Home Blog Page 321

Where to Invest in 2026? Market Expert Kirtan Shah Explains.

 

રાશિ ભવિષ્ય 12/01/2026 થી 18/01/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ કર્યા જાહેર

વોશિંગ્ટનઃ અમેરિકાએ તાજેતરમાં વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી કરી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ કરી હતી. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના કાર્યકારી (એક્ટિંગ) રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે. તેમણે પોતાના ટ્રૂથ સોશિયલ મિડિયા અકાઉન્ટ પર આ બાબત સાથે જોડાયેલી એક તસવીર પણ શેર કરી છે.

સોશિયલ મિડિયા પર શેર કરાયેલી પોસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાને ‘Acting President of Venezuela’ તરીકે દર્શાવ્યા છે. પોસ્ટમાં એક એડિટ કરાયેલા વિકિપિડિયા પેજ દેખાય છે, જેમાં ટ્રમ્પને જાન્યુઆરી, 2026થી વેનેઝુએલાના વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે બતાવવામાં આવ્યા છે. આ તસવીરમાં ટ્રમ્પને અમેરિકાના 45મા અને 47મા રાષ્ટ્રપતિ તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે, જેમણે 20 જાન્યુઆરી, 2025એ રોજ પદભાર સંભાળ્યો હતો.

રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ વેનેઝુએલા પર મોટો હુમલો કર્યો હતો અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોની ધરપકડ કરી હતી. માદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસને ન્યુ યોર્ક લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમના પર નશીલા પદાર્થોની તસ્કરીના ષડયંત્રના આરોપમાં કેસ ચાલી રહ્યો છે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ત્યાં સુધી વેનેઝુએલાનું સંચાલન કરશે, જ્યાં સુધી સુરક્ષિત, યોગ્ય અને સમજદાર સત્તા હસ્તાંતરણ ન થાય. તેમણે કહ્યું હતું કે અમે એ જોખમ લઈ શકતા નથી કે કોઈ એવી વ્યક્તિ વેનેઝુએલાની બાગડોર સંભાળે, જેના મનમાં વેનેઝુએલાના લોકોના હિત ન હોય.

એ દરમિયાન વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે.

ઈરાન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન

ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને વોશિંગ્ટન સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને બેઠકની તૈયારી પણ થઈ રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચારને કારણે અમેરિકા આ બેઠક પહેલા જ સૈન્ય કાર્યવાહી કરવા માટે મજબૂર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 500થી વધુ લોકોનાં મોત થયાં છે.

સુવિચાર – ૧૨ જાન્યુઆરી ૨૦૨૬

૧૨ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 12/01/2025

ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ વધી રહી છે : PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ભાગ રૂપે ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પણ પરિષદને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું, 2026 માં ગુજરાતની આ મારી પહેલી મુલાકાત છે. મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં માથું નમાવીને શરૂ થઈ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, વિકાસ સાથે જોડાયેલ વારસાનો મંત્ર ગુજરાતમાં દરેક જગ્યાએ ગુંજે છે. આ ફક્ત એક સમિટ નથી, પરંતુ 21મી સદીમાં વિકાસની સફરનું પ્રતિબિંબ છે, જે એક સમયે સ્વપ્ન તરીકે શરૂ થઈ હતી અને હવે દેશ અને વિશ્વના વિશ્વાસમાં પરિવર્તિત થઈ છે. તેમણે કહ્યું, છેલ્લા બે દાયકામાં, 10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે. શરૂઆતમાં, તેનો ઉદ્દેશ્ય વિશ્વ સમક્ષ ગુજરાતની ક્ષમતા દર્શાવવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો હતો. આજે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, છેલ્લા 20 વર્ષોમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હંમેશા કંઈક નવું પ્રદાન કરે છે. હવે, પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એક નવો પ્રયોગ છે, જેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક વિકાસને વધુ વેગ આપવાનો છે.” તેમણે ઉમેર્યું, “21મી સદીનો એક ચતુર્થાંશ સમય વીતી ગયો છે, અને ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઉભરતા આર્થિક ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી રહી છે.

હજારો મહિલાઓ અને ઢોલ… સોમનાથમાં PM મોદીની શૌર્ય યાત્રા

ગુજરાત મુલાકાતના બીજા દિવસે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શૌર્ય યાત્રાનું નેતૃત્વ કર્યું. સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગ રૂપે આયોજિત, શોભાયાત્રામાં 108 ઘોડાઓનો સમાવેશ થતો હતો, જે બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ચોક ખાતે હમીરજી ગોહિલ અને વેગડજી ભીલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમણે 1299 એડીમાં દિલ્હી સલ્તનત સેનાના હુમલા સામે સોમનાથ મંદિરનું રક્ષણ કરતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરનું રક્ષણ કરતા પોતાના જીવનું બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત શોભા યાત્રામાં અસંખ્ય લોકોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા યાત્રા માર્ગની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો, મહિલાઓ અને ભક્તો એકઠા થયા હતા. હજારો મહિલાઓએ પરંપરાગત નૃત્યો સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

ઋષિકુમારો તરીકે ઓળખાતા યુવાન પૂજારીઓના એક જૂથે પીએમ મોદીના વાહન સાથે મુસાફરી કરતી વખતે ભગવાન શિવનું સંગીત વાદ્ય ડમારુ વગાડ્યું. એક સમયે, પીએમ મોદીએ પોતે એક પૂજારી પાસેથી બે ડમારુ ઉછીના લીધા હતા અને તેમના વાહન પર ઉભા રહીને વગાડ્યા હતા. બાદમાં, મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમની પ્રતિમા મંદિર સંકુલના પ્રવેશદ્વાર પાસે સ્થાપિત છે. પટેલના પ્રયાસોને કારણે જ સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને 1951 માં ભક્તો માટે ઔપચારિક રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા અને પૂજા કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશ અને હારનો નથી, પરંતુ વિજય અને પુનર્નિર્માણનો છે. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી અને શિવલિંગને જળ ચઢાવ્યું. તેમણે જ્યોતિર્લિંગ પર ફૂલો ચઢાવ્યા અને પંચામૃતથી અભિષેક કર્યો. પીએમ મોદીએ લગભગ 30 મિનિટ સુધી મંદિરમાં પૂજા કરી.

સોમનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, પીએમ મોદીએ ઉપસ્થિત પુજારીઓ અને સ્થાનિક કલાકારોને મળ્યા. આ પ્રસંગે તેમણે ઢોલ (છેંડા) પણ વગાડ્યો.

 

ઇન્ડિયન આઇડોલ 3 ના વિજેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની ઉંમરે નિધન

મનોરંજન જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે, કારણ કે 2007 માં ઇન્ડિયન આઇડોલ સીઝન 3 નો ખિતાબ જીતનાર પ્રખ્યાત ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું નિધન થયું છે. 2007 માં પ્રશાંત તમાંગે પોતાની સૂરોથી લાખો દિલ જીતી લીધા હતા અને ઘણા વર્ષો સુધી સંગીત અને અભિનય બંનેમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, 11 જાન્યુઆરીના રોજ 43 વર્ષની ઉંમરે તેમનું અચાનક અવસાન થયું, જેનાથી તેમના ચાહકો ઘેરા આઘાતમાં ડૂબી ગયા.

 

11 જાન્યુઆરી, 2026 ની સવારે, પ્રશાંત તમાંગને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમના અચાનક અવસાનના સમાચારથી સંગીત અને ફિલ્મ જગત શોકમાં ડૂબી ગયું હતું. ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યા. પ્રશાંત તમાંગ એવા કલાકારોમાંના એક હતા જેમણે પોતાની મહેનત, અવાજ અને ભાવનાથી સંગીત પ્રેમીઓના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું.

પ્રશાંતના મૃત્યુ અંગે રાજેશ ઘટાણીએ જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. પ્રશાંતને 10 વર્ષની પુત્રી છે અને તેમની પત્ની એર હોસ્ટેસ છે. પ્રશાંતે કોવિડ-19 ને કારણે પોતાની માતા ગુમાવી દીધી હતી. પ્રશાંતના નિધનના સમાચાર તેમની પત્નીની માતા, તેમની સાસુ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રશાંતે સલમાન ખાનની આગામી ફિલ્મ “બેટલ ઓફ ગલવાન” માં પણ અભિનય કર્યો હતો અને તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

પ્રશાંત તમાંગનો જન્મ 4 જાન્યુઆરી, 1983 ના રોજ દાર્જિલિંગમાં થયો હતો અને તેઓ નેપાળી-ભારતીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેમણે ઇન્ડિયન આઇડોલ સીઝન 3 જીતીને તેમની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેમના ગીતોએ પ્રેક્ષકોનો વ્યાપક પ્રેમ મેળવ્યો હતો. તેમની યાત્રાએ તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી અને તેઓ સંગીત ઉદ્યોગમાં એક જાણીતું નામ બન્યા. પ્રશાંત અગાઉ કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે સેવા આપતા હતા અને પોલીસ ઓર્કેસ્ટ્રામાં ગાયા હતા.

નફરત અને આતંકનો ક્રૂર ઇતિહાસ આપણાથી છુપાવવામાં આવ્યો : PM મોદી

સોમનાથ મંદિરમાં પ્રાર્થના અને શૌર્ય યાત્રા કાઢ્યા બાદ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશ અને હારનો નથી; તે વિજય અને પુનર્નિર્માણનો છે. તેમણે કહ્યું કે એક હજાર વર્ષ પહેલાં સુધી, આક્રમણકારો માનતા હતા કે તેમણે મંદિરનો નાશ કર્યો છે, પરંતુ એક હજાર વર્ષ પછી, સોમનાથ મંદિર પર લહેરાતો ધ્વજ ભારતની તાકાત દર્શાવે છે. આપણા પૂર્વજોએ મહાદેવમાં શ્રદ્ધા માટે બધું જ બલિદાન આપ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે આજે, દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો આપણી સાથે જોડાયા છે, અને હું તેમને બધાને જય સોમનાથની શુભેચ્છા પાઠવું છું. આ સમય અદ્ભુત છે, આ વાતાવરણ અદ્ભુત છે, આ ઉજવણી અદ્ભુત છે. એક તરફ ભગવાન મહાદેવ, બીજી તરફ સમુદ્રના મોજા, સૂર્યના કિરણો, મંત્રોનો પડઘો, શ્રદ્ધાનો ઉછાળો અને આ દિવ્ય વાતાવરણમાં ભગવાન સોમનાથના ભક્તોની હાજરી… આ પ્રસંગને ભવ્ય અને દિવ્ય બનાવે છે.

ન તો સોમનાથનો નાશ થયો હતો અને ન તો ભારતનો નાશ થયો હતો

પીએમ મોદીએ કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ હજાર વર્ષ પહેલાં થયેલા વિનાશનો ઉત્સવ નથી, પરંતુ હજાર વર્ષ સુધી ફેલાયેલી યાત્રાનો ઉત્સવ છે. તે ભારતના અસ્તિત્વ અને ગૌરવનો ઉત્સવ છે, કારણ કે દરેક પગલે, દરેક બિંદુએ, આપણે સોમનાથ અને ભારત વચ્ચે એક અનોખી સમાનતા જોઈએ છીએ. સોમનાથનો નાશ કરવાના એક જ નહીં, પરંતુ અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એ જ રીતે, વિદેશી આક્રમણકારોએ સદીઓથી સતત ભારતનો નાશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન તો સોમનાથ કે ન તો ભારતનો નાશ થયો.

પીએમ મોદીએ કહ્યું કે આજે સોમનાથ મંદિરની સ્વાભિમાન યાત્રાના 1,000 વર્ષ પૂર્ણ થયા છે અને 1951 માં તેના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા છે તે પણ એક સુખદ સંયોગ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે હું વિશ્વભરના લાખો ભક્તોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

ધાર્મિક આતંકવાદીઓ ઇતિહાસના પાનામાં સમેટાઈ ગયા 

તેમણે કહ્યું, “એક હજાર વર્ષ પહેલાં આ જ સ્થળે વાતાવરણ કેવું હશે? અહીં હાજર રહેલા લોકોના પૂર્વજો, આપણા પૂર્વજોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો… તેમણે પોતાની શ્રદ્ધા, પોતાની માન્યતા, પોતાના મહાદેવ માટે બધું જ બલિદાન આપ્યું હતું. એક હજાર વર્ષ પહેલાં, તે આતંકવાદીઓ માનતા હતા કે તેમણે આપણને જીતી લીધા છે, પરંતુ આજે પણ, એક હજાર વર્ષ પછી, સોમનાથ મહાદેવ મંદિર પર લહેરાતો ધ્વજ સમગ્ર બ્રહ્માંડને બોલાવે છે: ભારતની શક્તિ અને તાકાત શું છે?

તેમણે કહ્યું, આ ઘટના ગર્વ, ગૌરવ, ગર્વ અને ગૌરવના જ્ઞાનથી ભરેલી છે. તે ભવ્યતા, આધ્યાત્મિક અનુભવ, અનુભવ, આનંદ, આત્મીયતા અને સર્વોચ્ચ ભગવાન મહાદેવના આશીર્વાદનો વારસો છે. તેમણે કહ્યું કે સોમનાથનો નાશ કરવા આવેલા ધાર્મિક આતંકવાદીઓ ઇતિહાસના પાના સુધી સીમિત થઈ ગયા છે.