વાહ ભાઈ વાહ! – ૦૩ માર્ચ, ૨૦૨૪
વાહ ભાઈ વાહ! – ૦૩ માર્ચ, ૨૦૨૪
રાશિ ભવિષ્ય 03/03/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
વારાણસીથી PM મોદી, ગાંધીનગરથી અમિત શાહ…જાણો ક્યા VIP ક્યાંથી ચૂંટણી લડશે
ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ જાહેરાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. તાવડેએ કહ્યું કે પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, બે પૂર્વ મુખ્યમંત્રીઓના નામ સામેલ છે. નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપની પ્રથમ યાદીમાં અરુણાચલ પશ્ચિમથી કિરણ રિજિજુ, ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલ, ઉત્તર-પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી મનસુખ માંડવિયા, પોરબંદરથી સીઆર પાટીલનો સમાવેશ થાય છે. નવસારી, નિશિકાંત દુબે ગોડ્ડા, સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડશે.
29 फरवरी, 2024 को प्रधानमंत्री श्री @narendramodi की गरिमामयी उपस्थिति और श्री @JPNadda की अध्यक्षता में आयोजित केंद्रीय चुनाव समिति की बैठक में आगामी लोकसभा चुनाव हेतु 195 लोकसभा सीटों के लिए बीजेपी उम्मीदवार के नामों पर मंजूरी दी गई। (1/4) pic.twitter.com/Wv8yVYnegK
— BJP (@BJP4India) March 2, 2024
થ્રિસુરથી સુરેશ ગોપી, પથનમથિટ્ટાથી અનિલ એન્ટની, તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખર, ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ, બિકાનેરથી અર્જુન મેઘવાલ, અલવરથી ભૂપેન્દ્ર યાદવ, બંદપુરથી ગજેન્દ્રસિંહ શેખાવત, બંદપુરમથી કોર્પોરેશન, ઓમનગરમાંથી ઓ. કુમાર, જી કિશન રેડ્ડીને સિકંદરાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
29 फरवरी, 2024 को प्रधानमंत्री श्री @narendramodi की गरिमामयी उपस्थिति और श्री @JPNadda की अध्यक्षता में आयोजित केंद्रीय चुनाव समिति की बैठक में आगामी लोकसभा चुनाव हेतु 195 लोकसभा सीटों के लिए बीजेपी उम्मीदवार के नामों पर मंजूरी दी गई। (3/4) pic.twitter.com/lEFwcG2PNg
— BJP (@BJP4India) March 2, 2024
ગુવાહાટીથી બિજુલી કલિતા મેધી, ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત, બનાસકાંઠાથી રેખાબેન હિતેશભાઈ ચૌધરી, કોડરમાથી અન્નપૂર્ણા દેવી, સિંઘભૂમથી ગીતા કોડા, ખુંટીથી અર્જુન મુંડા, કાસરગોડથી એમએલ અશ્વિની, શર્માજી અને વીડીપુરમાંથી વીડીસીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ગઈ છે.
29 फरवरी, 2024 को प्रधानमंत्री श्री @narendramodi की गरिमामयी उपस्थिति और श्री @JPNadda की अध्यक्षता में आयोजित केंद्रीय चुनाव समिति की बैठक में आगामी लोकसभा चुनाव हेतु 195 लोकसभा सीटों के लिए बीजेपी उम्मीदवार के नामों पर मंजूरी दी गई। (4/4) pic.twitter.com/EcvaQvcXnz
— BJP (@BJP4India) March 2, 2024
નાગૌરથી જ્યોતિ મિર્ધા, ચિત્તોડગઢથી સીપી જોશી, મથુરાથી હેમા માલિની, ધૌરહરાથી રેખા વર્મા, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ, કૂચ બિહારથી નિશીથ પ્રામાણિક, બાલુરઘાટથી સુકાંત મજુમદાર, બાંકુરાથી સુભાષ સરકાર, આસનસોલથી પવન સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીઃ દિલ્હીના ભાજપના 4 સાંસદોની ટિકિટ રદ્દ!
ભાજપે આજે તેના 195 લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં દિલ્હીની 7 લોકસભા સીટોમાંથી 5 માટે ટિકિટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ચોંકાવનારું નામ દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજનું છે. બાંસુરી સ્વરાજને નવી દિલ્હી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોકથી, ભોજપુરી સ્ટાર મનોજ તિવારીને ઉત્તર પૂર્વ દિલ્હીથી, કમલજીત સેહરાવતને પશ્ચિમ દિલ્હીથી અને રામવીર બિધુરીને દક્ષિણ દિલ્હી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે તેના 4 વર્તમાન સાંસદોને તેમની બેઠકો પર ટિકિટ આપી નથી. જેમાં રમેશ બિધુરી, પ્રવેશ વર્મા, મીનાક્ષી લેખી, હર્ષવર્ધનના નામ સામેલ છે.
29 फरवरी, 2024 को प्रधानमंत्री श्री @narendramodi की गरिमामयी उपस्थिति और श्री @JPNadda की अध्यक्षता में आयोजित केंद्रीय चुनाव समिति की बैठक में आगामी लोकसभा चुनाव हेतु 195 लोकसभा सीटों के लिए बीजेपी उम्मीदवार के नामों पर मंजूरी दी गई। (1/4) pic.twitter.com/Wv8yVYnegK
— BJP (@BJP4India) March 2, 2024
સક્રિય રાજકારણમાં તેની સફર શરૂ કરીને, દિવંગત પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને અગાઉ માર્ચ 2023માં દિલ્હી ભાજપના લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જો કે સ્વરાજ ભગવા પક્ષને કાયદાકીય બાબતોમાં મદદ કરી રહી છે, પરંતુ રાજકીય ક્ષેત્રે આ તેમનો પ્રથમ કાર્યકાળ હતો. આ અવસર પર સ્વરાજે ટ્વિટર પર આ તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્યનો આભાર માન્યો હતો.
વ્યવસાયે વકીલ બાંસુરીનો જન્મ 1984માં સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ અને તેમના પતિ સ્વરાજ કૌશલની એકમાત્ર પુત્રી હતો.
બાંસૂરી સ્વરાજ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ છે અને તેમણે સમયાંતરે કાનૂની મામલામાં ભાજપને મદદ કરી છે.
– સ્વરાજે 2007માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં પ્રવેશ મેળવ્યો.
બીજેપી અનુસાર, બાંસુરી સ્વરાજને કાયદાકીય વ્યવસાયમાં 17 વર્ષનો અનુભવ છે.
– યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ (ઓનર્સ) સાથે સ્નાતક થયા પછી, બંસુરી સ્વરાજ લંડનની BPP લૉ સ્કૂલમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા.
-બાંસુરી સ્વરાજે બેરિસ્ટર ઇન લોની ડિગ્રી મેળવી હતી.
– આ પછી તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સેન્ટ કેથરીન્સ કોલેજમાંથી માસ્ટર ઓફ સ્ટડીઝ પણ પૂર્ણ કર્યું.
-બાંસૂરી સ્વરાજે ભાગ્યે જ મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને સામાન્ય રીતે તેઓ ઓછી પ્રોફાઇલ રાખે છે.
આ છે દિલ્હીના પાંચ ઉમેદવારો
- ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ
- નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ
- નોર્થ ઈસ્ટર્નમાંથી મનોજ તિવારી (પદધારી)
- દક્ષિણ દિલ્હીના રામવીર સિંહ બિધુરી
- પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત
આ છે વર્તમાન સાંસદો
- ચાંદની ચોકથી ડૉ. હર્ષવર્ધન
- નવી દિલ્હીથી મીનાક્ષી લેખી
- પશ્ચિમ દિલ્હીથી પરવેશ સાહિબ સિંહ વર્મા
- નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારી
- દક્ષિણ દિલ્હીથી રમેશ બિધુરી
લોકસભા ચૂંટણીઃ ભાજપની પહેલી યાદી જાહેર
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ઉમેદવારોની પહેલી યાદી જારી કરે એવી શક્યતા છે. ભાજપ પત્રકાર પરિષદમાં 170થી વધુ નામોની જાહેરાત કરે એવી શક્યતા છે. જોકે આ નામોમાં તામિલનાડુ અને ઓડિશાથી કોઈ નામ સામેલ નહીં હોય. આ યાદીમાં વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનું નામ પણ સામેલ હશે.

જોકે આ યાદીમાં ભાજપના કેસરગંજથી સાંસદ બ્રિજશરણ સિંહ સિંહની ટિકિટ કપાવાની શક્યતા છે. આ પહેલી યાદીમાં ઉત્તર પ્રદેશના વારાણસીથી વડા પ્રધાન મોદી, ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી ભાજપના પ્રદેશપ્રમુખના નામો જાહેર થાય એવી શક્યતા છે. આ યાદીમાં લખનૌથી સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહનું નામ પણ સામેલ છે.
LIVE: Watch BJP Press Conference at party headquarters in New Delhi. https://t.co/nppQvosHrd
— BJP (@BJP4India) March 2, 2024
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરુવારે રાતે બેઠક થઈ હતી, જેમાં વડા પ્રધાન મોદી સહિત અનેક સિનિયર નેતાઓએ ચૂંટણીમાં ઉમેદવારોની પહેલી યાદીને અંતિમ રૂપ આપવા માટે વિચારવિમર્શ કર્યો હતો.
લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના ઉમેદવારોની યાદી
દાદરા નગર હવેલી લાલુ પટેલ
કચ્છ વિનોદ ચાવડા
બનાસકાંઠા ડૉ રેખાબેન ચૌધરી
પાટણ ભરત ડાભી
ગાંધીનગર અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા
રાજકોટ પુરૂષોત્તમ રૂપાલા
પોરબંદર મનસુખ માંડવિયા
જામનગર પૂનમબેન માડમ
આણંદ મિતેશ પટેલ
ખેડા દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ રાજપાલસિંહ જાદવ
દાહોદ જસવંતસિંહ ભાભોર
ભરૂચ મનસુખ વસાવા
બારડોલી પ્રભુભાઈ વસાવા
નવસારી સી.આર.પાટી
પાર્ટીનું લક્ષ્ય 2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન હારેલી સીટો પર પર જીત હાંસલ કરવાનું છે. આ સિવાય એક સંસદીય સીટ પર બે વાર જીતનારા અનેક સાંસદોની જગ્યાએ પાર્ટી નવા ચહેરા ઉતારવા પર વિચાર કરી રહી છે. આ સાથે ભાજપનું નેતૃત્વ ખરાબ દેખાવકરવાવાળા સાંસદોની ટિકિટ પણ કપાય એવી શક્યતા છે. આશરે 60-70 હાલના સાંસદોની ટિકિટ કાપવામાં આવે એવી શક્યતા છે.
નુકસાન ભરપાઈની ગેરંટીની જાળમાં ફસાતાં વેપારી સાથે છેતરપિંડી
લુધિયાણાઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે- એ કહેવતને યર્થાર્થ ઠેરવતી ઘટના બની છે. લુધિયાણાના એક વેપારીને ફોન આવ્યો અને મૂડીરોકાણના પ્રસ્તાવ પર સમજદારી દેખાડવાના પ્રયાસ કર્યા. સામસામા સવાલ-જવાબ થયા અને નુકસાન થવાની સ્થિતિ પર પૈસાની પૂછપરછ કરવામાં આવી. તેમના મૂડીરોકાણ પર જો નુકસાન થવા પર એની ભરપાઇ કરવાની ગેરંટી મળી… અને ભૂલ ત્યાં જ થઈ ગઈ.
એ ગેરંટી પર વિશ્વાસ કરી બેઠા અને પરિણામ એ આવ્યું કે તેઓ પોતાના રૂ. 1.1 કરોડ ગુમાવી ચૂક્યા. આ વેપારીએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ તેને 16 જાન્યુઆરીએ એક મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલાએ કંપની દ્વારા મૂડીરોકાણ કરવા પર બહુ ઊંચા વળતરની લાલચ આપી હતી. આ યોજના હેઠળ મહિલાની સાથે-સાથે કેટલાક અન્ય લોકોએ વેપારીને કંપનીના વરિષ્ઠ અધિકારી તરીકે વાત કરી હતી.
આ વેપારીના જણાવ્યા મુજબ કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે નુકસાન થવા પર તેમના નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. આ પ્રકારે ગેરંટી મળવા પર વેપારીએ રૂ. 1.1 કરોડનું મૂડીરોકાણ આ લોકોના કહેવા અનુસાર કર્યું. મૂડીરોકાણના પહેલા જ દિવસે આ વેપારીને રૂ. ચાર લાખ મળ્યા હતા. જોકે એ પછી નુકસાન થતું ગયું.જોકે આ ઠગો આ વેપારીને સમજાવતા રહ્યા કે નુકસાનની પૂરી ભરપાઈ થઈ જશે.
આ વેપારીને એ પછી શંકા જતાં ભોપાલના સરનામા પર પહોંચ્યો, જે એ લોકોએ આપ્યું હતું. જોકે એ સરનામા પર કોઈ ઓફિસ જ નહોતી. ત્યાર બાદ ઠગોએ ફોન ઉઠાવવાનો જ બંધ કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થવાનું માલૂમ પડતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો. હવે પોલીસ ગુનાખોરોને શોધી રહી છે.
બિલ ગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
વિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલાન્સ્ટ્રોપિસ્ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઇ ગયા હતા. મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી.
Microsoft Founder Bill Gates visited Ekta Nagar and was captivated by the monumental beauty of the Statue of Unity. He was accompanied by Shri Jagdish Vishwakarma, Hon’ble Minister of State, GoG. Bill Gates praised the warm hospitality he received during his visit. pic.twitter.com/UX33MSYPBk
— Gujarat Tourism (@GujaratTourism) March 1, 2024
એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલીપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં વોક વે પરથી તેમણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા બિલ ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું ? વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
@Mulubhai_Bera@MLAJagdish@thisisbillgate@hareets@souindia#gujarattourism #sou #satuteofunity #Microsoft #billgates #ektanagar pic.twitter.com/y5Hu12tJ6I
— Gujarat Tourism (@GujaratTourism) March 1, 2024
આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવામાં આવી હતી. તે વિગતો બિલ ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી. તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્દભૂત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઊર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી.
બિલ ગેટ્સે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, “અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય! બહુ જ સુંદર! સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ! મહેમાનગતિ માટે આભાર!” આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્યવન ખાતેની બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વનઉત્પાદનોના વેંચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો. આરોગ્યવન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચુ, ગોટા, થેપલા સહિત શ્રીઅન્નની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. ખાસ તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિન્ક ઓટોની મહિલા વાહનચાલકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.
આ વેળાએ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, એસએસએનએલના વહીવટી સંચાલક મુકેશ પૂરી, એસઓયુના સીઇઓ ઉદિત અગ્રવાલ, કલેક્ટર શ્વેતાબેન તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના મંત્રીમંડળે રામલલાના દર્શન કર્યા
દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં લોકસભાની ચૂંંટણીની તારીખ જાહેર થશે. ચૂંટણી પહેલાં ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન માટે પહોંચ્યું છે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ અલગ-અલગ દિવસે દેશનાં જુદાં-જુદાં રાજ્યોનાં મંત્રીમંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યાં છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનું મંત્રીમંડળ સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયું હતું.
राम राम रामेति रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥પાવન નગરી અયોધ્યાજીમાં ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરમાં રામલલ્લાના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો. ભગવાનના દર્શનની આ અનુભૂતિ હૃદયને સ્વર્ગીય આનંદથી ભરી દેનારી છે.. અવર્ણનીય છે. ભગવાનના દિવ્ય સ્વરૂપ સમક્ષ… pic.twitter.com/I0coD8v3Mi
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 2, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ રૂપે અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીમંડળ લખનૌ ખાતેના બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાતે જશે.
અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓને ભેટ રૂપે અર્પણ કર્યું. pic.twitter.com/vF3XWZD7Mi
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 2, 2024
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા છે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા ગયા છે. અયોધ્યા એરપોર્ટ પર નાની બાળાઓ દ્વારા તમામનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામમંદિરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અયોધ્યાજીમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી તથા મંત્રીમંડળના મારા સાથીઓની સાથે ભગવાન શ્રીરામ મંદિરના દર્શનની પાવન ક્ષણે.. pic.twitter.com/Is2ZYnCaD5
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 2, 2024
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, આદિજાતિ વિકાસમંત્રી ડો. કુબેર ડિંડોર, મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અયોધ્યા પહોંચ્યાં છે અને રામલલ્લાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે. રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં રામલલ્લાના દરબારમાં હાજરી આપી હતી. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હતા.



