‘ગર્વથી અંતરયાત્રા’ નામે ઈ-મેગેઝીન લૉન્ચ

મુંબઈ: ‘Soil to Soul Expeditions’ એ ‘ગર્વથી અંતરયાત્રા’ નામે ભારતનું આધ્યાત્મિક ઈ-મેગેઝીન લૉન્ચ કર્યું છે, જે ભારતની આધ્યાત્મિક પરંપરાને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે નિશુલ્કઃ ઉપલબ્ધ હશે. વર્ષ 2024ના અંત સુધીમાં આ ઇ-મેગેઝીન દુનિયાભરમાં એક મિલિયન સબસ્ક્રાઈબર્સ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.આ ઈ-મેગેઝીનનું ઉદ્ઘાટન પ્રખ્યાત વૈદિક ફિલોસોફી અને ભારતીય સંસ્કૃતિના ગુરૂ ‘સ્વામી ગોવિંદ દેવ ગિરીજી’ (ખજાનચી, શ્રી રામજન્મભૂમી, અયોધ્યા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય મહાનુભવોમાં ભજનસમ્રાટ પદ્મશ્રી અનુપ જલોટા, ‘ચિત્રલેખા’ ના ચેરમેન મૌલિક કૌટક, વાઇસ-ચેરમેન મનન કોટક, કવિતા મૂર્તિ, પ્રકાશ દુબે, શૈલેન્દ્ર ભારતી તથા લેખક અમી ગણાત્રા હાજર રહ્યા હતા.

‘Soil to Soul’ એ મંગલ ફાઉન્ડેશન તથા સંગીત અને સાહિત્યના ઉપાસક એવા બાબુભાઈ તથા કવિયત્રી, ગાયિકા તથા ચિત્રકાર રૂપા ‘બાવરી’નું પણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ‘ચિત્રલેખા’ ના ચેરમેન મૌલિકભાઈ તથા રાજુલબેન તથા મનન કોટકનું પણ ખાસ સન્માન કરીને એમનો આભાર માનવામાં આવ્યો હતો.