Home Blog Page 2806

સુવિચાર – ૦૭ જૂન, ૨૦૨૩

સુવિચાર – ૦૭ જૂન, ૨૦૨૩

૦૭ જૂન, ૨૦૨૩

૦૭ જૂન, ૨૦૨૩

નોટ આઉટ @ 87 : ઈશ્વરભાઈ શાહ

બેંક-ઓફ-બરોડામાં ક્લાર્ક તરીકે જોઈન થઈ, 37 વર્ષ કામ કરી, જનરલ-મેનેજર (International)ની પોસ્ટથી રીટાયર થયા એવા ઈશ્વરભાઈ ચંદુલાલ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

બાળપણ રાંદેરમાં, (હાલ દુબઈમાં), સાત ભાઈઓનું કુટુંબ, તેઓ સૌથી મોટા. પિતાને નાની દુકાન. પ્રાથમિક-અભ્યાસ રાંદેરમાં, ધોરણ-11 સુધી જૈન-ગુરુકુળ, પાલીતાણામાં. ત્યાં બે અઠ્ઠાઈ કરી. દર-મહિને પાલીતાણાનો શત્રુંજય પર્વત ચડતા. એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાંથી બી.કોમ. કર્યું. CAની ફર્મ હરિભક્તિ એન્ડ કંપનીમાં થોડો વખત કામ કર્યું. પછી બેંક-ઓફ-બરોડા(BOB)માં ક્લાર્ક તરીકે જોડાયા. બેંકની પરીક્ષા(CAIIB)ઓ આપી, સ્કોટલેન્ડ અને IIM-Aમાં તાલીમ લીધી અને ઘણી પ્રગતિ કરી. બેંકની ટ્રેનિંગ કોલેજમાં 7 વર્ષ કામ કર્યું. બરોડા, ઊંઝા, અમદાવાદ, મુંબઈ, દુબઈ, લંડન, કેન્યા(નૈરોબી), ન્યુયોર્ક, સ્વીત્ઝરલેન્ડ…. ઘણી જગ્યાએ કામ કર્યું. લંડન 6 વર્ષ રહ્યા. 37 વર્ષે બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી  GLFLમાં 4 વર્ષ કામ કર્યું. પત્ની મીનાબહેને તેમની અને કુટુંબની જવાબદારી ઉપાડી લીધી જેથી ઈશ્વરભાઈએ નિશ્ચિતતાથી કામ કર્યું. અત્યારે દીકરો-વહુ બહુ ધ્યાન રાખે છે.

 

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે નાહી-ધોઈને બે કલાક સેવા-પૂજા કરે, પછી ચાલવા જાય. બગીચામાં પડી ગયા હતા એટલે હમણાં ઘોડીથી ચાલે છે. પાછા આવીને છાપાં-મેગેઝીન વાંચે. જમીને આરામ કરે. 5:00 વાગે ચા-પાણી કરી ફરી ચાલવા જાય. આવીને ધાર્મિક-વાંચન કરે, જૂના ફોટા જુએ. શેર-બજારની માહિતી મેળવે. જરૂર પડ્યે ઘરના કામમાં મદદ કરે. ટીવી જોવાનો બહુ શોખ નથી.

શોખના વિષયો : 

છાપાં, મેગેઝીન, ધાર્મિક-પુસ્તકોનું વાંચન કરવું ગમે. શેર-બજારમાં રસ ખરો. જૂના ફોટાઓ જોવા ગમે. પ્રવાસનો શોખ. બેંકના  LTCથી દર-વર્ષે વેકેશનમાં, બે કુટુંબો સાથે ફરવા જતાં, આખું ભારત જોઈ લીધું છે. રાંદેરની નાતમાં તેમનું નામ, લોકો સલાહ લેવા આવે. પ્રસંગે ભાષણ કરવું ગમે. લેખનમાં સારી હથોટી, ડ્રાફ્ટિંગ સરસ કરે. હિસાબના પાક્કા.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, DEMENTIAને કારણે બધું ભૂલી જવાય છે. આંખો સારી છે પણ કાનની તકલીફ છે. પડી ગયા પછી ચાલવાની થોડી તકલીફ છે.

યાદગાર પ્રસંગ: 

ઈરાન-ઈરાક વોર વખતે તેઓ દુબઈ હતા. ત્યારની નાંણાકીય કટોકટીમાં ફક્ત તેમની બેંક નાણાં આપી શકતી! સાંજે બેંક ચાલુ રહેતી, પણ સ્ટાફને ગમે નહીં. ઈશ્વરભાઈએ યુએઈની સેન્ટ્રલ-બેન્ક પાસેથી પરવાનગી લઈ સાંજના બેન્કિંગના કલાકો બંધ કરાવ્યા. સ્ટાફ ખુશ-ખુશ! બીજી બેંકના મેનેજરો ઈશ્વરભાઈની સલાહ લેતા! એક-વાર યાસર અરાફતની કંપનીએ લોન માટે દુબઈ-બ્રાંચને અરજી કરી. કંપનીના ધારા-ધોરણમાં ફીટ ના થતાં ઈશ્વરભાઈએ અરજી રિજેક્ટ કરી. કંપનીએ હેડ-ઓફિસમાં વાત કરી. ઉપરી-અધિકારીનો ઈશ્વરભાઈને ફોન આવ્યો: “લોન મંજૂર કરી દો!” ઇશ્વરભાઈએ હિંમતથી કહ્યું: “તમને યોગ્ય લાગે તો મને લેખિત-ઓર્ડર મોકલો, હું તરત લોન આપી દઈશ!” ક્યારેય લેખિત-ઓર્ડર આવ્યો જ નહીં!

ચેરમેન અને ઉપરી-અધિકારીઓની મીટીંગ હતી. એક અધિકારીએ ઈશ્વરભાઈની નીચેના સ્ટાફને ધમકાવ્યો. ઈશ્વરભાઈએ બહુ શિસ્તથી કીધું: “હું તમને રિપોર્ટ કરું છું, તમે મને ધમકાવી શકો, પણ મારા સ્ટાફને નહીં!” તેમની આવી વર્તણુંકને કારણે નીચેનો સ્ટાફ અને મેનેજમેન્ટ બંને ખુશ રહેતા. બેંક-સ્ટાફે અને યુનિયને તકલીફના સમયે ઘણી મદદ કરી હતી.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે ઊંચી-પદવી પર હતા, હાથ નીચે મોટો સ્ટાફ એટલે જાતે કોમ્પ્યુટરનો ઉપયોગ નથી કર્યો, પણ ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ! કોમ્પ્યુટર્સનો હજુ બજારમાં પ્રવેશ થતો હતો ત્યારે સૌપ્રથમ તેમણે ગાંધી-રોડ,અમદાવાદની આખી બ્રાન્ચ કોમ્પ્યુટરાઈઝ્ડ કરાવી. એક બાજુ યુનિયનનો વિરોધ, બીજી બાજુ મેનેજમેન્ટનો આગ્રહ. તકલીફો વચ્ચે તેમણે તે કામ સમયસર પતાવ્યું. દુબઈ-બ્રાન્ચમાં પણ ઓફિસ-ઓટોમેશનનાં મોટાં-મોટાં મશીનો તમણે જ લીધાં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?  

કામકાજના 42 વર્ષ દરમિયાન, તેઓ અનેક જગ્યાએ ફર્યા છે એટલે તેમને આજે પણ બહુ ફેર લાગતો નથી. તેઓ બે માણસને કે બે સમયને સરખાવતા નથી. કોઈ માણસ ખરાબ નથી, કોઈ સમય ખરાબ નથી. બધા સક્ષમ છે. માણસને અનુકૂળ સમય હોય ત્યારે તે આગળ વધી શકે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?   

મોટું કુટુંબ, સાત ભાઈઓ,15 ભત્રીજા-ભત્રીજી, એમનાં બાળકો.. કુટુંબના યુવાનો સાથે સારો ઘરોબો છે. પૌત્ર આગમ સાથે બહુ ફાવે! આગમને પણ દાદા માટે બહુ પ્રેમ! દાદાને બાળકો બહુ ગમે, તેમને રમાડે, તેમને ભેટ આપે.

સંદેશો :  

કાયદા-વિરુદ્ધ ક્યારેય કામ કરવું નહીં. અને મા-બાપના નામ પર ચરી ખાવું નહીં, પોતાની ઓળખ જાતે ઊભી કરવી!

રાશિ ભવિષ્ય 07/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

શ્રી શ્રી રવિશંકરજી: નાસ્તિક માટે ઈશ્વર

ઈશ્વર તમારા અસ્તિત્વનું કેન્દ્ર છે. ઈશ્વરને સ્વરૂપહીન/અરુપ જોવા અઘરું છે અને કોઈ સ્વરૂપ તરીકે જોવા એ પણ અઘરું છે. સ્વરૂપહીન સાવ અમૂર્ત લાગે અને કોઈ સ્વરૂપમાં ઈશ્વર ખૂબ મર્યાદિત લાગે. આથી કેટલાક લોકો નાસ્તિક રહેવાનું પસંદ કરે છે.

નાસ્તિકતા એ વાસ્તવિકતા નથી;એ સગવડીયું છે. જ્યારે તમારામાં જાણવાની જીજ્ઞાસા હોય કે સત્યની શોધ કરતા હોવ તો નાસ્તિકતા ટકી શકતી નથી. જો જાણવાની જીજ્ઞાસા હોય તો જે વસ્તુને તમે ખોટી સાબિત નથી કરી તેને તમે નકારી ના શકો. નાસ્તિક વ્યક્તિ ઈશ્વર નથી એવું સાબિત કર્યા વગર તેમના અસ્તિત્વને નકારે છે. ઈશ્વરના અસ્તિત્વને નકારવા માટે તમારામાં અઢળક જ્ઞાન હોવું જોઈએ. જો તમારામાં અઢળક જ્ઞાન હોય તો તમે ઈશ્વર નથી એવું સાબિત કરી શકતા નથી! જો કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે અમુક વસ્તુનું અસ્તિત્વ નથી તો તેને આખા વિશ્વનું જ્ઞાન હોવું જોઈએ. આમ,તમે 100% નાસ્તિક નથી થઈ શકતા. નાસ્તિક એટલે ઈશ્વરમાં માનવા વાળી વ્યક્તિ જે નિદ્રામાં છે!હકીકતમાં નાસ્તિક એટલે વ્યક્તિ જેનામાં ઈશ્વર માટે કોઈ પરિકલ્પના છે!

કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે, “હું કશામાં માનતી નથી”, તો એ પોતાનામાં માનતા હોવા જોઈએ–એટલે કે તે પોતાને માને છે અને આ બાબતે તે જાગૃત પણ નથી! કોઈ નાસ્તિક ક્યારેય સન્નિષ્ઠ ના હોઈ શકે કારણ કે સન્નિષ્ઠતા ગહેરાઈ માંગે છે- અને તે ગહેરાઈમાં જવા તૈયાર નથી. જો તે વધુ ને વધુ ગહેરાઈમાં જાય તો તેને ખાલીપણું મળે છે,બધી શક્યતાઓવાળું એક ક્ષેત્ર–તેણે સ્વીકારવું પડે કે એવા ઘણા રહસ્યો છે જેના વિશે તે જાણતો નથી. પછી તેણે પોતાની અજ્ઞાનતા સ્વીકારવી પડે,જે કરવા તે તૈયાર નથી હોતો કારણ કે જે ક્ષણે તે સન્નિષ્ઠ બને તે ક્ષણથી તે પોતાના નાસ્તિકપણાં વિશે ગંભીરતાથી સંશય કરવા માંડે. નાસ્તિક સંશય વગરનો હોય એવું શક્ય નથી! આમ,તમે સન્નિષ્ઠ અને સંશયમુક્ત હોવ એવા નાસ્તિક ક્યારેય ના હોઈ શકો. તમે તમારા પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માંડો છો અને તમને પ્રતીતિ થાય છે કે તમે હકીકતમાં સ્વરૂપહીન,ખાલી અને પોલા છો. અને તમારામાં આ અમૂર્પતણું વધુને વધુ દ્રઢ થતું જાય છે!

જ્યારે નાસ્તિકને પોતાની અજ્ઞાનતાનું ભાન થાય છે ત્યારે તે ગુરુ પાસે આવે છે. ગુરુ અમૂર્પતપણાને વધારે વાસ્તવિક બનાવે છે અને તમે જેને નક્કર માનતા હતા તે વધારે અવાસ્તવિક જણાય છે.તમારામાં સંવેદનશીલતા અને સૂક્ષ્મતા ઉદ્ભવે છે. પ્રેમની સમજ એક લાગણી તરીકે નહીં પરંતુ અસ્તિત્વના પોષક તરીકે સ્પષ્ટ થાય છે. અરુપ ચેતના સર્જનના દરેક સ્વરૂપ થકી પ્રકાશમય જણાય છે તથા જીવનનું રહસ્ય વધારે ગહેરું થાય છે જેને લીધે નાસ્તિકતા નષ્ટ થાય છે.ત્યાર બાદ યાત્રા શરુ થાય છે જેની ચાર અવસ્થાઓ હોય છે.

પહેલી અવસ્થા છે સારુપ્ય (સ્વરૂપમાં અરુપતા જોવી ) એટલે કે તમામ સ્વરૂપોમાં ઈશ્વરના દર્શન કરવા. ઘણીવાર વ્યક્તિને ઈશ્વરને અમુક સ્વરૂપ કરતાં અરુપ તરીકે જોવાનું વધારે અનુકૂળ પડે છે કારણ કે સ્વરૂપને લીધે વ્યક્તિને કંઈક અંતર,દ્વંદ્વતા,અસ્વીકારનો ડર અને અન્ય મર્યાદાઓ લાગે છે. જીવનમાં ગહેરી નિદ્રા તથા સમાધિ સિવાય આપણા તમામ આદાનપ્રદાન કોઈ સ્વરૂપ સાથે હોય છે. જો તમે કોઈ સ્વરૂપમાં ઈશ્વરને જોઈ શકતા નથી તો જીવનની જાગૃત અવસ્થા ઈશ્વરથી વંચિત રહી જાય છે.જે લોકો ઈશ્વરને અરુપ તરીકે સ્વીકારે છે તેઓ ચિહ્નોનો ઉપયોગ કરે છે અને કદાચ ઈશ્વર કરતાં પણ ચિહ્નોને વધારે પ્રેમ કરે છે!જો ઈશ્વર પ્રગટ થઈને કોઈ ખ્રિસ્તીને ક્રોસ કે મુસ્લિમને અર્ધચંદ્ર છોડી દેવાનું કહે તો કદાચ તે તેમ નહીં કરે!શરુઆતમાં અરુપને સ્વરૂપ થકી જ પ્રેમ કરી શકાય છે.

બીજી અવસ્થા છે સામીપ્ય (નજીક હોવું) એટલે કે તમને પસંદ છે તે સ્વરૂપની એકદમ નજીક હોવાનો અનુભવ કરવો અને અંતે અરુપ સુધી પહોંચવું. આ અવસ્થા સમસ્ત સર્જન સાથે આત્મિયતાનો ભાવ જન્માવે છે. આ અવસ્થામાં અસ્વીકારનો અને અન્ય ડર રહેતા નથી. પરંતુ આ અવસ્થા સમય અને સ્થળ સાથે સંકળાયેલી છે.

ત્રીજી અવસ્થા છે સાનિધ્ય- ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરવો જેનાથી તમે સમય અને સ્થળની મર્યાદાઓથી ઉપર ઊઠો છો.પછી અંતિમ અવસ્થા છે સાયુજ્ય,એટલે કે જ્યારે તમે ઈશ્વર સાથે અતુટ રીતે જોડાયા હોવ છો. હવે તમને લાગે છે કે તમે ઈશ્વર સાથે એકદમ જોડાયેલા છો. એમની સાથે સંપૂર્ણ એકરૂપ થઈ જવાની આ અવસ્થા છે અને દ્વૈત અદ્રશ્ય થઈ જાય છે. તમારા ઈશ્વરની સંભાળ રાખો!સંશય,અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા તમારા મનમાં રહેલા નાસ્તિકો છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પંચાંગ 07/06/2023

ભારત સાથેના સરહદ વિવાદમાં અમેરિકાની દખલગીરી સહન નહીં થાય – ચીન

ભારત અને ચીન વચ્ચેના સંબંધો સ્થિર છે. જો સીમા વિવાદની વાત છે તો તે ભારત અને ચીનનો મામલો છે. કોઈ તૃતીય પક્ષની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ વાત કહી છે. ચીનના પ્રવક્તાએ અમેરિકા પર નિશાન સાધતા કહ્યું કે અમેરિકા દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. ભારત-ચીન વિવાદ પર યુએસ તરફથી રેટરિક થઈ રહી છે, જેના પર ચીની પ્રવક્તાએ વળતો જવાબ આપ્યો છે.

અમેરિકા પર નિશાન સાધતા ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શિયાઓજિયાને કહ્યું કે ચીન વિશ્વ શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે. માત્ર અમેરિકા જ પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવા માટે જબરદસ્તી અને તમામ પ્રકારના પગલાં લે છે. અમેરિકા તેના સહયોગી દેશો પર દબાણ અને ધમકીઓ લાવે છે, જેના કારણે વિકાસશીલ દેશો પરેશાન છે.

અમેરિકા ભારત સાથે સહયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે ચીન સાથે વધી રહેલા વિવાદ વચ્ચે અમેરિકા ભારત સાથેના સંબંધોને ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, તેના ઈન્ડો-પેસિફિક એજન્ડાના ભાગરૂપે, તે ચીન સાથેના ભારતના સરહદ વિવાદમાં પણ દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભૂતકાળમાં ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા કરારો પર ચર્ચાઓ તેજ બની છે. તાજેતરમાં, બંને દેશોએ ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેક્નોલોજીને લઈને એક પહેલ પણ શરૂ કરી છે.

બંને દેશોમાં સંરક્ષણ વેપારમાં પણ ભારે વધારો થયો છે. 2020 સુધીમાં ભારત-અમેરિકાનો સંરક્ષણ વેપાર 20 અબજ ડોલરનો થઈ ગયો છે. 2008 સુધીમાં તે લગભગ શૂન્ય હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોએ સૈન્ય સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો છે. તેમાં ટાઇગર ટ્રાયમ્ફ, યુદ્ધ અભ્યાસ અને મલબાર એક્સરસાઇઝ જેવી કેટલીક પહેલોનો સમાવેશ થાય છે. અમેરિકા ભારતને જીવંત લોકશાહી માને છે. એક લોકશાહી દેશ હોવાને કારણે અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખાસ કરીને ચીનનો સામનો કરવા માટે.

અમેરિકા સાથીઓને સમર્થન આપશે – જો બિડેન

જોકે, ક્યાંક ભારત એવું નથી ઈચ્છતું કે અમેરિકા ચીન સાથેના સરહદી વિવાદમાં હસ્તક્ષેપ કરે. તેમ છતાં, ભારતનો પ્રયાસ છે કે કોઈ પણ મદદની સ્થિતિમાં તેનો સાથી તેની પડખે ઊભો રહે. એવા ઘણા પ્રસંગો છે જ્યાં અમેરિકાએ ભારતને સહકાર આપ્યો છે. સીમા વિવાદ વચ્ચે પણ અમેરિકાએ ચીનની આક્રમકતા અંગે ભારતને જરૂરી માહિતી પૂરી પાડી છે. અમેરિકાએ પણ ભારતીય સરહદોની આસપાસ ચીનની ગતિવિધિઓ પર ભારતને એલર્ટ કર્યું છે. માહિતી અને ગુપ્તચર આધાર આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ જો બિડેને પણ સ્પષ્ટપણે કહ્યું છે કે તે પૂર્વ ચીન સાગર હોય, તાઈવાન, દક્ષિણ ચીન સાગર હોય અને ચીન સાથેનો ભારતનો સરહદી વિવાદ હોય… અમેરિકા તેના સહયોગીઓ સાથે રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતા મહિને વ્હાઇટ હાઉસ જવાના છે. આ દરમિયાન એવું માનવામાં આવે છે કે ચીનના મુદ્દા પર બિડેન-મોદી વચ્ચે વાતચીત થઈ શકે છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને યુએસ વચ્ચેની વ્યૂહાત્મક સ્પર્ધા અંગેની યુએસ હાઉસ સિલેક્ટ કમિટીએ ભારતને નાટો પ્લસમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. માનવામાં આવે છે કે જો બિડેન વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી શકે છે. જો આ અંગે કેટલીક સમજૂતી થાય તો પણ ચીનને ઠંડી લાગશે.

સચિન પાયલોટ ભરશે ઉડાન, કોંગ્રેસમાંથી નિકળી બનાવશે પોતાની પાર્ટી

રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલો ઝઘડો હવે નવા વળાંક પર આવી ગયો છે. સચિન પાયલોટે માત્ર અલગ રસ્તો અપનાવવાનું નક્કી કર્યું નથી, પરંતુ નવી પાર્ટી બનાવીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગેહલોતને ધૂળ ચટાડવાની રણનીતિ પણ બનાવી છે. આ માટે રાજસ્થાનમાં બે રાજકીય પક્ષોની નોંધણી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે 11 જૂને આમાંથી એક નામ અપનાવીને સચિન પાયલટ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે.

એટલું જ નહીં સચિન પાયલટ રાજસ્થાનમાં પોતાની જમીન મજબૂત કરવા માટે રથયાત્રા કાઢવાના છે. આ માટે નવા પક્ષના સંભવિત નામના આધારે રથ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સચિન પાયલટના આ નિર્ણયને કારણે ચૂંટણીના વર્ષમાંથી પસાર થઈ રહેલા રાજસ્થાનની રાજકીય હવામાં અચાનક ગરમી વધી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા નિર્ણય સાથે પાયલોટે પોતાના પ્રાદેશિક સંગઠનને મજબૂત કરવા માટે દિવસ-રાત એક કરી દીધા છે.

માનવામાં આવે છે કે તેઓ 11 જૂને નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. હાલમાં તેમની પાર્ટીનું સંભવિત નામ પ્રોગ્રેસિવ કોંગ્રેસ હોઈ શકે છે. નવી પાર્ટીની જાહેરાત પહેલા સચિન પાયલટ હાલમાં મંદિરોમાં પૂજા કરી રહ્યા છે. સોમવારે તેઓ રાજ્યસભાના સાંસદ વિવેખ ટંખા સાથે મા શારદાના આશીર્વાદ લેવા મેહર પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જલ્દી જ જયપુરમાં એક મોટી રેલી કરવાના છે. બીજી તરફ સચિન પાયલટના આ અચાનક નિર્ણયથી કોંગ્રેસ હાઈકમાન્ડ ફિક્સમાં છે.

કોંગ્રેસની નજર પાયલટના આગામી પગલા પર છે

અત્યાર સુધી પાર્ટીને લાગતું હતું કે સચિન કોઈ પણ સંજોગોમાં પાર્ટીમાંથી બહાર નહીં જઈ શકે, પરંતુ નવી સ્થિતિમાં પાર્ટી હાઈકમાન્ડ તેના આગામી પગલા પર નજર રાખી રહ્યું છે. પાર્ટીના અધિકારીઓનું માનવું છે કે સચિન પાયલટના આ પગલાથી આ ચૂંટણીમાં પાર્ટીને મોટું નુકસાન થવાનું છે. જણાવી દઈએ કે રાજસ્થાનમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી સચિન પાયલટના નેતૃત્વમાં લડવામાં આવી હતી. આ સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બહુમત મળ્યા બાદ પાયલટ મુખ્યમંત્રી બનશે, પરંતુ એવું થયું નહીં.

અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા બાદ બંને વચ્ચે તણાવ હોવાના અહેવાલો આવ્યા હતા. જ્યારે જુલાઈ 2020માં સચિન પાયલટે ખુલ્લેઆમ બળવો કર્યો હતો. તે સમયે તેઓ તેમના સમર્થક ધારાસભ્યો સાથે માનેસરના ગેસ્ટહાઉસ પહોંચ્યા હતા. જો કે તે સમયે નાયબ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચતુરાઈ બતાવીને સરકારને બચાવી હતી. ત્યારથી બંને નેતાઓ વચ્ચે સતત શબ્દોની લડાઈ ચાલી રહી છે.

ઓવલની પિચ સ્પિનરોને મદદરૂપ થશે: સચીન તેંડુલકર

મુંબઈઃ આવતીકાલથી અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવાની છે ત્યારે દંતકથાસમાન બેટર સચીન તેંડુલકરનું કહેવું છે કે ઓવલ મેદાનની પિચ સ્પિન-ફ્રેન્ડ્લી છે અને તેને કારણે ભારતીય ટીમ આત્મવિશ્વાસ સાથે જંગમાં ઉતરશે.

ભારત પાસે બે જબરદસ્ત સ્પિનર છે – ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા. ભારતનો કેપ્ટન રોહિત શર્મા ફાઈનલમાં આ બંનેને રમાડે છે કે કોઈ એકને એ જોવાનું રહ્યું.

તેંડુલકરે તેની વેબસાઈટ 100mbsports.com (100MB – માસ્ટર બ્લાસ્ટર) પર કહ્યું છે કે, ‘ભારતના ખેલાડીઓ તો એ વાતે ખુશ હશે કે તેઓ ઓવલમાં રમવાના છે. મેચ જેમ જેમ આગળ વધતી જશે તેમ આ પિચ સ્પિનરોને સહાયતા કરશે. એટલે સ્પિનરોની ભૂમિકા મોટી રહેશે. લંડનમાંનું હવામાન પણ સ્પિન બોલિંગને અનુકૂળ બની રહેશે.’

કડાકોઃ આઇસી15 ઇન્ડેક્સ 846 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકાના સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને સૌથી મોટા ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – બાઇનાન્સ અને એના સીઈઓ ચાંગપેંગ ઝાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી એને પગલે વૈશ્વિક સ્તરે મંગળવારે ક્રીપ્ટો માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા, જેમાંથી સોલાના, બીએનબી, ડોઝકોઇન અને પોલીગોન 6થી 8 ટકા સાથે સૌથી વધુ ઘટેલા કોઇન હતા.

બાઇનાન્સ અને ચાંગઝેંગ પર આરોપ છે કે એમણે સિક્યોરિટીઝને લગતા કેન્દ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. બીજી બાજુ, અલ સાલ્વાડોરે બિટકોઇનનો વપરાશ વધારવા માટેના પ્રયાસ વેગવા બનાવ્યા છે. એણે વિશ્વની બિટકોઇન માઇનિંગ માટેની અગ્રણી કંપનીઓમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાનું આયોજન કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.26 ટકા (846 પોઇન્ટ) ઘટીને 36,509 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,355 ખૂલીને 37,417ની ઉપલી અને 36,190 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.