એશિયા કપ-2023માં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ટકરાશે

નવી દિલ્હીઃ ભારત માટે આજનો દિવસ ખાસ છે. ક્રિકેટપ્રેમીઓ માટે ભારત-પાકિસ્તાનની એશિયા કપની મેચ થવાની છે તો બીજી બાજુ ઇસરો દ્વારા સૂર્યનું આદિત્ય L-1 સફળ લોન્ચિંગ થયું છે. આમ સ્પોર્ટ્સથી માંડીને વિજ્ઞાન સુધી ભારત ઇતિહાસ લખવાની બહુ નજીક છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ છે. ક્રિકેટપ્રેમીઓ પણ આ મેચની આતુરતાપૂર્વક રાહ જુએ છે કે કઈ ટીમ નિર્ણાયક મેચ જીતશે. એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની ત્રીજી વાર આગેવાની કરવા માટે રોહિત શર્મા તૈયાર છે. વર્ષ 2018માં ટુર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાયો હતો ત્યારે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ T20 ફોર્મેટમાં વર્ષ 2022માં રમાયો હતો, જેમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતનું પ્રદર્શન સારું નહોતું રહ્યું.એશિયા કપ 2018માં ભારતે પાકિસ્તાનને બે વખત ખરાબ રીતે હરાવ્યું હતું. ગ્રુપ મેંચમાં આઠ વિકેટથી હરાવ્યું તો સુપર 4માં નવ વિકેટથી, ગ્રુપ મેચમાં પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રન પર આઉટ થઈ ગઈ હતી. ભારતે 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. સુપર 4માં પાકિસ્તાને સાત વિકેટ પર 237 રન બનાવ્યા હતા. ભારતે 39.3 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

ભારતની સંભવિત પ્લેઇંગ 11- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.

પાકિસ્તાનની 11 ટીમમાં- ફખર જમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.

એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન

એશિયા કપ 2022માં ભારતનું પ્રદર્શન સારું નથી રહ્યું. ટીમ સુપર ચારથી આગળ વધી ન શક્યું. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવીને ટીમ અજય રહી હતી, પરંતુ સુપર 4માં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી દીધું હતું.

એશિયા કપમાં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ વન ડે ફોર્મેટમાં પાંચમાંથી પાંચ મેચ જીતી છે. T20 ફોર્મેટમાં બે મેચ હાર્યા છે અને ત્રણ જીતી ચૂક્યા છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વનડે ફોર્મેટમાં હશે.