ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આજે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી. બંનેએ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. સર્જિયો ગોરને તાજેતરમાં ટ્રમ્પ દ્વારા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધોને જોતાં, એવું માનવામાં આવે છે કે યુવા રાજદૂત ગોર મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આજે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી. જયશંકર અને સર્જિયો ગોરે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. ગોર અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ માઈકલ જે. રિગાસ સાથે છ દિવસની મુલાકાતે છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ યુએસ સેનેટે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે ગોરની નિમણૂકને પુષ્ટિ આપી હતી. ટ્રમ્પે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે ગોરની નિમણૂક કરી હતી. તેમને દક્ષિણ-મધ્ય એશિયાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
Pleased to meet Ambassador-designate Sergio Gor of the US today in New Delhi.
Discussed the India-US relationship and its global significance.
Wish him the best for his new responsibility. @USAmbIndia
🇮🇳🇺🇸 pic.twitter.com/cBMiYeRSVV— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2025
સેર્ગીયો ગોર સાથેની મુલાકાત બાદ વિદેશ મંત્રી જયશંકરે તેમના એક્સ હેન્ડલ પર ફોટા શેર કર્યા. તેમણે લખ્યું,”આજે નવી દિલ્હીમાં યુએસ એમ્બેસેડર-નિયુક્ત સર્જિયો ગોરને મળીને આનંદ થયો. અમે ભારત-યુએસ સંબંધો અને તેમના વૈશ્વિક મહત્વ વિશે ચર્ચા કરી. તેમને તેમના નવા કાર્યકાળ માટે શુભકામનાઓ.”
