ગાંધીનગરઃ PM મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગરમાં રોડ શો કરી રહ્યા છે. ગાંધીનગરમાં બેથી 2.5 કિલોમીટરના રોડ શો દરમ્યાન 30,000થી વધુ લોકો વડા પ્રધાન મોદીનું ઠેર-ઠેર સ્વાગત કરી રહ્યા છે. PM મોદી મહાત્મા મોદી મહાત્મા મંદિરથી ગુજરાતને રૂ. 5536 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. જેમાં તેઓ PM આવાસ યોજના હેઠળ બનેલાં 22,055 ઘરોનું ઉદઘાટન કરશે એ સાથે તેઓ સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાની આધારશિલા મૂકશે.
ગાંધીનગર આવેલા વડા પ્રધાનને આવકારવા માટે ગાંધીનગર વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે મહાત્મા મંદિર જવા રવાના થશે. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પણ રોડ શો કરવાના છે તે જગ્યાને તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવ્યો છે.
PM નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાક એકમોનું લોકાર્પણ કરશે. સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. 145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કરશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ રૂ. 1447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરનાં વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. રૂ. 1347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે રૂ. 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
VIDEO | Gujarat: PM Modi (@narendramodi) holds roadshow in Gandhinagar.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/2T2CXyo76S
— Press Trust of India (@PTI_News) May 27, 2025
મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. 1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બનાસકાંઠામાં રૂ. 888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ. 678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
