નવી દિલ્હી: જે.એસ.ડબલ્યુ. ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15મા એ.આઇ.એમ.એ. મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં પ્રતિષ્ઠિત ‘બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ સન્માન જે.એસ.ડબલ્યુ. ગ્રૂપને એક વૈશ્વિક સમૂહમાં વિસ્તારિત કરવામાં તેમના પરિવર્તનકારી નેતૃત્વ માટે આપવામાં આવ્યું છે.આ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અતિથિ વિશેષ ચકીતે વાણિજ્ય અને ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી જિતેન પ્રસાદ હાજર રહ્યા હતા. સજ્જન જિંદાલને આપવામાં આવેલું પ્રશસ્તિ પત્ર કે.પી.એમ.જી. ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યેજદી નાગપુરેવાલાએ વાંચ્યું હતું.
આ એવોર્ડ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની પહેલ સાથે જે.એસ.ડબલ્યુ. ગ્રૂપને જોડવામાં સજ્જન જિંદાલની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે છે. તેમના નેતૃત્વમાં કંપની ભારતીય પોર્ટ સેક્ટરમાં બીજા ક્રમની સૌથી મોટી કંપની તરીકે ઉભરી આવી. તેમજ આંતરરાષ્ટ્રીય ભાગીદારીના માધ્યમથી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને સૈન્ય ડ્રોન સહિતના ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે. ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (એ.આઇ.એમ.એ.) મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સ ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી કરે છે..
