અમદાવાદ: દેશ સહિત રાજ્યમાં ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દેવા આવી છે. ત્યારે હવે તમામ પક્ષોના ઉમેદવારો નોંધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તારીખ 15-16 અને 18 એપ્રિલના કોંગ્રેસના તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રક નોંધાવશે.

કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ભરશે ફોર્મ? જાણી લો…
તા.15 એપ્રિલ 2024
બનાસકાંઠા- ગેનીબેંન ઠાકોર
સુરેન્દ્રનગર શ્રી ઋત્વિક મકવાણા
જામનગર – શ્રી જે પી મારવિયા
બારડોલી – શ્રી સિદ્ધાર્થ ચૌધરી

તા.16 એપ્રિલ 2024
કચ્છ – શ્રી નિતેશ લાલન
સાબરકાંઠા – ડૉ.તુષાર ચૌધરી
ગાંધીનગર – શ્રી સોનલ પટેલ
અમદાવાદ પશ્ચિમ – શ્રી ભરત મકવાણા
અમરેલી – શ્રી જેનીબેન ઠુમ્મર
છોટા ઉદેપુર – શ્રી સુખરામ રાઠવા
વલસાડ – શ્રી અનંત પટેલ
પંચમહાલ – શ્રી ગુલાબસિંહ ચૌહાણ
પોરબંદર – શ્રી લલિત વસોયા

તા.18 એપ્રિલ 2024
પાટણ – શ્રી ચંદનજી ઠાકોર
જૂનાગઢ – શ્રી હીરાભાઈ જોટવા
આણંદ – શ્રી અમિત ચાવડા
ખેડા – શ્રી કાળુસિંહ ડાભી
દાહોદ – ડૉ.પ્રભાબેન તાવિયાડ
વડોદરા – શ્રી જસપાલસિંહ પઢિયાર
સુરત – શ્રી નિલેશ કુંભાણી

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચાર બેઠક પર કોંગ્રેસ હાલ ઉમેદવાર જાહેર કર્યા નથી. જ્યારે રાજકોટ બેઠક પર રૂપાલા વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ટક્કર આપવા માટે કોંગ્રેસ રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીને પસંદગી કરી છે, પણ હજુ એમનું નામ સત્તાવાર રીતે જાહેર થયું નથી. ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ નવસારીથી નૈષદ દેસાઈ, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, મહેસાણાથી ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ આપવાનું વિચારી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
લોકસભાની સાથે સાથે વિધાનસભા પાંચ બેઠકની પેટાચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેર કરવાના બાકી છે. જોવાનું રહ્યું કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે ચાર બેઠક પર ક્યા ઉમેદવારોની પસંદગી કરે છે.











ગરમીથી બચવા લોકોએ કેવા કપડાં પહેવા, કામ વગર કાળઝાળ ગરમીમાં બહાર ના નીકળવું , ગરમીમાં સ્ટ્રોકથી બચવા લૂ ના લાગે એ માટે સાવચેતી રાખવી..જેવા અનેક સૂચનો સાથેના બેનર્સ લગાવવામાં આવી રહ્યા છે.


રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR)એ ગયા વર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોડેલેઝ ઇન્ટરનેશનલ ઇન્ડિયા લિ.ને નોટિસ મોકલી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોડક્ટમાં વધુપડતી શુગર હોવાની ફરિયાદ છે. કેટલાંક એવાં તત્ત્વો પણ છે, જે બાળકોના આયોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેથી કંપની આ ઉત્પાદનની બધી ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરે અને એ ઉત્પાદનોને પરત લે.
આ ધામ એ જગત જનનીનું વિશ્વનું એક માત્ર મંદિર છે. માં વિશ્વંભરી ધામ ખાતે ચૈત્રી નવરાત્રીના નોરતા દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે-સાથે દેશ-વિદેશથી માઇ ભક્તો માતાજીની આરાધના કરવા માટે ઊમટી પડે છે. અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.


