Home Blog Page 2483

UNGAમાં ભારતનો હુંકાર, વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યું સંબોધન

કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે, ‘ભારત તરફથી નમસ્તે’ કહીને તેમના સંબોધનની શરૂઆત કરી. તેણે કહ્યું, “ભારત તરફથી નમસ્તે” આ પછી તાળીઓનો ગડગડાટ સંભળાયો.જયશંકરે UNGAમાં કહ્યું કે UNSCમાં પરિવર્તન જરૂરી છે. તેમણે કહ્યું કે કૂટનીતિ અને વાતચીત દ્વારા જ વિશ્વમાં તણાવ ઓછો કરી શકાય છે. તેમના સંબોધન દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, “ભારત તેની જવાબદારી અનુભવે છે.” વિશ્વની નાણાકીય સંસ્થાઓમાં પરિવર્તન આવવું જોઈએ. UNAC માં ફેરફાર થવો જોઈએ. વિશ્વ અશાંતિના સમયગાળાનો સામનો કરી રહ્યું છે. માત્ર મુત્સદ્દીગીરી અને સંવાદ જ તણાવ ઘટાડી શકે છે. ભૂખ અને ગરીબીને દુનિયામાંથી નાબૂદ કરવી પડશે. વિશ્વમાં ઘણી જગ્યાએ સંઘર્ષ ચાલી રહ્યો છે. વિશ્વ સમક્ષ એક મોટો પડકાર છે.” તેમણે કહ્યું, ”ભારતમાં તાજેતરમાં જ જી-20 સમિટનું સમાપન થયું હતું. વિશ્વ વિકાસના પડકારનો સામનો કરી રહ્યું છે. ભારત બધું પહેલા કરી રહ્યું છે.

‘એ દિવસો ગયા જ્યારે અમુક રાષ્ટ્રો…’

વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતનું એક ધરતી, એક કુટુંબ, એક ભવિષ્યનું વિઝન ઘણા દેશોની મુખ્ય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને માત્ર કેટલાક દેશોના સંકુચિત હિતો પર જ નહીં. તે દિવસો ગયા જ્યારે કેટલાક રાષ્ટ્રો એજન્ડા સેટ કરશે અને અન્ય લોકો તેમના મંતવ્યો સ્વીકારે તેવી અપેક્ષા રાખશે. હજી પણ કેટલાક રાષ્ટ્રો છે જે એજન્ડાને આકાર આપે છે અને ધોરણોને વ્યાખ્યાયિત કરવા માંગે છે. તેમણે કહ્યું. આ અનિશ્ચિત સમય માટે ચાલુ રાખી શકાતું નથી. તેમણે કહ્યું, G20 માં આફ્રિકન યુનિયનના સમાવેશથી સંયુક્ત રાષ્ટ્રને સુરક્ષા પરિષદને આધુનિક બનાવવા માટે પણ પ્રેરણા આપવી જોઈએ. તેમણે કહ્યું, અનુસંધાનના યુગમાંથી બહાર આવીને અમે હવે ‘વિશ્વ મિત્ર’નો ખ્યાલ વિકસાવ્યો છે.

‘ભારતની પહેલ પર G20માં આફ્રિકન યુનિયન’

વિદેશ મંત્રીએ કહ્યું, ભારતની પહેલને કારણે આફ્રિકન યુનિયનને G-20માં કાયમી સભ્યપદ મળ્યું છે. આ કરીને અમે સમગ્ર ખંડને એક અવાજ આપ્યો, જે તે લાંબા સમયથી લાયક છે. આ મહત્વપૂર્ણ પગલાએ સંયુક્ત રાષ્ટ્રને પ્રોત્સાહિત કરવું જોઈએ, જે એક તેનાથી પણ જૂની સંસ્થા છે, સુરક્ષા પરિષદને આધુનિક બનાવવા માટે. જયશંકરે કહ્યું, અમે અમારી સફળતા સાથે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો પડશે.” કોવિડની વિશ્વ પર અલગ અસર પડી છે. વિશ્વ ટકાઉ વિકાસના પડકારનો સામનો કરી રહ્યું છે. દુનિયામાં અસમાનતા છે. વિકાસશીલ દેશો પર વધુ દબાણ છે.


ચીન અને પાકિસ્તાન પર નિશાન

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પોતાના ભાષણ દરમિયાન આડકતરી રીતે ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. “બજાર શક્તિનો ઉપયોગ ખોરાક અને ઊર્જાને જરૂરિયાતમંદોમાંથી શ્રીમંતોમાં સ્થાનાંતરિત કરવા માટે ન થવો જોઈએ, અને ન તો આપણે એ વાતનું સમર્થન કરવું જોઈએ કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા પ્રતિભાવો નક્કી કરે છે,” તેમણે કહ્યું. તેવી જ રીતે, પ્રાદેશિક અખંડિતતાના આદર અને આંતરિક બાબતોમાં બિન-દખલગીરીના સ્વરૂપમાં ચેરી-પીકિંગનો અભ્યાસ કરી શકાતો નથી. જ્યારે વાસ્તવિકતા રેટરિકથી દૂર રહે છે, ત્યારે આપણે તેને ઉજાગર કરવાની હિંમત હોવી જોઈએ.

PM મોદીનું ગુજરાતમાં શાનદાર સ્વાગત

PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ જીપમાં સવાર હતા.

આવતીકાલે સવારે 10.00 કલાકે સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ યોજાશે. જેમાં ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેનો એમ્બેસેડર્સ હાજરી આપશે. અહીથી તેઓ સીધા બોડેલી પહોંચશે. જ્યાં 450 કરોડના કામોનુ લોકાર્પણ કરશે. તેના બાદ તેઓ બપોરે 2 વાગ્યે વડોદરા પહોંચશે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ કવાયત શરૂ કરી દીધી છે ત્યારે પીએમ મોદી પણ આ પ્રવાસની સાથે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે.

ગણેશ વિસર્જનના દિવસે મધરાતે રેલવે તંત્ર દોડાવશે વિશેષ લોકલ ટ્રેનો

મુંબઈઃ આવતા ગુરુવારે, 28 સપ્ટેમ્બરે છે અનંત ચતુર્દશી પર્વ. એ દિવસે મુંબઈમાં વિવિધ સાર્વજનિક મંડળો કે વ્યક્તિગત ઘરોમાં ગણેશોત્સવ નિમિત્તે સ્થાપિત કરવામાં આવેલી ભગવાન ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. પરંપરાનુસાર, ઘણા લોકો દરિયામાં તો કેટલાક મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરશે. ગણેશ વિસર્જનના દિવસે લોકો મોડી રાત સુધી વાજતેગાજતે, સરઘસાકારે નીકળીને મૂર્તિઓના વિસર્જન સ્થળોએ પહોંચતા હોય છે. એ વિધિઓ મધરાત બાદ અને બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલતી હોય છે. તે મધરાતે થનારી ગિરદીને ધ્યાનમાં રાખીને મધ્ય અને પશ્ચિમ રેલવેએ બંને વિભાગ પર વિશેષ ટ્રેનો દોડાવવાનું અને ગણેશભક્તોને સુવિધા આપવાની જાહેરાત કરી છે.

મધ્ય રેલવે વિભાગ 10 અને પશ્ચિમ રેલવે એવી 8 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. એ ટ્રેનો તમામ સ્ટેશનો પર ઊભી રહેશે, જેથી કોઈ પણ સ્ટેશનેથી ગણેશભક્તો ટ્રેનમાં ચડીને એમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. પશ્ચિમ રેલવે અપ અને ડાઉન, બંને લાઈન પર ચર્ચગેટ અને વિરાર વચ્ચે મુખ્ય સ્ટેશનો ખાતેથી વિશેષ ટ્રેન દોડાવશે. એ માટેની જાણકારી બંને રેલવે વિભાગની વેબસાઈટ કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરથી મળી શકશે.

 

ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈનને મંગળવારના રોજ હાર્ટ એટેક આવતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેકના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.હુસૈનને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા ઓગસ્ટમાં દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી.

આઇસી15 ઇન્ડેક્સ 232 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ મેક્રોઈકોનોમિક અંદાજમાં સુધારો થવાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં થોડો સુધારો જોવા મળ્યો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.69 ટકા (232 પોઇન્ટ) વધીને 33,938 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,706 ખૂલીને 34,140ની ઉપલી અને 33,559ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ચેઇનલિંક, બીએનબી, અવાલાંશ અને પોલીગોનમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે સોલાના, શિબા ઇનુ, લાઇટકોઇન અને ડોઝકોઇનમાં ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, તાઇવાનમાં નાણાકીય ક્ષેત્રના નિયમનકાર આ સપ્તાહના પાછલા ભાગમાં ક્રીપ્ટો સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરવાના છે એની પહેલાં નવ ક્રીપ્ટો એક્સચેન્જોએ  સંગઠન રચી લીધું છે. એનો ઉદ્દેશ્ય માર્ગદર્શિકાના આધારે સમગ્ર ઉદ્યોગ માટે સ્વયંશિસ્ત માટેના નિયમો ઘડવાનો છે. અન્ય એક ઘટનામાં બાઇનાન્સ જાપાન અને મિત્શુબિશી યુએફજે ટ્રસ્ટ બેન્કે પ્રોગમેટ કોઇન પ્લેટફોર્મ પર ફિયાટ કરન્સી આધારિત સ્ટેબલકોઇન વિકસાવવા માટે સહયોગ સાધ્યો છે. બીજી બાજુ, ભારતની ક્રીપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ કંપની મુદ્રેક્સે ઇટાલીમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે યુનાઇટેડ કિંગડમમાં વિસ્તાર કરવાનું આયોજન કર્યું છે. ઉપરાંત, નાસાએ ચંદ્ર પર મોકલવામાં આવનારા નવા મિશન આર્ટેમિસ 3માં મનુષ્યો ખરેખર ચંદ્ર પર ઉતર્યા છે એ વેરિફાય કરવા માટે તથા ડેટાનું વેરિફિકેશન કરવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

ફ્રી રાશન અને ગેસ સિલિન્ડર પર થઈ શકે છે મોટી જાહેરાત

નીતિ આયોગ ટૂંક સમયમાં ભારતની સૌથી મોટી સબસિડી યોજનાઓ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને એલપીજી સબસિડીનું મૂલ્યાંકન કરશે, ખર્ચને તર્કસંગત બનાવવા, છેતરપિંડી અટકાવવા અને લાભો પાત્ર ઉમેદવારો સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે. અથવા નહીં. NITI આયોગના વિકાસ દેખરેખ અને મૂલ્યાંકન કાર્યાલયે બે યોજનાઓના મૂલ્યાંકન માટે કેન્દ્રીય સંકલન એજન્સી માટે દરખાસ્તો આમંત્રિત કર્યા છે. દર વર્ષે આ બંને યોજનાઓ પર સરકારી તિજોરીમાંથી અંદાજે રૂ. 4,00,000 કરોડનો ખર્ચ થાય છે. DMEO એ RFP દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે સરકાર 2013 માં ઘડવામાં આવેલા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) દ્વારા વિશ્વમાં સૌથી મોટા જાહેર ખાદ્ય અને પોષણ સુરક્ષા માપદંડનો અમલ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં ખાદ્ય સુરક્ષા પર આટલો મોટો ખર્ચ થયો હોવા છતાં પરિણામો ખાસ સારા આવ્યા નથી. વૈશ્વિક ભૂખમરામાં ભારતનો હિસ્સો લગભગ 30 ટકા છે.

**EDS: VIDEO GRAB** New Delhi: Prime Minister Narendra Modi virtually addresses a programme organised for the distribution of appointment letters to newly inducted recruits in government organisations, in New Delhi, Saturday, July 22, 2023. (PTI Photo)(PTI07_22_2023_000037A)

 

 

મૂલ્યાંકનનો તર્ક શું છે?

LPG સબસિડીના મૂલ્યાંકન પાછળના તર્કને સમજાવતા, DMEOએ વધુમાં જણાવ્યું હતું કે ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઉર્જા ગ્રાહક છે. ડીએમઈઓએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં એલપીજીનો વર્તમાન વપરાશ કેરોસીનના 1.13 ટકાની સરખામણીએ કુલ પેટ્રોલિયમ ઉત્પાદનોના 12.3 ટકા થયો છે. ચાલુ યોજનાઓ સંભવિતપણે એલપીજીના વપરાશમાં વધુ વધારો કરશે, તેમના મૂલ્યાંકનને ફરજિયાત બનાવશે.

માંગ સતત વધી રહી છે

TPDS હેઠળ ખાદ્ય સબસિડીના અમલીકરણનો ખર્ચ 2021ના સુધારેલા અંદાજ મુજબ રૂ. 4,22,618.11 કરોડ હતો, જ્યારે MDM અને ICDSના અમલીકરણનો ખર્ચ અનુક્રમે રૂ. 12,900 કરોડ અને રૂ. 17,252.21 કરોડ હતો. ડીએમઈઓ અનુસાર, ભારતમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો વપરાશ દેશની ઉર્જાની જરૂરિયાતના એક તૃતીયાંશ કરતાં વધુ છે. આ ઉપરાંત, વધતી વસ્તી, આર્થિક વિકાસ અને સ્વચ્છ ઊર્જાની માંગને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેલ અને ગેસની માંગ વધી રહી છે.

 ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે રાજકોટમાં

રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ફીવરમાં જકડાયું છે. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચની ત્રીજી મેચ આવતી કાલે રાજકોટમાં રમાનાર હોઈ આજે બંને ટીમનું આગમન થયું હતું અને બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી.

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સખત તાપમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

રાજકોટમાં બંને ટીમનું સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત હોટેલ ઉપર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ટીમનું હોટેલના સ્ટાફે રાસ-ગરબા સાથે સ્વાગત કર્યું ત્યારે ક્રિકેટચાહકો હોટેલ પર ઊમટી પડ્યા હતા. ઇન્દોરથી ચાર્ટડ ફલાઇટમાં બંને ટીમો રાજકોટ પહોંચી હતી.

રાજકોટ – જામનગર હાઈવે પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના આધુનિક ગ્રાઉન્ડ ઉપર બંને મજબૂત ટીમ વચ્ચે વનડે ખેલાશે. આ સિરીઝમાં ભારતે અગાઉની મોહાલી અને ઇન્દોરની મેચ જીતી લઇને શ્રેણી ઉપર કબજો કરી લીધો છે, પરંતુ વર્લ્ડ કપ પૂર્વે આ છેલ્લી વનડે મેચ હોવાથી વિશ્વની નજર મંડાયેલી છે. વિશ્વ કપમાં આ બંને ટીમ હોટ ફેવરિટ છે.

રાજકોટના એસીએના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં કાલે 11મી આંતરરાષ્ટ્રીય મેચ અને ચોથી વનડે રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અગાઉ ત્રણ વનડે રાજકોટમાં રમાઈ છે તેમાં એક રાજકોટ કોર્પોરેશનના ગ્રાઉન્ડ ઉપર અને છેલ્લે 2020માં ખંધેરીમાં મેચ રમાઈ હતી.

રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ એ બેટિંગ પિચ છે તેને ધ્યાનમાં લઈ બંને ટીમો વ્યૂહરચના ઘડશે. ઇન્ડિયાની ટીમ રોહિત શર્માની કપ્તાની હેઠળ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પેટ ક્યુમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઊતરશે.

ઇન્ડિયાની ટીમમાં લોકલ બોય રવીન્દ્ર જાડેજાના પરફોર્મન્સને જોવા ચાહકો અધીરા બન્યા છે. આ મેચની સુરક્ષા માટે 500 જેટલા પોલીસ જવાનો અને ખાનગી સિક્યુરિટીની મદદ લેવામાં આવી છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ 22 જાન્યુઆરીએ કરાશે, મોદી ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં ત્રણ-માળવાળા રામ મંદિરના ભોંયતળિયાનું બાંધકામ આવતા ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઈ જશે અને પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ આવતા વર્ષની 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. આ જાણકારી મંદિર બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આપી છે.

પીટીઆઈ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં મિશ્રાએ કહ્યું કે, પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ 20-24 જાન્યુઆરી દરમિયાન કોઈ પણ દિવસે હાથ ધરાશે અને ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે એવી ધારણા છે. વડા પ્રધાનના કાર્યાલય તરફથી તારીખ નિશ્ચિત કરવામાં આવશે અને અમને એની જાણ કરવામાં આવશે.

(તસવીર સૌજન્યઃ @ShriRamTeerth)

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભગવાન રામ લલાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ વખતે હાજર રહેવાનું વડા પ્રધાન મોદીને વિધિસર આમંત્રણ આપશે. ભગવાન રામના બાળસ્વરૂપની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

ડો.જ્ઞાનવત્સલ સ્વામીને બિન-અમેરિકન ન્યુ જર્સી સ્ટેટનું સર્વોચ્ચ સનમાન એનાયત

બિન-અમેરિકન ન્યુ જર્સી સ્ટેટનું સર્વોચ્ચ સનમાન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને એનાયત કરાયું છે. ડો. જ્ઞાનવત્સલ સ્વામી (BAPS)નું ન્યૂજર્સી રાજ્ય, અમેરિકા, દ્વારા સેનેટ રિઝોલ્યુશન” એનાયત કરી તારીખ 23/9/2023 સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ખાતે સન્માન કરવામાં આવ્યું.

સમાજને પ્રેરણાદાઈ સંદેશો આપી વૈશ્વિક સંવાદિતા અને ભાઈચારો, લોકોના વ્યક્તિગત જીવનમાં સદગુણ પ્રેરવા બદલ અને સમાજ સેવાની કટિબદ્ધતા બદલઆ સન્માન કરાયું હતું.

ન્યૂજર્સી રાજ્ય સેનેટના પ્રમુખ મિસ્ટર નિકોલસ સ્કુટરીએ આ સન્માન પત્ર અર્પણ કર્યું. આ કાર્યક્રમમાં 1500થી વધારે ડોક્ટર અને હેલ્થ કેર પ્રોફેશનલ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ડો. જ્ઞાનવત્સલ સ્વામી એ “હીલિંગ ધ હિલર્સ- હાઉ ટુ ઓવરકમ બનેં આઉટ” પર પ્રવચન આપીને એકવાર ફરી લોકોને મંત્રમૃગ્ધ કર્યા હતા.

રાજકોટમાં ક્રિકેટ ફીવરઃ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા વચ્ચેનો છેલ્લી વનડે

રાજકોટઃ શહેર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ફીવરમાં જકડાયું છે. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચની ત્રીજી મેચ આવતી કાલે રાજકોટમાં રમાનાર હોઈ આજે બંને ટીમનું આગમન થયું હતું અને બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. રાજકોટમાં બંને ટીમનું સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત હોટેલ ઉપર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ટીમનું હોટેલના સ્ટાફે રાસ-ગરબા સાથે સ્વાગત કર્યું ત્યારે ક્રિકેટચાહકો હોટેલ પર ઊમટી પડ્યા હતા. ઇન્દોરથી ચાર્ટડ ફલાઇટમાં બંને ટીમો રાજકોટ પહોંચી હતી.

રાજકોટ – જામનગર હાઈવે પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના આધુનિક ગ્રાઉન્ડ ઉપર બંને મજબૂત ટીમ વચ્ચે વનડે ખેલાશે. આ સિરીઝમાં ભારતે અગાઉની મોહાલી અને ઇન્દોરની મેચ જીતી લઇને શ્રેણી ઉપર કબજો કરી લીધો છે, પરંતુ વર્લ્ડ કપ પૂર્વે આ છેલ્લી વનડે મેચ હોવાથી વિશ્વની નજર મંડાયેલી છે. વિશ્વ કપમાં આ બંને ટીમ હોટ ફેવરિટ છે.

રાજકોટના એસીએના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં કાલે 11મી આંતરરાષ્ટ્રીય મેચ અને ચોથી વનડે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અગાઉ ત્રણ વનડે રાજકોટમાં રમાઈ છે તેમાં એક રાજકોટ કોર્પોરેશનના ગ્રાઉન્ડ ઉપર અને છેલ્લે 2020માં ખંધેરીમાં મેચ રમાઈ હતી. રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ એ બેટિંગ પિચ છે તેને ધ્યાનમાં લઈ બંને ટીમો વ્યૂહરચના ઘડશે.

ઇન્ડિયાની ટીમ રોહિત શર્માની કપ્તાની હેઠળ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પેટ ક્યુમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઊતરશે. ઇન્ડિયાની ટીમમાં લોકલ બોય રવીન્દ્ર જાડેજાના પરફોર્મન્સને જોવા ચાહકો અધીરા બન્યા છે. આ મેચની સુરક્ષા માટે 500 જેટલા પોલીસ જવાનો અને ખાનગી સિક્યુરિટીની મદદ લેવામાં આવી છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)