અમદાવાદ: વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે ૨૭૦ જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

વન્યજીવ વિભાગ દ્વારા વ્યવસ્થિત આયોજન અને કામગીરી
આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને ૫૦ સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ઝોન માટે એક સમર્પિત ટીમની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે સાંજ અને સવાર એમ બે તબક્કામાં વ્યવસ્થિત ગણતરી હાથ ધરી હતી. માહિતીના સંકલનમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે અનુભવી ગણતરીકારોની દેખરેખ હેઠળ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી અને નકલ (duplication) દૂર કરવાની કડક પ્રક્રિયા બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

સહભાગીઓનું યોગદાન અને સુવિધાઓ
આ અભ્યાસમાં કુલ ૨૨૦ પક્ષીવિદો અને ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ ટીમમાં ૩૫ વિદ્યાર્થીઓ, ૬૧ પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફી નિષ્ણાતો, ગુજરાત બહારથી આવેલા ૧૩ નિષ્ણાતો તેમજ વન વિભાગ તથા અન્ય વિભાગોના ૧૨ કર્મચારીઓ સામેલ હતા. ખાસ કરીને સ્થાનિક ૯૯ બોટમેન અને માર્ગદર્શકોએ આ પ્રક્રિયામાં પાયાની ભૂમિકા ભજવી હતી. વન વિભાગ દ્વારા તમામ સહભાગીઓ માટે નિવાસ, ભોજન અને સેન્સસ કિટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેમના અમૂલ્ય યોગદાન બદલ સહભાગિતાના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
માહિતી સંગ્રહની ચોકસાઈ જળવાય અને વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ગણતરીના બે દિવસ દરમિયાન અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેની અગાઉથી મીડિયા દ્વારા જાણ કરવામાં આવી હતી. આ દ્વિ-વાર્ષિક અભ્યાસ નળસરોવરની એક મહત્વપૂર્ણ જળપ્લાવિત પરિસ્થિતિતંત્ર તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે અને પ્રવાસી પક્ષીઓના વૈજ્ઞાનિક નિરીક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.







આ મહત્વપૂર્ણ બેઠક અંગે વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે સચિવ (આર્થિક સંબંધો) અને ભારતના બ્રિક્સ શેરપા, સુધાકર દલેલા આ બેઠકમાં જોડાયા છે. આ ચર્ચામાં ચીનના ઉપવિદેશપ્રધાન મા ઝાઓક્સુ અને ભારતમાં બેલારુસના રાજદૂત એમ. કાસ્કો પણ હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં, રાજદૂત કાસ્કોએ બેલારુસને આમંત્રણ આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે BRICS ભાગીદાર દેશોના પ્રતિનિધિઓએ આવી બેઠકોમાં સામેલ થઇ રહ્યા છે.
રણધીર જાયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે શેરપા દલેલાએ ભારતની અધ્યક્ષતાની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરી, જે બ્રિક્સ માટે વડાપ્રધાનના ‘પીપલ-સેન્ટ્રિક’ અને ‘હ્યૂમેનિટી-ફર્સ્ટ’ અપ્રોચના વિઝન પર સ્થિત છે અને ‘બિલ્ડિંગ ફોર રેઝિલ્યન્સ, ઇનોવેશન,કોઓપરેશન તથા સસ્ટેનેબિલીટી’ની થીમ સાથે સંરેખિત છે.
આ બેઠક દ્વારા આ વર્ષના અંતમાં થનારી બ્રિક્સની ઘણી બેઠકો માટે ગ્રાઉન્ડવર્ક તૈયાર કરવાની અપેક્ષા છે, જેમાં મંત્રી સ્તરની બેઠકો તેમજ બ્રિક્સ સમિટ સામેલ છે. બેઠકનો ઉદ્દેશ્ય આર્થિક, વિકાસલક્ષી અને વૈશ્વિક ગવર્નન્સના મુદ્દાઓ પર સહયોગને મજબૂત બનાવવાનો છે. ખાસ બાબત એ છે કે આ ચોથી વાર છે જ્યારે ભારતે બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. આ પહેલા ભારતે 2012, 2016 અને 2021માં આ જવાબદારી નિભાવી છે.





