NSEનો પતંગ સાથે રોકાણકાર માટે જાગૃતિનો સંદેશ

રાજકોટ: આ વખતે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ (IKF) ૨૦૨૬માં NSEએ ઉત્તરાયણના ભાગરૂપે પતંગ ઉડાડવાના પ્રતીકને રોકાણ સાથે જોડીને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. પતંગ ઉડાડવો એ આકાંક્ષા, સંતુલન, સાવધાની અને દૂરદર્શિતાનું પ્રતીક છે. જે સ્માર્ટ રોકાણ અને રોકાણકારની સુરક્ષાના સિદ્ધાંતો સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) રોકાણકાર જાગૃતિ, નાણાકીય સાક્ષરતા અને સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકાર સુરક્ષાને પોતાનો મુખ્ય ઉદ્દેશ્ય ગણે છે. NSEએ રોકાણકારનું શિક્ષણ, જાગૃતિ કાર્યક્રમો અને મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા દ્વારા ભારતમાં સુરક્ષિત, પારદર્શક અને વિશ્વાસપાત્ર રોકાણ માટેના વાતાવરણ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.NSEના એમ.ડી. એન્ડ સી.ઈ.ઓ. અશીષકુમાર ચૌહાણે જણાવ્યું કે, “પતંગને ઊંચે ઉડાવવા માટે સંતુલન અને મજબૂત દોરીની જરૂર પડે છે. તેવી જ રીતે રોકાણમાં શિસ્ત અને જાણકારીપૂર્વકના નિર્ણયોની જરૂરી છે. NSE આ સાંસ્કૃતિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખાસ કરીને નવા અને રિટેલ રોકાણકારો સુધી સરળ અને આકર્ષક રીતે જાગૃતિ સંદેશ પહોંચાડશે.”આ અભિયાન હેઠળ IKF ૨૦૨૬માં NSEનો વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જ્યાં રોકાણકાર જાગૃતિ સંદેશા સાથે મફત પતંગો વિતરિત કરવામાં આવી રહ્યા છે. રોકાણકારોના અધિકારો, ફરિયાદ નિવારણ, છેતરપિંડી રોકથામ વગેરે વિશે સરળ માહિતી આપવામાં આવી અને મુલાકાતીઓ સાથે ઇન્ટરેક્ટિવ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.ગુજરાતમાં હાલમાં આશરે ૧.૧ કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો છે, જે ભારતમાં ત્રીજા ક્રમે છે અને દેશના કુલ રોકાણકારોના ૮.૭% છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતના રોકાણકારોનો આધાર ૧૭%થી વધુના CAGRથી વધ્યો છે. ૨૦૨૫માં જ ગુજરાતમાંથી ૧૦.૭ લાખથી વધુ નવા રોકાણકારો જોડાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓમાંથી ૫૫%થી વધુ નવા રજિસ્ટ્રેશન થયા છે. ગુજરાતમાં મહિલા રોકાણકારોનો હિસ્સો ૨૮.૧% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૨૪.૭%થી વધુ છે. આ રીતે NSE ઉત્તરાયણના આ ભવ્ય ઉત્સવમાં નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપીને લોકોને સુરક્ષિત રોકાણ તરફ પ્રેરિત કરશે.