નવી દિલ્હીઃ રેલવેએ મુસાફરો માટે રાઉન્ડ ટ્રિપ પેકેજ સ્કીમની જાહેરાત કરી છે, જેના અંતર્ગત રિટર્ન જર્ની પર 20 ટકાની છૂટ મળશે. આ યોજના હાલ પ્રયોગાત્મક આધાર પર લાગુ કરવામાં આવશે, જેથી તેનો પ્રભાવ અને મુસાફરોની પ્રતિસાદનો અંદાજ લગાવી શકાય.
રેલવેએ તહેવારોના સીઝનમાં ભીડનું મેનેજમેન્ટ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે ‘રાઉન્ડ ટ્રિપ પેકેજ’ સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ જે મુસાફરો પોતાની રિટર્ન જર્ની નક્કી સમયમર્યાદામાં બુક કરશે, તેમને રિટર્ન ટિકિટનાં બેઝ ભાડાં પર 20 ટકાની છૂટ મળશે.
કનેક્ટિંગ જર્ની ફીચર મારફતે થશે બુકિંગ
આ યોજના 14 ઓગસ્ટ 2025થી શરૂ થશે. તેના અંતર્ગત પહેલી મુસાફરી (Onward Journey)નું ટિકિટ 13 ઓક્ટોબર 2025થી 26 ઓક્ટોબર 2025 વચ્ચેની તારીખ માટે બુક કરવું પડશે. ત્યાર બાદ પરત ફરવાની મુસાફરી (Return Journey)નું ટિકિટ 17 નવેમ્બર 2025થી 1 ડિસેમ્બર 2025 વચ્ચેની તારીખ માટે કનેક્ટિંગ જર્ની ફીચર મારફતે બુક કરી શકાશે.
બેઝ ભાડા પર મળશે છૂટ
આ સ્કીમમાં છૂટ ત્યારે જ મળશે જ્યારે બંને તરફનું ટિકિટ એક જ મુસાફરને નામે અને કન્ફર્મ હશે. રિટર્ન ટિકિટ બુક કરવા માટે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ લાગુ નહીં થાય. છૂટ ફક્ત રિટર્ન જર્નીના બેઝ ભાડાં પર આપવામાં આવશે. રેલવેએ જણાવ્યું કે આ યોજના હાલ પ્રયોગાત્મક આધાર પર લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારોના સમયમાં ટ્રેનોનો બંને તરફથી વધુ સારો ઉપયોગ થઈ શકે.
