અનલોક-5: સ્કૂલ-કોલેજોના તાળા ક્યારે ખોલાશે? કેન્દ્રએ યોજના જણાવી

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોની વચ્ચે 21 સપ્ટેમ્બરથી અનેક રાજ્યોમાં શાળાઓ આંશિક રૂપે ખોલવામાં આવી છે. જોકે મોટા ભાગનાં રાજ્યોમાં શાળાઓ હજી બંધ છે. રાજ્ય સરકારોની સાથે બાળકોનાં માતાપિતા કોરોના વાઇરસના વધતા કેસોને કારણે બાળકોને સ્કૂલે મોકલવા વિશે નક્કર નિર્ણય નથી લઈ રહ્યાં.

કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો સહિત બધી શૈક્ષિણક સંસ્થાઓ ખોલવાના નિયમોને જણાવતાં અનલોક 5ના દિશા-નિર્દેશો જારી કર્યા હતા.

15 ઓક્ટોબરથી શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તબક્કાવાર રીતૈ સ્કૂલો-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ ખોલવા માટે લવચિકતા રાખવા કહેવામાં આવ્યું છે. તેઓ નિયમોને આધારે 15 ઓક્ટોબર, 2020 પછી એને ફરી ખોલવાનો નિર્ણય લઈ શકશે. જોકે એના માટે સરકારો સ્કૂલો-સંસ્થાના મેનેજમેન્ટથી વિચારવિમર્શ કરીને અને ગાઇડલાઇન્સનું પાલન કરીને ખોલી શકશે. જોકે હાલના કોરોના કાળમાં ઓનલાઇન એજ્યુકેશન શિક્ષણ એ ફિઝિકલ શિક્ષણ સેશન્સ કરતાં વધુ પસંદગીની પદ્ધતિ છે.  

ઓનલાઇન શિક્ષણ જારી રહેશે અને એને સતત પ્રોત્સાહિત કરાશે. જે સ્કૂલો ઓનલાઇન ક્લાસિસ ચલાવી રહી છે અને જે વિદ્યાર્થી સ્કૂલને બદલે ઓનલાઇન શિક્ષણ લેવા ઇચ્છતો હશે એને તેમ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન અને એજ્યુકેશન મંત્રાલય ગૃહ મંત્રાલય સાથે વિચારવિમર્શ કરીને કોલેજ- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લે એવી શક્યતા છે. ઓનલાઇન ક્લાસિસને પણ જારી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ક્યારે ખૂલશે?

પીએચડી માટે 15 ઓક્ટોબર, 2020થી  લેબ અને પ્રેક્ટિકલ ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સાયન્સ ટેક્નોલોજીના ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

કોલેજ ખોલવા નવી ગાઇડલાઇન્સ

MHAએ કન્ટેનમેન્ટ ઝોનની બહારનાં ક્ષેત્રોમાં વધુ કામગીરીઓ ખોલવા માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ દિશા-નિર્દેશો એક ઓક્ટોબર, 2020થી લાગુ કરવામાં આવશે. નવા દિશા-નિર્દેશો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી ફીડબેક અને સંબંધિત મંત્રાલયો અને વિભાગોની સાથે ચર્ચા-વિચારણા પર આધારિત છે.