2019ની તુલનાએ 2024માં કેમ થયો UPમાં મોટો ઊલટફેર?

નવી દિલ્હીઃ દેશની સત્તાનો નિર્ણય કરવાવાળું ઉત્તર પ્રદેશ બધા રાજકીય પક્ષો માટે મહત્ત્વ ધરાવે છે. એ જ કારણે ચોથી જૂને પણ મતગણતરી વખતે સૌની નજર ઉત્તર પ્રદેશની 80 લોકસભાની સીટો પર હતી. વળી, UPમાં ડબલ એન્જિનની સરકાર હતી, પણ UPનું ચૂંટણી પરિણામ ગઈ ચૂંટણીથી અલગ હતું.

છેલ્લી બે 2014 અને 2019માં સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. 2014માં પાર્ટીએ 71 સીટો તો 2019માં ભાજપે 62 સીટો જીતી હતી, પણ 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપને માત્ર 33 બેઠકો જ મળી હતી, પણ સમાજવાદી પાર્ટીને 37 સીટો મળી હતી.

BSPની મતબેન્ક ફરી ગઈ?

ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી મોટું નુકસાન BSPના ખરાબ પ્રદર્શનથી થયું હતું અને એ ઊલટફેર થવાનું મુખ્ય કારણ છે. વાસ્તવમાં BSPના મતદારો SP અને કોંગ્રેસના પાલામાં ચાલી ગયા અને એનું સીધું નુકસાન ભાજપને થયું હતું. BSPને માત્ર નવ ટકા મતો મળ્યા હતા, જ્યારે 2019માં પાર્ટીને આશરે 19 ટકા મતો મળ્યા હતા.

ભાજપે ઉત્તર પ્રદેશમાં ઉમેદવારોની પંસદગી પણ યોગ્ય નહોતી અને રાજ્યમાં આ ઉમેદવારો સામે સ્થાનિક એન્ટિ ઇન્કમબન્સી ખૂબ હતી. આ સિવાય ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજ્યના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે UPને વધુ સમય પણ નહોતો આપ્યો. તેઓ વિવિધ રાજ્યોમાં સભા કરવામાં વ્યસ્ત હતા, જેથી રાજ્યમાં પ્રચાર કરવા માટે વધુ સમય નહોતો ફાળવી શક્યા. આ સિવાય યુવા મતદારો ભાજપને બદલે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મત આપ્યો હતો.