Home Blog Page 1859

CM કેજરીવાલને કોર્ટમાંથી જામીન માટે ‘સુપ્રીમ’ રાહત નહીં

નવી દિલ્હીઃ દિલ્હી લિકર નીતિથી જોડાયેલા મામલામાં જેલમાં કેદ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મંગળવારે –સાત મેએ પણ સુપ્રીમમાં રાહત ના મળી. હવે આ મામલે આગામી સુનાવણી નવ મેએ થશે. કોર્ટે સ્પષ્ટ નથી કર્યું કે વચગાળાના જામીન પર ચુકાદો આપશે.

સુપ્રીમ કોર્ટમાં દિલ્હી આબકારી નીતિથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં ED દ્વારા ધરપકડને પડકાર આપતી મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ હતી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ સુનાવણી કરી રહી હતી. ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે EDને કહ્યું હતું કે એ ચૂંટણીને કારણે કેજરીવાલની વચગાળાની જામીન પર વિચાર કરી શકે છે.

EDના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે CM કેજરીવાલ પુરાવા નષ્ટ કરવા અને રૂ. 100 કરોડ હવાલા દ્વારા મોકલવાનો આરોપ છે. એના પર કોર્ટે કહ્યું હતું કે રૂ. 100 કરોડ પ્રોસિડસ ઓફ ક્રાઇમ છે, પરંતુ કૌભાંડને રૂ. 1100 કરોડ બતાવવામાં આવી રહ્યા છે. આટલો વધારો કઈ રીતે થયો? એના પર EDના વકીલે કહ્યું હતું કે હોલસેલ વેપારીએને ખોટી રીતે મોટો લાભ કરાવવામાં આવ્યો છે. પ્રારંભમાં અમારી તપાસના કેન્દ્રમાં કેજરીવાલ નહોતા. તપાસના ક્રમમાં તેમનું નામ બહાર આવ્યું હતું.એ કહેવું ખોટું છે કે અમે કેજરીવાલને નિશાન બનાવવા માટે સાક્ષીઓથી તેમના વિશે સવાલ કર્યા છે. સાક્ષીઓ તરફથી મેજિસ્ટ્રેટની સામે કલમ 164ના નિવેદનને જોઈ શકાય છે.

કોર્ટે કહ્યું હતું કે શું ધરપકડ PMLA કલમ 19નું યોગ્ય પાલન થયું છે, પણ ધરપકડ પછી કેજરીવાલની ધરપકડમાં બે વર્ષનો સમય લાગવો એ યોગ્ય નથી.

EDએ કહ્યું હતું કે અમારી પાસે પુરાવા છે કે ખુદ કેજરીવાલે રૂ. 100 કરોડની માગ કરી છે. એ વાતના પણ પુરાવા છે કે ગોવા ચૂંટણીના સમયે જે 7 સ્ટાર હોટેલ હયાતમાં રોકાયા હતા. તેના બિલની ચુકવણી ચેરિયટ એન્ટરપ્રાઇઝીસે કરી હતી.

 

 

 

 

 

 

 

 

લોકશાહીનો પર્વ ઉજવવા માટે લોકોએ મુશ્કેલીઓને આપી માત

ત્રીજા તબક્કાના મતદાનની ધમધમાટ શરૂ થઈ ચૂકી છે. ઠેર ઠેર ખુશી માહોલ સાથે લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે લોરશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે વિકલાંગ લોકો પણ પાછળ રહ્યા નથી. ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ હોય પણ મતાધીકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુકતા દાખવી છે. રાજ્યના અલગ-અલગ ખુણામાં જુદી જુદી મુશ્કેલીઓ સાથે જજુમીને પણ મતદાન માટે આગળ આવ્યાના કિસ્સા જોવા મળી રહ્યા છે.

વડોદરમાં આકસ્મિક ઈજાઓ હોવા છતા પણ સ્વયંસેવકોની મદદથી મત આપીને એકતા દર્શાવો. તો પ્રજ્ઞાચક્ષુ હોવા છેતાપણ બ્રેઈન લિપિ થી મતદાન પણ કર્યા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જ્યારે ખંભાત તાલુકામાં એક વ્યક્તિના પગે ઈજા હોવા છતા વ્હિલચેરની મદદથી ખંભાતના તાલુકાના મતદાર કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. ત્યારે વડોદરામાં વય વૃદ્ધ મહિલા ઓક્સિજનના બાટલા સાથે મતદાન માટે જાગૃતા દાખવાતા શારિરીક મુશ્કેલી સાથે જજૂમીને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. મોરબીમાં એક વિકલાંગ વ્યક્તિ સ્વયંસેવકોની મદદથી મદદ આપ્યો હતો, દેશ માટે પોતાની પહેલી ફરજ નિભાવી હતી.

જ્યારે લોકો પોતાની મુશ્કેલી હોવા છતા મતદાન માટે આગળ આવતા હોય છે. ત્યારે ચૂંટણી પંચ પણ તેમની સહાયતા માટે અગ્રેસર હોય છે. અમદાવાદ પૂર્વમાં મતદારે સક્ષમ એપ પર પરિવહન માટે અરજી કરી. જે બાદ ગાંધીનગર સાઉથ એસીની ARO ટીમ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત દિવ્યાંગ મતદારે માટે ઘરેથી મતદાન મથક સુધી તથા ઘરે પરત મુકવાની માટે, મતદાન મથકે વ્હલચેરની વ્યવસ્થા પણ ચૂંટણી પંચે કરી હતી.

ત્રીજા તબક્કામાં એક વાગ્યા સુધી 39.9 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 સીટો પર મતદાન જારી થે. બપોરે એક કલાક સુધી 39.9 ટકા મતદાન નોંધાયું છે. મતદાનના રાજ્યવાર આંકડા અનુસાર બપોરે એક કલાક સુધી પશ્ચિમ બંગાળમાં 43.9 ટકા અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 31.55 ટકા થયું છે. મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સપાપ્રમુખ અખિલેશ યાદવ, રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજોએ આજે મતદાન કર્યું હતું.

ત્રીજા તબક્કામાં આસામમાં 45.88 ટકા, હિહારમાં 36.69 ટકા, છત્તીસગઢમાં 46.14 ટકા, દાદરા-નગરહવેલી અને દમણ અને દીવમાં 39.94 ટકા ગોવામાં 49.04 ટકા, ગુજરાતમાં 37.83 ટકા, કર્ણાટકમાં 41.59 ટકા, મધ્ય પ્રદેશમાં 44.67 ટકા, મહારાષ્ટ્રમાં 31.55 ટકા, ઉત્તર પ્રદેશમાં 38.12 ટકા અને પશ્ચિમ બંગાળમાં 49.27 ટકા મતદાન થયું છે.વડા પ્રધાન મોદીએ ત્રીજા તબક્કામાં મતદાતાઓને વધુ ને વધુ સંખ્યામાં મતદાન કરીને નવો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે. તેમણે આ અપીલ X પર કરી હતી.

ચંડીગઢ સીટથી કોંગ્રેસ ઉમેદવાર મનીષ તિવારીએ કહ્યું હતું કે ત્રીજા તબક્કાની ચૂંટણી પછી સ્પષ્ટ થઈ જશે કે ભાજપ દક્ષિણમાંથી સાફ થઈ જશે અને ચોથી જૂને ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જે લોકો વોટ જિહાદના નારા લગાવી રહ્યા છે, તેમને પાકિસ્તાનથી જિહાદ કરવાવાળાઓનું સમર્થન પણ પ્રાપ્ત છે. તેઓ વડા પ્રધાન મોદી અને ભાજપની વિરુદ્ધ વોટ જિહાદની વાત કરે છે. હું દેશના લોકોને અપીલ કરું છું કે દેશ તેમને મતથી જવાબ આપશે.

આ સાથે આજના મતદાનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, જ્યોતિરાદિત્ય સિંહ, મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા પ્રહલાદ જોશી, એસ. પી. બઘેલનું ભાવિ મતદાન પેટીમાં કેદ થશે.

 

 

 

 

 

 

 

ગુજરાતમાં 1 વાગ્યા સુધી 38.83 ટકા મતદાન

દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં 25 બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધી 38.83 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બનાસકાંઠા અને વલસાડમાં સૌથી વધારે 45 ટકાથી વધુ મતદાન થયું છે.

ગુજરાતમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પરશોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી, સી.આર પાટીલ, આનંદીબેન પટેલ, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, પૂનમમાડમ, રિવાબા જાડેજા સહિતના નેતાઓએ મતદાન કર્યું  હતું.

અત્યાર સુધીમાં અમદાવાદમાં મતદાનનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે, અમદાવાદ પૂર્વમાં 34.36 ટકા અને અમદાવાદ પશ્ચિમ પર 33.28 ટકા મતદાન નોંધાયું છે. વડોદરામાં 38.39 ટકા, ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન, નવસારી 38.10 ટકા મતદાન થયું છે.

ભરુચ બેઠકની વાત કરીએ તો ત્યાં 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે પોરબંદર પર સૌથી ઓછું મતદાન 30. 80 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમરેલીમાં પણ 31.48 ટકા મતદાન થયું છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠક પર 37.42 ટકા, જામનગરમાં 34.61 ટકા, જૂનાગઢમાં 36.11 ટકા, ભાવનગરમાં 33.26 ટકા, મતદાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર 45.89 ટકા, સાબરકાંઠામાં 41.29 ટકા, પાટણમાં 36.58 ટકા તો મહેસાણામાં 37.39 ટકા મતદાન નોંધાયું છે.

જયારે મધ્ય ગુજરાતમાં આણંદમાં 41.78 ટકા, દાહોદમાં 39.79 ટકા, પંચમહાલમાં 36. 47 ટકા, વડોદરામાં 38.39 ટકા, ગાંધીનગરમાં 39.23 ટકા મતદાન નોંધાયું છે. એજ રીતે દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં 41.67 ટકા મતદાન, નવસારી 38.10 ટકા, ભરુચ બેઠક પર 43.12 ટકા અને છોટા ઉદેપુર બેઠક પર 42.65 ટકા મતદાન નોંધાયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 25.41 ટકા મતદાન થયું હતુ. જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે, તેમ તેમ મતદાનની ગતિ પણ વધી રહી છે.

VIP VOTING: ગુજરાતના દિગ્ગજ નેતાઓ અને જાણીતી હસ્તિઓએ કર્યું મતદાન

ગુજરાત: આજરોજ 7 મે, 2024ના ગુજરાતની 25 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓઓ કયા શહેરમાં અને કયા બૂથ પરથી મતદાન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 07.45 કલાક આસપાસ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત વિદ્યાલયના પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પરિવાર સાથે નારાયણપુરા વિસ્તારમાં આવેલ સબ ઝૉનલ ઓફિસ ખાતે મતદાન કર્યું હતું.કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પત્ની સાથે પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું. મતદાન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્ર અનુજ પટેલ સાથે ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન મતદાન કર્યું હતું. સી. આર. પાટીલે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ ઉમાભવન પાસેની ઉત્તર ગુજરાત સ્કૂલમાં મતદાન કર્યું.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પત્ની, દીકરા અને પુત્રવધુ સાથે અમદાવાદના મકરબા વિસ્તારમાં મતદાન કર્યું.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરના સેક્ટર-19 સુવિધા કેન્દ્ર પર મતદાન કર્યું.

પૂનમ માડમે જામનગરમાં મતદાન કર્યું.વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુરના વડનગરમાં મતદાન કર્યુંરાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકામાં મતદાન કર્યું.કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મતદાન કર્યું.લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતના ચર્ચિચ ચહેરાઓમાંના એક કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પોતાના વતન અબાસણામાં મતદાન કર્યું.રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી મત વિસ્તાર માટે મતદાન કર્યું.આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આંકલાવના કેશવપુરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યુંકથાકાર મોરારિ બાપુએ કર્યું મતદાન, તલગાજરડા ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

ભાજપ નેતા ભરત પંડ્યાએ ગાંધીનગર લોકસભામાં આવતાં બોપલ ખાતે આવેલી સેન્ટ અન્સ શાળાનાં બુથમાં પરિવાર સાથે મતદાન કર્યું.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મતદાન કર્યું.

રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી..

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં લગભગ 25 ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતના લોકો લોકશાહી પર્વની ઉજવણી કરી રહ્યા છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર જુદી-જુદી રીતે લોરસાહી પર્વની ઉજવણી થતી જોવા મળી રહી છે. ત્યારે માધુપુર જાંબુરમાં સિદ્દી સમુદાય પરંપરીક નૃત્ય સાથે લોકશાહી પર્વીની ઉજવણી કર હતી. પરંપરાગત નૃત્ય સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાનો કિંમતી મતદાન કર્યું હતું.

જ્યારે બીજી બાજુ આણંદ લોકસભા બેઠક પર ચૂંટણીમાં પેટલાદના થર્ડ જેન્ડરના મતદારો  ઢોલ, નગારા અને વાજા સાથે લોકશાહીના અનેરા પર્વની ઉજવણી કરી હતી. જ્યારે ખેડા લોકસભા બેઠક માટે જિલ્લાના નડીયાદ પ્રાથમિક શાળા મતદાન ખાતે પીજ ભાગોળ સ્થિત અખાડાના ટ્રાન્સ જેન્ડર મતદારો પણ લોકશાહીના અવસમાં સહભાગી બન્યા હતા.

આ ઉપરાંત વડોદરાના બરાનપુરા વિસ્તારમાં વસવાટ કરતા વ્યંઢળ સમાજના મતદારોએ સમાજના અગ્રણી અંજુકુંવરબાની આગેવાનીમાં ઢોલ નગારા સાથે ભારતી હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ખાતે મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.

 

મતદાનને લઈને શક્તિસિંહ ગોહિલે કર્યો આક્ષેપ

આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્રીજા તબક્કાના મતદાનને લઈને લોકોમાં ઉત્સુકતા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ મતદાન કર્યું. જો કે મતદાન પછી શક્તિસિંહનું મોટુ નિવેદન સામે આવ્યું.

ગાંધીનગરના સેક્ટર 19માં શક્તિસિંહે મતદાન કર્યું. એ દરમિયાન એમણે બુથમાં ઉપસ્થિતી ભાજપના કાર્યકરને લઇને વાંધો ઉઠાવ્યો છે. ભાજપના કાર્યકર પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આક્ષેપ ગોહિલં કર્યો છે. એટલુ જ નહીં વાસણામાં ભાજપાના ધારાસભ્યાના પતિએ મતદાન કરાવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.

આ સંદર્ભે પત્રકારોને નિવેદન આપતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, તમામ મતદાન મથકોમાં ભાજપના એજન્ટ કમળની નિશાન વાળી પેન લઈને બેઠા છે. ચૂંટણી કમિશનરને મારી રજૂઆત છે કે એમણે આ અટકાવવું જોઈએ.

એટલુ જ નહીં શક્તિસિંહે વાસણામાં ભાજપના ધારાસભ્યના પતિએ મતદાન બંધ કરાવ્યું હોવાનો પણ આરોપ મુક્યો છે. એમણે કહ્યું કે ત્યાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હોવાના કારણે મતદાન બંધ કરાવ્યું છે. આ સાથે શક્તિસિંહે પોલીસ પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે જામનગર પોલીસે કોંગ્રેસના યુવાનોને ઉઠાવ્યા છે, પોલીસ સરકાર માટે નહીં પ્રજા માટે કામ કરે છે. ચૂંટણીપંચ પોતાની આંખો બંધ ન કરે. આ બધુ અટકવું જોઈએ

પાર્ટીઓએ પ્રતિ દિન ચૂંટણીપ્રચાર માટે રૂ. એક કરોડ ખર્ચ્યા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2024માં પૈસા પાણીની જેમ વપરાઈ રહ્યા છે. 31 માર્ચથી 29 એપ્રિલ સુધી 30 દિવસોમાં માત્ર ચાર પાર્ટીઓએ (ભાજપ, કોંગ્રેસ, આપ અને TMC)એ ગૂગલ અને મેટા (ફેસબુક પર જાહેરાત આપવામાં રૂ. 60.5 કરોડનો ખર્ચ કરી દીધો છે, એટલે કે દરરોજના રૂ. બે કરોડ જાહેરાત પાછળ ખર્ચ્યા છે.

ભાજપે પ્રતિ દિન રૂ. 92 લાખ અને કોંગ્રેસે રૂ. 107 કરોડનો પ્રચાર ગૂગલ અને મેટા પર ચલાવવામાં આવ્યો હતો. એ રકમ વિવિધ વેબસાઇટ દ્વારા પાર્ટીઓ દ્વારા ગૂગલ અને મેટા ચલાવવામાં આવેલી જાહેરાતો પર કરવામાં આવેલો ખર્ચ સામેલ નથી. આ રકમ સામેલ કરવામાં આવે તો આંકડો અબજોમાં પહોંચી જાય છે.

 ગૂગલ, મેટા પર 31 માર્ચથી 29 એપ્રિલની વચ્ચે કઈ પાર્ટીએ કેટલી જાહેરાત ચલાવી.

ગૂગલ અને મેટા ભાજપ રૂ.  27.7 કરોડથી વધુ
 કોંગ્રેસ રૂ. 32 કરોડથી વધુ
આમ આદમી પાર્ટી   રૂ. 10 લાખ
અન્ય પાર્ટીઓ રૂ. 70 લાખથી વધુ

આ આંકડાનો સ્રોત ગૂગલ અને ટ્રાન્સપરન્સી સેન્ટર અને મેટા એડ લાઇબ્રેરી છે.

ચૂંટણીમાં ભારે ખર્ચનો મુદ્દો સતત ગંભીર થતો જાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસનો કુલ ખર્ચ જ રૂ. 20 અબજથી વધુ બતાવવામાં આવી રહ્યો છે. જન પ્રતિનિધિત્વ કાનૂન, 1951 હેઠળ ઉમેદવારના ખાનગી ખર્ચની મર્યાદા નક્કી છે, પરંતુ પાર્ટીઓ પર સીધો ખર્ચ કરવા અથવા થર્ડ પાર્ટી દ્વારા ખર્ચ કરવાની એવી કોઈ મર્યાદા નથી.

સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ (CMS)ના ચેરમેન એન. ભાસ્કર રાવના અંદાજ અનુસાર 2019ની લોકસભા ચૂંટણીમાં રૂ. 60,000 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ 2024ની ચૂંટણીમાં રૂ. 1.35 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે-  જે ગણાથી પણ વધુ છે.

CMSના જણાવ્યાનુસાર 2019માં કુલ ખર્ચનો આશરે 45 ટકા એકલા ભાજપે કર્યો હતો. રાવનો અંદાજ અનુસાર આ વખતે કુલ ખર્ચમાં ભાજનો હિસ્સો ઓર વધશે.

 

 

 

 

PM મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદમાં કર્યું મતદાન

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ની ગુજરાત રાજ્યની બેઠકો માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઇ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મતદાન કેન્દ્રો અમદાવાદમાં હોવાથી તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. વહેલી સવારે 7-45 કલાકની આસપાસ વડાપ્રધાન નરેદ્ર મોદી રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું. કેસરી રંગના વસ્ત્રો પહેરીને એકદમ ચૂસ્ત સુરક્ષાના કાફલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બલોલ નગર નજીકથી નિશાંત સ્કૂલ સુધી પગપાળા લોકોનું અભિવાદન ઝિલતાં વોટિંગ કરવા પહોંચ્યા હતા. વોટિંગ કરીને પરત ફર્યા બાદ રાણીપમાં મીડિયા સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદીના મતદાન કેન્દ્ર પર વહેલી સવારથી જ અમિત શાહ અને ભાજપાના અગ્રણી કાર્યકર્તાઓ હાજર હતા. વડાપ્રધાનનું રાણીપમાં મતદાન પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારણપુરાના કામેશ્વર મહાદેવ અંકુર વિસ્તારમાં આવેલા મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. અમિત શાહે મતદાન કર્યા બાદ નજીકના કામેશ્વર મહાદેવ ખાતે દર્શન કરી મીડિયા સાથે સંવાદ કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

દિગ્ગજ નેતા-અભિનેતાઓએ પરિવાર સાથે કર્યુ મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતની 25, ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્રની 11 અને કર્ણાટકની 14 બેઠકોનો સમાવેશ થાય છે.ગુજરાતમાં પીએમ મોદીથી લઈને હર્ષ સંઘવી, અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યુ છે. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં શરદ પવાર સહિતના નેતાઓ અને અભિનેતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

નેતાથી માંડીને અભિનેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને મતદાનની અપીલ કરી રહ્યાં છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 કલાક સુધીમાં 25.41 ટકા મતદાન થયું છે.

રાજ્યના ગૃહપ્રધાન અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મતાધિકારનો કર્યો ઉપયોગ.

ભાજપના ધારાસભ્ય રિવાબાએ કર્યુ મતદાન.

BCCIના સેક્રેટરી અને બિઝનેસમેન જય શાહે મતાધિકારનો કર્યો ઉપયોગ.

મહારાષ્ટ્રના બારામતી લોકસભા બેઠક પરથી એનસીપી-એસસીપી ઉમેદવાર સુપ્રિયા સુલેએ બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. શરદ પવારે પણ કર્યુ મતદાન.

કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પાએ શિવામોગા મતદાન કેન્દ્ર પર કર્યુ મતદાન.

રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે મહારાષ્ટ્રના લાતુરમાં મતદાન કર્યું.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્ણાટકના કલબુર્ગીમાં પોતાનો મત આપ્યો

અજિત પવારે મતાધિકારનો કર્યો ઉપયોગ

(તસવીર સૌજન્ય: આઈઓએનએસ/ ઈન્સ્ટાગ્રામ)