સંજુ સેમસનની ફિટનેસ ઉઠ્યા પ્રશ્નો, RR માટે કોણ કરશે વિકેટકીપિંગ?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી થવાની છે, અને રાજસ્થાન રૉયલ્સ (RR) પોતાની પ્રથમ મેચ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમશે. પરંતુ IPL શરૂ થવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે ટીમમાટે ચિંતા જનક સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખની સંજુ સેમસનની ફિટનેસને લઈ પ્રશ્નો ઉભા થયા છે. IPL 2025ની સિઝન શરૂ થવા જઈ રહી છે, અને RRના ચાહકોની નજર હવે સંજુ સેમસનની ફિટનેસ પર રહેશે. RRના પ્રથમ મુકાબલામાં એ જોવા મળશે કે કેપ્ટન વિકેટકીપિંગ કરી શકશે કે ધ્રુવ જુરેલને આ જવાબદારી સોંપવામાં આવશે.

ઈંગ્લેન્ડ સામેની T20I સિરીઝ દરમિયાન સંજુ સેમસનની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તેના IPL 2025માં વિકેટકીપિંગ કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠી રહ્યો છે. હાલમાં તેને બેંગલુરુ સ્થિત નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)માં બેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે, મેડિકલ ટીમ હજુ પણ તેની વિકેટકીપિંગની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો સેમસન વિકેટકીપિંગ માટે સંપૂર્ણ રીતે ફિટ ન હોય, તો ધ્રુવ જુરેલ રાજસ્થાન રૉયલ્સ માટે મુખ્ય વિકેટકીપર તરીકે રમવા માટે તૈયાર છે. ટીમે જુરેલને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે, અને ટીમમાં અન્ય કોઈ વિકેટકીપર-બેટ્સમેન ઉપલબ્ધ નથી.

રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન સંજુ સેમસન પોતાની ફિટનેસ સાથે સાથે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે ફરીથી કામ કરવા માટે પણ ઉત્સાહિત છે. સેમસને જણાવ્યું કે, “રાહુલ સર તે જ હતા જેમણે મને પહેલીવાર ટ્રાયલ્સમાં જોયો અને કહ્યું કે હું તેમની ટીમ માટે રમી શકું. આજે હું RRનો કેપ્ટન છું અને તેઓ ફરીથી ટીમ સાથે જોડાઈ રહ્યા છે. હું તેમની સાથે કામ કરવા ઉત્સાહિત છું, અને મને આશા છે કે તેમની પાસે શીખવા માટે ઘણું મળશે.” સેમસને કહ્યું કે રાહુલ દ્રવિડ એક ખૂબ જ પ્રોફેશનલ કોચ છે અને ખેલાડીઓની તૈયારીમાં ભારે રસ લે છે. “ગયા મહિને, હું નાગપુરમાં રાજસ્થાન રૉયલ્સની સ્પોર્ટ્સ એકેડમીમાં સવારથી સાંજ સુધી હતી, અને દ્રવિડ સર હંમેશા બેટ્સમેન અને બોલરો સાથે જોડાયેલા હતા. તેઓ કોચિંગમાં ઊંડાણથી સામેલ રહે છે,”