Home Blog Page 1926

કોરાનાના 66 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,639 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,576 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,560 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 565 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,597 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનું શક્તિ પ્રદર્શન!

રાજકોટ: ક્ષત્રિય વિવાદ વચ્ચે આજે સવારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા એ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા. 

આજે સવારે નવ વાગ્યે યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ રોડ શો કર્યો.

બહુમાળી ભવન ચોકમાં વિશાળ જનમેદની સાથે સભા યોજી તેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, દિલીપ સંઘાણી સહિતના ભાજપના ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા હતા.

છેલ્લી ઘડી સુધી એટલે કે સોમવાર રાત સુધી સરકારે ગાંધીનગરમાં ક્ષત્રિય વિવાદ ઉકેલવા કવાયત કરી પરંતુ વિવાદ ઉકેલાયો નથી. અંતે આજે રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

(તસવીરો – નીશુ કાચા)

નામ બડે ઔર દર્શન ખોટે

         

      નામ બડે ઔર દર્શન ખોટે

 

‘ભપકો ભારી અને ખીસ્સાં ખાલી’ એ કહેવતના સમાનાર્થી કહેવત છે ‘નામ બડે ઔર દર્શન ખોટે’. બહુ મોટો ભપકો હોય અને જ્યારે કોઈક નાની અમથી આશા લઈને એમને મળવા એટલે કે દર્શને જાય અને નિરાશ થઈને આવે.

આ પ્રકારના વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે. આવી જ બીજી કહેવતો પણ છે, ‘ઢમઢોલ અંદર પોલ’ અને ‘ખાલી ચણો વાગે ઘણો’.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

સતીશ અને શક્તિની ભૂમિકાઓની અદલાબદલી થઈ

ફિલ્મ ‘રાજા બાબુ’ (૧૯૯૪) માં જે ભૂમિકા શક્તિ કપૂરે ભજવી હતી એ પહેલાં સતીશ કૌશિકને આપવામાં આવી હતી. નિર્દેશક ડેવિડ ધવને ગોવિંદા અને કરિશ્મા કપૂર સાથે ‘રાજા બાબુ’ નું નિર્માણ કરી રહ્યા હતા. ડેવિડને સતીશ સાથે સારી મિત્રતા હતી એટલે ‘નંદૂ’ ની હાસ્ય ભૂમિકા કરવા કહ્યું. ત્યારે સતીશના ખરાબ દિવસો ચાલી રહ્યા હતા. નિર્દેશક તરીકે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ (૧૯૯૩) ફ્લોપ રહી હતી. જ્યારે એની સાથે રજૂ થયેલી ડેવિડની ‘આંખેં’ સુપરહિટ રહી હતી. આ સ્થિતિમાં પણ ડેવિડ સતીશને પોતાની ફિલ્મમાં મહત્વની ભૂમિકા આપી રહ્યા હતા. જ્યારે ‘નંદૂ’ ના પાત્ર માટે સતીશનો ફોટોશૂટ કરવામાં આવ્યો ત્યારે એ એના ગેટઅપથી નિરાશ થઈ ગયા. કેમકે પાત્રને નાડાવાળી ચડ્ડી પહેરવાની હતી અને માથા પર ચાર્લી ચેપ્લિન જેવી મૂછ-હેરસ્ટાઇલ રાખવાની હતી. એ વસ્ત્રોમાં સતીશ પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યા હતા.

 

ફોટોશૂટ પછી સતીશને પરેશાન જોઈને ડેવિડે કારણ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે હું અત્યારે આવા લુકમાં કામ કરીશ તો લોકોને એમ લાગશે કે સતીશનો પોતાનો આત્મવિશ્વાસ જતો રહ્યો છે અને આવી ભૂમિકા કરી રહ્યો છે. ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ભલે ફ્લોપ રહી હતી પણ મોટી ફિલ્મ હતી. હવે સાવ ગરીબ જેવું સામાન્ય પાત્ર કેવી રીતે ભજવી શકું? ફિલ્મમાં ગોવિંદા પછી ‘નંદૂ’ ની જ મહત્વની ભૂમિકા હતી. સતીશ એને ગુમાવવા માગતા ન હતા. પણ સમસ્યા જાણ્યા પછી ડેવિડે થોડો વિચાર કર્યો અને એનો ઉકેલ લાવી દીધો. ડેવિડે કહ્યું કે તે બીજી પણ ગોવિંદા- કરિશ્મા સાથે કોમેડી ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ (૧૯૯૬) બનાવવાના છે. એમાં દક્ષિણ ભારતીય ‘મુત્થૂ સ્વામી’ ની હાસ્ય ભૂમિકા છે. એ શક્તિ કપૂર કરવાનો હતો. પણ હવે એમાં ફેરફાર કરીને તારી ભૂમિકા એને આપી દઈએ. તું એની ભૂમિકા કરી લેજે. સતીશને આ વિચાર ગમી ગયો.

સતીશ મહેમૂદની ‘પડોશન’ ની ભૂમિકાને પસંદ કરતાં આવ્યા હતા એટલે વિશ્વાસ અપાવ્યો કે એ ભૂમિકાને જબરદસ્ત રીતે નિભાવી બતાવશે. અને ‘સાજન ચલે સસુરાલ’ માં સતીશ આવી ગયા હતા. ડેવિડે એમાં શક્તિને પણ એક ગાયકની ભૂમિકા આપી હતી. રસપ્રદ વાત એ રહી કે ભૂમિકાઓની અદલાબદલી થઈ પણ બંનેએ પોતાની ભૂમિકાને સરખો ન્યાય આપ્યો. શક્તિ કપૂરને ‘રાજા બાબુ’ ની ‘નંદૂ’ ની ભૂમિકા માટે અને સતીશ કૌશિકને ‘સાજન ચલે સસુરાલ’ ની ‘મુત્થૂ સ્વામી’ ની ભૂમિકા માટે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. શક્તિ કપૂરની અભિનય કારકિર્દીમાં આ એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ રહ્યો છે.

રાશિ ભવિષ્ય 16/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

પંચાંગ 16/04/2024

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૬ એપ્રિલ, ૨૦૨૪

૧૬ એપ્રિલ, ૨૦૨૪

RCB vs SRH: હૈદરાબાદે ઐતિહાસિક સ્કોર બનાવીને જીત મેળવી

સોમવારના રોજ રમાયેલી મેચમાં સનરાઇઝર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને તેમના ઘરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 25 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં આરસીબીને 287 રનનો ઐતિહાસિક ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં વિરાટ કોહલીની RCB ટીમ 7 વિકેટ ગુમાવીને માત્ર 262 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ટીમ માટે દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ડુ પ્લેસિસે 28 બોલમાં 62 રન અને વિરાટ કોહલીએ 20 બોલમાં 42 રન બનાવ્યા હતા. પરંતુ કોઈ પણ ટીમને જીત અપાવી શક્યું ન હતું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મયંક માર્કંડેએ 2 અને ટી નટરાજને 1 વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સે તોડ્યો તેમનો રેકોર્ડ, બનાવ્યો આ ઐતિહાસિક સ્કોર

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 287 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. અગાઉ આ જ સિઝનમાં હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. મેચમાં ઓપનર ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટતો બચ્યો. IPLમાં આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલ (30 બોલ)ના નામે છે. હેડે 39 બોલમાં સદી ફટકારતા 8 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 255 હતો. ટ્રેવિસ હેડે મેચમાં 41 બોલમાં કુલ 102 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય હેનરિક ક્લાસને 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી લોકી ફર્ગ્યુસને 2 અને રીસ ટોપલેએ 1 વિકેટ લીધી હતી.

હેડ IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો

  • 30 બોલ – ક્રિસ ગેલ વિ પુણે વોરિયર્સ, બેંગલુરુ 2013
  • 37 બોલ – યુસુફ પઠાણ વિ મુંબઈ, બ્રેબોર્ન 2010
  • 38 બોલ – ડેવિડ મિલર વિ આરસીબી, મોહાલી 2013
  • 39 બોલ – ટ્રેવિસ હેડ વિ આરસીબી, બેંગલુરુ 2024
  • 42 બોલ – એડમ ગિલક્રિસ્ટ વિરુદ્ધ મુંબઈ, ડીવાય પાટીલ 2008

RCBની 5મી હાર, હૈદરાબાદે જીતની હેટ્રિક લગાવી

ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધી 7 મેચ રમી છે જેમાંથી તે માત્ર 1માં જ જીતી શકી છે. આરસીબીની આ સતત 5મી હાર છે. આ મેચ માટે ડુ પ્લેસિસે પોતાના પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા હતા. ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને બાકાત રાખવામાં આવ્યા હતા. જ્યારે લોકી ફર્ગ્યુસનને તક આપવામાં આવી હતી. બીજી તરફ હૈદરાબાદની ટીમે 6માંથી 4 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમનો આ સતત ત્રીજો વિજય છે.

બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચેની લડાઈ રોમાંચક

જ્યારે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને આવી છે ત્યારે ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 24 મેચ રમાઈ છે, જેમાં હૈદરાબાદે 13 મેચ જીતી છે. જ્યારે બેંગલુરુ 10માં જીત્યું હતું. એક મેચ અનિર્ણિત રહી હતી. જો આપણે છેલ્લી 5 મેચોની વાત કરીએ (વર્તમાન મેચ સિવાય), તો વિરાટ કોહલીની ટીમ આરસીબીનો હાથ ઉપર રહ્યો છે. આ 5માંથી 3 મેચમાં માત્ર બેંગલુરુએ જ જીત મેળવી છે. જ્યારે હૈદરાબાદને 2માં સફળતા મળી છે. છેલ્લી 2023 સિઝનમાં બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જેમાં RCB સફળ રહી હતી.

આર્જેન્ટિનામાં માર્ચ મહિનામાં મોંઘવારી દર 300 ટકાએ પહોંચ્યો

નવી દિલ્હીઃ વિશ્વમાં રશિયા-યુક્રેન વોર, ઇઝરાયેલ હમાસ યુદ્ધ અને હવે ઇરાન—ઇઝરાયેલને કારણે સપ્યાલ ચેનને ભારે ક્ષતિ પહોંચવાની વકી છે, જેને કારણે અનેક દેશોમાં મોંઘવારી ચિંતાનું કારણ છે. દક્ષિણી અમેરિકી દેશ આર્જેન્ટિનામાં મોંઘવારીએ માઝા મૂકી છે. વધતી મોંઘવારીને કારમે ટુરિઝમ થતી કમાણી પર પ્રતિકૂળ અસર પડી છે. ગયા વર્ષે આ દેશમાં આશરે 3.2 અબજ ડોલરની કમાણી થઈ હતી, પરંતુ હવે વિદેશી પર્યટકો અન્ય દેશોમાં જવાનું પસંદ કરે છે.

ડિસેમ્બર, 2023માં જ જેવિયર મિલેઈ આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે, જે પછી અહીં સ્થિતિ વણસતી ગઈ છે. આર્જેન્ટિનાની જનતા હવે બોર્ડર પાર કરીને ચિલી જવાનું પસંદ કરી રહી છે. માર્ચમાં આર્જેન્ટિનામાં 288 ટકા મોંઘવારી દર છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં એ 104 ટકા હતો.ઉરુગ્વેથી આર્જેન્ટિના જવાના ટ્રાવેલ બુકિંગ જાન્યુઆરીથી ઓછાં થઈ રહ્યાં છે. ગયા વર્ષની તુલનાએ એમાં આશરે 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એનું કારણે રાષ્ટ્રપતિ જેવિયર મિલેઇની 54 ટકા કરન્સીનું ડિવેલ્યુએશન બતાવવામાં આવી રહ્યું છે.

કરન્સીના અવમૂલ્યનને કારણે આર્જિન્ટિનામાં સત્તાવાર અને સમાંતર એક્સચેન્જ દરોમાં અંતર ઘટી રહ્યું છે.  મિલેઈની નવી પોલિસી પછી આર્જિન્ટિનામાં કેટલીય ચીજવસ્તુઓની કિંમતોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. ખાસ કરીને એવી કિંમતોમાં જેની ડોલરમાં કિંમત હોય છે. આવામાં વિદેશી પર્યટકો માટે એ લાભકારક નથી. એક સર્વે મુજબ આર્જિન્ટિનામાં સીમા પર કનકોર્ડિયા શહેરમાં 60 ચીજવસ્તુઓની કિંમતો ઉરુગ્વેની સાલ્ટોની તુલનાએ 33 ટકા ટકા સસ્તી છે, પણ સપ્ટેમ્બર, 2023 કરતાં 64 ટકા વધુ છે.

 

 

 

 

 

 

 

 

In Argentina, the inflation rate reached 300 percent in March