Home Blog Page 290

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ જાન્યુઆરી ૨૦૨૬

ધર્મ કે ધાડ? વાસ્તુના નામે ચાલતી કેટલીક ગેરસમજ

જે પોષતું તે મારતું. જેને પામવા માણસ પ્રયાસ કરે છે એના વિશેની અણસમજ અથવાતો ગેરસમજ માણસને મૃત્યુતુલ્ય તકલીફ આપે ત્યારે એને વિમાસણ થાય છે કે મેં તો યોગ્ય જ કર્યું હતું તો પછી મારી સાથે આવું શા માટે થયું? આજે આપણે ભારતીય વાસ્તુમાં ચાલતી કેટલીક ગેરસમજ વિશે વાત કરીશું કે જેના વિષે ઘણો પ્રચાર પ્રસાર થયો છે પણ એના પરિણામો નકારાત્મક આવે છે. મોટા ભાગે મંદિરના મહારાજ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે એવી ગેરમાન્યતામાં આપણે રચતા હોઈએ છીએ. તેથી જ એ સર્વજ્ઞાની હશે એવું માનીને એમણે કહેલી બધી જ વાત આપણે માની લઈએ છીએ. જે સાચું નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમારા લેખમાં વાસ્તુ ઉપરાંત ઘણીબધી જીવનલક્ષી વાતો હોય છે. પણ એક વાતનો ઉલ્લેખ ઓછો થયો છે કે ખરેખર વાસ્તુનિયમો કોને કહેવાય. અમે એક જાણીતા મંદિરે ગયા હતા. ત્યાંના મહારાજે દરરોજ કબૂતરને જાર નાખવાનું કહ્યું હતું. એના લીધે વાસ્તુદોષ દૂર થશે એવી સમજણ પણ આપી. મારા પત્નીને ફેફસામાં તકલીફ થઈ અને ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે સમજાવ્યું કે આ રોગનો કોઈ સચોટ ઈલાજ નથી અને તમારા ઘરની આસપાસ રહેતા કબુતરોના સંપર્કમાં આવવાથી આવું થાય. આ તો ધર્મ કરતા ધાડ પડી. સાચી વાત તમે જ સમજાવી શકશો.

જવાબ: ભારતીય વાસ્તુનિયમ મુજબ આવી કોઈ વાત નથી. વળી કબૂતરને ઈશ્વરે પાંખો આપી છે. એ આખા જંગલો ફેંદીને દૂત તરીકે પણ જતું હતું. એની દયા ખાઈને એને જાર આપનારા આપણે કોણ છીએ? કોઈને સતત મદદ કરીને આપણે પાંગળા કરી દઈએ છીએ. ભારતમાં આવી પ્રવૃત્તિનો નિષેધ છે. જરૂર હોય ત્યારે મદદ કરવી જોઈએ, કોઈને કામ અપાવવું જોઈએ, પણ એને પાંગળા બનાવવું એ પણ પાપ ગણાય. વિજ્ઞાનને સમજ્યા વિના માત્ર કોઈ મહારાજના કહેવાથી તમે નિર્ણય લીધો, એ બરાબર નથી કહેવાય. તમારે હીરો ખરીદવો હોય તો તમે કુભારને પૂછશો કે ઝવેરીને? જેની યોગ્યતા છે એની જ સલાહ લેવી જરૂરી છે. ભારતીય વાસ્તુ માટે આવી લાખો રીલ્સ પોપ્યુલર થઈ છે, જેનો કોઈ આધાર જ નથી. ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ જેવી બાબત છે. કબૂતરને ઘરની આસપાસ ન આવવા દેવા જોઈએ. એને નકારાત્મક માનવામાં આવે છે.

સવાલ: હું એક બિલ્ડર છું. અમારા મહારાજે સમજાવ્યું હતું કે તમે કોઈ પણ ખોટું કામ કરીને પૈસા કમાવો, એનો દસમો ભાગ મંદિરમાં આપો એટલે તમારા પાપ પુણ્યમાં પરિવર્તિત થઈ જાય. આ વાત મેં મારા એક કન્સલ્ટન્ટને કહી તો એણે આ વાતનું ખંડન કર્યું. મેં ગુસ્સામાં એની ફી ન આપી અને એને આપવાના પૈસાનો દસમો ભાગ અમારા મહારાજને આપી દીધો. ત્યાર બાદ સતત ખોટ ચાલી રહી છે. તો હકીકતમાં સાચું શું હોય?

જવાબ: તમે જાતે અનુભવ કર્યો છે તો પણ તમે સવાલ પૂછો છો? કોઈને દુઃખી કરીને સુખી ન થવાય. આપણે લખાણ વિના પણ કોઈને ફી આપવાનું કહીએ છીએ ત્યારે કુદરતની હાજરીમાં એ કોન્ટ્રાક્ટ ગણાય છે. તમારા તો ગુરુ પણ અજ્ઞાની છે, જે તમને કોઈનું ખોટું કરીને એમને પોતાને સુખી રાખવાની સલાહ આપે છે. તમે જે તે વ્યક્તિને એના હકના પૈસા આપી દો. તમને નિયમો જાતે જ સમજાઈ જશે. પાપ ધોવાની કોઈ વાત ભારતીય પ્રણાલીમાં નથી.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

Chitralekha Gujarati – 02 February, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 23/01/2026

મુંબઈ: અંધેરી ખાતે `સંવેદનનો સ્નૅપશોટ’ નામે ડાયસ્પોરા કવિ સંમેલન યોજાશે

વિવિધ સાહિત્યિક કાર્યક્રમો દ્વારા કળા, સંસ્કૃતિ અને સાહિત્યને આગળ ધપાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. મુંબઈમાં આવા સાહિત્યક કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે. ત્યારે અંધેરી ખાતે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ગુજરાતી લૉટરી એકેડમી ઑફ નૉર્થ અમેરિકા અને ટહુકો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, નંદિતા ઠાકોર અને મોના નાયક

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ગુજરાતી લૉટરી એકેડમી ઑફ નૉર્થ અમેરિકા અને ટહુકો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કાંતિ મડિયા – સુરેશ દલાલ પ્રેરિત કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરી, શુક્રવારે સાંજે 6:30 વાગ્યે યોજાશે. એસ. પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ) ખાતે`સંવેદનનો સ્નૅપશોટ’ શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમ અનેક રીતે રસપ્રદ રહેશે.

ગીની માલવિયા

ડૉ.દિગેશ ચોક્સી, ઉદયન ઠક્કર, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોશી

આ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, નંદિતા ઠાકોર અને મોના નાયક કાવ્યપઠન કરશે. અમેરિકાની અકાદમી વતી ગીની માલવિયા તથા ઓરલેન્ડોની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય ડૉ.દિગેશ ચોક્સી પ્રાસંગિક વક્તવ્ય આપશે. ડાયસ્પોરા કવિતા વિશે ઉદયન ઠક્કર વાત કરશે અને સૉનેટનું ગાન સ્નેહલ મુઝુમદાર કરશે. કાર્યક્રમનું સંકલન હિતેન આનંદપરા અને સંચાલન મુકેશ જોશીનું છે.

ICCની ચેતવણી છતાં બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં સાત ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ટીમ ભારતમાં રમશે નહીં, એટલે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને હજુ પણ આશા છે કે ICC પોતાનો નિર્ણય બદલી શકે અને બાંગ્લાદેશની વાજબી માગ સાથે ન્યાય કરશે.

ઢાકામાં BCB, બાંગ્લાદેશના ક્રિકેટરો અને સરકારના સ્પોર્ટ્સ એડવાઈઝર વચ્ચે યોજાયેલી બેઠક બાદ BCB તરફથી આ નિવેદન સામે આવ્યું છે. બુધવારે ICCએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું કે બાંગ્લાદેશને ભારત આવવું પડશે, નહીં તો તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડશે. ICCની ચેતવણી બાદ લેવામાં આવેલા નિર્ણય અંગે BCBના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ બુલબુલે જણાવ્યું હતું કે ટીમ વર્લ્ડ કપ તો રમવા માગે છે, પરંતુ ભારતમાં નહીં રમે. બોર્ડે જણાવ્યું છે કે તેઓ પોતાના પક્ષ પર અડગ રહેશે અને ICC સાથે ચર્ચા ચાલુ રાખશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ICCએ ભારતમાંથી અમારી મેચ બીજી જગ્યાએ ખસેડવાની અમારી માગને નકારી દીધી છે. અમને વૈશ્વિક ક્રિકેટની હાલત વિશે ચોક્કસ ખબર નથી. તેની લોકપ્રિયતા ઘટી રહી છે. તેમણે 20 કરોડ લોકોને ક્રિકેટથી દૂર કરી દીધા છે. ક્રિકેટ ઓલિમ્પિકમાં જઈ રહ્યું છે, પરંતુ જો અમારા જેવા દેશ ત્યાં નથી જઈ રહ્યા, તો તે ICCની નિષ્ફળતા છે.

તેમણે કહ્યું હતું કે અમે શ્રીલંકામાં રમવાની અમારી યોજના સાથે ફરી ICC પાસે જઈશું. તેમણે અમને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ વૈશ્વિક સંસ્થા આવું કરી શકે નહીં. ICC 20 કરોડ લોકોને વર્લ્ડ કપ જોવાથી વંચિત કરી દેશે. આ તેમનું નુકસાન થશે. ICC શ્રીલંકાને સહ-યજમાન કહી રહ્યું છે, પરંતુ તે સહ-યજમાન નથી. આ એક હાઈબ્રિડ મોડલ છે. ICC બોર્ડની બેઠકમાં મેં જે કેટલીક વાતો સાંભળી, તે ખરેખર ચોંકાવનારી હતી.

અદાણી ગ્રુપ દ્વારા દાવોસમાં રૂ. છ લાખ કરોડના મૂડીરોકાણનો પ્રસ્તાવ

દાવોસ: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 56મી વાર્ષિક બેઠકમાં અદાણી ગ્રુપે મહારાષ્ટ્રના વિકાસ માટેનો પોતાનો રોડમેપ રજૂ કર્યો છે. અદાણી જૂથે $ 66 બિલિયન (રૂ. છ લાખ કરોડ)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (MoU)માં રોકાણના રોડમેપને ઔપચારિક બનાવવામાં આવ્યો હતો. ગ્રુપે જણાવ્યું હતું કે આ રોકાણ ફક્ત બાંધકામ ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નહીં હોય, પરંતુ રોજગાર, શહેરી વિકાસ અને ગ્રીન એનર્જીને પણ વેગ આપશે.

દાવોસમાં WEF બેઠકમાં અદાણી ગ્રુપે આગામી વર્ષોમાં રોકાણ યોજનાઓ વિશે માહિતી આપી હતી. અદાણી જૂથના પ્રસ્તાવિત રોકાણો ઉડ્ડયન, સ્વચ્છ ઊર્જા, શહેરી માળખાગત સુવિધા, ડિજિટલ પ્લેટફોર્મ અને અદ્યતન ઉત્પાદન જેવાં ક્ષેત્રોમાં કરવામાં આવશે. આ રોકાણ આગામી દસ વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં અદાણી ગ્રુપ દેશના સૌથી પડકારજનક શહેરી પ્રોજેક્ટ્સમાંના એક એવા ધારાવીના પુનર્વિકાસને પ્રાધાન્ય આપશે. આ યોજના હેઠળ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને એક વ્યવસ્થિત અને આર્થિક રીતે સક્ષમ વિસ્તારમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેનાથી અહીંના રહીશો માટે રહેવાની, કામ કરવાની અને વ્યવસાયિક સુવિધાઓમાં સુધારો થશે.

દાવોસમાં પત્રકારો સાથે વાત કરતાં મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય તેની વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત લાંબા ગાળાના રોકાણકારોનું સ્વાગત કરે છે, તેમણે ભાર મૂક્યો હતો કે રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ અને વિકાસનો વેગ જાળવી રાખવા સતત રોકાણો મહત્વપૂર્ણ છે. અદાણી ગ્રુપ નવી મુંબઈને એક મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યું છે. 25 ડિસેમ્બરથી કાર્યરત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈની આસપાસના ક્ષેત્રમાં હવાઈ મુસાફરી ક્ષમતામાં વધારો તેમ જ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ અને વ્યાપારી વિકાસને વેગ આપશે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગ્રુપના રોકાણોનું આયોજન લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ રોકાણો ભવિષ્ય માટે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ બનાવવા પર કેન્દ્રિત છે જે આગામી 7-10 વર્ષોમાં આર્થિક વૃદ્ધિ, ઊર્જા પરિવર્તન અને ડિજિટલ વિસ્તરણને મજબૂતી આપનારા બનશે.

નવા રોકાણથી રોજગાર સર્જનની સાથે અર્થતંત્રને લાંબા ગાળાના લાભો થશે. આગામી સાતથી 10 વર્ષમાં તબક્કાવાર થનારા આ રોકાણમાં 3000 મેગાવોટની ક્ષમતા ધરાવતા ગ્રીન ડેટા સેન્ટર પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એરપોર્ટ નજીક એક એરેના ડિસ્ટ્રિક્ટ, કોલસા આધારિત પ્રોજેક્ટ્સ, 8,700 મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ તેમજ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ જેવી યોજનાઓ છે.

નવાં રોકાણો ફક્ત માળખાગત સુવિધાઓ બનાવવા કે સંપત્તિ સર્જન પૂરતા જ મર્યાદિત નથી, પરંતુ એક એવી ઇકોસિસ્ટમ બનાવશે, જે મોટા પાયે રોજગારી સર્જન, પર્યાવરણને અનુકૂળ અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો પ્રભાવ વધારતી હોય.

મુંબઈમાં ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવ સંપન્ન

મુંબઈઃ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં બુધવારે જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્થિક વ્યવસ્થાને સામ્રાજ્યવાદમાંથી મુક્ત કરી ભારતીય સભ્યતાના મૂલ્યો અને વૈશ્વિક સ્તરે વસુધૈવ કુટુમ્બકમની પ્રસ્તુતતા પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

દિવસની શરૂઆત ‘આર્થિક વ્યવસ્થાની સામ્રાજ્યવાદમાંથી મુક્તિ’ વિષય ઉપર પેનલ સાથે થઈ હતી. આ ચર્ચાનું સંચાલન ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર શૌર્ય ડોભાલ દ્વારા કરવામાં આવ્યું હતું. પેનલમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષ, નાલંદા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સચિન ચતુર્વેદી અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર એમ. કે. જૈન ઉપસ્થિત રહ્યા હતા.

79મા આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મુંબઈમાં આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવમાં વક્તાઓએ પ્રવર્તમાન વૈશ્વિક આર્થિક વ્યવસ્થાની માળખાગત મર્યાદાઓ તરફ ધ્યાન દોરી આર્થિક સાર્વભૌમત્વ, નાણાકીય અસમાનતાઓ અને નૈતિક સંતુલન પર ભાર મૂક્યો હતો.

આ ચર્ચાઓમાં સર્વસમાવેશકતા તથા લાંબા ગાળાની ટકાઉક્ષમતા પર આધારિત વૈકલ્પિક મોડલ્સની જરૂરિયાત સમજાવવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મુંબઈ યુનિવર્સિટી, ગીતાર્થ ગંગા અને જ્યોત ફાઉન્ડેશન વચ્ચે થયેલા ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) હતા, જેનો ઉદ્દેશ્ય શિક્ષણ, સંશોધન અને સંવાદ દ્વારા ભવિષ્યની પેઢીઓને વસુધૈવ કુટુમ્બકમના વિચાર સાથે સક્રિયપણે જોડવાનો છે.

બપોરના સત્રમાં ‘વસુધૈવ કુટુમ્બકમ અને સંક્રમણ કાળ’ વિષય હેઠળ આદિલ ઝૈનુલભાઈ, વિજય ચોથાઈવાલે, સચિન ચતુર્વેદી અને જક્ષય શાહ જેવા મહાનુભાવોએ વિચાર-વિમર્શ કર્યો હતો કે કેવી રીતે ‘વિશ્વ એક પરિવાર છે’નો સિદ્ધાંત વિભાજિત થતી દુનિયામાં શાસન અને વૈશ્વિક સહયોગ માટે માર્ગદર્શક બની શકે છે. આખો દિવસ ચાલેલા પ્રદર્શનમાં પ્રાચીન ભારતીય જ્ઞાનના 12 શાશ્વત સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા હતા, જે આધુનિક પડકારોનો સામનો કરવા માટે વ્યવહારુ માર્ગદર્શિકા પૂરી પાડે છે. સાંજના સમયે ટેકનોલોજી અને મીડિયાના સામાજિક પ્રભાવ પર પોડકાસ્ટ સત્રો યોજાયા હતા અને લેસર શો દ્વારા પરિવાર તથા વૈશ્વિક સંવાદિતાના વિષયોનું વિઝ્યુઅલ અર્થઘટન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા શેરી નાટકોએ મૂલ્યો અને ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરીને મુલાકાતીઓમાં ચિંતન જગાવ્યું હતું, જે આ કોન્ક્લેવને ભારતીય સભ્યતાના જ્ઞાનને વૈશ્વિક પ્રશ્નો સાથે જોડતું એક ગંભીર પ્લેટફોર્મ બનાવે છે.

ABSLAMCનો નફો 20 ટકા વધીને રૂ. 2.7 અબજ થયો

મુંબઈઃ  આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમિટેડ (ABSLAMC)એ 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિના માટેના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કંપનીની વાર્ષિક ધોરણે કામગીરી થકી આવક સાત ટકા વધીને રૂ. 4.8 અબજ ડોલર થઈ,હતી, જ્યારે કંપનીનો કરવેરા પહેલાંનો નફો 19 ટકા વધીને રૂ. 3.6 અબજ થયો છે અને કરવેરા પછીનો નફો 20 ટકા વધીને રૂ. 2.7 અબજ થયો છે. કંપનીની MF QAAUM 15 ટકા વધીને રૂ. 4432 અબજ થઈ છે, જ્યારે ઇક્વિટી MF QAAUM 11 ટકા વધીને રૂ. 1994 અબજ થઈ છે.

કંપનીની વ્યાવસાયિક કામગીરીની હાઇલાઇટ્સ

  • 31 ડિસેમ્બરે પૂરા થતા સમયગાળામાં કંપનીની વૈકલ્પિક એસેટ્સ સહિત કુલ QAAUM 20 ટકા વધીને 31 ત્રિમાસિક ગાળા માટે રૂ. 4814 અબજ થઈ હતી. ABSLAMC મ્યુચ્યુઅલ ફંડની QAAUM 15 ટકા વધીને રૂ. 4432 અબજ થઈ હતી.
  • ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની QAAUM 11 ટકા વધીને ત્રિમાસિક માટે રૂ. 1994 અબજ થઈ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની મિક્સ ત્રિમાસિક ગાળા માટે 45 ટકાએ હતી.
  • ડિસેમ્બર, 2025 માટે વ્યક્તિગત મન્થલી AAUM રૂ. 2119 અબજ હતી જ્યારે વ્યક્તિગત મિક્સ મ્યુચ્યુઅલ ફંડ AUM 48 ટકાએ રહી હતી.
  • B-30 માસિક AAUM વાર્ષિક ધોરણે 12 ટકા વધીને ડિસેમ્બર, 2025માં રૂ. 770 અબજ થઈ હતી, જ્યારે B-30 મિક્સ મ્યુચ્યુઅલ ફંડ AUMમાં 3 ટકા રહી હતી.
  • 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ESIC મેન્ડેટ સહિત PMS/AIFની QAAUM 8 ગણી વધીને રૂ. 327 અબજ થઈ હતી, જે અગાઉ રૂ. 38 અબજ હતી. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક માટે ESIC મેન્ડેટની QAAUM રૂ. 273 અબજના સ્તરે હતી.
  • 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે પેસિવ QAAUM રૂ. 387 અબજના સ્તરે રહી હતી., જેમાં વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

  • 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ABSLAMCએ 8 મિલિયન ફોલિયોનું સંચાલન કર્યું હતું.
  • ડિસેમ્બર 2025 માટે માસિક SIP યોગદાન (STP સહિત) રૂ. 80 અબજના સ્તરે રહ્યું હતું, જેમાં 4.04 મિલિયન યોગદાન આપતા SIP એકાઉન્ટ્સ હતાં.
  • 31 ડિસેમ્બર, 2025એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન અંદાજે 5,31,000 નવા SIPs (STP સહિત) નોંધાયાં હતાં.
  • 93,000થી વધુ KYD-અનુરૂપ MFDs, 360 નેશનલ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 90+ બેંકોને 310+ સ્થળો દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાંથી 80 ટકાથી વધુ સ્થળો B-30 શહેરોમાં છે.