Home Blog Page 2488

દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ શરૂ

કેન્દ્રીય પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયની પહેલના ભાગરૂપે દિલ્હીમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ લોન્ચ કરી. તેમણે કહ્યું કે હાઇડ્રોજન એ ભવિષ્યનું બળતણ છે જે ભારતને તેના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યો હાંસલ કરવામાં અને સ્વચ્છ ઉર્જાની વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં તેના ડ્યુટી રૂટ પર દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસને લીલી ઝંડી બતાવી હતી. તેમણે માહિતી આપી હતી કે સરકાર ટૂંક સમયમાં દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં 15 વધુ ફ્યુઅલ સેલ બસો ચલાવવાની યોજના બનાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાઇડ્રોજનને ભવિષ્યનું બળતણ માનવામાં આવે છે, જે ભારતને ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં મદદ કરવાની અપાર ક્ષમતા ધરાવે છે અને 2050 સુધીમાં હાઇડ્રોજનની વૈશ્વિક માંગ ચારથી સાત ગણી વધીને 500-800 મિલિયન ટન થવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક માંગ વર્તમાન 6 મિલિયન ટનથી 2050 સુધીમાં ચાર ગણી વધીને 25-28 મિલિયન ટન થવાની ધારણા છે. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળના PSUs 2030 સુધીમાં લગભગ 1 MMTPA ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકશે.પુરીએ કહ્યું, ગ્રીન હાઇડ્રોજન પર ચાલતી આ બસ દેશમાં શહેરી પરિવહનનો ચહેરો બદલી નાખવા જઈ રહી છે. હું આ પ્રોજેક્ટનું નજીકથી નિરીક્ષણ કરીશ અને રાષ્ટ્રીય મહત્વના આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક ચલાવવા માટે તમને શુભેચ્છા પાઠવું છું.”

શું છે આ બસની ખાસિયત?

ગ્રીન હાઇડ્રોજન બસ એ શૂન્ય-ઉત્સર્જન વાહન છે જે બસ ચલાવવા માટે વીજળી ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજન અને હવાનો ઉપયોગ કરે છે, માત્ર પાણીનું ઉત્સર્જન કરે છે. હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ કોષો માટે બળતણ તરીકે થઈ શકે છે. વિદ્યુતરાસાયણિક પ્રતિક્રિયા એનોડ પર ઇંધણ (હાઇડ્રોજન) અને કેથોડ પર હવામાંથી ઓક્સિજનને પાણીમાં રૂપાંતરિત કરે છે અને ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરે છે. ફ્યુઅલ સેલ વાહનોમાં બેટરી વાહનો કરતાં લાંબી રેન્જ અને ઓછી રિફ્યુઅલિંગ આવશ્યકતાઓ હોય છે.

ગ્રીન હાઇડ્રોજન પર દોડનારી પ્રથમ બસ

ઇન્ડિયન ઓઇલે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં નિર્ધારિત રૂટ પર ગ્રીન હાઇડ્રોજન ઇંધણ પર ચાલતી 15 ફ્યુઅલ સેલ બસોના ઓપરેશનલ ટ્રાયલ શરૂ કરવાની પહેલ કરી છે. સૌથી પહેલા દિલ્હીના ઈન્ડિયા ગેટથી બે ફ્યુઅલ સેલ બસો શરૂ કરવામાં આવી રહી છે. ઇન્ડિયન ઓઇલે R&D ફરીદાબાદ કેમ્પસમાં અત્યાધુનિક ડિલિવરી સુવિધા પણ સ્થાપી છે જે સોલાર પીવી પેનલ્સનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોલિસિસથી ઉત્પાદિત ગ્રીન હાઇડ્રોજનને બળતણ આપી શકે છે.

શું તમને ખબર છે સાંતાક્રૂઝમાં સલમાનના ઘરનું મહિનાનું ભાડું કેટલું છે?

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનનો ચાહક વર્ગ ઘણો મોટો છે. એ દરેક ફિલ્મમાં કામ કરવા માટે તગડી રકમ લેતો હોય છે એની ઘણાયને ખબર છે, પણ શું તમને ખબર છે, બાન્દ્રા-વેસ્ટમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘર ઉપરાંત સાંતાક્રૂઝ ઉપનગરમાં પણ સલમાન ખાનનું એક બીજું ઘર છે? એ ઘર તેણે ભાડેથી આપ્યું છે.

અખબારી અહેવાલ અનુસાર, સાંતાક્રૂઝમાં સલમાને ચાર-માળનું એક મકાન ખરીદ્યું છે. એણે 2012ની સાલમાં લગભગ 120 કરોડ રૂપિયામાં તે મકાન ખરીદ્યું હતું. એનો ઈરાદો આ મકાનનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરવાનો છે. 2017માં, સલમાનના પિતા સલીમ ખાને ફ્યૂચર ગ્રુપની રીટેલ ચેન કંપની ‘ફૂડ હોલ’ને આ મકાન ભાડેથી આપ્યું હતું. એ વખતે આ મકાનનું માસિક ભાડું રૂ. 80 લાખ હતું. એ માટે કંપનીએ બે કરોડ 40 લાખ રૂપિયાની ડિપોઝીટ આપી હતી. પાંચ વર્ષ બાદ આ કરાર વધુ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતું. બંને પક્ષે એવું નક્કી કર્યું હતું કે ભાડૂત ફૂડ હોલે પહેલા વર્ષમાં દર મહિને રૂ. 89.60 લાખ ચૂકવવા અને બીજા વર્ષે દર મહિને રૂ. 94.08 લાખ ચૂકવવા. પરંતુ, ફૂડ હોલ કંપની આર્થિક ભીંસમાં આવી ગઈ અને તેણે સમયસર ભાડું ન ચૂકવતાં સલમાને ગયા માર્ચ મહિનામાં તેની સાથેનો કરાર રદ કરી દીધો હતો. મામલો નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી)માં ગયો હતો અને સરકારી એજન્સીએ સલમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હવે સલમાને આ મકાન લેન્ડક્રાફ્ટ રીટેલ નામની કંપનીને ભાડેથી આપ્યું છે જે ફૂડ સ્ક્વેરની માલિક છે. આ કંપની સલમાનને દર મહિને રૂ. 1 કરોડનું ભાડું ચૂકવવા તૈયાર થઈ છે. સલમાન બાન્દ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં એના પરિવાર સાથે રહે છે. ત્યાં સલમાન, એના પિતા સલીમ, માતા સલમા, સાવકી માતા હેલન, બે ભાઈ – સોહેલ અને અરબાઝ તથા એમના સંતાનો રહે છે.

આઇસી15 ઇન્ડેક્સ 530 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સપ્તાહની શરૂઆત નરમ રહી હતી.  3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.55 ટકા (530 પોઇન્ટ) ઘટીને 33,706 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,236 ખૂલીને 34,413ની ઉપલી અને 33,511ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાંથી એક્સઆરપી, બિટકોઇન, પોલીગોન અને ડોઝકોઇનનો ઘટાડો 1થી 3 ટકા જેટલો હતો.

દરમિયાન, હોંગકોંગની સિક્યોરિટીઝ સંબંધિત દેખરેખ રાખનારી સંસ્થા – સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશન ટૂંક સમયમાં ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ અને ટ્રેડિંગ કંપની તરીકે અરજી કરનારાઓની યાદી પ્રકાશિત કરશે.  બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – કોઇનબેઝે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ અને કસ્ટોડિયન વોલેટ પ્રોવાઇડર તરીકે બેન્ક ઓફ સ્પેન પાસેથી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કર્યું છે.

અન્ય એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં ગૂગલક્લાઉડે પોલીગોન અને પોલકાડોટ સહિતનાં 11 નેટવર્કને પોતાના બિગક્વેરી પ્રોગ્રામમાં આવરી લીધાં છે. બ્લોકચેઇન સંબંધિત ડેટા સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય એ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

“બાજરી” વિષય પર નેશનલ સાયન્સ સેમિનાર-2023નું આયોજન

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીના ઓડિટોરિયમમાં 25 સપ્ટેમ્બરે “બાજરી – એક સુપર ફૂડ કે ડાયેટ ફેડ?” વિષય પર રાજ્ય કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજકોસ્ટ, નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  568 શાળાઓના 1107 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાના સેમિનારમાં પસંદગી પામેલા 66 વિદ્યાર્થીઓ સહિત લગભગ 100 સહભાગીઓએ તેમના એસ્કોર્ટ શિક્ષકો સાથે રાજ્ય કક્ષાના સેમિનારમાં ભાગ લેવા માટે ગુજરાત સાયન્સ સિટી પહોંચ્યા હતા.

રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન રજૂ કરનારા વિદ્યાર્થીઓને મૂલ્યાંકન અને ગ્રેડિંગના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. 10,000/-, રૂ. 7,500/- અને રૂ. 5,000/-ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ સાથે તેમને સફારી સામયિકનું વાર્ષિક લવાજમ પણ આપવામાં આવ્યું. વિજેતા થનારા વિદ્યાર્થીઓ હવે આગામી 12 ઓક્ટોબરે નેશનલ સાયન્સ સેન્ટર, દિલ્હીમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ સેમિનારમાં ભાગ લેવા જશે.

ગુજકોસ્ટ અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સાયન્સ સેમિનારનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓના મનમાં વૈજ્ઞાનિક તપાસ અને વિશ્લેષણાત્મક વિચારની ભાવના કેળવવાનો છે.

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩

માતૃભાષા ગુજરાતીને પ્રોત્સાહન આપવા યોજાયો કાર્યક્રમ

દિલ્હી: રાજધાની દિલ્હીમાં વસતા ગુજરાતીઓમાં માતૃભાષા ગુજરાતીને પ્રોત્સાહન આપવા (શનિવારે) હાલમાં જ એક ભવ્ય કાર્યક્રમ સિવિલ લાઇન્સ ખાતેના શ્રીસમાજ સંચાલિત શાહ ઓડિટોરિયમમાં યોજાયો.

શ્રી દિલ્હી ગુજરાતી સમાજ (રજિ.) સંસ્થાએ યોજેલ આ અનૂઠા ને અભૂતપૂર્વ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતગૌરવ પદ્મવિભૂષણ સન્માનિત નૃત્યાંગના અને સંસદસભ્ય (રાજ્યસભા) ડૉ. સોનલ માનસિંહે હાજરી આપી હતી.

આ અવસરે એમણે ગુજરાતી ભાષાની વિશિષ્ટતાઓ અને બહુવિધ લાક્ષણિકતાઓનો ઉદાહરણ સહીત ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે અન્ય ભાષાઓ અને વિશેષ કરીને અંગ્રેજી રહેણીકરણીના વેપારમાં ને વહેવારમાં માત્ર ગુજરાતી ભાષા જ નહિ પણ સમસ્ત ગુજરાતી સંસ્કૃતિ ગૂંગળાતી હોય એવું દેખાય છે. આજકાલ ગુજરાતમાં હિન્દી-અંગેજીના આડેધડ ને બેફામ મિશ્રણવાળી કોઈક વિચિત્ર જ ભાષા ગુજરાતી નામે બોલાય અને લખાય છે. આવા વાતાવરણમાં ગુજરાતની અસલ ઓળખને સ્વાભાવિક રીતે જ અવળી અસર થઈ રહી છે. ગુજરાતી ભાષાની ગરિમા જાળવવા બાબતે ચિંતિત થઈને કદમ ભરવાનો સમય પાકી ગયો છે. આમ કહેતાં સોનલ માનસિંહે અપીલ કરી કે “આવો, ગુજરાતને ગુજરાત બનાવીએ.”

આરંભે શ્રીસમાજના પ્રમુખ સચિન શાહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે માણસની ઓળખ એની ભાષા થકી જ છે અને ગુજરાતીઓ આજે વિશ્વના ખૂણેખૂણે પહોંચ્યા છે સ્થાયી થયા છે ને તેઓ બધી રીતે સફળ થાય છે પણ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ તેઓના જીવનકવનમાં જળવાઈ રહે એ તો જ ગુજરાતી વ્યક્તિની કોઈપણ ક્ષેત્રમાં હોય એ સફળતા સાચી ગણાય.

ભાષા વંદના કાર્યક્રમમાં નરસિંહ મહેતાની રચના ‘જળકમળ છાંડી જાને’, વીર નર્મદની રચના ‘જય ગરવી ગુજરાત’, ઉમાશંકર જોશીની રચના ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ તેમ જ ઝવેરચંદ મેઘાણીની રચના ‘મોર બની થનગાટ કરે’ તેમ જ અન્ય રચનાઓનું સુંદર ગાયન પ્રસ્તુત કરાયું હતું અને ‘ગીત અમે ગોત્યું’ તથા અન્ય ગીતો પર નયનરમ્ય નૃત્ય રજૂ કરીને ગુજરાતી ભાષાનો વૈભવ તાદૃશ કરાયો હતો.

શ્રીસમાજની નાટ્યોત્સવ સમિતિના અધ્યક્ષ ભાગ્યેન્દ્ર પટેલે સમગ્ર કાર્યક્રમનું પરિકલ્પન, સંયોજન અને સંચાલન કર્યું હતું. નાટ્યોત્સવના સંયોજકો રાજેશ પટેલ, કલ્પના દોશી અને ‘માતૃભૂમિ’ અખબારજૂથનાં ભૂતપૂર્વ ઉત્તર ક્ષેત્રીય પ્રબંધક અને પત્રકાર મીતા સંઘવીએ વ્યવસ્થામાં સહયોગ કર્યો હતો.

શ્રી સમાજના મુખ્ય મંત્રી હિતેશ અંબાણીએ આભારવિધિ કરી હતી. એમણે જણાવ્યું કે શ્રીસમાજની સાહિત્ય ને વિશેષ કરીને ગુજરાતી માતૃભાષા પરત્વે દિલ્હીની ગુજરાતી જનતાની લોકજાગૃતિ કેળવવાની દિશામાં આ નવી પહેલ છે અને આવનારા સમયમાં આવી ગતિવિધિઓ ધબકતી રહેશે. આ પ્રસંગે શ્રીસમાજના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ પોપટ, નિલેશ શાહ, તથા પૂર્વ પ્રમુખ કૌશિક પંડ્યા અને નીતિન આચાર્ય અને અન્ય હોદ્દેદારો તેમ જ મહાનુભાવોએ હાજરી આપી હતી.

કપિલ દેવ મુશ્કેલીમાં? ગૌતમ ગંભીરે અપહરણનો વિડિયો શેર કર્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ મુસીબતમાં ફસાઈ ગયો છે. કપિલ દેવનો વિડિયો સોશિયલ મિડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોએ બબાલ કરી દીધી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે આ વિડિયો શેર કર્યો છે. સોશિયલ મિડિયા પર આવા કેટલાય વિડિયો વાઇરલ થતા રહે છે.

ગંભીરે વિડિયો શેર કરીને ગંભીર સવાલો પૂછ્યા છે કે શું વિશ્વ કપ વિજેતા કેપ્ટનનું અપહરણ થયું હતું કે નહીં. ગંભીરે ટવિટર પર એક વિડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે શું બીજા કોઈને આ ક્લિપ મળી છે? આશા છે કે એ હકીકતમાં સાચા કપિલ દેવ નથી અને કપિલ પાજી ઠીક છે.

જોકે અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ. પ્રશંસકોએ ટિપ્પણી કરી હતી કે આ એક જાહેરાત હોઈ શકે છે, જેના પ્રચાર માટે શૂટ કરવામાં આવી રહ્યું છે. ફેન્સ સતત ટ્વીટ કરી રહ્યા છે. આ વિડિયોને લઈને કેટલાય મીમ્સ બની રહ્યા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે?

આ ક્લિપમાં દેખાડવામાં આવ્યું છે કે બે લોકો તેમને પકડીને એક રૂમમાં લઈ જઈ રહ્યા છે. ભૂતપૂર્વ ખેલાડી કપિલ દેવ અસહાય આંખોથી તેમને જોઈ રહ્યો છે. વાસ્તવમાં આ પહેલાં સૌરવ ગાંગુલી, બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ સહિત તમામ સેલિબ્રિટીઝે જાહેરાત માટે આ પ્રકારના તોટકા અપનાવ્યા છે.

 

 

 

 

 

 

 

એશિયન ગેમ્સ-2023: ભારતને મહિલા ક્રિકેટનો ગોલ્ડ અપાવનાર તીતાસ સાધુ કોણ છે?

હાંગ્ઝોઃ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતની મહિલા ક્રિકેટ ટીમે અહીં 19મી એશિયન ગેમ્સમાં આજે 20 ઓવરોની ફાઈનલ મેચમાં શ્રીલંકાને 19-રનથી હરાવીને ક્રિકેટની રમતનો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની ખરી નાયિકા મધ્યમ ઝડપી બોલર તીતાસ સાધુ છે. એણે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હરમનપ્રીત કૌરે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 116 રન કર્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 97 રન બનાવી શકી હતી. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ આ પહેલી જ વાર ક્રિકેટનો સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

તીતાસ સાધુ પશ્ચિમ બંગાળની 18 વર્ષીય ક્રિકેટર છે. આ તેની કારકિર્દીની આ માત્ર બીજી જ મોટી ઈન્ટરનેશનલ સ્પર્ધા છે. તે જમોડી બોલર અને બેટર છે. તે અગાઉ અન્ડર-19 ટીમ વતી, તેમજ સ્થાનિક 20-20 મેચમાં રમી ચૂકી છે. આ જ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાઈ ગયેલી અન્ડર-19 વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં એણે 4 ઓવરમાં 6 રન આપીને બે વિકેટ લીધી હતી. એશિયન ગેમ્સ-2023માં તેણે બે મેચમાં ચાર વિકેટ લીધી છે. આજની ફાઈનલ મેચમાં કરેલા બોલિંગ પરફોર્મન્સને કારણે એ સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. ઈન્ટરનેટ યૂઝર્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે અને તેને તથા ભારતીય ટીમને અભિનંદન આપી રહ્યાં છે.

તીતાસે એક મુલાકાતમાં કહ્યું હતું, ‘એશિયન ગેમ્સમાં રમવાનું મેં સપનું સેવ્યું હતું, પણ તે આટલું જલદી સાકાર થશે એવું મેં ધાર્યું નહોતું.’

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત, અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તો મન મૂકીને મેઘરાજા વરસશે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં 28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની અસર વધુ રહેશે. તથા સુરત, નવસારીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જયારે બોટાદ અને ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ રહેશે. આવતીકાલે નર્મદા અને તાપીમાં યલો એલર્ટ રહેશે.

રાજસ્થાન ચૂંટણી: PM મોદીએ કર્યું શક્તિ પ્રદર્શન, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુર પહોંચ્યા અને પાર્ટીની પરિવર્તન સંકલ્પ મહાસભામાં ભાગ લીધો. આ દરમિયાન કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રાઠોડ અને વસુંધરા રાજે સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનમાંથી મુક્તિ મેળવવાનું બ્યુગલ વગાડ્યું છે. કોંગ્રેસે જે રીતે પાંચ વર્ષ સરકાર ચલાવી છે, તે ઝીરો નંબર મેળવવાને લાયક છે.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે ગેહલોત સરકારે યુવાનોના પાંચ વર્ષ બરબાદ કરી દીધા છે. રાજસ્થાનમાં ફેરફાર થશે. રાજસ્થાનના હવામાનમાં પલટો આવ્યો હોવાના સ્પષ્ટ સંકેત છે. તેમણે કહ્યું, “ગરીબોને આત્મસન્માન હોય છે. ગરીબો જાણે છે કે કેવી રીતે મહેનત કરવી. હું જે ઘરમાંથી આવ્યો છું, મારી પાસે માત્ર સખત મહેનત છે. હું સેવામાં વ્યસ્ત છું. હું જે કહું તે કરું છું. તેથી મારી ગેરંટી પદાર્થ ધરાવે છે, હું તે પાતળી હવા બહાર નથી કહેતો. છેલ્લા 9 વર્ષનો આ મારો ટ્રેક રેકોર્ડ છે.


મહિલા અનામત પર શું કહ્યું?

મહિલા આરક્ષણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે માતાઓ અને બહેનોની આશા, તમારા વોટની શક્તિથી તેમને 33 ટકા અનામત મળી છે. તેમણે દાવો કર્યો કે, “કોંગ્રેસનો ક્યારેય મહિલા સશક્તિકરણનો ઈરાદો નહોતો. કોંગ્રેસ આ કામ ત્રીસ વર્ષ પહેલા કરી શકી હોત. સત્ય એ છે કે કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી નથી કે મહિલાઓને 33 ટકા અનામત મળે. તમે તમારા હૃદયથી નહીં પરંતુ તમામ મહિલાઓના દબાણને કારણે બિલના સમર્થનમાં આવ્યા છો.તેમણે વધુમાં કહ્યું, કોંગ્રેસ અને તેના ઘમંડી ગઠબંધન ભાગીદારો મહિલા અનામતના કટ્ટર વિરોધીઓ છે. તેઓ મહિલા સશક્તિકરણના આટલા મોટા નિર્ણયને પણ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેઓએ યુપીએ સરકાર દરમિયાન આ બિલને અટકાવ્યું હતું તેઓ હજુ પણ કોંગ્રેસ પર દબાણ બનાવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે તેમણે કહ્યું છે કે તેઓ સનાતનને ખતમ કરી દેશે. અહંકારી ગઠબંધનને આનો ભોગ બનવું પડશે, તેઓ સંપૂર્ણપણે નાશ પામશે.તેમણે કહ્યું કે જ્યાં લાલ ડાયરીમાં કાળા કામો છે ત્યાં પૈસા કોણ રોકાણ કરવા માંગશે. જ્યાં જાહેરમાં ગળું કાપવાની ઘટનાઓ બને અને સરકારને આવું કરવાની ફરજ પડી હોય ત્યાં રોકાણ કેવી રીતે થઈ શકે? જે સરકાર પોતાની બહેન-દીકરીઓને સુરક્ષા આપી શકતી નથી તેની જવાનું નિશ્ચિત છે.

G20 નો ઉલ્લેખ કર્યો

G-20 નો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “આજે સમગ્ર વિશ્વમાં ભારતની ક્ષમતાના વખાણ થઈ રહ્યા છે. આપણું ચંદ્રયાન ત્યાં પહોંચ્યું જ્યાં બીજું કોઈ ન પહોંચી શક્યું. ભારતના વિરોધી દેશો પણ G-20માં ભારતની સફળતાથી આશ્ચર્યચકિત છે. ચિંતિત છે. ભારતે ગણેશ ચતુર્થીના દિવસે તેની નવી સંસદ ભવનથી કામ શરૂ કર્યું છે અને નવી સંસદનું પ્રથમ કાર્ય ભાજપ સરકાર દ્વારા તેની બહેનો અને પુત્રીઓને સમર્પિત કરવામાં આવ્યું છે.