અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ લિવ ધી બેસ્ટ… લર્ન ફ્રૉમ ટુ ધી બેસ્ટ અર્થાત્ સારું જીવન જીવવા દરેક સારી ચીજવસ્તુમાંથી
કંઈ શીખો. મધમાખી બધાં ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરી લે છે તેમ આપણે પણ આપણા સંપર્કમાં આવતી વ્યક્તિ કે વસ્તુમાંથી પ્રેરણા લઈ શકીએ, એમની પાસેથી શીખી શકીએ. ગુરુ ક્યારે કયા સ્વરૂપમાં આવીને જ્ઞાન આપે એ કંઈ કહેવાય નહીં.
ચાહો તો ચાની પડીકી એટલે કે ટી-બૅગ જેવી નાનકડી વસ્તુ પાસેથી ગૂઢ સંદેશો મેળવી શકો. ગરમ પાણીમાં પાતળા દોરાથી પડીકી ઝબકોળીને તમે ચા બનાવો છો તે ટી બૅગ પહેલી શીખામણ એ આપે છે કે આપણી અંદર જે છે તેનું મૂલ્ય છે. બહારથી ચાની પડીકી સાધારણ દેખાય, પણ એની અંદરનું તત્ત્વ (ભૂકી) માણસને સ્વાદ-તાજગી આપે છે. કિંમત આ અંદરના તત્વની છે. જેગ્વાર કે આઉડી કે રૉલ્સ રૉયસ કાર હોય, પરંતુ તેમાં પેટ્રોલ જ ન હોય તો? ટેસ્લાની ઈવી હોય, પણ બેટરી ચાર્જ ન હોય તો? ખીસામાં આઈફોન 17 પ્રો હોય, પરંતુ બેટરી ઝીરો ટકા હોય તો?
ટી બૅગ આપણને સંદેશ નંબર બે એ આપે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં, પડકારો આવે તો તેનો સામનો કરી લેવો. કેમ કે ટી બેગને હૂંફાળા નહીં, પરંતુ ઊકળતા પાણીમાં નાખવામાં આવે ત્યારે જ ચા મજેદાર બને છે. એ જ રીતે કપરી પરિસ્થિતિમાં જ માણસની વિશેષતા ઊપસી આવે છે.

ત્રીજો સંદેશો ટી બૅગનો એ છે કે આપણું સારું અન્યને આપવું અને અન્યનું સારું આપણે ગ્રહણ કરવું. ટી બૅગમાં બારીક છિદ્રો હોય છે તેથી જ એની અંદર રહેલી ચાની ભૂકી-મસાલો ગરમ પાણી સાથે ભળીને ચા બને છે.
હવે આ જુઓઃ ફુગ્ગો આકાશમાં એના લાલ-લીલા-પીળા રંગની મદદથી નથી ઊડતો, પરંતુ તેની અંદર ભરેલા ગૅસથી ઊડે છે. એવી જ રીતે, જીવનમાં પ્રગતિ કરવી હોય તો આપણી અંદર શું છે એ વધારે અગત્યનું છે. આપણું જીવન શુભ વિચારોથી તરબતર હશે તો સુખ-શાંતિ પ્રાપ્ત થશે.

વાંસળી વગાડવી બધાને ગમે, પરંતુ તેને કેટલા સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે. મધુર સૂરો રેલાવતાં પહેલાં વાંસલડીને વીંધાવું પડે છે. હીરાને ઘસીએ ત્યા૨ પછી જ તે ઝગારા મારે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે સંઘર્ષના સમયમાં જેટલા મજબૂત બનીશું તેટલા જ જીવનમાં આગળ નીકળી શકીશું, કારણ કે સંઘર્ષ માણસને પરિપકવ બનાવે છે. જેમ માટીના ઘડાને નિખારવા તપાવવામાં આવે છે તેમ સંઘર્ષની આગમાં તપી તપીને જ માણસ મજબૂત બને છે.
સ્વામી વિવેકાનંદ કહેતા, “તમે એક સારો વિચાર બીજાને આપશો તો તે પણ તમને એક સારો વિચાર આપશે અને તમારી પાસે બે સારા વિચાર થઈ જશે.” આપણે પણ પરિવારના સભ્યો સાથે કોઈ નવી વાત જાણી હોય તો શૅર કરીએ.

અમેરિકાના લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને અભ્યાસ કરવા કેટલો સંઘર્ષ કરવો પડતો? તેમની શાળા 20 કિમી. દૂર હતી. ગરીબ પરિસ્થિતિ હોવાના કારણે ચાલીને શાળાએ જવું પડતું. એટલું જ નહીં, તેમની પાસે પુસ્તકો ખરીદવાના રૂપિયા પણ નહોતા તો લાઈબ્રેરીમાં વાંચીને પછી પરીક્ષા આપે તેમ છતાં તેઓ કહેતા કે, સંઘર્ષ મારા માટે રત્ન સમાન છે. હું તેને આવકારું છું.
જો દરેક ચીજમાં સારું જોવાનો પ્રયાસ કરીએ, એની પાસેથી કંઈ શીખીએ તો આપણે પણ સારપથી છલકાઈ ઊઠીએ. દરેકમાંથી સારું શોધવાની આદત તમને પણ સારા બનાવે છે. આપણે ટી બૅગમાંથી મળતો બોધપાઠ જાણ્યો. હવે જરા એ વિચારો કે સૂર્ય, ફૂલ, વૃક્ષ, ઘડિયાળ, વગેરે આપણને કેવા કેવા બોધપાઠ આપે છે?
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)




દીર્ઘ, આપણી ઇચ્છાઓની યાદી પૂર્ણ થાય તે પહેલાં જ તે આપણા દ્વારે દસ્તક દઈ દે છે. આથી જ કબીરજી જીવનનું માપ થોડા કે વધારે હોવામાં નથી કરતા. મનસૂબાઓના ભાર હેઠળ માણસ ઇચ્છાપૂર્તિ માટે ઝઝૂમે છે. સફળતા પછી પણ કરવાનાં કામોની યાદીનો ક્યાં અંત આવે છે?
રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય વિષે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલે જણાવ્યુ કે, “આ અભયારણ્યમાં ૧૦૦થી વધુ જાતના વન્યપ્રાણીઓ જોવા મળે છે. ૨૦થી વધુ જાતનાં સસ્તન વર્ગના પ્રાણીઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે. જેમાં દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલીભૂંડ, શિયાળ, સસલાનો સમાવેશ થાય છે. અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ જેવા સાપ ઉપરાંત ઘો અને કાચીડા મળીને ૧૫થી વધુ જાતનાં સરિસૃપો અહીં જોવા મળે છે. ૧૦થી વધુ જાતના કરોળિયા તથા રંગબેરંગી પતંગિયાં જૈવિક વૈવિધ્યમાં ઉમેરો કરે છે.”

આ વિસ્તારમાં ૧૫૦થી વધુ જાતનાં સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ જોવા મળે છે. જેમાં મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો, કુત્કી, સસેતર, લાવરી, સુગરી, તેતર, ચકકરખોરા વગેરેનો સમાવેશ થાય છે. નાની સિસોટી, બતખ, દુધરાજ, ટીલાવાળી બતક માળા બનાવે છે. ચોમાસા દરમ્યાન ચાતક તથા નવરંગ (ઇન્ડીયન પીટ્ટા) મહેમાન બને છે. શીકરા, બાજ જેવા શિકારી પક્ષીઓ વૈવિધ્યમાં વધારો કરે છે. શિયાળા દરમ્યાન કુંજ, પેણ, અને વિવિધ જાતની બતખ પણ આવે છે.
આ અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોની “જીન-પૂલ વસ્તી” અને ચિત્તલ, સાંભર અને ચિંકારાના “બ્રિડીંગ સેન્ટર”ની મહત્વપૂર્ણ કામગીરી થાય છે. જેના વિશે ડૉ. બેરવાલ જણાવેલ છે કે, “રામપરા અભ્યારણ્યને વર્ષ ૨૦૦૮માં સિંહના “જીન-પૂલ વસ્તી” માટે પસંદ કરવામાં આવ્યુ અને હાલમાં પ્રોજેક્ટ હેઠળ ૧૨ સિંહ માટે ૬ મોટા એન્કલોઝર છે. ચિત્તલની બ્રિડીંગ માટે પણ તેમના એન્કલોઝરમાં છાંયડા અને ખોરાકની સુચારૂ વ્યવસ્થા છે. ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, પશુઓના હેરફેર માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. દૈનિક ખોરાક તૈયાર કરવા માટે રૂમ બનાવવામાં આવ્યા છે અને દેખરેખ માટે વોચ ટાવર છે. વન્યપ્રાણીઓને તેમના નૈસર્ગિક રહેઠાણમાં બિનજરૂરી ખલેલ ન પહોંચે તેમજ તેમના કુદરતી અને કૃત્રિમ સંવર્ધન માટે આ અભ્યારણ્ય જાહેર જનતાની અવર-જવર માટે પ્રતિબંધિત છે.”
અહીંના ધાસિયા વિસ્તારમાં ૪૦૦ જેટલી વનસ્પતિની જાતો જોવા મળે છે. જેમાં ભૂરી શંખાવલિ જેવી લુપ્ત થતી વનસ્પતિ, ગુગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, વિકળો, સલાય, ખજુરી જેવી આયુર્વેદિક ઔષધિઓ તથા તાડ, રોહિડો, કડાયો, દેશી બાવળ, ગોરડ, સીસમ જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ઉનાળુ આબોહવા ધરાવતા આ પરિસરની ચોમાસામાં લીલોતરીની સુંદરતા ચરમસીમાએ દ્રશ્યમાન થાય છે. જયારે શિયાળામાં પાનખર બેસતાં અને ઘાસ સુકાતાં સમગ્ર વિસ્તાર સોનેરી રંગોથી સોહામણો બની જાય છે.

રામપરા વન્ય અભ્યારણ્યના ઐતિહાસિક અને ખનિજ તત્વો વિશે વાત કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચે જણાવ્યું હતું કે, અગાઉ આ વિસ્તાર રામપરા વીડી (ભોજપરા વીડી) તરીકે ઓળખાતો અને વાંકાનેર રાજવી પરિવારની માલિકીનો હતો, જયાં તેમની શિકારની રમતો ગોઠવાતી હતી. સરકાર હસ્તક આવતા આ વીડીમાં સને-૧૯૮૮ સુધી ધાસ એકત્ર કરવામાં આવતું હતું. નાની-મોટી ટેકરીઓ તથા વોકળા ધરાવતા આ પરિસરનો મોટાભાગનો વિસ્તાર જુરાસિક સમયનો રેતાળ પથ્થરથી બનેલ છે. મુખ્યત્વે જમીન કાળી, રાતી તથા ઓછી ફળદ્રુપ છે.
આ અભ્યારણ્ય પાંચાળના ઉબળ-ખાબડ રચના ધરાવતા ભૂપૃષ્ઠના મધ્યભાગમાં નાની મોટી ટેકરીઓ અને ખીણ ધરાવતા સુકા પાનખર ધાસના કાંટાળા જંગલ તરીકે પણ જાણીતું છે. શણિયાર, જીંજવો, ધરફ, કાગડું તથા રાતડ જેવી ખાવાલાયક ઘાસ અહીં વિપુલ પ્રમાણમાં થાય છે. વન વિભાગ દ્વારા ભૂમિ-ભેજ સંરક્ષણ તથા રહેઠાણ સુધારણાના કામો કરવામાં આવે છે. અહીં પંખીઓને ખોરાક મળી રહે એ માટે ફળો (જાંબુ, કરમદા, રાણ, ચીકુ) તેમજ છાયા આપે તેવા વડલા અને પીપળાના વૃક્ષો લગાવવામાં આવ્યા છે.
વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીના પ્રાકૃતિક અને કૃત્રિમ સ્ત્રોતોની વ્યવસ્થા ઉભી કરાઈ છે. અવારનવાર વરસાદની ખેંચ તથા પથ્થરાળ પર્વતીય જમીનને કારણે દુષ્કાળના સમયમાં મોટાં વૃક્ષો સુકાવાનું પ્રમાણ વધી જાય છે. જેથી વન વિભાગે વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે એક તળાવ ૧૯૯૮માં બનાવ્યું હતું. તળાવની વચ્ચે પક્ષીઓ બેસી શકે તેવા માઉન્ડ બનાવાયા છે. જ્યાં અમુક પક્ષીઓ માળા બનાવીને રહે છે. જમીનમાં પાણીનો સંગ્રહ થતા જંગલ હરિયાણું રહે છે.
અભયારણ્યના ફરતે ડિસેમ્બર ૨૦૧૭થી ૩૧.૦૮ વર્ગ કિ.મી.નો વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેથી નજીકના વિસ્તારમાં વન અને વન્યપ્રાણીઓના સંવર્ધનને ધ્યાને રાખી વિકાસની કામગીરીઓ થાય. જનજાગૃતિની પ્રવૃત્તિ હેઠળ શાળા-કોલેજના વિધાર્થીઓ માટે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૭ શિબિરમાં ૮૬૦ વિધાર્થીઓ – શિક્ષકોએ ભાગ લીધો હતો, તેમજ સ્થાનિક ખેડૂતો માટે ખેડૂત શિબિર પણ યોજાઇ હતી.




માહિતી સંગ્રહની ચોકસાઈ જળવાય અને વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ગણતરીના બે દિવસ દરમિયાન અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેની અગાઉથી મીડિયા દ્વારા જાણ કરવામાં આવી હતી. આ દ્વિ-વાર્ષિક અભ્યાસ નળસરોવરની એક મહત્વપૂર્ણ જળપ્લાવિત પરિસ્થિતિતંત્ર તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે અને પ્રવાસી પક્ષીઓના વૈજ્ઞાનિક નિરીક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.