લંડનઃ બીબીસી ચેનલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વધુને વધુ મોટા એડવર્ટાઈઝર્સ X (ટ્વિટર) પ્લેટફોર્મને છોડી જશે તો અને X તેણે લીધેલી લોન પરનું વ્યાજ ચૂકવી નહીં શકે કે કર્મચારીઓને પગાર ચૂકવી નહીં શકે તો આખરે એ દેવાળું ફૂંકશે. પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્ક પરિસ્થિતિ એટલી બધી હદે વણસી જાય એવું કદાચ પસંદ નહીં કરે.
મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. પરંતુ હવે તે દેવાળું ફૂંકે એવી સંભાવના જણાઈ રહી છે. ડિઝની, વોલ્માર્ટ અને એપલ જેવી મોટી કંપનીઓ X પર જાહેરખબરો આપતી નથી અને મસ્કે આ કંપનીઓને એમ સંભળાવ્યું હતું કે, ‘મને કોઈ પરવા નથી.’
મણિપુરના તેંગનૌપાલ જિલ્લામાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારમાં 13 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સીએ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બપોરે લીથુ ગામમાં બની હતી. તેણે કહ્યું, “મ્યાંમાર જઈ રહેલા આતંકવાદીઓ પર વિસ્તારના પ્રભાવશાળી બળવાખોરોના અન્ય જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સ્થળ પર પહોંચેલા સુરક્ષાદળોને 13 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેમની ઓળખ થઈ નથી. અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે તેઓ સ્થાનિક રહેવાસી નથી. તેંગનોપલ જિલ્લો મ્યાનમાર સાથે સરહદ વહેંચે છે.
13 killed in gunfight between two groups of militants in Manipur’s Tengnoupal district: Officials
તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં રાજ્યમાં હિંસાની ચિનગારી ભડકી હતી. આ પછી હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું અને લગભગ 175 લોકોએ જીવ ગુમાવ્યા. મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ ઈન્ટરનેટ બંધ છે. હિંસા દરમિયાન બે મહિલાઓ સાથે શરમજનક કૃત્યનો વીડિયો સામે આવ્યા બાદ પીએમ મોદીએ તેની નિંદા કરી હતી અને ન્યાયની ખાતરી આપી હતી. CBI હિંસા સંબંધિત મામલાની તપાસ કરી રહી છે. વિપક્ષ સરકાર પર હિંસા અંગે બેદરકારીનો આરોપ લગાવી રહ્યો છે. સંસદ હોય કે ચૂંટણી રેલીઓ, હિંસા મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ભાજપ સરકાર પર નિશાન સાધી રહી છે.
unlf સાથે શાંતિ કરાર
તાજેતરમાં, સરકારે મણિપુરના સૌથી જૂના આતંકવાદી સંગઠન યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. NLF સાથે શાંતિ કરારની પ્રક્રિયા ત્રણ વર્ષ પહેલા શરૂ થઈ હતી. આ અંગે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે લોકોના સમર્થન વિના આ શાંતિ સમજૂતી સાકાર થઈ શકી ન હોત. કરાર પર હસ્તાક્ષર કરવા માટે સંમત થવા બદલ હું UNLFનો આભાર માનું છું.
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મે 2022 બાદની સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. સ્પોટ બિટકોઇન ઈટીએફને મંજૂરી મળવા બાબતેનો આશાવાદ તથા ફેડરલ રિઝર્વે વ્યાજદર નહીં વધારવામાં આવે એવો આપેલો સંકેત એ બન્ને મુખ્ય પરિબળો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.97 ટકા (2,480 પોઇન્ટ) વધીને 52,328 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 49,848 ખૂલીને 52,428ની ઉપલી અને 49,630 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી શિબા ઇનુ 9.79 ટકા વૃદ્ધિ સાથે ટોચનો વધનાર કોઇન હતો. ઉપરાંત, બિટકોઇન, ડોઝકોઇન, ઈથેરિયમ અને અવાલાંશમાં 4થી 6 ટકાની રેન્જમાં વધારો થયો હતો.
બિટકોઇન 19 મહિના બાદ 41,000 ડોલરનો આંક વટાવી ગયો છે અને મેટ્રિક્સપોર્ટે અંદાજ વ્યક્ત કર્યો છે કે બિટકોઇનનો ભાવ આગામી કેલેન્ડર વર્ષના અંત સુધીમાં 1,25,000 ડોલર થઈ જશે.
દરમિયાન, દક્ષિણ કોરિયાના નાણાકીય નિયામકોએ અનધિકૃત ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જો વિશે માહિતી આપવાનો અનુરોધ કર્યો છે. દેશનાં ટોચનાં પાંચ ક્રીપ્ટો એક્સચેન્જો તથા ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે આ પહેલ માટે સહકાર સાધ્યો છે.
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. પરિણામોમાં, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) એ 27 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. 40 બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં બહુમતી માટે 21 બેઠકોની જરૂર હતી. મિઝોરમમાં સત્તાના શિખરે પહોંચેલા લાલદુહોમા, ભૂતપૂર્વ IPS અધિકારી, ધારાસભ્ય અને ભૂતપૂર્વ સાંસદ છે. એમના દ્વારા સ્થાપિત પાર્ટી ZPMની રચના કેવી રીતે થઈ અને લાલદુહોમા કોણ છે એ જાણવું રસપ્રદ છે.
કેવી રીતે થઈ જોરમ પીપલ્સ મૂવમેન્ટની રચના ?
જોરમ પીપલ્સ મૂવમેન્ટની રચના છ પ્રાદેશિક પક્ષોના ગઠબંધન તરીકે કરવામાં આવી હતી. આ છ પ્રાદેશિક પક્ષોમાં મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ, જોરમ નેશનાલિસ્ટ પાર્ટી, જોરમ એક્ઝોડસ મૂવમેન્ટ, જોરમ વિકેન્દ્રીકરણ મોરચો, જોરમ રિફોર્મેશન ફ્રન્ટ અને મિઝોરમ પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે. આ પક્ષો બાદમાં એક એકીકૃત એકમમાં ભળી ગયા, સત્તાવાર રીતે 2018 માં જોરમ પીપલ્સ મૂવમેન્ટ, આજની ZPM, રચના કરી. જો કે, ZPM ને ચૂંટણી પંચમાં નોંધણી કરાવવા માટે ઘણી રાહ જોવી પડી હતી.
2018ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી
ZPM 2018ની મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મેદાનમાં ઉતર્યું હતું. પાર્ટીએ પોતાની જાતને મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના રાજકીય વિકલ્પ તરીકે રજૂ કરી. પક્ષે પ્રતિબંધની હિમાયત કરી હતી. પાર્ટીએ 40માંથી 36 બેઠકો પર ચૂંટણી લડી હતી. એ સમયે લાલડુહોમા દ્વારા રચાયેલી પાર્ટીને ચૂંટણી પંચ તરફથી માન્યતા ન મળી, જેના કારણે એમના ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી પડી હતી. ZPMએ અપક્ષ ઉમેદવારો તરીકે એ સમયે 8 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં લાલદુહોમાએ તત્કાલિન મુખ્યમંત્રી લાલથાનહલવાને કારમી હાર આપી હતી, ત્યારબાદ તેઓ રાજકીય વર્તુળોમાં હેડલાઈન્સ બન્યા હતા.
2019માં ચૂંટણી પંચ તરફથી મળી માન્યતા
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જુલાઈ 2019 માં પક્ષની સત્તાવાર રીતે નોંધણી કરાવી હતી. જો કે એક તરફ, ZPM ને રાજકીય પક્ષનો દરજ્જો મળ્યો, બીજી બાજુ એની સૌથી મોટી સંસ્થાપક પાર્ટી ‘મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ’ 2019 માં જ ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ.
2023ની મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ZPMને બહુમતી મળી
2023ની મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં, ZPM એ તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી હતી. 7 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 80 ટકાથી વધુ મતદાન થયું હતું. 4 ડિસેમ્બરે શરૂ થયેલી મત ગણતરીમાં, ZPM એ 40 માંથી 25 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. આવી સ્થિતિમાં, રાજ્યમાં ZPM સરકાર બનશે અને લાલ દુહોમા મુખ્યમંત્રી બનશે તે નક્કી કરવામાં આવ્યું છે.
ZPMના સ્થાપક લાલડુહોમા એક સમયે PMની સુરક્ષાનો હવાલો સંભાળતા હતા?
મિઝોરમમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલા ZPMના પ્રમુખ લાલદુહોમા મિઝોરમના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. 1972 થી 1977 સુધી, લાલદુહોમાએ મિઝોરમના મુખ્યમંત્રીના મુખ્ય સહાયક તરીકે સેવા આપી હતી. સ્નાતક થયા પછી એમણે ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષા આપી. 1977માં આઈપીએસ બન્યા બાદ લાલડુહોમા ગોવામાં સ્ક્વોડ લીડર તરીકે કામ કર્યું. એમની તૈનાતી દરમિયાન એમણે દાણચોરો સામે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારી તરીકેની એમની સિદ્ધિઓ છાપાઓમાં હેડલાઇન્સ બનવા લાગી. 1982માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ એમને પોતાના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. નાયબ પોલીસ કમિશનર તરીકે વિશેષ પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત તેઓ રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1982 એશિયન ગેમ્સની આયોજન સમિતિના સચિવ પણ હતા.
રાજકારણમાં કેવી રીતે પ્રવેશ્યા લાલડુહોમા
1984માં પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. એ જ વર્ષે ડિસેમ્બરમાં લાલડુહોમા લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 1988માં કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ, તેઓ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જેના કારણે તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં હાર પછી કોંગ્રેસ પાર્ટી ગઠબંધન પક્ષોના નિશાના પર છે. તૃણમૂલ કોંગ્રેસનાં પ્રમુખ અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજે સ્પષ્ટ કહ્યું હતું કે આ હાર જનતાની નથી, પરંતુ કોંગ્રેસની છે. ઇન્ડિયા ગઠબંધનના પક્ષોની સાથે સીટ વહેંચણીની વ્યવસ્થામાં ગેરવહીવટ થવાને કારમે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં ચૂંટણી હારી ગઈ છે.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે તેલંગાણા જીત્યું છે, પણ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન હારી ગઈ છે, એનું મોટું કારણ ગઠબંધન પક્ષોમાં મતો વહેંચાઈ ગયા છે. અમે સીટ વહેંચણીની વ્યવસ્થાનું સૂચન કર્યું હતું, પણ વહેંચણી મતોની થઈ ગઈ છે.
તેમણે કહ્યું હતું કે વિચારધારાની સાથે-સાથે તમારે વ્યૂહરચનાની પણ જરૂર છે. જો સીટ વહેંચણીની વ્યવસ્થા હશે તો ભાજપ 2024માં સત્તામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે વિરોધ પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન આગામી વર્ષે સામાન્ય ચૂંટણી પહેલાં મળીને કામ કરશે અને ભૂલો સુધારશે.
VIDEO | “I do not have any information regarding that (INDIA alliance meeting on December 6). I already have programmes to attend in North Bengal during that period,” says West Bengal CM @MamataOfficial on INDIA alliance meeting. pic.twitter.com/zTTAPkq7bq
ત્રીજી ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થતાં ગયાં તેમ-તેમ ગઠબંધનના સહયોગી પક્ષોએ કુધને દૂર કરવા માટે કોંગ્રેસની ટીકા કરી હતી. JDUના કેસી ત્યાગીએ કહ્યું હતું કે કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનની અન્ય પાર્ટીઓને નજરઅંદાજ કરી હતી. CPM નેતા પી. વિજયને કહ્યું હતું કે હિન્દી ભાષી પટ્ટામાં ભાજપથી મુકાબલો કરતા સમયે સાથે મળીને લડવું જરૂરી છે.
દેશની 26 પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ લોકસભા ચૂંટણી 2024ની વ્યૂહરચના નક્કી કરશે અને છઠ્ઠી ડિસેમ્બરે દિલ્હીમાં બેઠક કરશે. જોકે આ ગઠબંધનમાં પશ્ચિમ બંગાળના વડાં મમતા બેનરજી સામેલ નહીં થાય.
સિંધુદુર્ગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકાના તારકર્લી બીચ ખાતે ભારતીય નૌકાદળ દ્વારા ‘નેવી ડે-2023’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયા હતા. પોતાના સંબોધનમાં એમણે જાહેરાત કરી હતી કે, ‘હવેથી ભારતીય નૌકાદળમાં અધિકારીઓને રેન્ક ભારતીય સંસ્કૃતિ અનુસાર આપવામાં આવશે. આપણા સંરક્ષણ દળોમાં મહિલા શક્તિમાં વધારો કરવા પણ અમે વિચારી રહ્યા છીએ. નૌસેના જહાજ પર દેશની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરને નિયુક્ત કરવા બદલ હું નૌકાદળને અભિનંદન આપું છું.’
ભારતીય નૌકાદળ દર વર્ષની 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવે છે. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે આ જ તારીખે ભારતીય નૌકાદળે ‘ઓપરેશન ટ્રાઈડેન્ટ’ હાથ ધર્યું હતું અને કરાચી બંદર પર જોરદાર હુમલો કર્યો હતો. તે હુમલાને પગલે પાકિસ્તાન ભારતને શરણે આવી ગયું હતું.
વડા પ્રધાને તે પૂર્વે તાલુકાના ‘રાજકોટ કિલ્લા’ ખાતે જઈને છત્રપતિ શિવાજી મહારાજની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. શિવાજી મહારાજે જ પશ્ચિમી મહારાષ્ટ્રમાં અનેક સમુદ્રકાંઠા અને દરિયાઈ કિલ્લા બંધાવ્યા હતા, જેમાંનો એક છે, સિંધુદુર્ગ કિલ્લો.
બંને કાર્યક્રમમાં વડા પ્રધાનની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, બે નાયબ મુખ્ય પ્રધાનો – દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈઃ પડોશના ઠાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં રહેતા 50-વર્ષની વયના અને ઠાણેની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા એક નાગરિક સાઈબર છેતરપિંડીનો શિકાર બન્યા છે. એમને સાઈબર ઠગ લોકોએ ઝડપથી પૈસા બનાવવાની લાલચ આપી હતી અને એક ટાસ્ક (કાર્ય) પૂરું કરવાની ઓફર કરી હતી. ટાસ્ક પૂરું થયા બાદ આકર્ષક કમિશન આપવાની ખાતરી આપી હતી, જે વાસ્તવમાં ખોટી હતી.
એકાઉન્ટન્ટે પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમણે કહ્યું છે કે, એમને એક અજાણ્યા ફોન નંબર પરથી એક મેસેજ મળ્યો હતો જેમાં એક પાર્ટ-ટાઈમ નોકરીની ઓફર કરાઈ હતી અને જણાવાયું હતું કે અમુક સામાન્ય કાર્ય કરવાથી સારું એવું કમિશન મળશે. ત્યારબાદ એમને એક વેબસાઈટ પર રજિસ્ટર થવાનું કહેવામાં આવ્યું હતું, તેઓ રજિસ્ટર થયા હતા અને વેબસાઈટ પર એક ડેમોન્સ્ટ્રેશન સત્રમાં એમને સામેલ કરવામાં આવ્યા હતા. ફરિયાદીનો વિશ્વાસ હાંસલ કરવા માટે એમણે અમુક સામાન્ય કાર્યો પૂરા કર્યા એટલે સાઈબર ગુનેગારોએ એમના ખાતામાં નાનકડી રકમ ક્રેડિટ કરી હતી. બાદમાં ઠગ લોકોએ ફરિયાદીને મોટા ટાર્ગેટ પૂરા કરવા કહ્યું હતું જેમાં ઊંચી રકમનું રિટર્ન મળશે.
ફરિયાદીને લાલચ થઈ હતી અને વધુ ને વધુ ટાસ્કમાં ફસાતા ગયા હતા. 22 દિવસમાં એમણે રૂ. 18 લાખથી વધારે રકમ ગુમાવી દીધી હતી. ઠગ લોકો કહેતા ગયા તેમ ફરિયાદી વિવિધ બેન્ક એકાઉન્ટોમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા ગયા હતા. આખરે એમને સમજાઈ ગયું હતું કે પોતે છેતરાઈ ગયા છે અને એમણે મીરા રોડ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000ની સંબંધિત જોગવાઈઓ અંતર્ગત અજ્ઞાત સાઈબર ગુનેગારો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
કોંગ્રેસે તેલંગાણામાં મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડી રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. સૂત્રોએ આ માહિતી આપી છે. તેલંગાણામાં કોંગ્રેસે કુલ 119 બેઠકોમાંથી 64 બેઠકો જીતી છે. BRSએ 39 બેઠકો જીતી છે અને ભાજપે આઠ બેઠકો જીતી છે. અહીં સરકાર બનાવવા માટે કોઈપણ એક પાર્ટીને 60 સીટોની જરૂર છે. કોંગ્રેસને 39.40 ટકા, BRSને 37.35 ટકા અને ભાજપને 13.90 ટકા વોટ મળ્યા હતા.
VIDEO | Telangana elections 2023: BRS leader KT Rama Rao holds meeting with party’s newly elected MLAs in Hyderabad.
વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, કોંગ્રેસના નેતાઓ રવિવારે (3 ડિસેમ્બર) સાંજે રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ પછી સોમવારે (4 ડિસેમ્બર) કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ (CLP)ના નેતા તરીકે નિયુક્ત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.
VIDEO | Telangana: Congress Legislature Party (CLP) meeting underway in Hyderabad.
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે કહ્યું કે આ અધિકૃતતા પત્ર ખડગેને મોકલવામાં આવશે અને ધારાસભ્યોએ પક્ષના ટોચના નેતૃત્વના નિર્ણયને સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ. રેવન્થ રેડ્ડીએ આ સંદર્ભમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો અને મલ્લુ ભટ્ટી વિક્રમાર્કા અને ડી. શ્રીધર બાબુ સહિતના વરિષ્ઠ ધારાસભ્યોએ તેને ટેકો આપ્યો હતો.
મોરબીઃ મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતું નકલી ટોલનાકું પકડાયું છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવવામાં આવતું હતું. નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. કોના આર્શિવાદથી આ ટોલનાકું ચાલતું હતું તે મોટો સવાલ ઉભો થાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બંધ સિરામિક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા. ફોર વ્હીલના રૂ. 50, નાના ટ્રકના રૂ. 100, મોટા ટ્રકના રૂ. 200ની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન ગણાવતા રવિ નામની વ્યક્તિ સામે આરોપ છે. જ્યારે અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે.
વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે. વગદાર લોકો આ નકલી ટોલનાકું ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઉપરાંત નકલી ટોલનાકાનો ખુલાસો થયા બાદ અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ પાઠવી છે. બીજી તરફ છેલ્લા દોઢ વર્ષથી ચાલતા નકલી ટોલનાકા અંગે કોઈ પણ અધિકારીઓના ધ્યાને ન આવતાં હવે શંકાની સોય અધિકારીઓ પર પણ ચીંધવામાં આવી રહી છે.
તાજેતરમાં જ આ નકલી ટોલનાકાનો એક વીડિયો વાયરલ થયા બાદ સૌકોઈ ચોંકી ગયા હતા, ત્યારબાદ અધિકારીઓએ તરત તપાસ હાથ ધરતા વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કર્યું હોવાનો ખુલાસો થયો હતો. હવે મોરબી જિલ્લા અધિકારીઓ અને કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા પાસેથી અહેવાલ મગાવાયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ સાથે કલેક્ટરને પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ નકલી ટોલનાકા પાછળ કોનો હાથ છે, કોણ કોણ આ અહીં કામ કરતું હતું અને અત્યાર સુધીમાં કેટલાક રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બાબા બાલકનાથ છે. તેમની ઉંમર 39 વર્ષની છે. રાજસ્થાન ભાજપના ફાયરબ્રાન્ડ નેતા. તેઓ રાજસ્થાનની તિજારા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. જો કે જે સમયે તેઓ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા તે સમયે તેઓ અલવર જિલ્લામાંથી સાંસદ પણ હતા. હવે જોવું એ રહ્યું કે તેઓ સાંસદનો દરજ્જો જાળવી રાખે છે કે પછી ધારાસભ્ય બને છે, પરંતુ એવું લાગે છે કે ભાજપે તેમને ખાસ હેતુથી વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે. આ કારણોસર તેમને રાજ્યમાં મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યા છે.
બાબા બાલકનાથ એ જ નાથ સંપ્રદાયમાંથી આવે છે જે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. જો યોગી આદિત્યનાથ ગોરખપુરમાં નાથ સંપ્રદાયની બેઠક ગોરખધામના મહંત છે, તો બાબા બાલકનાથ હરિયાણાના રોહતકમાં મસ્તનાથ મઠના મહંત છે. તેઓ માત્ર 6 વર્ષની વયે આધ્યાત્મિકતાની દુનિયામાં પ્રવેશ્યા હતા.
બાલકનાથજીનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ અલવર જિલ્લાના કોહરાના ગામમાં એક યાદવ પરિવારમાં થયો હતો. પરિવાર ખેતી સાથે સંકળાયેલો હતો પરંતુ સંતોની સેવામાં ખૂબ જ વ્યસ્ત હતો. આ કારણોસર, ખૂબ જ નાની ઉંમરે, બાલકનાથ મહંત ચાંદનાથ સાથે હનુમાનગઢ મઠ ગયા અને તેમની પાસેથી આધ્યાત્મિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું. બાબા બાલકનાથને રાજ્યમાં ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે. તે હિંદુત્વની વાત કરે છે અને તેના ભાષણોમાં જુસ્સાથી વાત કરે છે. જ્યારે તેઓ તેમના ચૂંટણી નામાંકન અથવા પ્રચાર માટે ગયા હતા, ત્યારે તેઓ બુલડોઝર સાથે ઘણી જગ્યાએ ગયા હતા, જેના કારણે માનવામાં આવે છે કે યોગી આદિત્યનાથ સાથે તેમનો ખાસ સંબંધ છે. જો કે, બંને નાથ સંપ્રદાયના હોવાથી તેઓને એકબીજા પ્રત્યે વિશેષ લગાવ છે. નાથ સંપ્રદાયમાં ગોરખ પીઠને આ સંપ્રદાયના પ્રમુખ અને રોહતક પીઠને ઉપપ્રમુખ માનવામાં આવે છે. બાલકનાથને નાથ સંપ્રદાયના આઠમા સંત માનવામાં આવે છે.
બાબા બાલકનાથ વર્ષ 2016માં રોહતકના મસ્તનાથ મઠના અનુગામી બન્યા હતા. તેઓ બાબા મસ્તનાથ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર પણ છે. ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કેટલીક સર્વે એજન્સીઓ સર્વે કરી રહી હતી ત્યારે બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદના બીજા લોકપ્રિય દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા. આ પદ માટે પ્રથમ પસંદગી અશોક ગેહલોતની હતી.
બાબા બાલકનાથ ઓબીસી શ્રેણીમાંથી આવે છે. જ્યારે તેણે પોતાનો ચૂંટણી ઢંઢેરો ભર્યો ત્યારે તેણે 45 હજાર રૂપિયાની રકમ જાહેર કરી. તેમણે એમ પણ જણાવ્યું કે તેમને સાંસદના પગાર તરીકે મળેલા પૈસા દિલ્હીની સંસદ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં જમા કરાવ્યા હતા. આ રકમ 13 લાખ 29 હજાર 558 રૂપિયા છે. આ SBI તિજારામાં 5000 રૂપિયા જમા છે. બાબા બાલકનાથનું શિક્ષણ ઈન્ટરમીડિયેટ સુધી છે.