IPL 2025: સતત છઠ્ઠી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025નું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરવા જઈ રહી છે. જોકે, ટીમનો સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત છે. જો કે મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધને બુમરાહની સ્થિતિ વિશે ખુલાસો કર્યો હતો. મહેલા જયવર્ધને બુધવારે, 19 માર્ચ, 2025ના રોજ મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘જસપ્રીત NCAમાં છે. તેણે હમણાં જ તેની પ્રગતિ શરૂ કરી છે. અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેની બીસીસીઆઈની મેડિકલ ટીમ શું પ્રતિક્રિયા આપે છે. હાલ બધું બરાબર ચાલી રહ્યું છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘બુમરાહ સારા મૂડમાં છે. તેની ગેરહાજરી અમારા માટે એક પડકાર છે. તે વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે અને ઘણા વર્ષોથી અમારા માટે શાનદાર ખેલાડી રહ્યો છે.’ આ ઉપરાંત બુમરાહની ફિટનેસને લઈને હાર્દિક પંડ્યાએ પણ અપડેટ આપી હતી. 19 માર્ચે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, ‘જસપ્રીત બુમરાહ પ્રથમ મેચમાં રમી શકશે નહીં. તે રમવા માટે ફિટ નથી.’
આપને જણાવી દઈએ કે, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. જસ્સી આ મેચમાં મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકશે નહીં. તે હાલમાં એનસીએમાં છે. બુમરાહને હજુ સુધી મેચ રમવા માટે લીલી ઝંડી મળી નથી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ આ મેચમાં નહીં રમે. તેના પર એક મેચનો પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ સંભાળશે.
