Home Blog Page 2121

સુવિચાર – ૨૪ જાન્યુઆરી ૨૦૨૫

સુવિચાર – ૦૪ એપ્રિલ, ૨૦૨૪

પંચાંગ 25/01/2024

૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

૨૫ જાન્યુઆરી, ૨૦૨૪

IND vs ENG: ઇંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ પર છે. ઇંગ્લિશ ટીમને ભારતમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે 25 જાન્યુઆરીને ગુરુવારથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાશે. ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને તેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી. પીચને ધ્યાનમાં રાખીને બેન સ્ટોક્સે અંતિમ અગિયારમાં બે સ્પિનરોનો સમાવેશ કર્યો છે. આ સિવાય હેરી બ્રુકની જગ્યાએ બેન ફોક્સને તક મળી છે.

 

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો જેક ક્રાઉલી અને બેન ડકેટ દાવની શરૂઆત કરશે. આ પછી ઓલી પોપ અને પછી અનુભવી બેટ્સમેન જો રૂટ રમતા જોવા મળશે. જોની બેયરસ્ટો પાંચમા નંબરે રમશે. જોકે તેની પાસે વિકેટકીપિંગની જવાબદારી રહેશે નહીં. આવી સ્થિતિમાં તે બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. ત્યારબાદ સ્ટોક્સ કેપ્ટન તરીકે આવશે. સ્ટોક્સ આ સમગ્ર શ્રેણીમાં છઠ્ઠા નંબર પર જ રમતા જોવા મળી શકે છે. આ પછી વિકેટકીપર બેન ફોક્સ રમશે. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ સાત બેટ્સમેન સાથે પ્રથમ ટેસ્ટમાં ઉતરશે.

ઈંગ્લેન્ડની ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે

હૈદરાબાદમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો સમાવેશ કર્યો છે. તેમાં લેગ સ્પિનર ​​રેહાન અહેમદ, લેફ્ટ આર્મ ઓફ સ્પિનર ​​જેક લીચ અને યુવા ટોમ હાર્ટલીનો સમાવેશ થાય છે. ટોમ હાર્ટલી હૈદરાબાદમાં ડેબ્યૂ કરશે. આશ્ચર્યની વાત એ છે કે ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર માર્ક વૂડનો સમાવેશ કર્યો છે. તેની સાથે બેન સ્ટોક્સ બીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવશે.

પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, જેક લીચ અને માર્ક વુડ.

25 જાન્યુઆરીએ CM યોજશે સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ તા.25 જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-2, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. આ રાજ્ય ‘સ્વાગત’માં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા. 25મી જાન્યુઆરીએ સવારે 7:30 થી 10:00 કલાક દરમિયાન મુખ્યમંત્રીનું જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.

દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સામાન્યતઃ બપોરે 3:00 કલાકે યોજાતો હોય છે. આગામી ગુરૂવાર, તા. ૨૫મી જાન્યુઆરીનો ‘સ્વાગત’ કાર્યક્રમ નિર્ધારીત સમયથી વહેલો એટલે કે બપોરે 12:30 કલાકે યોજાવાનો છે તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવાયું છે.

દરભંગાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, ઈમરજન્સી જાહેર

બુધવારે સાંજે દિલ્હીના IGI એરપોર્ટ પર તૈનાત તમામ સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ જ્યારે તેમને ફોન પર માહિતી મળી કે દરભંગાથી નવી દિલ્હીની ફ્લાઈટમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી ખોટી નીકળી, ત્યારબાદ તેને ફેક કોલ જાહેર કરવામાં આવ્યો. બધુ બરાબર જણાયા બાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આઈજીઆઈ પોલીસ સ્ટેશન હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બોમ્બ વિશે નકલી માહિતી આપનાર વ્યક્તિ કોણ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમમાં કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે દરભંગાથી નવી દિલ્હી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ (SG 8946)માં બોમ્બ છે. આ માહિતી બાદ એરપોર્ટ પરની તમામ એજન્સીઓને સાંજે 5.50 વાગ્યે સંપૂર્ણ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી હતી. સાંજે 6.06 વાગ્યે પ્લેન લેન્ડ થતાં જ તમામ મુસાફરોને તરત જ નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી પ્લેનને એવી જગ્યાએ લઈ જવામાં આવ્યું જ્યાં નજીકમાં અન્ય કોઈ પ્લેન નહોતા. અહીં પ્લેનની તલાશી લેવામાં આવી હતી. ઝીણવટભરી તપાસ બાદ માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું.

ભાજપ કરાવશે માત્ર 1 હજારમાં રામલલાના દર્શન, મળશે તમામ સુવિધાઓ

અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા એક દમ મસ્ત રીતે થઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિરને ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે અત્યારે પણ અયોધ્યામાં લાખો રામ ભક્તો હાજર છે. ત્યારે હવે ભાજપે ‘શ્રી રામ જન્મભૂમિ દર્શન’ અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે તેની શરૂઆત કરી છે. આ અંતર્ગત દરેક લોકસભામાંથી 6 હજાર શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ અભિયાન 25 માર્ચ સુધી ચાલશે.

ભાજપે 25 હજાર ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરી હતી

શ્રદ્ધાળુઓને માત્ર એક હજાર રૂપિયામાં અયોધ્યા યાત્રા, રહેવા, ભોજન અને દર્શનની સુવિધા આપવામાં આવી રહી છે. જો તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગતા હોવ તો માત્ર એક હજાર રૂપિયા ખર્ચીને આ સુવિધા મેળવી શકો છો. ભાજપે તેના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ અને સંગઠનના વરિષ્ઠ અધિકારીઓને તેમના સંબંધિત મતવિસ્તારમાંથી એવા તમામ લોકોને અયોધ્યા લઈ જવાની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે જેઓ ભગવાન રામના દર્શન કરવા ઈચ્છે છે. ભાજપે અયોધ્યામાં 25 હજાર શ્રદ્ધાળુઓના રહેવાની વ્યવસ્થા કરી છે. આ સ્થળોએ રામ ભજન, કીર્તન અને રામલીલા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

VHP પણ 5000 કાર્યકરોને દર્શન આપશે

ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર, 1 હજાર રૂપિયાની રકમ માત્ર એટલા માટે રાખવામાં આવી છે કે ભગવાન રામના દર્શન માટે માત્ર ગંભીર લોકો જ આ યોજનાનો લાભ લઈ શકે. દેશભરના તમામ રાજ્યોમાંથી રામભક્તોને અયોધ્યા લઈ જવાની અને તેમને દર્શન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ તેના સ્તરે ભગવાન રામના દર્શન કરવા માટે લગભગ 5000 કાર્યકરોને અયોધ્યા લઈ જવાની યોજના બનાવી રહી છે.

ગુજરાત: સરકારી ભરતી માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર

ગુજરાતમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર છે. જેમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એપ્રિલમાં યોજાશે નહિ. તેમાં ECIના ઈન્ટરનલ મેમોથી ચૂંટણીની સ્થિતિ સ્પષ્ટ છે. તથા લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી.

ભારતના ચૂંટણી કમિશન- ECIએ દેશની તમામ રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતગર્ત માર્ચના મધ્યભાગથી શરૂ કરીને સમગ્ર એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી !

વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળે તાજેતરમાં વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. તદ્ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતીની જાહેરાત આવી રહી છે. આ બંને મોટી ભરતીઓ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગમાં પણ ભરતી પ્રક્રિયાઓમાં વિવિધ તબક્કે પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યુ છે. આ તમામ સ્થિતિ વચ્ચે ECIએ રાજ્યોની સરકારોને 16મી એપ્રિલ પૂર્વે લોકસભા ચૂંટણી માટે સજ્જ થવાના ભાગરૂપ તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓના આયોજનો આખરી ઓપ આપવા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી છે.

કેવી રીતે નક્કી થાય છે ભારત રત્ન? અત્યારે સુધીમાં કોને અપાયા?

ભારત સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વ્યક્તિના અભૂતપૂર્વ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સમ્માન આપવામાં આવે છે. ત્યારે જાણીએ અત્યાર સુધી કઈ કઈ હસ્તીઓને ભારત રત્ન મળ્યો છે. અને શુ છે આ સમ્માનની વિશેષતા.

 ક્યારે થઈ આ એર્વોડ આપવાની શરૂઆત ?

ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સમ્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું. ત્યારથી લોકોને એમના સંબંધિત ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ સમ્માન આપવામાં આવે છે. 1954માં આ સમ્માન જીવતી વ્યક્તિને જ આપવામાં આવ્યું હતું, પરંતુ 1955માં મરણોત્તર ભારત રત્ન આપવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી. ત્યારથી મરણોત્તરને પણ ભારત રત્ન આપવામાં આવે છે. ભારત રત્ન પ્રાપ્તકર્તાઓની સત્તાવાર જાહેરાત ગેઝેટ ઓફ ઈન્ડિયામાં સૂચના જારી કરીને કરવામાં આવે છે. આ સમ્માન દર વર્ષે 26 જાન્યુઆરીએ આપવામાં આવે છે.

ભારત રત્ન માટે પસંદગી પ્રક્રિયા

ભારત રત્ન પુરસ્કાર માટે પસંદગીની પ્રક્રિયા પદ્મ પુરસ્કારોથી અલગ છે. જેમાં ભારતના વડાપ્રધાન ભારત રત્ન માટે રાષ્ટ્રપતિને એક વ્યક્તિના નામની ભલામણ કરે છે. જો કે ભારત રત્ન માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય.નોંધનીય છે કે વર્ષમાં માત્ર ત્રણ જ ભારત રત્ન આપવામાં આવે છે. તેમજ ભારત રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે તે પણ જરૂરી નથી.

અત્યાર સુધીમાં કુલ 48 લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લી વખત આ સમ્માન વર્ષ 2019માં આપવામાં આવ્યું હતું. જેમાં 2019 માં, નાનાજી દેશમુખ (મરણોત્તર) ને સમાજ સેવાના ક્ષેત્રમાં ભારત રત્ન, ડૉ. ભૂપેન હજારિકા (મરણોત્તર) ને કલાના ક્ષેત્રમાં અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જાહેર કાર્ય માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત રત્ન મેળવનારને વ્યક્તિને શું મળે છે ?

ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને ભારત સરકાર તરફથી પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. આ સમ્માન સાથે કોઈ પૈસા આપવામાં આવતા નથી. સરકારી વિભાગો તેના પ્રાપ્તકર્તાઓને સુવિધાઓ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. ઉપરાંત મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. સરકાર એમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. ભારત રત્ન મેળવનારાઓને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના અધ્યક્ષ, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન પછી પ્રોટોકોલમાં સ્થાન આપવામાં આવે છે. જુદી-જુદી રાજ્ય સરકાર ભારત રત્ન પુરસ્કાર મેળવનારને એમના રાજ્યોમાં સુવિધાઓ પૂરી પાડે છે.

 નામની આગળ આ એર્વોડનું નામ ન લખી શકાય

આ સમ્માન તમારા નામની આગળ કે પાછળ ઉમેરી શકાય નહીં. જો કે, ‘રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન એનાયત’ અથવા ‘ભારત રત્ન પ્રાપ્તકર્તા’. એમ એના પ્રાપ્તકર્તાઓ એમના બાયો-ડેટા, લેટરહેડ અથવા વિઝિટિંગ કાર્ડ જેવા સ્થળોએ લખી શકે છે.

ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિઓની યાદી

  • વર્ષ 1954માં પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉ.રાધાકૃષ્ણન, ડૉ.ચંદ્રશેખર વેંકટ રામન અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને ભારત રત્નથી સન્માનિત કરવામાં
  • વર્ષ 1955 માં, મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને ડૉ. ભગવાન દાસને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો.
  • વર્ષ 1957માં પંડિત ગોવિંદ વલ્લભ
  • વર્ષ 1958 માં, આ સમ્માન ડો. ધોંડો કેશવ કર્વે
  • વર્ષ 1961માં પુરૂષોત્તમ દાસ ટંડન અને  બિધાનચંદ્ર રોય
  • વર્ષ 1962માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ 
  • વર્ષ 1963માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઝાકિર હુસૈન અને ડૉ. પાંડુરંગ વામન કાણેને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1966માં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1971માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી.
  • વર્ષ 1975માં વીવી ગિરી

  • વર્ષ 1976માં કે. કામરાજને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1980માં સામાજિક કાર્યકર મધર ટેરેસાને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
  • વર્ષ 1983માં આચાર્ય વિનોવા ભાવેને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1987માં ખાન અબ્દુલ ગફાર ખાન
  • વર્ષ 1988માં મણિદુર ગોપાલન રામચંદ્રનને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1990માં દક્ષિણ આફ્રિકાના ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા અને ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (મરણોત્તર)ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1991 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી (મરણોત્તર), મોરારજી રણછોડજી દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1992 માં સત્યજીત રેને મરણોત્તર ભારત રત્ન, જહાંગીર રતનજી દાદાભોય ટાટા, મૌલાના અબુલ કલામ આઝાદ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા.
  • વર્ષ 1997માં, અરુણા અસફ અલી (મરણોત્તર), ગુલઝારી લાલ નંદા (મરણોત્તર) અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ આઝાદને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1998 માં, મદુરાઈ સન્મુખવાદિવુ સુબ્બાલક્ષ્મી, ચિદમ્બરમ સુબ્રમણ્યમ, ગોપીનાથ બોરદોલોઈ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1999 માં, જયપ્રકાશ નારાયણ (મરણોત્તર), પ્રો. અમર્ત્ય સેન, પંડિત રવિશંકરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  • વર્ષ 2001 માં, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, સુશ્રી લતા દીનાનાથ મંગેશકરને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2009માં પંડિત ભીમસેન ગુરુરાજ જોશીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
  • વર્ષ 2014માં ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન સચિન રમેશ તેંડુલકર અને પ્રોફેસર ચિંતામણિ નાગેસા રામચંદ્ર રાવને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • વર્ષ 2015 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2019 માં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ડૉ. ભૂપેન્દ્ર કુમાર હજારિકા (મરણોત્તર), નાનાજી દેશમુખ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા.

ભાજપે વિરોધ પક્ષો પાસેથી ‘જાતીય રાજકારણ’નો મુદ્દો છીનવ્યો?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્નથી સન્માનિત કરવાનું એલાન કર્યું હતું. સરકારે આ નિર્ણય તેમની 100મી જયંતીના પ્રસંગે જાહેર કર્યો હતો. સરકારના આ પગલાથી વિપક્ષ પાસેથી જાતીય રાજકારણનો મુદ્દો છીનવી લેવામાં આવ્યો હોવાની શક્યતા છે, એવું એક સર્વેમાં બહાર આવ્યું છે.

આ સર્વેમાં 1300 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપીરને ભાજપે વિરોધ પક્ષો પાસેથી જાતીય રાજકારણનો મુદ્દો છીનવી લીધો છે? એના જવાબમાં 44 ટકા જનતાએ હા પાડી હતી, જ્યારે 35 ટકાએ નામાં જવાબ આપ્યો હતો. એ સિવાય 21 ટકાએ આ સવાલનો જવાબ નહોતો આપ્યો.

વિરોધ પક્ષો છેલ્લા કેટલાક સમયથી જાતીય જનગણનાની માગ કરી રહ્યો છે. એ સિવાય એ ભાજપ પર પછાતોનું સન્માન નહીં કરવાનો આરોપ પણ લગાવતો રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન સભાઓમાં જાતીય જનગણનાની માગ કરી હતી. આટલું જ નહીં, કેન્દ્રના આ દાવથી વિરોધ પક્ષોના ગઠબંધનને તૂટવાનું જોખમ છે. નીતીશકુમારના પલટી મારવાની સંભાવના વધી ગઈ છે. કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની જાહેરાત પર બિહારના CMએ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની 100મી જયંતી પર આ સર્વોચ્ચ સન્માન દલિતો, વંચિતો અને ઉપેક્ષિત લોકોની વચ્ચે સકારાત્મક ભાવ પેદા કરશે. તેમણે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

 

 

 

,