Home Blog Page 2038

બંગલાદેશના શોપિંગ મોલમાંની આગમાં 43નાં મોત, 22 ઘાયલ

ઢાકાઃ બંગલાદેશના પાટનગર ઢાકામાં એક સાત માળના શોપિંગ મોલમાં આગ લાગવાથી કમસે કમ 43 લોકોનાં મોત થયાં છે. આ આગની ઘટનામાં 22 લોકો ઘાયલ થયા છે. અનેક લોકો આગની જ્વાળાઓ જોતાં ઇમારતથી નીચે કૂદવા લાગ્યા હતા. બંગલાદેશના આરોગ્ય મંત્રી સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી 43 લોકોનાં મોત થયાં છે અને હજી આ આંકડો વધવાની આશંકા છે.

તેમના જણાવ્યા મુજબ શહેરની મુખ્ય હોસ્પિટલમાં આશરે 40 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા. આ ઇજગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે.આ આગની ઘટના ઇમારતના ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં લાગી હતી. જે ધીમે-ધીમે ઉપરના માળાઓ સુધી ફેલાઈ ગઇ હતી. અહીં કેટલીય રેસ્ટોરાં અને કપડાંની દુકાનો હતી. એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઇમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેમાં 42 બેભાન થઇ ગયા હતા. આ લોકોને ઈમારતથી હેમખેમ બહાર લવાયા હતા.

ફાયરબ્રિગેડની ટીમની 13 ગાડીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીય રેસ્ટોરાંમાં ગેસ સિલિન્ડર હતાં. આ આગ લાગવાને કારણે અનેક લોકો ઇમારતની અંદર ફસાઈ ગયા હતા. અત્યાર સુધી આગ લાગવાનું કારણ માલૂમ નથી પડ્યું.  ફાયરબ્રિગ્રેડની ટીમો મહા મહેનતે આ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયરબ્રિગ્રેડે આ આગ કઈ રીતે લાગી એના માટે ટીમની રચના કરી છે, જે આગ લાગવાનાં કારણોની તપાસ કરશે.

 

 

 

 

કોરાનાના 204 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,29,852 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,491 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,360 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 153 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1001 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,06,267 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 976 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

૦૧ માર્ચ, ૨૦૨૪

Chitralekha Gujarati – 11 March, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 01/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમ ન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 01/03/2024

ગુજરાતમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે આજથી હોલ ટીકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને અગવડતા ન થાય તે માટે જિલ્લા કલેકટરની સૂચનાના આધારે સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ અંગે ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી અને સ્થળ સંચાલકોની બેઠક મળી હતી. જેમાં વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા.તે ઉપરાંત વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકીટ મેળવી શકશે. શિક્ષણ બોર્ડ દ્વારા આજે યાદી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્થળ સંચાલકોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં પરીક્ષાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ સૂચનાઓ સંચાલકોને આપવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા ગ્રામીણ વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્કૂલોને ખાસ તાકિદ કરવામાં આવી છે. કચેરી મારફતે સૂચના અપાઇ છે કે, જેતે સ્કૂલની આસપાસ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોય અથવા તો અન્ય બાંધકામ સંબંધિત કામ ચાલતું હોય, અથવા તો રસ્તો બંધ હોય તેવી સ્થિતિમાં સ્કૂલ દ્વારા સ્થાનિક તંત્ર સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8, 9 અને 10 માર્ચે ફૂડ ફેસ્ટિવલ યોજાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8, 9 અને 10 માર્ચે 2024 ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઇવેન્ટ દરમિયાન વાર્તાલાપ કુકિંગ સ્કીલ અને વિચારોના અદાન પ્રદાન અને દક્ષિણ એશિયાના વિવિધ બુકિંગ વારસાની ઉજવણી માટેના એક અનોખા મંચ તરીકે સેટ ઉભો કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં કેટલીક અગ્રણી હસ્તીઓ અને કેટલાક સ્ટાર કલાકારો આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેશે. રાજા મહારાજાઓના જે રસોઈયા છે તેમના જેવી જ રસોઈ આ ફૂડ ફેસ્ટિવલમાં પીરસવામાં આવશે. આ ફેસ્ટિવલમાં જગન્નાથપુરી અને વૃંદાવનના રાધા રમણ મંદિરનું આત્મ પૂર્ણ જીવન પ્રદર્શન જોવા મળશે.

આ આયોજીત ફૂડ કોર્ટ બે થીમ રજૂ કરે છે જેમ કે, “લક્ઝરીનો સ્વાદ” અને “પ્રાદેશિક સ્વાદ”. અહીં એક અનોખો કોફી પેવેલિયન હશે જયાં મુલાકાતીને જીવંત કોફી પ્લાન્ટ, લણણી કરેલી લીલી કોફી બીન્સ, શેકવાની પ્રક્રિયા, અરેબિકા અને રોબસ્ટાની જાતો વચ્ચેનો તફાવત અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણવાથી લઈને કોફીની મુસાફરીનો અનુભવ થશે.

ઉદઘાટન સમારોહમાં બે પ્રખ્યાત કલાકારો દ્વારા આનંદદાયક છાઉ નૃત્ય પ્રદર્શન અને ‘ફૂલ બસંત’ હશે. “ફન ફેસ્ટ દરરોજ સાંજે લાઇવ બેન્ડ્સ પણ પરફોર્મ કરતા જોવા મળશે. વધુમાં આ ફુડ ફેસ્ટમાં મુખ્ય ત્રણ આકર્ષણો હશે: (1)બાલાસિનોર, ગોંડલ, ઢેંકનાલ, લીંબડી, ગ્વાલિયર જેવા રાજવી પરિવારોના વંશજો દ્વારા પ્રસ્તુત ‘કિચન ઓફ ધ કિંગ્સ”ના સહયોગમાં શાહી પરિવારોની વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવશે, (2) એક વેલનેસ પેવેલિયન કે જે સેલિબ્રિટી શેફ ગૌતમ મેહર્ષિ દ્વારા તૈયાર કરવામાં આવેલ આધુનિક ભારતીય ભોજન પીરસશે, જે આયુર્વેદ દ્વારા નિર્ધારિત ત્રણ પ્રકારના શરીરના આધારે બનાવવામાં આવશે અને (3) એક આધ્યાત્મિક મંડપ કે જે ભારતમાંથી બે આદરણીય મંદિરોમાં BHOG તરીકે ઓફર કરવામાં આવતા ભોજન પીરસશે.

આ ઇવેન્ટ્સ હવે AMC અમદાવાદ દ્વારા વાર્ષિક શોનો ભાગ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે, જે એક વાર્ષિક ઇવેન્ટ બનવા જઈ રહી છે. આ ઇવેન્ટ સ્વાદ રસિકોના મન અને ટેસ્ટ ને આકર્ષિત કરશે, આતુર ફૂડ પ્રેમીઓથી લઈને ફૂડના જાણકાર, બ્લોગર્સ, હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગના વ્યાવસાયિકો આ ઈવેન્ટમાં હાજર રહેશે.

ડૉ.અંજૂ શાઝો અને ડૉ.પાસ્કાલ શાઝોને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા

MGIS ના ડિરેક્ટર ડૉ. અંજૂ શાઝો અને MGIS ના સ્થાપક ટ્રસ્ટી તથા ફ્રેન્ચ સિવિલ સર્વન્ટ ડૉ.પાસ્કાલ શાઝોને ફ્રાંસ સરકાર દ્વારા ફ્રાંસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે. જે અમદાવાદ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ (MGIS) બંને માટે ગૌરવભરી ક્ષણ છે. મુંબઈ ખાતેના ફ્રાંસના માનનીય કોન્સુલ જનરલ જૉ-માર્ક સેરે-શાર્લેએ અમદાવાદમાં આવેલા હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત સત્તાવાર પુરસ્કાર સમારંભ દરમિયાન આ બંને મહાનુભાવોને સન્માનિત કર્યા હતા. ડૉ. અંજૂ શાઝોને શવાલીયે દૉ લૉર્દ્ર દે પાલ્મ આકાદેમીકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જે ફ્રાંસની સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એનાયત થતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પુરસ્કારને એકેડેમિક્સ, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડનારા નાગરિકોને સન્માનિત કરવા માટે વર્ષ 1806માં નેપોલીયન દ્વારા સ્થાપવામાં આવ્યો હતો.

મુંબઈ ખાતેના ફ્રાંસના માનનીય કોન્સુલ જનરલ જૉ-માર્ક સેરે-શાર્લેએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચેના સંબંધો અસાધારણ છે. ફ્રાંસના માનનીય રાષ્ટ્રપ્રમુખે હાલમાં જ ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતની મુલાકાત લીધી હતી અને ગત વર્ષે ભારતના વડા પ્રધાને ફ્રાંસની મુલાકાત લીધી હતી, જે બંને દેશ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોનો પુરાવો છે. સંરક્ષણ, શસ્ત્રો અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો છે. જોકે બંને દેશના લોકો વચ્ચેના જોડાણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણના ક્ષેત્રમાં બંને દેશ વચ્ચે સહયોગ સાધવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ડૉ. અંજૂ અને ડૉ. પાસ્કાલએ તેમની વિશિષ્ટ સ્કુલ મારફતે આ મામલે ઘણી મોટી ભૂમિકા ભજવી છે, જ્યાં બાળકોને ફ્રેન્ચ ભાષા શીખવવામાં આવે છે અને અત્યાધુનિક શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેઓ ભારતમાં વસતાં ફ્રાંસના એવા નાગરિકો છે, જેઓ આ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

ફ્રાંસના વડા પ્રધાન દ્વારા ડૉ.અંજુ શાઝોને ફ્રાંસ સરકારના વેપારી સલાહકાર તરીકે નામાંકિત કરવામાં આવ્યાં છે. આ હોદ્દા પર તેઓ બિઝનેસ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને તાલીમ જેવા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાંસના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. UK, લંડનમાં આવેલી કિંગ્સ કૉલેજમાંથી શિક્ષણમાં ડૉક્ટરેટ થયેલા તેઓ શિક્ષકોની તાલીમમાં કુશળતા ધરાવે છે. તેમની પાસે બે ડિગ્રીઓ છે – એક ફ્રાંસની સ્ટ્રૉસબર્ગ યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અને બીજી ફ્રાંસમાં યુનિવર્સિટી ઑફ પેરિસમાંથી શિક્ષણના વિજ્ઞાનમાં માસ્ટર્સ ડિગ્રી. તેમને પ્રતિષ્ઠિત વિદ્વાનોને ફ્રાંસ ગણરાજ્ય દ્વારા એનાયત થતું મેડલ ઑદ્રે દે પાલ્મ્સ આકાદેમિક એનાયત કરવામાં આવ્યું છે. ડૉ.અંજૂને FICCI તરફથી શીરાઇઝ એવોર્ડ અને ભારતના ચૂંટણીપંચ તરફથી સિવિલ સોસાયટી એવોર્ડ (વર્ષ 2016) પણ પ્રાપ્ત થયો છે.

આ સન્માન અંગે પ્રતિક્રિયા આપતાં ડૉ. અંજૂ શાઝોએ જણાવ્યું હતું કે, એકેડેમિક્સ અને શિક્ષણના ક્ષેત્રમાં મારી સમગ્ર વિકાસયાત્રા દરમિયાન ફ્રાંસની સરકારે મારું ખૂબ જ સમર્થન કર્યું છે તથા ભણતર અને શિક્ષણમાં અમારા નવા યુગના અભિગમોને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ભારત અને ફ્રાંસના વિદ્યાર્થીઓના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાના, કૌશલ્ય વિકાસના કાર્યક્રમો તથા ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ફ્રાંસના બિઝનેસોને સુવિધા પૂરી પાડવાના મારા પ્રયાસોને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આ પુરસ્કાર મારા માટે ખૂબ મોટું સન્માન છે અને અમારા પ્રયાસોનો પુરાવો પણ છે અને આથી પણ વિશેષ, શિક્ષણના ક્ષેત્રમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવા તથા આ ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસ વચ્ચે તાલમેલ સ્થાપિત કરવા માટે અમને સોંપવામાં આવેલી એક જવાબદારી છે. આ વિકાસયાત્રા આવી જ રીતે આગળ વધતી રહેશે તેવી મને અપેક્ષા છે.

શિક્ષણ, સંસ્કૃતિ અને બિઝનેસના મોરચે ભારત અને ફ્રાંસ વચ્ચે સાધવામાં આવેલો સહયોગ અને બંને દેશ વચ્ચે થતું આદાનપ્રદાન ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ અને ભારતના માનનીય વડા પ્રધાન બંને દ્વારા ભારત અને ફ્રાંસની વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારોની સાથે સુસંગત છે. ડૉ. પાસ્કાલ શાઝો શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહકારના ક્ષેત્રમાં 30 વર્ષથી પણ વધુનો અનુભવ ધરાવે છે. તેઓ ફ્રાંસના સિવિલ સર્વન્ટ છે અને ફ્રાંસના રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલયમાં કેટેગરી A અધિકારી છે. યુનિવર્સિટી ઑફ પેરિસમાંથી સાઇકોલોજી ઑફ એજ્યુકેશનમાં પીએચડી થયેલા ડૉ.પાસ્કાલની થીસીસને યુનિવર્સિટી પેરિસ નોર્ડ તરફથી શ્રેષ્ઠ ડૉક્ટરલ રીસર્ચ બદલ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ ફ્રેન્ચ ઓવરસીઝ માટે ચૂંટાયેલા સંસદસભ્ય રહી ચૂક્યાં છે અને નેશનલ કમિશન ફૉર ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન ફ્રાંસના સભ્ય પણ રહી ચૂક્યાં છે. ત્યારબાદ તેમણે દક્ષિણ એશિયામાં વસતાં ફ્રાંસના નાગિરકો માટે ચૂંટાયેલા કોન્સુલર કાઉન્સિલર તરીકે સેવા આપી.

મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા વખતે બચાવ કામગીરી માટે તેમણે કરેલા પ્રયાસો બદલ તેમને ફ્રાંસની સરકાર તરફથી પ્રેસિડેન્ટ્સ મેડલ ઑફ ઑનર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામના હસ્તે ભારતના ચૂંટણીપંચ તરફથી સિવિલ સોસાયટી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે વાત કરતાં ડૉ. પાસ્કાલ શાઝોએ જણાવ્યું હતું કે, મને આ સન્માન આપવા બદલ હું ફ્રાંસની સરકારનો ખૂબ આભારી છું. બદલાતા જતાં સમયમાં શિક્ષણમાં નવા મોરચાઓ શોધવા એ એક એવું મિશન છે, જેના માટે મેં મારી જાતને છેલ્લાં એક દાયકાથી પણ વધારે સમયથી સમર્પિત કરી દીધી છે. અમારા દરેક પ્રયાસોમાં ફ્રાંસની સરકારે અમને ખૂબ જ સપોર્ટ પૂરો પાડ્યો છે અને વાસ્તવમાં તો તેમણે અમને અમદાવાદમાં ભારત અને ફ્રાંસની વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાની એક સમૃદ્ધ સંસ્કૃતિ ઊભી કરવામાં ખૂબ જ મદદ કરી છે. આગામી વર્ષોમાં આ વારસો આગળ વધારવામાં આવે તેવી મારી હૃદયપૂર્વકની આશા છે.

63 મૂન્સ ટેક્નો.નો સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં રોડ-શો

નવી દિલ્હીઃ 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડ હવે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝી મોડેલનો પહેલી માર્ચ, 2024થી પ્રારંભ કરી રહી છે. ફ્રેન્ચાઇઝીની નિમણૂક કરવા માટેના આ કાર્યની શરૂઆત દેશમાં ઝડપથી વિકસી રહેલા અમદાવાદથી થઈ રહી છે. કંપનીએ  નવીનતા અને પરિવર્તન લાવનારી ટેક્નોલોજી લાવવાની પરંપરા જાળવીને હવે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ પ્રથમ રોડ-શો પહેલી માર્ચે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત હયાત અમદાવાદમાં યોજાઈ રહ્યો છે. ત્યાર બાદ દેશભરમાં રોડ-શો યોજાશે.

કંપનીના CEO નિહાર પઠારે આ અંગે જણાવે છે કે દેશભરમાં 20 લાખ ટ્રેડિંગ ટર્મિનલ્સ ધરાવતા ઓડિન ટ્રેડિંગ પ્લેટફોર્મ અને એમસીએક્સ, આઇઈએક્સ, ડીજીસીએક્સ, એસએમએક્સ, એમસીએક્સએસએસ, વગેરે જેવાં એકસચેન્જોની શૃંખલા રચનારા અમારા સ્થાપક જિજ્ઞેશ શાહના વિઝનને અનુલક્ષીને ડિજિટલ ઈકોનોમી ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના હેતુસર 63 મૂન્સે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે, એમાં જિજ્ઞેશ શાહ કોચ અને મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. 

હાલના સમયમાં વ્યક્તિઓ હોય, કંપનીઓ હોય કે પછી રાષ્ટ્ર હોય, દરેકની સામે સાયબર એટેક્સનું જોખમ ઘણું જ વધારે અને ગંભીર સ્વરૂપનું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને 63 મૂન્સે પોતાની ત્રણ અદભુત પ્રોડકટ્સ અને સર્વિસનો પ્રારંભ કર્યો છે. એમાં CYBX (દરેક મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (દરેક એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (દરેક શહેર, રાજ્ય અને દેશ માટે)નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુઓને મળ્યું છે સેન્ટ્રલાઇઝડ સિક્યોરિટી ઓપરેશન્સ નર્વ સેન્ટર (એસઓસી)નું પીઠબળ અને વિકેન્દ્રિત ફ્રેન્ચાઇઝી નેટવર્કનો સહયોગ.

સાયબરસિક્યોરિટી માટેની કંપનીની આ પ્રોડકટ્સ અને સર્વિસીસનું સર્જન ઇઝરાયલથી લઈને અમેરિકા સુધીની વિશ્વની સાયબર સિક્યોરિટી ક્ષેત્રની 10 ઉત્તમ કંપનીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. બ્લેકબેરી, રિસિક્યોરિટી, મોરફિસેક, વગેરે જેવી સાયબર સિક્યોરિટીની વિશ્વની અગ્રણી કંપનીઓનો આ કાર્યમાં સાથ મળ્યો છે.

ભારતીય સાયબર સિક્યોરિટી માર્કેટનું કદ વર્ષ 2029 સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે. આ જ રીતે વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે આ માર્કેટ 42 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની થવાની ક્ષમતા ધરાવે છે. કંપની દેશમાં પથરાયેલું ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઓફર કરી રહી છે. કંપનીએ 1 માર્ચ, 2024થી શરૂ કરીને દેશનાં 52 શહેરોમાં રોડ-શો રાખવાનું નક્કી કર્યું છે. એમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઊભું કરવાનું અને એના મારફતે પ્રોડકટ્સ અને સર્વિસીસ પૂરી પાડવાનું કંપનીનું લક્ષ્ય છે.