Home Blog Page 2328

ફટાકડાના તણખાથી લાગી આગઃ 30 બાળકો દાઝ્યા

મહેસાણા: બ્રાહ્મણવાડા ગામમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો. એ દરમિયાન ફટાકડા ફૂટતી વખતે ગેસના ફુગ્ગાઓમાં આગ લાગી હતી. જેને કારણે 30 જેટલા લોકો દાઝ્યા છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને ઊંઝાના જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ નથી થઈ.

ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અચાનક આગ લાગી જવાને કારણે અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ બેદરકારી કોને લીધે થઈ હતી, એ જણાવા નથી મળ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, ત્યારે અંદાજે બપોરે 12:30 કલાકે બનાવ બન્યો હતો.

જેમાં મહોત્સવ દરમિયાન ફટાકડા ફૂટવાને કારણે ગેસના ફુગ્ગાઓમાં આગ ભભૂકી હતી. આ આગને કારણે 30 જેટલા બાળકો દાઝયા.

આ તમામ બાળકોને સ્થળ પર પ્રાથમિક સારવાર, સ્થાનિક દવાખાને તેમ જ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝામાં રિફર કરાયા હતા.

 

 

 

 

 

 

 

યોગી સરકાર ધુરંધર બોલર શમીને સ્ટેડિયમની ભેટ આપશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપના સ્ટાર તરીકે ઊભરી આવ્યો છે જેમાં તેણે સતત વિકેટો લઈને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી દીધી છે. ગયા બુધવારે રમાયેલી સેમી ફાઇનલ મેચમાં તેણે સાત વિકેટ ઝડપીને ભારતીય ટીમ માટે ફાઇનલમાં પહોંચવાનું સરળ બનાવી દીધું હતું. જ્યારે દેશને તેની સિદ્ધિ પર ગર્વ છે, ત્યારે તેના હોમ ટાઉન અમરોહામાં ઉજવણીનો માહોલ છે. જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે અહીં મિની સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી ત્યારે તેમની ઉજવણી બમણી થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા મોહમ્મદ શમીના ગામ સહસપુર અલીનગરમાં સ્ટેડિયમ બનાવવાની સૂચના આપવામાં આવી છે. જે બાદ DM રાજેશ ત્યાગીના નિર્દેશ પર મુખ્ય વિકાસ અધિકારીએ તેમની ટીમ સાથે શુક્રવારે સહસપુર અલીનગરની મુલાકાત લીધી અને સ્ટેડિયમ માટે જમીનની શોધ શરૂ કરી.

તે જ સમયે DM રાજેશ ત્યાગીએ કહ્યું કે મુખ્ય વિકાસ અધિકારી તેમની ટીમ સાથે મોહમ્મદ શમીના ગામમાં સ્ટેડિયમ બનાવવા માટે એક હેક્ટર જમીન જોવા પહોંચ્યા અને તેમણે સ્ટેડિયમ માટેનો પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલી દીધો છે.

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CMએ પત્રકારોને જણાવ્યું હતું કે મોહમ્મદ શમીના ગામમાં જે સ્ટેડિયમ બનાવવામાં આવશે, એના માટે યોગ્ય જમીનની પસંદગી કરવામાં આવી રહી છે. અહીં જૃ ટૂંક સમયમાં સારું સ્ટેડિયમ બનીને તૈયાર થઈ જશે.

શ્વેતા શારદા મિસ યુનિવર્સ 2023ની ફાઇનલમાં પહોંચી

 સેલ્વાડોરઃ મિસ યુનિવર્સ 2023 પેજન્ટ 18 નવેમ્બરે અલ સાલ્વાડોરમાં આયોજિત થઈ રહી છે, જેમાં વિશ્વની 90 ખૂબસૂરત હસીનાઓ પોતપોતાના દેશને રિપ્રેઝન્ટ કરતી નજરે ચઢશે. તે 23 વર્ષીય શેવેતા શારદા મિસ યુનિવર્સ 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે.

શ્વેતા શારદાનો જન્મ 24 મે, 2000એ ચંડીગઢમાં થયો હતો. તેનું પાલનપોષણ તેની માતાએ એકલા હાથે કર્યું છે. 16 વર્ષની વયે તે મુંબઈ આવી ગઈ હતી. તેણ ગ્રેજ્યુએશન IGNOU દિલ્હીમાંથી પૂરું કર્યું છે. તેણે કેટલાય ડાન્સ રિયાલિટી શો જેવા કે ડાન્સ દીવાને, ડાન્સ પ્લસ અને ડાન્સ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. ઝલક દિખલા જામાં તેણ કોરિયોગ્રાફર તરીકે કામ કરી ચૂકી છે.ઓગસ્ટમાં શારદાએ મુંબઈમાં આયોજિત મિસ દીવા યુનિવર્સ 2023 એવોર્ડ જીત્યો હતો. એ સાથે તેણે મિસ યુનિવર્સ માટે પણ ક્વોલિફાય કરી લીધું હતું.

ફિનાલેમાં તેણે પોતાની માતાને જીવનની અસર કરતી વ્યક્તિ બતાવી હતી. તે કહે છે કે તેની લાઇફની સૌથી પ્રાઉડ મોમેન્ટ ત્યારે હતી, જ્યારે દીપિતા પાદુકોણ અને માધુરી દીક્ષિતે તેને ડાન્સિંગ સ્ટેપ શીખવાડ્યા હતા. શારતાના ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ ફોલોઅર્સ છે. આ સિવાય તેણે શાંતનુ મહેશ્વરીની સાથે મસ્ત આંખે વિડિયોમાં પણ કામ કર્યું છે. હરનાઝ કૌર સંધુ પછી હવે ભારતની પાસે શારદા શ્વેતાના રૂપમાં ફરી એક વાર મિસ યુનિવર્સનો તાજ જીતવાની તક છે.

 

 

 

 

 

 

MP ચૂંટણીઃ કોંગ્રેસનું ‘કમલ’ ખીલશે કે ભાજપનો શિવ-રાજ કરશે?

નવી દિલ્હીઃ મોદીની ગેરન્ટી કે રાહુલની મોહબ્બતની દુકાન? મધ્ય પ્રદેશની જનતા કઈ દુકાન અને કઈ ગેરન્ટીવાળી પ્રોડક્ટ લે છે, એના માટેની બધી પ્રક્રિયા થઈ ગઈ છે. મધ્ય પ્રદેશની ચૂંટણીની 230 વિધાનસભાની બેઠકો પર મત પડી ચૂક્યા છે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં 76.22 ટકા મતદાન થયું છે. મધ્ય પ્રદેશના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે.

આમ તો રાજ્યની બધી બેઠકો કોંગ્રેસ- ભાજપ માટે મહત્ત્વની છે, પણ એમાં છ સીટો પર લોકોની નજર ચોંટેલી છે.આ સીટો છે- છીંદવાડા, દિમની, ચુરહટ, દતિયા, બુઢની અને ઇન્દોર-1.

વર્ષ 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં 230 બેઠકો પર 75.6 ટકા મતદાન થયું હતું. ત્યારે કોંગ્રેસને 114 સીટો અને ભાજપને 109 સીટો મળી હતી. ત્યાર્ ભાજપને કોંગ્રેસ કરતાં 0.1 ટકા વધુ મતો મળ્યા હતા, પરંતુ સરકાર કોંગ્રેસે બનાવી હતી. ભાજપને 41 ટકા અને કોંગ્રેસને 40.9 ટકા મતો મળ્યા હતા.

વર્ષ 2013માં ચૂંટણીમાં ભાજપને 165 સીટો મળી હતી, જ્યારે કોંગ્રેસની સીટો 71થી ઘટીને 58એ પહોંચી હતી. ત્યારે ભાજપને 44.9 ટકા મતો મળ્યા હતા, જ્યાર કોંગ્રેસને 36.4 ટકા મત મળ્યા હતા. વર્ષ 2003થી 2018 સુધી માત્ર એક વાર સત્તા પરિવર્તન થયું છે. એ વખતે 75 ટકાથી વધુ મતદાન થયું હતું. આ વખતે પણ મતદાન વધુ થયું છે. તો શું ભાજપની વિરુદ્ધ સત્તાવિરોધી લહેરનું આ પરિણામ છે. એ તો હવે ત્રીજી ડિસેમ્બરે જ માલૂમ પડશે.

 

 

 

 

ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ જર્સીના રંગ પર ભડકી મમતા

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે. આ પહેલાં ભારતીય ટીમની જર્સી પર રાજકારણ શરૂ થયું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપને નિશાન બનાવતાં કહ્યું હતું કે  ભારતીય ટીમ સહિત વિવિધ સંસ્થાઓને ભગવાકરણ કરવાના પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા હતા. આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે.

કોલકાતાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તે (ભાજપ) હવે દેશને બધું ભગવા રંગમાં રગવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમને આપણા ભારતીય ખેલાડી ઉપર ગર્વ છે અને  મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપ જીતશે. પરંતુ પહેલા પ્રેક્ટિસ ખેલાડીઓ બ્લુ કલરની જર્સી પહેરતા જે હવે ભગવા કલરની થઇ ગઈ છે. મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગે રંગવામાં આવી રહ્યા છે. આ અસ્વીકાર્ય છે.  આ સિવાય દરેક વસ્તુઓનાં નામ પણ નમો રાખવામાં આવી રહ્યા છે.

આ નિવેદન પછી ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. ભાજપના નેતા શિશિર બજોરિયાએ કહ્યું હતું કે અમે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સારી બાબતોને આવકારીએ છીએ. જ્યારે તેઓ કહી રહ્યા છે કે ભારતીય ટીમનું ભગવાકારણ થઇ રહ્યું છે, કારણ કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન કેસરી કલરની જર્સી પહેરે છે તો હું પૂછવા માગીશ કે ત્રિરંગા વિશે શું જ્યાં કેસરી કલર ટોચ પર છે? આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સૂર્યના પ્રથમ કિરણનો રંગ કેવો હોય છે? આ રીતે તેમણે મમતા પર પલટવાર કર્યો હતો.

 

 

 

કોરાનાના 28 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 28 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,536 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,084 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 15 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 175 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,536 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 108 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ભૂખ અને તરસ શમી જાય છે, પણ લોભને કોઈ થોભ નથી

ભાગવત પુરાણના સ્કંધ 7ના પ્રકરણ 7માંથી લેવાયેલા શ્લોક ક્રમાંક 20માં નારદ મુનિ યુધિષ્ઠિરને મોટો બોધ આપતાં કહે છે, આ વિશ્વમાં ભૂખ અને તરસ ખાધે-પીધે શમી જાય છે, બધી ઈચ્છાઓ, ગુસ્સો અને ચીડ એ બધાનો પણ ઊભરો આવીને ઓસરી જાય છે, પરંતુ લોભ એવો દુર્ગુણ છે, જે ક્યારેય ઓછો નથી થતો.

ઉપરોક્ત શ્લોક પરથી ગુજરાતી કહેવત યાદ આવે છેઃ લોભને થોભ નથી.

લોભી માણસ સતત વધુ ને વધુ સંપત્તિ તથા વસ્તુઓ મેળવવા માગે છે. એક વખત બધું મળી જાય પછી તેનાથી વધારે મેળવવાની ઈચ્છા રાખે છે. આથી જ દુનિયાનો સૌથી વધુ સંપત્તિવાન માણસ પણ વધુ ધન મેળવવાનો પ્રયાસ કરતો રહે છે. પોતાની બધી જરૂરિયાતો પૂરી થાય એટલું મેળવ્યા બાદ પણ લોભનો અગ્નિ સતત પ્રજ્વલિત રહે છે. ધન મેળવવાની ઈચ્છાને સંતોષવાનો પ્રયાસ ખરેખર તો એ જ્વાળામાં વધુ ઘી હોમવાનું કામ કરે છે. લોભને સંતોષવાનો ન હોય, તેને નિયંત્રિત રાખવાનો હોય, કારણ કે એ ધર્મના માર્ગમાં બાધારૂપ બને છે.

આપણી આસપાસ વ્યક્તિઓ, સંસ્થાઓ અને કંપનીઓનાં એવાં અનેક ઉદાહરણો છે, જેમાં લોભીઓ પણ છે અને સમાજનું ઋણ ચૂકવનારાઓ પણ છે.

પોતાને પૂરતું મળી ગયું છે કે પછી પોતાને સંપત્તિ ભેગી કરવાનું વ્યસન લાગી ગયું છે એ સમજવાનું ઘણા લોકો માટે અઘરું હોય છે. દા.ત. રજત મહેતા. તેઓ નવી દિલ્હીમાં સારા વિસ્તારમાં સરસ મજાનું ઘર ધરાવે છે. તેમની પાસે એક કરતાં વધારે કાર, નોકરો છે, તેઓ વૅકેશનમાં હંમેશાં દેશ-વિદેશમાં ફરવા જાય છે, જીવનની સુખ-સાહ્યબી ભોગવે છે અને એ બધું હોવા છતાં સંપત્તિની બાબતે અસલામતી અનુભવે છે. પોતાની પાસે હાલ કેટલી સંપત્તિ છે અને ભવિષ્યમાં સારી જીવનશૈલી ટકાવી રાખવા માટે પોતાને કેટલી સંપત્તિની જરૂર છે એની ગણતરી હંમેશાં ચાલતી જ હોય છે. 65 વર્ષના આયુષ્યમાં તેમણે ક્યારેય નાણાંના અભાવે ભૂખ્યા સૂવું પડ્યું નથી કે ક્યારેય તેમને પહેરવા માટે કપડાં ન હોય કે માથે છાપરું ન હોય એવી સ્થિતિમાં રહેવું પડ્યું નથી. આમ છતાં વારેઘડીએ તેઓ પોતાની સંપત્તિની ગણતરી અને હજી કેટલાની જરૂર છે તેનો હિસાબ કરતા હોય છે. આટલું જ નહીં, તેઓ પોતાના મિત્રો, પરિચિતો અને સંબંધીઓની સંપત્તિની સાથે પોતાના ધનની તુલના કરતા હોય છે. બીજાઓ તો ખોટા રસ્તે ધન કમાયા છે એવું જ તેમનું માનવું હોય છે. આ બાબત ઈર્ષ્યા દર્શાવે છે. તેઓ ધનની બાબતે અસલામતી અનુભવે છે. આ અસલામતી લોભને જન્મ આપે છે. આથી જ માણસ વધુ ને વધુ ધન મેળવવાની ઈચ્છા રાખે છે.

મારા ઘરની નજીક રહેતા દૂધવાળા નરેશભાઈ રજતભાઈ કરતાં સાવ અલગ વલણ ધરાવે છે. તેઓ અગાઉ દિવસમાં બે વાર દૂધનું કૅન લઈને આવતા. હવે તેઓ વહેલી સવારે દૂધની થેલીઓ આપી જાય છે. એ પતી ગયા પછી અખબાર વહેંચે છે. દિવસ દરમિયાન તેઓ ડ્રાઇવર તરીકે કામ કરે છે અને સાંજે સાડા છ વાગ્યે પરવારે છે. સાંજે તેઓ મંદિરે જઈને સેવા આપે છે. તેઓ મંદિરની સાફસફાઈમાં મદદ કરે છે, વડીલોને રસ્તો ઓળંગવામાં સહાય કરે છે. તેઓ રોજ એક માણસને ભોજન કરાવે છે. તેમનું કહેવું છે કે 59 વર્ષના આયુષ્યમાં તેમણે એકેય દિવસ ભૂખ્યા રહેવું પડ્યું નથી. આથી તેમણે રોજ એક માણસને જમાડવાનો નિયમ રાખ્યો છે.

થોડા મહિનાઓ પહેલાં મેં તેમને નિયમિતપણે બચત કરવાની વાત કરી હતી. આથી તેમણે બૅન્કમાં રિકરિંગ ખાતું ખોલાવ્યું છે. તેમણે વીમાની અને નિવૃત્તિની વિવિધ સરકારી સ્કીમ લીધી છે. જો કે, તેઓ સ્પષ્ટપણે કહે છે, રામ રાખે એને કોણ ચાખે. તેમના મુખ પર ગજબની શાંતિ ઝળકે છે.

કેટલી સંપત્તિ પૂરતી કહેવાય એનો કોઈ ચોક્કસ આંકડો નથી. કોઈ પણ સંખ્યા બાહ્ય પરિબળ છે. ખરું સુખ તો અંદર હોય છે. લોભ એ સુખનો ક્ષય કરે છે. કમનસીબે આપણામાંથી મોટાભાગના લોકો અંદર સુખ શોધવાને બદલે બહાર શોધતા હોય છે. તેને લીધે જ લોભ જેવા વિકારો જન્મે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

૧૮ નવેમ્બર, ૨૦૨૩

૧૮ નવેમ્બર, ૨૦૨૩

પંચાંગ 18/11/2023

અમિતાભની ‘જંજીર’ ની કહાની પ્રકાશની જુબાની

રાજેન્દ્રકુમાર- રાખી સાથેની ‘આન બાન’ (૧૯૭૨) પછી પ્રકાશ મહેરાએ ધર્મેન્દ્ર સાથે ફિલ્મ ‘સમાધિ’ (૧૯૭૨) નિર્દેશક ઉપરાંત નિર્માતા તરીકે બનાવવાનું નક્કી કર્યું. ધર્મેન્દ્રનું કહેવું હતું કે તે નિર્માતા બનશે. પ્રકાશે કહ્યું કે લેખક મુખરામ શર્મા પાસેથી મેં કેટલી મગજમારી કરીને ‘સમાધિ’ ની વાર્તા મેળવી છે. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે મારી પાસે એક પઠાણ અને પોલીસ ઈન્સ્પેકટરની વાર્તા છે. એને સલીમ- જાવેદ પાસેથી સાંભળી લેજે. એ ફિલ્મ ‘જંજીર’ (૧૯૭૩) નું તું નિર્માણ કરજે પણ એમાં ઈન્સ્પેકટર તરીકે હું જ કામ કરીશ. આ વાતની ખબર ધર્મેન્દ્રના ભાઈ બી.એસ. દેઓલને પડી ત્યારે એણે કહ્યું કે તું છ મહિના પછી ફિલ્મ બનાવજે.

પ્રકાશે તૈયારી કરી લીધી હોવાથી રોકાઈ શકે એમ ન હતા. ત્યારે ‘જંજીર’ નો હીરો નક્કી થયો ન હતો. પણ પ્રાણના પુત્ર સુનીલે કહ્યું કે તમે ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’ જોવા જાવ અને એમાં માત્ર એક દ્રશ્ય જોવાનું રાખજો જેમાં અમિતાભ બચ્ચન સેન્ડવીચ ખાઈને બહાર આવે છે અને એની શત્રુધ્ન સિંહા સાથે લડાઈ થાય છે. આખી ફિલ્મ જોવા જેવી નથી. પ્રકાશે ફિલ્મનું એ દ્રશ્ય જોયું અને અમિતાભને પસંદ કરી લઈ ધર્મેન્દ્રને કહ્યું કે મને હીરો મળી ગયો છે. ધર્મેન્દ્રએ છ મહિના રાહ જોવા કહ્યું. પ્રકાશે કહ્યું કે તમારી પાસે તો ઘણી ફિલ્મો છે. મારી કારકિર્દી શરૂ થઈ રહી છે. રાહ જોઈ શકાય એમ નથી. અસલમાં સલીમ- જાવેદની તમન્ના હતી કે ‘જંજીર’ માટે ટોપના હીરો- હીરોઈન હોવા જોઈએ. ત્યારે ધર્મેન્દ્ર બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતા.

બીજો વિકલ્પ દેવ આનંદનો હતો. ચાર વખત પ્રકાશ જાવેદ સાથે દેવના ઘરે ગયા. ત્યારે દેવ આનંદે આ ફિલ્મ માટે વહિદા રહેમાનને પણ બોલાવ્યા હતા. દેવનું કહેવું હતું કે ફિલ્મમાં ત્રણ-ચાર ગીતો હોવા જોઈએ. પ્રકાશે દલીલ કરી કે તમે ક્યારેય પોલીસ ઈન્સ્પેકટરને ગીતો ગાતો જોયો છે? ત્યારે દેવ આનંદે પૂછ્યું કે તું આર્ટ ફિલ્મ બનાવી રહ્યો છે? પ્રકાશ મહેરાએ કહ્યું કે ના કમર્શિયલ ફિલ્મ છે. ફિલ્મમાં એક રોમેન્ટિક ગીત હશે પણ એ હીરો કે હીરોઈન ગાતા નહીં હોય. દેવ આનંદે છેલ્લે કહ્યું કે તને બહુ આત્મવિશ્વાસ છે. ભગવાન તને મદદ કરે. દેવ આનંદ પછી તેઓ રાજકુમાર પાસે ગયા ત્યારે એમણે કહ્યું કે આ તો મારી જ વાર્તા અને પાત્ર છે. હું માહિમમાં ઈન્સ્પેકટર હતો. પણ મારી શરત છે કે ફિલ્મ તારે મદ્રાસમાં પૂરી કરવી પડશે. કેમકે એ મદ્રાસની ત્રણ ફિલ્મો કરી રહ્યા હતા.

પ્રકાશે કહ્યું કે મારી ફિલ્મના દ્રશ્યમાં મુંબઈના સ્થાનિક લોકો છે. મદ્રાસના લોકો યોગ્ય રહેશે નહીં. અને એ રાજકુમારને લઈ શક્યા નહીં. ફિલ્મની હીરોઈન તરીકે પહેલાં મુમતાઝને સાઇન કરવામાં આવી હતી. જ્યારે એને ખબર પડી કે અમિતાભને હીરો તરીકે લેવામાં આવ્યો છે ત્યારે તેણે એમ કહીને ફિલ્મ છોડી દીધી કે મારા મયૂર માધવાની સાથે લગ્ન થઈ રહ્યા છે. હું ફિલ્મ કરી શકીશ નહીં. પ્રકાશ જ્યારે મુમતાઝના લગ્નમાં ગયા ત્યારે એણે સાઈનીંગ એમાઉન્ટ પણ પરત કરી દીધી. અમિતાભે જયા ભાદુરીનું નામ સૂચવ્યું. જયા ત્યારે પ્રકાશ મહેરાના જ નિર્દેશનમાં ‘સમાધિ’ માં કામ કરી રહ્યા હતા. જયાએ ‘જંજીર’ કરવાની હા પાડી દીધી અને ફિલ્મ શરૂ થઈ ગઈ. ‘જંજીર’ બહુ મોટી હિટ રહી. એ પછી પ્રકાશ મહેરા અને અમિતાભે સાથે ઘણી ફિલ્મો કરી હતી