નવી દિલ્હીઃ હરિયાણાના ફરીદાબાદથી સંદિગ્ધ આતંકવાદી અબ્દુલ રહેમાને પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. અબ્દુલ રહેમાને ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI અયોધ્યામાં રામ મંદિર પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે, એમ સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું.
હાલ પોલીસે હેન્ડગ્રેનેડ સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે.
ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આતંકવાદી અબ્દુલ રહમાન યુપીનો રહેવાસી છે. અન્ય એક શકમંદની પૂછપરછ શરૂ છે. આતંકવાદીઓ વિરુદ્ધ હરિયાણા STFમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત ATSના અધિકારીઓ પણ વધુ તપાસ માટે હરિયાણા જશે. આતંકવાદીઓ પાસેથી ઉર્દૂ લખાણવાળી વસ્તુ પણ મળી આવી છે. ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ATS ને ઉત્તર પ્રદેશથી માહિતી મળી હતી કે બે શંકાસ્પદ શખસો હેન્ડ ગ્રેનેડનો જથ્થાં સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. આ બાતમીને આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ ISIએ અબ્દુ રહેમાનને આ હુમલા માટે તાલીમ આપી હતી. અબ્દુલ સતત ISIના સંપર્કમાં હતો. અબ્દુલ મૂળ અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી છે. અહીં તે શંકરના નામે રહેતો હતો.
આ મામલે હરિયાણા STF માં ગુનો નોંધવામાં આવશે અને ગુજરાત ATS ના અધિકારીઓ ત્યાં પૂછપરછ માટે જઈ શકે છે. પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. બંને આરોપી સાથે કોઈ અન્યની સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માગતા હતા? આ સિવાય આ આતંકવાદીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકવાદીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.
