Home Blog Page 289

સુરતમાં ફેલાયો ટેનિસ-ક્રિકેટનો જ્વર…

સુરત: છેલ્લાં બે અઠવાડિયાથી શહેરની સાંજ ક્રિકેટથી ખીલે છે. શહેરના લાલભાઈ કૉન્ટ્રાકટર સ્ટેડિયમમાં ચાલી રહેલી ટી-ટેન ટેનિસ ક્રિકેટ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈ.એસ.પી.એલ.) ટુર્નામેન્ટમાં સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, અજય દેવગન, અભિષેક બચ્ચનથી લઈને તેલુગુ ફિલ્મના કલાકારો સૂર્યા, રામચરણના આગમનથી ઉન્માદ ચરમ પર પહોંચ્યો છે. સુરતીઓ માટે લાલભાઈ સ્ટેડિયમ જાણે હરવા-ફરવાનું નવું સ્થળ બની ગયું છે. ડુમસના દરિયે જતાં વાહનો અહીં પાર્ક થઈ રહ્યાં છે. ૯ જાન્યુઆરીથી આરંભાયેલી આ ટુર્નામેન્ટમાં કોઈ જાણીતા ખેલાડી રમતા નથી છતાં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવી રહ્યા છે. ૬ ફેબ્રુઆરી સુધી ચાલનારી સ્પર્ધામાં કુલ ૪૪ મૅચો રમાવાની છે.આઈ.એસ.પી.એલ.ની આ ત્રીજી સીઝન છે અને એમાં આઠ ટીમો વચ્ચે હરીફાઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ ઉપરાંત બાકીની ટીમ છે: ટાઇગર્સ ઓફ કોલકાતા, શ્રીનગર કે વીર, ચેન્નાઈ સિંગમ્સ, બેંગલુરુ સ્ટ્રાઇકર્સ, ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી સુપર હીરોઝ અને અમદાવાદ લાયન્સ. ટીમોની માલિકીમાં અમિતાભ બચ્ચન, સૌરવ ગાંગુલી, અક્ષય કુમાર, હૃતિક રોશન, રામ ચરણ, સલમાન ખાન અને અજય દેવગણ જેવી જાણીતી હસ્તીઓ જોડાયેલી છે. ચિત્રલેખા આ ટુર્નામેન્ટ સાથે મેગેઝીન પાર્ટનર તરીકે સંકળાયેલું છે.લીગ કમિશનર સૂરજ સામત ચિત્રલેખાને કહે છે: ‘આ ફૉર્મેટના પાયામાં સચિન તેંડુલકરનો વિચાર છે. ગ્રાસરૂટ ક્રિકેટ હિન્દુસ્તાનનો પ્રાણ છે. ભારતમાં લાખો બાળકો શેરીમાં ક્રિકેટ રમે છે. શેરીમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવવાના આશયથી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી. આગલી બે સીઝન મહારાષ્ટ્રમાં રમાઈ. પહેલી સીઝનમાં મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા અને પછી તો આ આંક ખાસ્સો વધ્યો છે.’એ ઉમેરે છે કે ‘આમાંથી ટીમમાં રમી શકે એવા ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા જટિલ હતી. આથી જ આવતી સીઝનમાં પસંદગી (સિલેક્શન)નું સ્વરૂપ બદલીશું. હવેથી પરફોર્મન્સ આધારે પસંદગી થશે. કમિટી દ્વારા દેશભરમાં સિલેક્શન માટે ટુર્નામેન્ટ યોજાશે જેમાં સારું પ્રદર્શન કરનારને પૉઈન્ટ આપવામાં આવશે અને એના આધારે એમને ટીમમાં સ્થાન મળશે.’

ટુર્નામેન્ટની હજી તો આ ત્રીજી સીઝન છે, પણ એમાં રમનારા ખેલાડીઓ આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી રહ્યા છે. એક ખેલાડી રણજી પ્લેયર બની ચૂક્યો છે. ટૂંકમાં મનોરંજનથી ભરપૂર ટુર્નામેન્ટ સારા ખેલાડીઓની કારકિર્દી પણ ઘડી રહી છે.સુરતીઓને આ ફૉર્મેટ આઈપીએલની યાદ અપાવે છેઃ ફિલ્મસ્ટાર જોવા મળી જાય. ડીજે પર કૉમેન્ટેટરનું વાક્ચાતુર્ય અને, ચિલ્લા ચિલ્લા કે તૂ બોલઃ આઈએસપીએલ… ગો ગો ગો.. જેવાં ગીત-સંગીતની વહેતી સુરાવલી મસ્તીનો માહોલ જમાવી દે. અમુક નિયમ પણ આ ટુર્નામેન્ટનો રોમાન્સ વધારે છે. જેમ કે, બૅટ્સમૅન ફટકો મારે ને બૉલ બાઉન્ડરી લાઈનની ઉપરથી દર્શક વિસ્તારમાં (ઑડિયન્સ એરિયામાં) જાય તો 6ને બદલે 9 રન આપવામાં આવે છે.

હાલમાં મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ ટોપ ત્રણમાં છે. મુંબઈ 6 મેેચમાંથી ચાર મેચ જીતીને 8 પોઈન્ટ પર છે. અમદાવાદ 6 મેચમાંથી 5 જીતીને 10 પોઈન્ટ પર છે. જ્યારે ચેન્નઈ અને દિલ્હી 6 મેચમાંથી 3-3 જીતીને 6 પોઈન્ટ પર ત્રીજા સ્થાને છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

(તસવીરોઃ ધર્મેશ જોશી)

T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાથી બાંગ્લાદેશને કરોડો રૂપિયાનું નુકસાન

નવી દિલ્હીઃ બાંગ્લાદેશે 22 જાન્યુઆરીએ કડક વલણ અપનાવતાં 7 ફેબ્રુઆરીથી ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. એટલે કે બાંગ્લાદેશે આ T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો છે. ભારત ન જવાનો નિર્ણય અને ICC ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાથી આવનારા દિવસોમાં બાંગ્લાદેશ ક્રિકેટને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. T20 વર્લ્ડ કપમાં ભારતમાં મેચ ન રમવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ક્રિકેટ બરબાદીની કગાર પર પહોંચી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને થઈ શકે છે ભારે નુકસાન

જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થાય છે તો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આવનારા દિવસોમાં અંદાજે 240 કરોડ રૂપિયા (325 કરોડ બાંગ્લાદેશી ટાકા અથવા લગભગ 27 મિલિયન અમેરિકન ડોલર)નું નુકસાન થઈ શકે છે. આ રકમ મુખ્યત્વે ICCની વાર્ષિક આવકમાંથી મળતા હિસ્સા સાથે જોડાયેલી છે. આ રકમ BCBની વાર્ષિક આવકનો મોટો ભાગ છે. જો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તેને આ રકમ મળવાની નથી.

બાંગ્લાદેશના પ્રવાસે જવાથી ભારત પણ ઇનકાર કરી શકે છે

આ નિર્ણયને કારણે BCBને અંદાજે 325 કરોડ બાંગ્લાદેશી ટાકા (લગભગ 27 મિલિયન અમેરિકન ડોલર)નું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત લાઇવ ટેલિકાસ્ટ અને જાહેરાતોમાંથી થતી આવકનું નુકસાન પણ ઉમેરવામાં આવે તો આ વર્ષે BCBની કુલ આવકમાં લગભગ 60 ટકા અથવા તેથી વધુ ઘટાડો જોવા મળી શકે છે. આ નિર્ણય પછી ભારત પણ ઓગસ્ટ–સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જવાથી ઇનકાર કરી શકે છે. જો ભારત શ્રેણી રમવા નહીં જાય તો તેનાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને વધુ મોટું નુકસાન થવાની શક્યતા છે.

સુનિલ શેટ્ટી ‘બોર્ડર 2’ વિશે કેમ નર્વસ છે? પોતાના પુત્ર અહાન વિશે આવો ખુલાસો કર્યો

બૉલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ ખુલાસો કર્યો કે તે “બોર્ડર 2” ની રિલીઝને લઈને થોડો ખુશ અને થોડો નર્વસ છે. તેણે તેનું કારણ પણ જણાવ્યુ.

“બોર્ડર 2” ફિલ્મ માટે દર્શકોની લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મનો આજે અંત આવ્યો છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ઘણા કારણોસર ખાસ છે. તે ફક્ત “બોર્ડર” ની યાદોને પાછી લાવે છે એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ સાથે અહાન શેટ્ટીના ડેબ્યૂને પણ ચિહ્નિત કરે છે. આ ફિલ્મને લઈ દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. પણ અહાન શેટ્ટીનો પરિવાર ખુશ અને નર્વસ બંને છે.

સુનીલ શેટ્ટીએ ફિલ્મ ‘બોર્ડર’માં ભૈરવ સિંહનું પાત્ર ભજવ્યું હતું.તેમણે જણાવ્યું છે કે એક પિતા અને એક અભિનેતા તરીકે તેઓ આ ક્ષણ કેવું અનુભવી રહ્યા છે. ANI સાથે વાત કરતા સુનિલ શેટ્ટીએ કહ્યું, “આજનો દિવસ એક યાદગાર અને ભાવનાત્મક ક્ષણ છે. તમે જાણો છો, બોર્ડરની શરૂઆત સની પા અને અક્ષય કુમારથી થઈ હતી. હવે તેનો બીજો ભાગ આવી ગયો છે. હું અહાન વિશે ઉત્સાહિત છું કારણ કે તે સારા હાથમાં છે. આ ફિલ્મની વાર્તા નિધિ દત્તાએ લખી છે. અહાને સની, વરુણ અને દિલજીત સાથે કામ કર્યું છે. તેથી મને લાગે છે કે તે સુરક્ષિત હાથમાં છે.”

સુનિલ શેટ્ટીએ આગળ કહ્યું, “જો બધું બરાબર રહ્યું, તો તે તેમના માટે ખૂબ ફાયદાકારક રહેશે. તમે જે કરો છો તેને પ્રેમ કરવો મહત્વપૂર્ણ છે. સફળતાના દૃષ્ટિકોણથી, મને લાગે છે કે આપણે સુરક્ષિત છીએ. આ એક સારી ફિલ્મ છે. ધુરંધર પછી, તે દેશભક્તિ અને સિનેમા માટે પ્રોત્સાહન છે. તેથી, હું નર્વસ અને ખુશ બંને છું.”

“બોર્ડર 2” નું દિગ્દર્શન અનુરાગ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. સની દેઓલ મુખ્ય ભૂમિકામાં પાછો ફર્યો છે. વરુણ ધવન અને દિલજીત દોસાંઝ પણ અભિનય કરી રહ્યા છે. આ ફિલ્મ 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધની સત્ય ઘટનાઓથી પ્રેરિત છે.

નારાજ શશિ થરૂર કોંગ્રેસની બેઠકથી દૂર રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ કેરળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને આજે યોજાનારી કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક પહેલાં શશિ થરૂરના નારાજ હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ થરૂર આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે યોજાનારી બેઠકમાં સામેલ નહીં થાય અને હાલ કેરળમાં જ હાજર છે.
કેરળ મુદ્દે આજે મહત્વની બેઠક

દિલ્હીમાં આજે બપોરે કેરળના વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ચર્ચા છે કે તાજેતરમાં કોચીમાં યોજાયેલા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરને ‘યોગ્ય સન્માન’ ન મળવાને કારણે તેઓ પાર્ટી નેતૃત્વથી નારાજ છે.

 નારાજગીનું કારણ શું?

કેરળમાં યોજાયેલી રાહુલ ગાંધીની મહાપંચાયત દરમિયાન થરૂર સાથે કરવામાં આવેલા વર્તનથી તેઓ અસંતોષમાં છે. કહેવામાં આવે છે કે કાર્યક્રમમાં તેમને રાહુલ ગાંધી પહોંચે તે પહેલા પોતાનું ભાષણ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેને થરૂરે અપમાનજનક ગણાવ્યું હતું.

દિલ્હીની બેઠકથી અંતર

આ જ નારાજગીને કારણે તેમણે આજે દિલ્હીની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગ્રેસ નેતૃત્વ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ મહત્વપૂર્ણ બેઠકમાં થરૂરની ગેરહાજરી, હાઈ-સ્ટેક્સ રાજ્ય ચૂંટણી પહેલાં પાર્ટીની અંદર ચાલી રહેલા આંતરિક મતભેદોની તરફ સંકેત કરે છે. કોંગ્રેસનાં સૂત્રોએ સંકેત આપતાં જણાવ્યું કે થરૂર હાલમાં રાજ્ય તેમજ કેન્દ્રીય નેતૃત્વ બંનેથી નારાજ છે, જેને કારણે તેમણે બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

આ ઘટનાએ પાર્ટીના કાર્યકર્તાઓમાં આંતરિક શિસ્ત અને વરિષ્ઠ નેતાઓના સન્માનને લઈને ચર્ચા તેજ કરી છે. મહાપંચાયત દરમિયાન પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ શશિ થરૂરનું નામ લીધું નહોતું. જાણકારોના કહેવા મુજબ પાર્ટી અને રાજ્યમાં થરૂરની મહત્વતા જોતાં આ વાત ધ્યાન ખેંચે તેવી હતી.

કિડનીના બદલામાં રૂ. 3 કરોડની લાલચ આપી મહિલાને છેતરવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર-38માં આવેલ મેદાંતા–ધ મેડિસિટી હોસ્પિટલ સાથે જોડાયેલા હોવાનું કહી એક ડોક્ટરે અંગદાન કરવા ઈચ્છુક મહિલાથી રજિસ્ટ્રેશન ફી તરીકે પહેલા 8000 રૂપિયા લીધા અને બાદમાં વધુ 20,000 રૂપિયાની માગ કરી હતી. ડોક્ટરે મહિલાને ખાતરી આપી હતી કે વચન મુજબ ત્રણ કરોડ રૂપિયા તેના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. આ વાતથી મહિલાને શંકા ગઈ. 14 જાન્યુઆરીએ તેણે ઈમેલ મારફતે મેદાંતા હોસ્પિટલનો સંપર્ક કરી મામલાની પુષ્ટિ કરી હતી.

હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. સંજય દુરાની દ્વારા ઔપચારિક ફરિયાદ નોંધાવ્યા બાદ સદર ગુરુગ્રામ પોલીસે એક અજાણી વ્યક્તિ સામે મેદાંતા હોસ્પિટલના ડોક્ટર તરીકે પોતાને રજૂ કરી મહિલાને તેની કિડનીના બદલામાં મોટી રકમ આપવાનું ખોટું આશ્વાસન આપી છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.આરોપીએ પોતાને ડોક્ટર હોવાનું જણાવ્યું

આરોપીએ પોતાને ડો. પ્રિયા સંતોષ તરીકે ઓળખાવી અને હોસ્પિટલ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો હતો. આ ઠગે મેદાંતા હોસ્પિટલને નામે એક નકલી વેબસાઇટ બનાવી હતી, જેમાં અંગદાન માટે ભારે રકમ આપવાની જાહેરાતમાં દર્શાવવામાં આવ્યું હતું. તેમાં એક કિડની માટે ત્રણ કરોડ રૂપિયા સુધી ચુકવણી કરવાની વાત હતી.

મહિલાને આ જાહેરાત સોશિયલ મિડિયા પર મળી હતી અને તેણે વેબસાઇટ મારફતે આરોપીનો સંપર્ક કર્યો. વિશ્વાસ જમાવવા માટે આરોપીએ મહિલાને કર્મચારી કોડ સાથેનું એક નકલી ઓળખપત્ર પણ મોકલ્યું હતું. ત્યાર બાદ ઈમેલ દ્વારા પૂછપરછ કરતાં હોસ્પિટલએ સ્પષ્ટ કર્યું કે પ્રિયા સંતોષ નામની કોઈ ડોક્ટર ત્યાં કાર્યરત નથી.

SHOએ આપી માહિતી

સદર ગુરુગ્રામ પોલીસ સ્ટેશનના SHOએ જણાવ્યું હતું કે અમને મંગળવારે હોસ્પિટલ અધિકારીઓ પાસેથી ફરિયાદ મળી હતી, ત્યાર બાદ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે.

અમદાવાદ અને નોઈડાની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ફરી એકવાર શાળાઓને બોમ્બ ધમકીઓ મળી છે. અમદાવાદમાં અને દિલ્હી નજીક નોઈડામાં ઘણી શાળાઓને આજે ઈમેલ દ્વારા ધમકીઓ મળી હતી. માહિતી મળતાં જ તાત્કાલિક હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.


અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી ઘણી શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી છે. આ માહિતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી. સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, વસ્ત્રાપુર સ્વયંમ સ્કૂલ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા અને ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. ધમકીઓ બાદ, ક્રાઈમ બ્રાન્ચની બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગ તપાસ કરી રહ્યું છે.

નોઈડાની કેટલીક ખાનગી શાળાઓને પણ ઈમેલ દ્વારા ધમકીઓ મળી છે, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો છે. આ ગંભીર ઘટના બાદ, સ્થાનિક પોલીસ વહીવટીતંત્રે ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરી. વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસ દળો, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ અને BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત શાળાઓમાં મોકલવામાં આવી હતી. આ ખાસ ટીમો કોઈપણ સંભવિત ખતરાને શોધી કાઢવા અને તેને નિષ્ક્રિય કરવા માટે શાળા પરિસરમાં સઘન તપાસ કરી રહી છે.

ધમકી બાદ પોલીસ તપાસ ચાલુ છે

ધમકીના ઈમેલની ટેકનિકલ તપાસ કરવા માટે સાયબર સેલ ટીમને પણ સંપૂર્ણપણે સક્રિય કરવામાં આવી છે. ટીમ ઈમેલના સ્ત્રોતને શોધવા, મોકલનારને ઓળખવા અને તેની પાછળનો હેતુ સમજવાનો પ્રયાસ કરી રહી છે. આ ટેકનિકલ તપાસ એ નક્કી કરવામાં મદદ કરશે કે આ ખરેખર ધમકી છે કે ફક્ત અફવાઓ ફેલાવવાનો પ્રયાસ છે. પોલીસ તમામ સંભવિત ખૂણાઓથી તપાસ કરી રહી છે અને કોઈપણ ભૂલ ટાળવા માટે કટિબદ્ધ છે.

અફવાઓ પર ધ્યાન ન આપો

અધિકારીઓએ જનતાને ખાતરી આપી છે કે પરિસ્થિતિ હાલમાં સંપૂર્ણપણે સામાન્ય છે. જે વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યાં સંપૂર્ણ શાંતિ અને સુલેહ-શાંતિ પ્રવર્તે છે. કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવાની કડક અપીલ કરવામાં આવી છે. પોલીસ વહીવટીતંત્રે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આવી ઘટનાઓને પહોંચી વળવા માટે સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

 

નિસર્ગક્ષેત્ર… ભવ્ય.. દિવ્ય.. અતિભવ્ય..

‘એન્ટાર્કટિકા ઈઝ એલ્ટિમેટ!’ ગયા વર્ષની ગ્રીનલેન્ડ ટુરમાં અમારા પર્યટક સતીશ કુમાર સિંહાએ ઓપિનિયન નોંધાવ્યું. તેની પર મુંબઈના કાલાથી સિવાપ્રકાસમે કહ્યું, ‘તમે જ્યારે ટ્રાવેલ કરો છો ત્યારે આવી તુલના નહીં કરો. દરેક માણસ અલગ છે તેમ દરેક પર્યટન સ્થળ. જે સમયે જ્યાં છો ત્યાંની મજા લો.’ આ અમારા બંને માનવંતા પર્યટક આ વર્ષે તેમણે જોયેલા દેશોની સદી પાર કરવાના છે. હમણાં સુધી તેમણે સાતેય ખંડ જોઈ લીધા છે અને જ્યાં જ્યાં અમે ટુર્સ લઈને જઈએ ત્યાં સર્વ ટુર્સ તેમણે કરી છે. આવા `પર્યટન થકી સો દેશોની મુલાકાત લેનારા’ અમારા અનેક પર્યટકો માટે અમે નવા નવા દેશોની ટુર્સ અમારા ટ્રાવેલ પોર્ટફોલિયોમાં વધારીએ છીએ, કારણ કે પર્યટકોને `સો દેશ પૂર્ણ કરો’ એવું કહેતી વખતે તે સો દેશ અમારી ટુર્સમાં હોવા જોઈએ ને.

વારુ, તે આજનો વિષય નથી, પરંતુ જનરલી પર્યટકોને પ્રથમ પેટાગોનિયા, પછી ગ્રીનલેન્ડ અને તે પછી એન્ટાર્કટિકા કરવું એવી એક સલાહ મને ઉપરોક્ત સંવાદમાંથી મળી છે. ગ્રીનલેન્ડ, પેટાગોનિયા, ફિયોર્ડસ અને ત્યાંના અતિભવ્ય ગ્લેશિયર્સ જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે તે નિશ્ચિત છે. અલાસ્કાના ગ્લેશિયર્સની બાબતમાં પણ તે જ સ્થિતિ છે. જ્યારે જ્યારે ત્યાં ગયાં ત્યારે નિસર્ગનું તે અતિસુંદર, અતિભવ્ય અને પ્રિસ્ટીન, પવિત્ર રૂપ જોઈને આંખો અંજાઈ અને થાકી પણ ગઈ હતી. તે સમયે જણાયું કે આ પૃથ્વી સામે આપણે કેટલા નાના અને આપણી ચિંતા કેટલી નજીવી છે.

ટુર મેનેજર તરીકે બહુ અગાઉ હું હિમાચલ પ્રદેશ, એટલે કે, કુલુ મનાલીની ટુર્સ કરતી હતી. તે સમયથી આજ સુધી એક આદત પડી તે એ કે જ્યારે સમય મળે ત્યારે બરફાચ્છાદિત પહાડો તરફ ટીકીને જોતાં રહેવાનું. નિસર્ગની તે મહાકાય નિર્મિતી આંખોમાં સંગ્રહવાની, મનમાં ઉતારવાની અને વિચારોમાં સમાવી લેવાની. ટુર પર હોઈએ ત્યારે પર્યટકો સાથે બહુ ગપ્પાં થાય છે. આજકાલ ઘણી વાર ટુર પર જવાનો અમારો તે પણ હેતુ હોય છે. આવી જ એક ટુરમાં એક પર્યટક મળ્યા. તેમને પ્રવાસ બહુ ગમે છે. તે સમય સુધી તેમણે માનસરોવરની ત્રણ ફેરી કરી હતી. અમે હજુ એક વાર પણ જઈ શક્યાં નથી. આથી ત્રણ વાર માનસરોવર કરેલા તે પર્યટકોને સાક્ષાત દંડવત કરવાનું મન થયું અને મને ખાતરી છે કે હમણાં સુધી તેમણે પાંચ- છ વાર કૈલાસ માનસરોવરની યાત્રા કરી હશે. તેમને પૂછ્યું, “આટલું શું તમને આકર્ષિક કરે છે? ભક્તિભાવ, શંકર ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ કે વધુ કશું?’ તેનો ઉત્તર મને હજુ પણ યાદ છે. `પહેલી વાર જ્યારે હું કૈલાસ માનસરોવરમાં એક મિશન તરીકે ગયો હતો. મુશ્કેલ દુર્ગમ દેવસ્થાનોની મુલાકાત લેવી તે મારું મિશન. આથી પહેલી યાત્રા થઈ. ત્યાં જવાનું એટલે મનની અને શરીરની પૂર્ણ તૈયારી હોવી જોઈએ.

ક્યાંય પણ કોઈ પણ સ્થિતિમાં રહેવું પડી શકે, ટોઈલેટ ફેસિલિટીઝનો અભાવ. ક્યારેક રસ્તા બંધ તો ક્યારેક રિસ્ટ્રિક્ટે્રડ મુવમેન્ટ, બધી બાબતો માટે તૈયાર રહેવાનું. જોકે એક વાર તે મુશ્કેલ પ્રવાસ પાર પડે એટલે જે અનુભૂતિ મળે છે તે માનસરોવરમાં પહોંચ્યા પછી અને કૈલાસની પ્રદક્ષિણા પૂરી કર્યા પછી, સર્વ મહેનત ચુટકી વગાડતાં ભુલાઈ જવાય છે. `આ માટે જ તો કર્યું હતું સાહસ’ શબ્દ આપોઆપ મોઢામાંથી નીકળી આવે છે અને નિસર્ગની તે આંખો આંજી દેતી અતિભવ્યતા તરફ જોઈને આપણો અહંકાર ક્યાંયનો ક્યાંય પલાયન થઈ જાય છે. હિમાલયનું તે રૂપ આપણને પરિપૂર્ણતાનું ભાન કરાવે છે. આપણે કેટલા સૂક્ષ્મ અને નગણ્ય છીએ તે આપણને કહેતો હોય છે. અને મારો અભિમાન, ગર્વ, હઠ, ઘમંડ, જીદ બધું જ નહિવત બની જાય છે. અને આ નહિવત થવા માટે મને જમીન પર લાવવા હું પાંચ વર્ષથી એક વાર કૈલાસની યાત્રા કરું છું.’ સાચું જ છે, નિસર્ગ આપણા `હું’પણાને એકાદ ચપરાક મારે તે રીતે તેની જગ્યા બતાવી દે છે. તેનો અનુભવ મેં એન્ટાર્કટિકામાં જતી વખતે લીધો. `મને જીવનમાં બોટમાં ક્યારેય તકલીફ થઈ નથી તે જ રીતે હમણાં પણ નહીં થશે’ એવું એન્ટાર્કટિકાની ક્રુઝ પરના ડોક્ટરને કહ્યું અને મેં ડ્રેક પેસેજ સાથે ચેલેન્જ લીધી. તેમની સલાહ અવગણીને સી સિકનેસ ટેબ્લેટ લીધી નહીં. મારો આ અભિમાન ડેક પેસેજના આરંભમાં જ તૂટી ગયો. એટલે કે, તેનો રીતસર ધબડકો બોલાઈ ગયો. હું એકદમ નાસીપાસ થઈ ગઈ. જાણે તે ડ્રેક પેસેજ મને કહેતો હતો, `મારી સાથે- નિસર્ગ સાથે પંગો લેવાનો નહીં, મારી સામે રુઆબ કરવાનો નહીં, સમજ્યાં?’ તે પછી આજ સુધી કોઈ પણ ક્રુઝ પર, બોટ પર જાઉં ત્યારે ત્યાંના ડોક્ટરોને ધ્યાનથી સાંભળું છું, કારણ કે તે ડ્રેક પેસેજ મારી પાસે આંખો મોટી કરીને જોતો હોય છે ને!

નિસર્ગને ચેલેન્જ આપતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે પૃથ્વી પર ત્રણચતુર્થાંશ પાણી અને એક ચતુર્થાંશ જમીન છે. આથી આપણી પહોંચ ઝાંપા સુધી જ. એકલા એન્ટાર્કટિકાનો બરફ પીગળે તો પણ આપણા પૃથ્વી પરના પાણીનો સ્તર અઠ્ઠાવન મીટર્સ સુધી વધી શકે છે. આ એકદમ હાલમાં જ બનવાનું નથી, પરંતુ આપણે નિસર્ગ પર આઘાત ચાલુ જ રાખ્યો તો તે પ્રકોપ સેંકડો વર્ષ પછી સર્જાઈ શકે છે એવું વૈજ્ઞાનિકોએ અગાઉથી કહી રાખ્યું છે અને તેથી જ નિસર્ગ પ્રત્યે નમ્ર થવાની જરૂર છે. ભગવાનને આપણે જોયા નથી પરંતુ નિસર્ગ કરતાં ભગવાન અલગ હશે એવું લાગતું નથી. ભગવાનની જેમ જ સ્થિતપ્રજ્ઞની જેમ તે બિલકુલ અવાજ નહીં કરતાં આપણને નિહાળતો હોય છે. સમય આવે ત્યારે તે ચપરાક મારે છે, ક્યારેક પ્રકોપ બતાવે છે, ક્યારેક ફટકારે છે, પરંતુ માર્ગ બતાવે છે. આગળ ચાલતા રહો, હું છું તમારી પડખે એવું કહેતો હોય છે.

હમણાં સુધી મેં અનેક ઠેકાણે ગ્લેશિયર્સ જોયાં છે. એન્ડીઝ પર્વતોમાં પેટાગોનિયા રીજનમાંનું પેરિતો મોરેનો, આઈસલેન્ડમાંનું વાતનાયોકુત્લ, ન્યૂ ઝીલેન્ડમાંનું ફોક્સ ગ્લેશિયર, અલાસ્કામાં હબ્બર્ડ ગ્લેશિયર, એન્ટાર્કટિકામાં અનેક ગ્લેશિયર્સમાંથી એક પેયટો ગ્લેશિયર, કેનેડા અલબર્ટામાંનું આથાબસ્કા અથવા પેયટો ગ્લેશિયર તેમ જ કેનેડા બ્રિટિશ કોલંબિયામાંનું ઈલેસિલવટ ગ્લેશિયર, ચાયના હલુઓગૉવ અથવા મિંગયોંગ (આ બંને મારે હજુ પણ જોવાના બાકી છે) અને ખુદ આપણા ભારતના ઉત્તરાખંડમાંનું ગંગોત્રી ગ્લેશિયર, લાહૌલ સ્પિતી હિમાચલ પ્રદેશમાં બારા શિગ્રી ગ્લેશિયરમાંથી દરેક ગ્લેશિયરની પહેલી મુલાકાત અથવા પહેલાં દર્શન સુંદર, અપ્રતિમ લાગે છે, થોડું શાંત થઈને તેની તરફ જોતા રહીએ તો તેની ભવ્યતા જણાય છે અને વધુ થોડો સમય જોતા રહીએ તો તેની અતિભવ્યતા આગળ નતમસ્તક થઈ જઈએ. મન શાંત થાય છે. ક્યારેક ક્યારેક મનમાંના વિચારોની ગિરદી ઓછી થવા લાગે છે અને ક્યાંક હવે પોતાનો અવાજ સંભળાય છે. એકાંત અને એકાગ્રતા આ બંનેનો અનુભવ આપણે લઈએ છીએ. નિસર્ગના સાંનિધ્યમાં મને ધીમે ધીમે આ બાબતો જ્ઞાત થતી ગઈ અને પછી મેં નિસર્ગના આવા ચમત્કારની સામે સમય કાઢીને પગની ઘડી કરીને આંખો આખી ખુલ્લી રાખીને બેસવા લાગી, પ્રાર્થના કરવા લાગી, પોતાને જાણી લેવા લાગી અને તેનું હકારાત્મક પરિણામ મને દેખાવા લાગ્યું. મારા વિચારોમાં, આચારોમાં અને દ્રષ્ટિકોણમાં મને ફરક જણાવા લાગ્યો. મારું વિશ્વ વ્યાપક બન્યું, કારણ કે આ ઠેકાણાં ફક્ત પર્યટન સ્થળો નથી, પરંતુ તે જાણે આત્મશાંતિની પ્રયોગશાળા છે.

આપણી સંસ્કૃતિ કહે છે, વર્ષોમાં એક વાર તીર્થયાત્રા કરવી. તીર્થક્ષેત્ર એટલે ભગવાન સાથે મુલાકાત. જોકે આજે ભગવાન પણ થોડો ડિજિટલ થયો હોય તેવું લાગે છે. દિવસભર કોઈક ને કોઈક સ્ક્રીન સામે આપણે એકદમ નતમસ્તક થઈએ છીએ અને તે પછી વ્યાધીઓને આપણે આમંત્રિત કરીએ છીએ. આથી હવે જરૂર છે એક નવા પ્રકારની યાત્રાની. નિસર્ગયાત્રાની, નિસર્ગ ક્ષેત્રની, જ્યાં દોડધામ નહીં હોય, જ્યાં અવાજ નહીં હોય, જ્યાં ઘોંઘાટ, શોરબકોર નહીં હોય. નો નેટવર્ક, નો અપડેટ્સ. ગપ્પા ફક્ત પવન સાથે, પાણી સાથે, ઝાડ સાથે, બરફ સાથે… પવન કહેશે, `વચ્ચે વચ્ચે થોભ, પણ થાકતો નહીં.’ પાણી સૂચવશે, `થોભ્યા વિના સતત વહેતો રહે, પણ અવાજ નહીં કર.’ ઝાડ કહેશે, `વચ્ચે વચ્ચે પાન ખરશે, પણ ગભરાશો નહીં, વસંત પરત આવશે, તું ફરી ખીલશે.’ બરફનું ભવ્ય ગ્લેશિયર સ્થિરતાનું અને શાંતિનું પ્રતીક બનીને આપણને સંદેશ આપશે, `શાંત રહો, શાંત દેખાઓ પણ ભીતરનો પ્રવાહ જીવંત રાખો, ભીતરનું તેજ ટકાવી રાખો.’

તીર્થક્ષેત્ર આપણને ભગવાન સાથે જોડે છે. નિસર્ગક્ષેત્ર આપણને પોતાની નવી ઓળખ કરાવી આપે છે. ઋષિમુનિઓએ આ જ આપણને બતાવી દીધું છે. વાલ્મિકીએ વનમાં રામાયણ લખ્યું. વ્યાસને પર્વતમાળાઓમાં મહાભારત સૂઝ્યું. ગૌતમ બુદ્ધે બોધિવૃક્ષ નીચે મૌનમાં જ્ઞાન મેળવ્યું… આવા એકદમ હાલના પણ અનેક દાખલા છે. બિલ ગેટ્સ `થિંક વીક’નું પાલન કરે છે. પોતાને દુનિયાથી તોડે છે. નો મિટિંગ્સ, નો ઈમેઈલ્સ, જંગલની કેબિનમાં આઠ દિવસ. ફક્ત પુસ્તકો, વિચાર અને નિસર્ગ. તે શાંતિમાંથી જ કદાચ અનેક નવી નવી કલ્પનાઓ જન્મી હશે. સ્ટીવ જોબ્ઝે `ઝેન સાયલેન્સ’ જાપાની પદ્ધતિ અંગીકાર કરી, સાદગીનો પ્રણ લીધો, શોરબકોરથી મુક્તિ મેળવીને પોતાની અંદર શાંતિ પ્રસ્થાપિત કરી અને આયફોન જન્મ્યો. આપણે ત્યાં વિપશ્ચના ઈન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર્સ પણ દસ દિવસનું મૌન શીખવે છે. ફોન નહીં, પુસ્તકો નહીં, સંવાદ નહીં, ફક્ત વાસ, નિસર્ગ અને પોતાનું નિરીક્ષણ, પરીક્ષણ, આત્મચિંતન. ભૂતાન, જાપાન જેવા દેશ અગાઉથી જ નિસર્ગક્ષેત્રનું મહત્ત્વ જાણે છે. શાંતિ અથવા `સાઉન્ડ ઓફ સાઈલેન્સ’ તેમની જીવનશૈલીનો ભાગ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર `શાંત વાતાવરણમાં ક્રિયેટિવિટી 60% અને એકાગ્રતા 45% વધે છે.’ તેમના મતે `શાંતિ’ એક અતિ ઉપયોગી ઔષધ છે.

થોડા મહિના પૂર્વ કરેલા સાઉથ અમેરિકા પેટાગોનિયા ફિયોર્ડસના પ્રવાસમાં મેં નક્કી કર્યું કે મારા દર વર્ષના પ્રવાસમાં એક નિસર્ગક્ષેત્ર ચોક્કસ પૂરું કરીશ. એકાદ માઉન્ટન, એકાદ શાંત સમુદ્રકિનારો, એકાદ ગ્લેશિયર, રણ, એકાદ નદી અથવા એક જંગલ શાંત થવા માટે પૂરતું છે. જોકે ત્યાં થોભવાનું, વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આપણને લાગશે કે તે થોભવું એટલે પાછળ પડવું, પરંતુ તે તેવું નથી હોતું. તે હોય છે ઝડપથી આગળ જવાની તૈયારી. નિસર્ગમાં ગયા પછી સમજાય છે, ઘોંઘાટ, શોરબકોર ધરાવતી દુનિયાનો ઉત્તર છે નિસર્ગ તરફથી મળેલી અવિચલ શાંતિ! આથી જ તમે અમે બધાએ જ વર્ષોમાં એક વાર તો પોતાને માટે સમય કાઢવો જોઈએ. એવા ઠેકાણે જઈએ જ્યાં નેટવર્ક નહીં હોય, પરંતુ પોતાની સાથે કનેક્ટ થઈ શકાય, જ્યાં અવાજ નહીં હોય પણ સંવાદ ઘડાશે, જ્યાં ભગવાન નહીં હોય પણ નિસર્ગના રૂપમાં દિવ્યત્વનું ભાન થશે. ભવ્યતામાં નમ્રતા, દિવ્યતામાં શાંતિ અને અતિભવ્યતામાં આપણું સૂક્ષ્મ અસ્તિત્વ ફરી શોધવા માટે લેટ્સ ગો બેક ટુ ધ નેચર.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

ઇંદોર બાદ હવે મહુમાં દૂષિત પાણીનો કહેરઃ બે ડઝન લોકો બીમાર

મહુઃ ઇંદોરમાં દૂષિત પાણીથી થતી મોતની ગૂંજ હજી શમી પણ નહોતી કે હવે જિલ્લામાં આવેલા મહુમાંથી પણ ગંભીર સ્થિતિ સામે આવી છે. અહીં ગંદું પાણી પીવાથી કમળા જેવા ચેપ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને સૌથી વધુ અસર બાળકો પર જોવા મળી રહી છે. મહુના પટ્ટી બજાર અને મોતી મહેલ વિસ્તારમાં છેલ્લા 10થી 15 દિવસમાં અંદાજે બે ડઝન લોકો બીમાર થયા છે.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે નળમાંથી આવતું પાણી દૂષિત છે અને તેમાં તીવ્ર દુર્ગંધ છે. આ પાણી પીધા બાદ લોકોની તબિયત બગડવા લાગી છે. અનેક ઘરોમાં એકસાથે બાળકો બીમાર પડી ગયાં છે. ક્યાંક શાળાએ જતાં બાળકો પથારીવશ થઈ ગયાં છે તો ક્યાંક બાળકો પરીક્ષાઓ ચૂકી રહ્યાં છે. 12મા ધોરણની વિદ્યાર્થિની અલીના ચેપને કારણે પ્રી-બોર્ડ પરીક્ષા આપી શકી નથી, જ્યારે નવ વર્ષની લક્ષિતા અને 12 વર્ષનો ગીતાંશ કમળાથી પીડાઈ રહ્યા છે. એક જ પરિવારનાં છ બાળકો ઘણા દિવસોથી બીમાર છે.

 નાનાં બાળકો હોસ્પિટલમાં દાખલ

મોતી મહેલ વિસ્તારમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. નાનાં બાળકોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં છે, જ્યારે એક વૃદ્ધને લિવર ઇન્ફેક્શનને કારણે ઇંદોર રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તેઓ લાંબા સમયથી દૂષિત પાણી અંગે ફરિયાદો કરી રહ્યા હતા, પરંતુ સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. રહેવાસીઓના જણાવ્યાનુસાર પીવાના પાણીની પાઇપલાઇન ગંદા નાળાઓ વચ્ચેથી પસાર થાય છે અને અનેક જગ્યાએ લીકેજ હોવાને કારણે નાળાનું પાણી સપ્લાય લાઇનમાં મળી જાય છે. પરિણામે ઘરો સુધી દૂષિત પાણી પહોંચે છે.

વિધાનસભ્ય પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા

ગયા ગુરુવાર રાત્રે વિસ્તારનાં વિધાનસભ્ય ઉષા ઠાકુર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યાં હતાં. તેમણે બીમાર બાળકો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો અહેવાલ લીધો અને અધિકારીઓને તાત્કાલિક સારવાર, દવાઓની ઉપલબ્ધતા, દૂષિત પાણીની સપ્લાય બંધ કરવા અને વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. એ સાથે જ પાઇપલાઇનની ટેક્નિકલ તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ જાન્યુઆરી ૨૦૨૬