ભોપાલ: મધ્ય પ્રદેશમાં ધર્માતરણ કરવાવાળાઓને ફાંસીની સજા આપવામાં આવશે. CM ડો. મોહન યાદવે કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમના માધ્યમથી અમે જોગવાઈ કરી રહ્યા છીએ કે જે લોકો ધર્માંતરણ કરાવશે તેમના માટે અમારી સરકાર દ્વારા ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે.
તેમણે મહિલાઓ સાથે ગેરવર્તણૂક અને ધર્માંતરણ કરાવનારાને કડક ચેતવણી આપી છે. તેમણે ભોપાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ધાર્મિક સ્વતંત્રતા કાયદા દ્વારા લોકોનું ધર્માંતરણ કરનારાઓને ફાંસી આપવાની વ્યવસ્થા કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર માસૂમ દીકરીઓની છેડતીના કેસોમાં ખૂબ જ કડક છે. તેથી આ સંદર્ભમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. અમારી સરકાર બળજબરી કે લાલચ આપીને દુષ્કર્મ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડશે નહીં. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર ધાર્મિક સ્વતંત્રતા કાયદા દ્વારા ધર્માંતરણ કરાવનારાઓને ફાંસી આપવાની વ્યવસ્થા પણ કરી રહી છે.
Bhopal, Madhya Pradesh: CM Mohan Yadav announced that under the Religious Freedom Act, the government will introduce the death penalty for those involved in forced religious conversions.
He says, “I believe that many people are taking advantage of the system, and there is much… pic.twitter.com/0bIznE0Cqa
— IANS (@ians_india) March 8, 2025
તેમણે કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં ધર્મ પરિવર્તન કે વ્યવસ્થા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક થશે નહીં. સરકારે વચન આપ્યું છે કે તે સમાજમાં ખોટી પ્રથાઓ અને દુષ્ટ પ્રથાઓને પ્રોત્સાહન આપનારાઓ સાથે કડક કાર્યવાહી કરશે.
તેમણે ગુનેગારોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે જે લોકો લોકોને ધર્મ પરિવર્તન માટે દબાણ કરે છે તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર બળજબરીથી ધર્મ પરિવર્તન કે ગેરવર્તણૂક સહન કરશે નહીં. આવા ગુનેગારોને કડક સજા થવી જોઈએ અને તેમને મૃત્યુદંડની સજા થવી જોઈએ.
