ન્યુ યોર્કઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓને અમેરિકન કોર્ટે એક પછી એક બે મોટા આંચકા આપ્યા છે. પહેલા સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા “ઇમર્જન્સી ટેરિફ” (આયાત શૂલ્ક)ને ગેરકાનૂની જાહેર કર્યા અને હવે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે તે કંપનીઓને પૈસા પરત આપવાનો આદેશ આપ્યો છે, જેઓ પાસેથી જબરદસ્તી ટેક્સ વસૂલવામાં આવ્યો હતો.
આ આદેશ તે તમામ કંપનીઓ માટે મોટી રાહત બની રહ્યો છે, જેમણે ગયા વર્ષે ટ્રમ્પ પ્રશાસનના વિવાદાસ્પદ ટેરિફ ચૂકવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે IEEPA કાયદા હેઠળ શૂલ્ક ચૂકવનારા તમામ આયાતકારો હવે રિફંડ મેળવવાના હકદાર છે. આવી સ્થિતિમાં હવે પ્રશ્ન ઊભો થયો છે કે ટ્રમ્પ સરકારને કેટલો ટેરિફ પરત કરવો પડશે?
175 અબજ ડોલર પરત કરવા પડશે
આ વિવાદની શરૂઆત ગયા વર્ષના એપ્રિલમાં ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા “લિબરેશન ડે” ટેરિફથી થઈ હતી. તે સમયે ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીન સહિત અનેક દેશો પર 10 ટકાથી 50 ટકા સુધી ભારે આયાત શૂલ્ક લગાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતથી નિર્ણય આપતાં જણાવ્યું કે IEEPA કાયદો રાષ્ટ્રપતિને આ પ્રકારના મનસ્વી ટેરિફ લગાવવાની સત્તા આપતો નથી. આ નિર્ણય પછી સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે હવે લગભગ 175 અબજ ડોલર રિફંડ રૂપે પરત આપવા પડી શકે છે.
હાલ રિફંડ પ્રક્રિયા સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી, પરંતુ FedEx જેવી મોટી કંપનીઓથી લઈને નાના વ્યવસાયો સુધી અનેકોએ કોર્ટમાં અરજી કરવાનું શરૂ કર્યું છે.
સરકાર નવો ગ્લોબલ ટેરિફ લાવવાની તૈયારીમાં
ટ્રમ્પ પ્રશાસન આ નિર્ણયથી અસંતુષ્ટ છે. વર્તમાન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા છે કે સરકાર નુકસાનની ભરપાઈ માટે નવો 15 ટકા ગ્લોબલ ટેરિફ લાવવાની તૈયારી કરી રહી છે.

ભારત પર શી અસર પડશે?
ભારતીય કંપનીઓ માટે આ સમાચાર મિશ્ર પ્રતિક્રિયા લાવનાર છે. ટ્રમ્પે પહેલા ભારત પર કુલ 50 ટકા સુધી ટેક્સ (25 ટકા લિબરેશન ડે ટેરિફ + રશિયન તેલ ખરીદી બદલ વધારાના 25 ટકા) લગાવ્યો હતો. તાજેતરમાં થયેલા ટ્રેડ ફ્રેમવર્ક કરાર હેઠળ તેને ઘટાડીને 18 ટકા કરવાની ચર્ચા થઈ હતી.
સુપ્રીમ કોર્ટે કેટલાક ટેરિફ ગેરકાનૂની જાહેર કર્યા હોવા છતાં ટ્રમ્પ દ્વારા નવા 15 ટકા ગ્લોબલ ટેક્સની જાહેરાતે ચિંતા વધારી છે. ટ્રમ્પનું કહેવું છે કે ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં થાય અને ભારતને ચુકવણી કરવી જ પડશે.






ભારતીય ચૂંટણી પંચ (ECI)એ ૧૮ ફેબ્રુઆરીએ ૧૦ રાજ્યમાંથી ખાલી ૩૭ જગ્યા ભરવા માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું હતું. વર્તમાન સભ્યોનો કાર્યકાળ એપ્રિલ ૨૦૨૬માં પૂર્ણ થવાનો હોવાથી આ બેઠકો ખાલી પડી રહી છે.



