ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈનને મંગળવારના રોજ હાર્ટ એટેક આવતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેકના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.હુસૈનને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા ઓગસ્ટમાં દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી.