Home Blog Page 2469

સુવિચાર – ૦૨ ઓક્ટોબર, ૨૦૨૩

સુવિચાર – ૦૨ ઓક્ટોબર, ૨૦૨૩

૦૨ ઓક્ટોબર, ૨૦૨૩

૦૨ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 02/10/2023 થી 08/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

રાશિ ભવિષ્ય 02/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

સદ્દગુરુ: જીવનનો સંપૂર્ણ અનુભવ

સદ્દગુરુ: જયારે મથુરા છોડીને તેમને જવું પડ્યું અને દરેક પ્રકારની મુસીબતોથી ગુજરી રહ્યાં હતા ત્યારે બલરામે કૃષ્ણને પૂછ્યું, “આ બધી વસ્તુઓ આપણી સાથે જ કેમ થઇ રહી છે અને તે પણ જયારે તમે અમારી સાથે છો? કૃષ્ણનો ઉત્તર હતો, “જયારે તમારા જીવનમાં બધું સારી રીતે ચાલતું હોય ત્યારે તમે કોઈ ફરિયાદ નથી કરતાં. આ બધાનું કારણ એ જ કે તમે અમુક પરિસ્થિતિઓને સારી ગણો છો અને અમુકને ખરાબ, અથવા અમુક પરિસ્થિતિઓને ઈચ્છનીય અને અમુક પરિસ્થિતિઓને અનિચ્છનીય, એટલે જીવનને જીવન તરીકે જોવાને બદલે તમે પોતાની જાતને પૂછો છો કે આ વસ્તુઓ તમારી સાથે જ  કેમ થાય છે.”

જે ક્ષણે તમે આધ્યાત્મિકતામાં પગ મુકશો, તમારી માટે જીવન એક મોટા પાયે આકાર લેશે જેમકે દરેક વસ્તુ એકદમ ઝડપી થાય છે. બસ એટલું જ છે, કે જો તમે એક વસ્તુની ઓળખ સારી અને બીજીની ઓળખ ખરાબ એમ ન આપો તો તમારી માટે જીવન ખુબ તીવ્રતાથી ઘટિત થાય છે. કોઈ વસ્તુ સારી કે ખરાબ નથી હોતી. જીવન ચાલી રહ્યું છે. કેટલાક લોકો તેને માણી રહ્યાં છે અને બીજા કેટલાક તેને સહન કરી રહ્યાં છે.

હું જીવનને જીવન તરીકે લેવાની વાત કરી રહ્યો છો, જીવનને આ સર્જન તરીકે. અત્યારે, મોટાભાગના લોકો જીવનને ઘણી બધી વસ્તુઓ સાથે ઓળખાવે છે જેને ખરા અર્થમાં જીવન સાથે કોઈ લેવા દેવા નથી. જે લોકો પાસે કાર નથી તેઓ એમ સમજે છે કે જેમની પાસે કાર છે તેઓ વધુ ભાગ્યશાળી છે. તે ખરેખર આરામદાયક અને અનુકૂળ વસ્તુ છે, પરંતુ કોઈ મોટું ભાગ્ય ન કહેવાય. જો કાર જેવી વસ્તુ જ ન બની હોત તો કોઈ વ્યક્તિને તે મેળવવાની ઈચ્છા ન થઇ હોત. અહીં સમસ્યા એ છે કે તમે પોતાની જાતને બીજા સાથે સરખાવો છો, તે અર્થમાં કે “ઓહ, તેની પાસે છે અને મારી પાસે નથી.” આ વસ્તુને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી- તે એક માનસિક અવસ્થા છે.

જયારે તમે આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલો છો, ત્યારે તમારી આંતરિક સ્થિતિ વેગ પકડે છે- તમે તમારા અંતિમ મુકામ પર પહોંચવાની ઉતાવળમાં છો. તમારે તે માટે ૧૦૦ જેટલાં જન્મો નથી લેવા. આધ્યાત્મિક પ્રક્રિયામાં પ્રવેશનો અર્થ છે કે તમે જીવનને એક મોટા પાયે અનુભવ કરવા તૈયાર છો. એકવાર તમે આવીને મારી પાસે બેસો છો, ત્યારે મારા આશીર્વાદ પણ આ જ હોય છે કે – તે બધી વસ્તુઓ જે જીવન છે તે તમારી સાથે ઘટિત થાય.

એક આધ્યાત્મિક વ્યક્તિ પોતાની સાથે બનેલી ઘટનાઓને સારી કે ખરાબ તરીકે નથી જોતો- તમને માત્ર તે વસ્તુ સાથે નિસ્બત હોવી જોઈએ કે જીવન કેટલી તીવ્રતાથી ઘટિત થઇ રહ્યું છે. સારું અને ખરાબ તે સામાજિક બાબત છે- તેને જીવન સાથે કોઈ લેવા દેવા નથી. તમે જો સમાનતા જાળવી રાખશો, તો તમે જોશો કે તમારા જીવનની દરેક ઘટના તમને એક પગલું આગળ વધારશે. જો તમે આ નહીં જુઓ અને જો તમે તમારી સામાજિક પરિસ્થિતિઓથી પ્રભાવિત થશો તો જીવન જે વેગે ઘટિત થઇ રહ્યું છે, તેના લીધે, તમને લાગશે કે તમારા જીવનમાં કોઈ ખોટી વસ્તુ થઇ રહી છે, પરંતુ તેવું નથી.

જો તમારે આધ્યાત્મિક થવું હોય તો મૂળભૂત રીતે તેનો અર્થ છે કે તમારે પોતાનો નાશ કરવો છે- તમે અત્યારે જે રીતે બનેલા છો તે. સકારાત્મક પરિભાષાનું ખોટું અર્થઘટન હંમેશા લાખો અલગ રીતે કરી શકાય છે કારણકે તમારું મન તેમાં વસેલું છે. હું સભાનપણે નકારાત્મક પરિભાષાનો ઉપયોગ કરું છું કારણકે તમે તેનો ખોટો અર્થ નહીં કાઢી શકો. તેને સકારાત્મક રીતે વ્યક્ત કરવું હોય તો એમ કહી શકાય કે તમે મુક્તિની શોધમાં છો. તમે તમારા અંતિમ સ્વભાવની શોધમાં છો, તમે ભગવાનની શોધમાં છો, તમારે અનંત બની જવું છે. જયારે તમારે અમર્યાદિત બનવું હોય, ત્યારે તમારે પોતાની હાલની સ્થિતિનો અંત આવશે જેમાં તમે જીવી રહ્યાં છો. એકવાર તમે આ ઈચ્છા વ્યક્ત કરો અને જરૂરી ઉર્જાનું રોકાણ તમારામાં કરવામાં આવે, પછી વસ્તુઓ એ રીતે ઘટિત થશે કે તમે જે રીતે હાલમાં છો તેનો અંત આવી જશે. તેનો અર્થ એ નથી કે તમારી સાથે નકારાત્મક વસ્તુઓ થશે. માત્ર એટલું જ છે કે જીવન જબરજસ્ત ગતિએ આગળ વધશે.

(સદ્દગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

પંચાંગ 02/10/2023

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, PM મોદી અને અમિત શાહ પણ હાજર

રવિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પાર્ટી મુખ્યાલયમાં મળી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિતની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. બેઠકમાં અગાઉની બેઠકોના પરિણામોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. પાર્ટી હેડક્વાર્ટર પહોંચતા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું. વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય કેટલાક કેન્દ્રીય પ્રધાનો કેન્દ્રીય ચૂંટણી સમિતિનો ભાગ છે. આ સમિતિ પક્ષના ઉમેદવારો અંગે અંતિમ નિર્ણય લે છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, વસુંધરા રાજે, ભૂપેન્દ્ર યાદવ અને કૈલાશ ચૌધરી અને અન્ય બીજેપી નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.

જેપી નડ્ડાના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ

અગાઉ, ભાજપના ટોચના નેતાઓ રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટેની યોજનાઓ પર ચર્ચા કરવા માટે જેપી નડ્ડા સાથે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. હાલ બંને રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં પાર્ટીની ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં લાગેલા ભાજપના કોર ગ્રુપના નેતાઓએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તે ઉમેદવારોના નામ પર પણ ચર્ચા થઈ હતી, જેમને રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો સામે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

 

રાજસ્થાન પર મંથન

નડ્ડાના નિવાસસ્થાને આ બેઠક બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા આવી હતી, જેમાં બંને રાજ્યોમાં ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની ડ્રાફ્ટ લિસ્ટ પર ચર્ચા થવાની છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને રાજસ્થાનના ભાજપના ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી, રાજસ્થાન ચૂંટણી સહ-પ્રભારી કુલદીપ બિશ્નોઈ અને પાર્ટીના રાજ્ય એકમના વડા સીપી જોશીએ હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને ગજેન્દ્ર શેખાવત અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાન પ્રભારી અરુણ સિંહ પણ હાજર હતા.

છત્તીસગઢ ચૂંટણી માટે મંથન

છત્તીસગઢ ચૂંટણી માટે ભાજપની કોર ગ્રુપની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના રાજ્ય ચૂંટણી પ્રભારી મનસુખ માંડવિયા, રાજ્ય એકમના અધ્યક્ષ અરુણ સાઓ, રાજ્ય સંગઠન સચિવ નીતિન નવીન અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નારાયણ ચંદેલ હાજર હતા. બંને બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં 10 ટકાનો વધારો થયો

દેશમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો થયો છે. 1.62 લાખ કરોડથી વધુ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથો મહિનો છે, જ્યારે ટેક્સ કલેક્શન રૂ. 1.6 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. ગયા મહિને GSTની કુલ આવક રૂ. 1,62,712 કરોડ હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,818 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,657 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી રૂ. 83,623 કરોડ (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 881 કરોડ સહિત)નો સમાવેશ થાય છે.

 


નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, સપ્ટેમ્બર 2023માં GST કલેક્શન ગયા વર્ષના સમાન મહિનામાં 1.47 લાખ કરોડ રૂપિયા કરતાં 10 ટકા વધુ હતું. સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત)માંથી આવક વાર્ષિક ધોરણે 14 ટકા વધી હતી. નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે.

ભારતે રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં પહેલીવાર એક દિવસમાં 15 મેડલ જીત્યા

એશિયન ગેમ્સમાં રવિવારે ભારતે 15 મેડલ જીત્યા હતા. આ રીતે ભારતીય ખેલાડીઓએ એક મોટો રેકોર્ડ બનાવ્યો. હકીકતમાં એશિયન ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ખેલાડીઓએ 15 મેડલ જીત્યા છે. અગાઉ એશિયન ગેમ્સ 2010માં ભારતે 14માં દિવસે 11 મેડલ જીત્યા હતા, પરંતુ હવે આ રેકોર્ડ પાછળ રહી ગયો છે.

 

ભારતે એશિયન ગેમ્સ 2010નો રેકોર્ડ તોડ્યો છે

આ રીતે ભારતે એશિયન ગેમ્સમાં એક દિવસમાં સૌથી વધુ મેડલ જીતવાના પોતાના જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. એશિયન ગેમ્સ 2014ના આઠમા દિવસે ભારતે 10 મેડલ જીત્યા. જ્યારે જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતે 9માં દિવસે 10 મેડલ જીત્યા હતા. પરંતુ આજે ભારતે તેના જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. એશિયન ગેમ્સ 2023ના આઠમા દિવસે ભારતે 15 મેડલ કબજે કર્યા. ભારતે એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં 13 ગોલ્ડ મેડલ જીત્યા છે. જ્યારે ભારતીય ખેલાડીઓએ 19 સિલ્વર મેડલ કબજે કર્યા છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અત્યાર સુધીમાં ભારતની જોલી 51 મેડલ જીતીને ચોથા સ્થાને છે.

જ્યારે મેડલ ટેલીની વાત કરીએ તો યજમાન ચીન નંબર વન પર યથાવત છે. અત્યાર સુધીમાં ચીને કુલ 242 મેડલ જીત્યા છે. 131 ગોલ્ડ મેડલ ઉપરાંત ચીને અત્યાર સુધીમાં 72 સિલ્વર મેડલ અને 39 બ્રોન્ઝ જીત્યા છે. આ પછી દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે.

‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’ : બીજો દિવસ અતિ ઊર્જાસભર ગરબાનો સાક્ષી બન્યો

આર્ટ ઓફ લિવિંગનો ચોથા ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’ નો વોશિંગ્ટન, અમેરિકામાં આરંભ ગઈ કાલે થઇ ગયો છે. 100 થી વધુ દેશોના 17 હજાર કલાકારો, ઘણા રાષ્ટ્રીય વડાઓ અને વિચારકો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેના દ્વારા વૈશ્વિક એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે  બીજો દિવસ અતિ ઊર્જાસભર ગરબાનો સાક્ષી બન્યો. જેની રજુઆત ૧૦,૦૦૦ લોકોએ કરી હતી.ગ્રે મી વિજેતા ફાલુ શાહ જે એક ભારતીય અમેરિકન ગાયિકા છે. તેમના દ્વારા ગવાયેલા ગરબાની એ એક એવી ઐતિહાસિક ક્ષણ હતી જેમાં લાખો લોકો ગરબાના તાલ સાથે ઝુમી ઉઠ્યા હતા.

આજના દિવસના અન્ય જે  આકર્ષણો હતા તેમાં સમાવિષ્ટ છે ૨૦૦ નૃત્યકારો દ્વારા ઉત્સાહજનક ભાંગડા, આઈરીશ સ્ટેપ નૃત્ય, કર્ણપ્રિય અફઘાની ગીત-સંગીત, ૧૦૦૦ ચાઈનીઝ અમેરિકન ગાયકો અને નૃત્યકારોએ રજૂ કરેલ “સોંગ્સ એન્ડ સ્માઈલ્સ” તથા “જાસ્મીન ફ્લાવર” અને સાથે સાથે જ રજૂ કરેલ કુંગ ફૂની પ્રસ્તુતિ તથા કલાત્મક અને કાલ્પનિક રીતે જીવંત હોય તેમ પ્રસ્તુત કરાયેલા ભવ્ય ડ્રેગન અને સિંહનો નજારો અદ્ભૂત હતો.

ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, બોલીવીઆ અને લેટીન અમેરીકાની રજુઆતો અવિસ્મરણીય હતી. કર્ટીસ બ્લો જેવા નીવડેલા કલાકારની આગેવાનીમાં રજુ થયેલ હીપ હોપ તથા બ્રેક ડાન્સ અને ૧૨૦૦ લોકોએ પ્રસ્તુત કરેલ ગોસ્પેલ કોઅર અને પાકિસ્તાનના સમુહ દ્વારા મોહક પ્રસ્તુતિ પણ નોંધપાત્ર હતા.  આજના બીજા દિવસનો ઉદય ઐતિહાસિક લીંકન મેમોરિયલ પર હજાર લોકોના યોગ દ્વારા થયો. વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ તેમને વિશિષ્ટ યોગ, પ્રાણાયામ અને ધ્યાન માટે દોરવણી કરી. આ રીતે સાંજના કાર્યક્રમો માટે પૂર્વભૂમિકા તૈયાર થઈ ગઈ હતી. જોશભરી અને મોહક પ્રસ્તુતિઓ, પ્રેરણાત્મક ઉદબોધનો અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું તેમ માણસોની વચ્ચે નોંધપાત્ર સેતુનું નિર્માણ,”પર્વતોથી લઈને દરિયા કિનારાના, નદીઓની ખીણથી લઈને રણ પ્રદેશના ૫ લાખથી વધુ લોકો અહીં એકત્રિત થયા છે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી જે એક વધારે તંદુરસ્ત, ખુશ, તણાવ અને ઘર્ષણ-મુક્ત તથા એક બીજા સાથે વધારે સંકળાયેલી દુનિયા બનાવવા ખાસ કરીને મહામારી પછીની આ દુનિયાના સંદર્ભમાં તેની મહત્વના નેતાઓએ પ્રશંસા કરી હતી. બીજા દિવસના વિશિષ્ટ વક્તાઓ હતા મોરેશિયસના પ્રમુખ પૃથ્વીરાજ સીંગ, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શીન્ઝો આબેના પત્ની આકી આબે, યુ એસ સર્જન જનરલ ડો વિવેક મૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા.