IPL: પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે ઝઘડો હાઇકોર્ટ પહોંચ્યો, જાણો…

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. ટીમમાં જૂથવાદ ચરમસીમાએ છે. માલિકોના આપસી મતભેદો બહાર આવી રહ્યા છે. લડાઈ કોર્ટ સુધી પહોંચી છે. પંજાબ કિંગ્સના ચાર માલિકોમાંથી એક પ્રીતિ ઝિન્ટાએ અન્ય પ્રમોટર વિરુદ્ધ પ્રતિબંધના આદેશની માગ કરી છે. બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીમાં 23 ટકા હિસ્સો ધરાવે છે. ચંડીગઢ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અપીલ અનુસાર  તે સહ-માલિક મોહિત બર્મનને ટીમમાં તેના શેરનો એક ભાગ અન્ય કોઈ પક્ષને વેચતા અટકાવવા માગે છે.

મોહિત બર્મન KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડમાં 48 ટકા સાથે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. નેસ વાડિયા પ્રમોટર જૂથમાં ત્રીજા માલિક છે, જેઓ 23 ટકા શેર ધરાવે છે, જ્યારે બાકીના શેર ચોથા માલિક કરણ પોલ પાસે છે. પ્રીતિ ઝિન્ટાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. નેસ વાડિયાએ પણ અમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા ન હતા. આ કેસની સુનાવણી 20 ઓગસ્ટે થશે.ડાબર કંપની સાથે સંકળાયેલા 56 વર્ષીય મોહિત બર્મને જણાવ્યું હતું કે મારા શેર વેચવાની મારી કોઈ યોજના નથી. જોકે  અહેવાલો પ્રમાણે બર્મન તેનો 11.5 ટકા હિસ્સો કોઈ અજ્ઞાત પક્ષને વેચવા માગે છે. બર્મન બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંના એક છે. તેમણે આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિએશન એક્ટ-1996ની કલમ 9 હેઠળ વચગાળાનાં પગલાં અને દિશાનિર્દેશોની માગ કરતી અરજી દાખલ કરી છે.

IPLમાં સુપર ફ્લોપ પંજાબ કિંગ્સપંજાબ કિંગ્સ IPLની મૂળ આઠ ટીમોમાંથી એક રહી છે. IPLના 17 વર્ષના ઇતિહાસમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન બહુ જ ખરાબ રહ્યું હતું. ટીમ માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી શકી હતી, જ્યારે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સિવાય ટીમ માત્ર એક જ વાર પ્લેઓફમાં પહોંચી હતી. ટીમ ટ્રાવેલ બેલિસના સ્થાને ભારતીય કોચની શોધમાં છે.