વડોદરાઃ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપ વડા પ્રધાન  અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ ખાસ છે, કારણ કે એ સરદાર પટેલની 150મી જયંતી છે. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં હાજરી આપી હતી.
પરેડમાં 16 ટુકડીઓ સામેલ
રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં BSF, CRPF અને વિવિધ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓ ભાગ લઈ રહી છે. પરેડમાં સામેલ તમામ ટુકડીઓને મહિલા અધિકારીઓ દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF અને સરહદ સુરક્ષા દળ સહિત કુલ 16 ટુકડીઓ ભાગ લઈ રહી છે.
આ કાર્યક્રમમાં CRPF અને BSFના એ જવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે જેમને શૌર્ય ચક્ર અને બહાદુરી પદક એનાયત કરવામાં આવ્યા છે. આ જવાનોએ નક્સલ અને આતંકવાદવિરોધી ઓપરેશનોમાં અસાધારણ સાહસ દેખાડ્યું હતું.
India pays homage to Sardar Vallabhbhai Patel on his 150th Jayanti. He was the driving force behind India’s integration, thus shaping our nation’s destiny in its formative years. His unwavering commitment to national integrity, good governance and public service continues to… pic.twitter.com/7quK4qiHdN
— Narendra Modi (@narendramodi) October 31, 2025
PM મોદીએ લોહ પુરુષને આપી શ્રદ્ધાંજલિ
ભારત સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જયંતી પર શ્રદ્ધાંજલી અર્પિત કરે છે. તેઓ ભારતના એકીકરણ પાછળની પ્રેરક શક્તિ હતા અને આપણા દેશનાં પ્રારંભિક વર્ષોમાં તેના ભાગ્યનું નિર્માણ કરવામાં અગ્રેસર રહ્યા હતા. રાષ્ટ્રીય અખંડિતતા, સુશાસન અને જનસેવા પ્રત્યેની તેમની અવિચળ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. આપણે એક અખંડ, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના તેમના વિઝનને જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થશે ભવ્ય કાર્યક્રમ
આ વર્ષે સરદાર પટેલની 150મી જયંતી 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગરમાં વિશેષ કાર્યક્રમો સાથે મનાવવામાં આવશે, જે રાષ્ટ્ર નિર્માણની તેમની વારસાગત કાર્ય માટે યાદગાર શ્રદ્ધાંજલી રૂપ સાબિત થશે. સાંસ્કૃતિક પરેડ, રાજ્યોની ઝાંખીઓ અને 900થી વધુ કલાકારોના પ્રદર્શન વડે તે વિચારને ઉજવવામાં આવશે કે ભારતની શક્તિ તેની વૈવિધ્યતા અને અનેક સ્વરમા એકતા છે.

સરદાર પટેલની જયંતીના પૂર્વસંધ્યાએ PM મોદીએ ગુરુવારે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવી 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી.
સરદાર પટેલના પરિવારજનો સાથે PM મોદીની મુલાકાત
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીના મુખ્ય કાર્યક્રમ પહેલાં PM મોદીએ કેવડિયામાં તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
 
         
            

