અંતે નાટક છોડ્યા બાદ એક છોકરીએ નાટક ન કરવાની શરતે હા પાડી. હું એક જગ્યાએ નાટક શીખવાડવા જતો હતો. એ લોકો પગાર ઓછો આપતા એટલે એ પણ છોડી દીધું. મારી જગ્યાએ અન્યને નોકરી આપી દીધી. એક દિવસ સંસ્થાના આચાર્યનો ફોન આવ્યો કે તમે કશું ભણાવ્યું જ નથી અને બારોબાર વિદ્યાર્થીઓને ફાઇનલ યરમાં મોકલી દીધા છે. નવા મેડમ આવ્યા છે એમને ખબર પડશે તો મારે ઝેર ખાવું પડશે. મેં હા તો પાડી છે પણ હવે મારા લગ્નનું શું થશે? વળી મને એટલું બધું આવડતું નથી. પેલા બહેને શું કરાવ્યું છે એ પણ ખબર નથી. ખૂબ ડર લાગે છે. શું કરું?


જવાબ: તમે અદ્ભુત માણસ છો. જે સંસ્થા તમને પગાર નહોતી આપતી એણે પેલા બહેનને પણ નહીં આપ્યો હોય. કોઈ ને ઝેર ખાવું જ હોય તો એ જાહેર ન કરે. જો તમે આ ઓફર લીધી છે તો એ દર્શાવે છે કે તમે તમારી જાતને જ વફાદાર નથી. જે છોકરીએ તમારા પર ભરોસો કર્યો તમે તો એને પણ લાયક નથી. કોઈને છેતરીને લગ્ન ન થાય. વળી કોઈને છેતરીને ભણાવવાં પણ ન જવાય. તમે લોકોના ભવિષ્ય સાથે છેતરપિંડી કરી રહ્યા છો. જે માણસને સમજણ ન હોય એને સમજાય. જે પૂરી સભાનતા સાથે ખોટા નિર્ણય લે એને શું સમજાવાય? કોઈના પાપમાં ભાગીદાર ન થવાય. વળી વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના પાસ કરવા એ ગુનો છે એ વાત તમને ખબર હશે. જે માબાપ પોતાની મહેનતથી કમાયેલ પૈસા એવી આશા સાથે કોલેજને આપે છે કે જેથી એનું બાળક અભ્યાસ કરી ને સફળ થાય. તમે એમના પણ ગુનેગાર છો. મહેરબાની કરીને આ બધું બંધ કરો. તમે લોકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છો. એ યોગ્ય નથી.

સૂચન : વાસ્તુ નિયમો એ વસવાટ માટેના નિયમો છે. એમાં કર્મની ઉર્જાનું પણ મહત્વ છે.

(આપના સવાલો મોકલી આપો ઈમેલ-vastunirmaan@gmail.com)

Chitralekha Gujarati – 12 January, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 02/01/2026

ડિસેમ્બરમાં દેશની તિજોરી ભરાઈ ગઈ ! GST કલેક્શન 1.74 લાખ કરોડ પાર

ભારતનો કુલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) વસૂલાત ડિસેમ્બર 2025માં પાછલા વર્ષની સરખામણીમાં 6.1% વધીને ₹1.74 ટ્રિલિયન થઈ ગયો. ગુરુવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, મોટા કર ઘટાડા પછી સ્થાનિક વેચાણમાંથી આવકમાં ધીમી વૃદ્ધિને કારણે ડિસેમ્બર 2025માં કુલ GST વસૂલાત 6.1 ટકા વધીને ₹1.74 લાખ કરોડથી વધુ થઈ ગઈ.

ડિસેમ્બર 2024માં કુલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) વસૂલાત ₹1.64 લાખ કરોડથી વધુ હતી. સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક 1.2 ટકા વધીને ₹1.22 લાખ કરોડથી વધુ થઈ, જ્યારે આયાતી માલમાંથી આવક ડિસેમ્બર 2025માં 19.7 ટકા વધીને ₹51,977 કરોડ થઈ.

રિફંડમાં આટલો વધારો થયો

ડિસેમ્બરમાં રિફંડ 31 ટકા વધીને ₹28,980 કરોડ થયું. રિફંડ માટે સમાયોજિત કર્યા પછી, ચોખ્ખી GST આવક ₹1.45 લાખ કરોડને વટાવી ગઈ, જે વાર્ષિક ધોરણે 2.2 ટકાનો વધારો દર્શાવે છે. ગયા મહિને સેસ વસૂલાત ઘટીને ₹4,238 કરોડ થઈ ગઈ, જે ડિસેમ્બર 2024 માં ₹12,003 કરોડ હતી.

22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવતા આશરે 375 વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યા હતા, જેનાથી માલ સસ્તો થયો હતો. વધુમાં, વળતર સેસ હવે ફક્ત તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર વસૂલવામાં આવે છે, જ્યારે અગાઉ તે વૈભવી, પાપ અને ગેરલાભકારી વસ્તુઓ પર વસૂલવામાં આવતો હતો. GST દરમાં ઘટાડાની અસર મહેસૂલ વસૂલાત પર પડી છે.

ગયા મહિને તેમાં કેટલો વધારો થયો?

નવેમ્બરમાં GST દરમાં ઘટાડાની સકારાત્મક અસર દેશમાં અનુભવાઈ છે. નવેમ્બરમાં કુલ GST વસૂલાત 0.7 ટકા વધીને ₹1.70 લાખ કરોડ થઈ ગઈ. નવેમ્બર 2024 માં કુલ માલ અને સેવા કર (GST) વસૂલાત ₹1.69 લાખ કરોડ હતી, જે આ વર્ષે વધારો છે.

રાજ્યની આવકમાં પણ વધારો થયો

નવેમ્બરમાં, ગયા વર્ષની સરખામણીમાં દેશના એકંદર સંગ્રહમાં વધારો થયો જ નહીં, પરંતુ મુખ્ય રાજ્યોમાં પણ સંગ્રહમાં વધારો થયો. હરિયાણાના સંગ્રહમાં 17 ટકા, કેરળના 8 ટકા અને આસામના 18 ટકાનો વધારો થયો. ગુજરાત અને તમિલનાડુના સંગ્રહમાં અનુક્રમે 1 ટકા અને 2 ટકાનો વધારો થયો. રાજસ્થાનમાં પણ 6 ટકાનો વધારો જોવા મળ્યો.

 

દેશને પહેલી બુલેટ ટ્રેન ક્યારે મળશે? રેલવે મંત્રીએ તારીખ જાહેર કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી મોટા સ્વપ્ન પ્રોજેક્ટ, દેશની રેલ વ્યવસ્થાને પુનર્જીવિત કરવાના હેતુથી બુલેટ ટ્રેનના લોન્ચિંગની જાહેરાત નવા વર્ષ નિમિત્તે કરવામાં આવી છે.  1 જાન્યુઆરી, 2026 ના રોજ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે દેશને પહેલી બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027 ના રોજ મળશે. આ મુલાકાત દરમિયાન, રેલવે મંત્રી વૈષ્ણવે રમૂજી સ્વર દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદો. બુલેટ ટ્રેન આવતા વર્ષે આવશે.

પીએમ મોદીએ બુલેટ ટ્રેન સ્ટેશન બાંધકામ સ્થળની મુલાકાત લીધી

16 નવેમ્બર, 2025 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી. તેમણે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરની સમીક્ષા કરી. પીએમ મોદીએ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણમાં રોકાયેલા કામદારો સાથે પણ મુલાકાત કરી. તેમણે કર્મચારીઓને કહ્યું કે બુલેટ ટ્રેન અમારી ઓળખ છે. આ સિદ્ધિ અમારી, તમારી અને સરકારની છે. પીએમ મોદીએ કર્મચારીઓને પૂછ્યું કે તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અથવા બાંધકામ સમયસર ચાલી રહ્યું છે કે નહીં.

આ શહેરોમાં બુલેટ ટ્રેનો પહેલા દોડશે

બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલો મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR) આશરે 508 કિલોમીટર લાંબો છે. આમાં 352 કિલોમીટર (ગુજરાત અને દાદરા અને નગર હવેલી) અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો સમાવેશ થાય છે. આ કોરિડોર સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોને જોડશે. રૂટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેન કોરિડોર 85% પુલો પર પૂર્ણ છે

બુલેટ ટ્રેન કોરિડોર 85% પુલો પર પૂર્ણ છે. અત્યાર સુધીમાં 326 કિલોમીટર પુલો પૂર્ણ થયા છે. ૨૫ પુલમાંથી ૧૭ પુલનું નિર્માણ થઈ ચૂક્યું છે.

કોંગ્રેસ નેતાએ ભગવાન રામ સાથે રાહુલ ગાંધીની કરી સરખામણી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા નાના પટોલેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરીને રાજકીય ચર્ચા જગાવી દીધી છે. પટોલેની આ ટિપ્પણી બાદ ભાજપે સમય ગુમાવ્યા વિના તેને ‘ચાપલૂસી પ્રો મેક્સ’ ગણાવીને કોંગ્રેસ નેતા પર આકરો પ્રહાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરની મુલાકાત રાહુલ ગાંધી હજી સુધી કેમ નથી લીધી, એ પ્રશ્નના જવાબમાં પટોલેએ કહ્યું હતું કે સિનિયર કોંગ્રેસ નેતા ભગવાન રામનું જ કાર્ય કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ભગવાન રામનું કાર્ય પીડિત અને વંચિત લોકોને ન્યાય અપાવવાનું હતું અને રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી રામ મંદિરમાં ફોટો સેશન કરવા કરતાં આવી સેવા કરવાનું પસંદ કરે છે. કોંગ્રેસ નેતાએ પરોક્ષ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં યાદ અપાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું તાળું ખુલાવવાની પ્રક્રિયા પાછળ રાહુલના પિતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો હાથ હતો.

અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરની મુલાકાત રાહુલ ગાંધી હજી સુધી કેમ નથી લીધી તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે જુઓ, રાહુલ ગાંધી ભગવાન શ્રીરામનું કામ કરી રહ્યા છે, કારણ કે ભગવાન શ્રીરામનું કામ પીડિત અને વંચિત લોકોને ન્યાય અપાવવાનું હતું. રાહુલ ગાંધી પણ એ જ કરી રહ્યા છે. રાહુલ ગાંધી રામ મંદિરમાં ફોટો સેશન કરવા કરતાં આ સેવા કરવાનું પસંદ કરે છે. ત્યાંનું તાળું ખોલવાની પાછળ રાજીવજીનો હાથ હતો.

ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીએ ‘ચાપલૂસી પ્રો મેક્સ’ બતાવી છે. કોંગ્રેસ પાર્ટી કહે છે કે રાહુલ ગાંધી ભગવાન રામ જેવા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીના કારણે ક્રિસમસ ઊજવી શકાય છે. આ કઈ જાતની ચાપલૂસી છે? અને પછી તમે હિન્દુ આસ્થાનું અપમાન કરો છો?

બાંગ્લાદેશમાં એક વધુ હિંદુ પર હુમલો, ઘાયલ વ્યક્તિને ચાંપી આગ

ઢાકાઃ બાંગ્લાદેશમાં એક વધુ હિંદુ વ્યક્તિ પર ભીડ દ્વારા હુમલો કરીને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હુમલામાં ખોકન દાસ (ઉંમર 50 વર્ષ) નામની વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ હિંદુ વ્યક્તિ પર ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ખોકન દાસ જ્યારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ઉગ્ર ભીડે તેમના પર હુમલો કર્યો હતો.

બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ત્રણ હિંદુઓની હત્યા કરવામાં આવી છે.

18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરે અમૃત મંડલની મોબ લિન્ચિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં બજેન્દ્ર વિશ્વાસને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હવે ખોકન દાસને નિશાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલા અટકવાનું નામ લેતા નથી. નવા વર્ષની અવસરે એક વધુ હિંદુ વ્યક્તિને નિશાન બનાવવામાં આવી છે. 50 વર્ષના ખોકન દાસ પર હિંસક લોકોના એક જૂથે પહેલા હુમલો કરીને તેમને ઘાયલ કર્યા અને બાદમાં આગ ચાંપી દીધી. ઉપદ્રવીઓએ ખોકન દાસ પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલો તે સમયે થયો જ્યારે તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા. દિલ દહેલાવી દે તેવી આ ઘટના 31 ડિસેમ્બરની મોડી રાત્રે બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં બની હતી.

વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ ખતમઃ અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ફરી એક વખત ઇતિહાસ રચવાની કગરે ઊભી છે. જેમ વંદે ભારત એક્સપ્રેસે દિવસના પ્રવાસની તસવીર બદલી, તેમ હવે રાત્રી મુસાફરીને પણ સંપૂર્ણ હાઈટેક અને લક્ઝરી બનાવવા તૈયારી થઈ ગઈ છે. લાંબા સમયની રાહ પછી હવે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે મોટું અને સત્તાવાર એલાન થયું છે. નવા વર્ષના પહેલી જ દિવસે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે આ મેગા પ્રોજેક્ટનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પૂર્ણ થઈ ચૂક્યાં છે અને બહુ જલ્દી મુસાફરોને તેનો લાભ મળશે.

 આ રૂટથી થશે ઐતિહાસિક શરૂઆત

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા (હાવડા) વચ્ચે ચલાવવામાં આવશે. આ રૂટ ખાસ એટલા માટે પણ મહત્વનો છે કે તે ઉત્તર-પૂર્વ ભારતને દેશના મોટા મહાનગર સાથે ઝડપી, સુરક્ષિત અને આરામદાયક કનેક્ટિવિટી આપશે. તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ભારતીય રેલવે માટે માત્ર નવી ટ્રેન નહીં, પરંતુ સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક ઈજનેરીની મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

રાત્રી મુસાફરી હવે બનશે લક્ઝરી

વંદે ભારત સ્લીપરને ખાસ કરીને લાંબા અંતરની ઓવરનાઇટ મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરોને એવો અનુભવ મળશે, જે અત્યાર સુધી માત્ર ફ્લાઇટ અથવા ફાઈવ-સ્ટાર હોટલ્સ સુધી સીમિત હતો. ઉત્તમ કુશનિંગવાળા આરામદાયક બેડ, ઝટકાવિહીન સ્મૂથ સફર, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, સેન્સર આધારિત લાઈટિંગ અને આધુનિક વેક્યુમ ટોયલેટ્સ તેને પરંપરાગત ટ્રેનો કરતાં સંપૂર્ણ અલગ બનાવે છે. સુરક્ષાના દૃષ્ટિકોણે પણ આ ટ્રેન ખૂબ ખાસ છે. તેમાં સ્વદેશી ‘કવચ’ સુરક્ષા પ્રણાલી લગાવવામાં આવી છે, જે ટક્કર જેવી ઘટનાઓની શક્યતાને લગભગ ખતમ કરી દે છે.

ફ્લાઇટ કરતાં પણ સસ્તું રહેશે ભાડું

આ ટ્રેનનું સૌથી મોટું આકર્ષણ તેનું ભાડું માનવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રીના જણાવ્યા મુજબ જ્યાં ગુવાહાટી-કોલકાતા રૂટ પર ફ્લાઇટનું ભાડું સામાન્ય રીતે 6000થી 8000 રૂપિયા અને ઘણી વાર 10000 રૂપિયા સુધી પહોંચી જાય છે, ત્યાં વંદે ભારત સ્લીપરનું ભાડું ઘણું કિફાયતી રાખવામાં આવશે. પ્રસ્તાવિત ભાડા મુજબ, 3ACનું ભાડું આશરે 2300 રૂપિયા, 2AC લગભગ 3000 રૂપિયા અને ફર્સ્ટ એસી લગભગ 3600 રૂપિયા હોવાની શક્યતા છે — તે પણ ભોજન સાથે.

નવા વર્ષની ઉજવણીમાં લખનૌમાં ઇન્સ્પેક્ટરની ધરપકડ કરાઈ

લખનૌ: યુપીની રાજધાની લખનૌમાં ન્યુ યર સેલિબ્રેશન દરમિયાન એક ઇન્સ્પેક્ટરે ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલી બેરિકેડિંગ પર કાર ચઢાવી દીધી હતી. હઝરતગંજ ચોરાહે તૈનાત સબ ઇન્સ્પેક્ટરે ઇન્સ્પેક્ટરને કાર બીજી તરફ વાળવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહીં. જ્યારે સબ ઇન્સ્પેક્ટર કાર રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ઇન્સ્પેક્ટરે તેમની ઉપર કાર ચઢાવવાની કોશિશ કરી. એટલું જ નહીં, આરોપી ઇન્સ્પેક્ટર ત્યાં હાજર ડીસીપી ટ્રાફિક સાથે પણ ઝઘડી પડ્યા હતા.

આરોપી ઇન્સ્પેક્ટરની પોલીસે ધરપકડ કરી

એ પછી ડીસીપી ટ્રાફિકના આદેશ પર આરોપી ઇન્સ્પેક્ટરને ધરપકડ કરવામાં આવી. કડક ઠપકો આપતાં ડીસીપી ટ્રાફિક કમલેશ દીક્ષિતે ઇન્સ્પેક્ટરને પોલીસ જીપમાં બેસાડી થાણે મોકલ્યા. હઝરતગંજ પોલીસે આરોપી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.

કારમાંથી દારૂની બોટલો મળી

આરોપી ઇન્સ્પેક્ટરની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચણભણ દરમિયાન જે વિડિયો રેકોર્ડ થયો હતો તેમાં ઇન્સ્પેક્ટરની કારમાં દારૂની બોટલો સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે આરોપી ઇન્સ્પેક્ટરનું મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું છે. બુધવાર રાત્રે હઝરતગંજ ચોરાહે થયેલા હંગામાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે આરોપી ઇન્સ્પેક્ટરને પોલીસ કર્મચારીઓએ ચારે તરફથી ઘેરી લીધા છે અને તેઓ સૌ સાથે ઝઘડતા દેખાઈ રહ્યા છે. જ્યારે ડીસીપી ટ્રાફિક તેમને કાર્યવાહી કરવાની ચેતવણી આપે છે, ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ આરોપી ઇન્સ્પેક્ટરને પોતાની સરકારી જીપમાં બેસાડી થાણા તરફ લઈ જાય છે.

ન્યુ યર સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને લખનૌમાં જગ્યાએ જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવી હતી, જેથી ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય, પરંતુ ઇન્સ્પેક્ટરસાહેબને આ વાત ન ગમી અને તેમણે બેરિકેડિંગ પર પોતાની કાર ચઢાવવાની કોશિશ કરી.