નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઓનલાઇન ગેમિંગ અને સરકારનાં કામકાજને લઈને ખોટી અને ગેરસમજ કરનારી સૂચનાઓના પ્રસારથી સંબંધિત IT (મધ્યવર્તી દિશાનિર્દેશ અને ડિજિટલ મિડિયા આચારસંહિતા) નિયમ 2021માં સંશોધનોનું નોટિફિકેશન જારી કર્યું છે. IT રાજ્ય મંત્રીમ રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે ઓનલાઇન ગેમિંગમાં સટ્ટાબાજી અને જુગાર રમાવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ ઉપરાંત સરકારે ઓનલાઇન ગેમિંગ ઇકો સિસ્ટમ માટે એક વ્યાપક રૂપરેખા તૈયાર કરી છે અને સંશોધન સરકારથી સંબંધિત ઓનલાઇન સામગ્રીથી સંબંધિત તથ્યોની તપાસ પણ સંબંધિત છે.
તેમણે કહ્યું હતું કે આ સંશોધનોનો હેતુ ઇન્ટરનેટને ખુલ્લું, સુરક્ષિત, વિશ્વસનીય અને રિસ્પોન્સિબલ બનાવવાનું છે. તેમણે સંવાદદાતાઓને કહ્યું હતું કે આ સંશોધનોનો ઉદ્દેશ ઓનલાઇન ગેમિંગ ઇન્ટરમિડિયરીઝ અને સરકારના કામકાજ સંબંધિત ખોટી અને ભ્રામક સૂચનાને લઈને સોશિયલ મિડિયા ઇન્ટરમિડિયરીઝ પર વધુ નિયમો લાગુ કરવાનો છે. તેમણે કહ્યું હતું કે એ વડા પ્રધાન મોદીનું વિઝન અને લક્ષ્ય છે કે ભારતના યુવાઓને સ્ટાર્ટઅપ બનાવવા અને વિશ્વ માટે કંઈક નવું કરવા માટે દરેક સંભવિત તક મળે.
ઓનલાઇન ગેમિંગ નિશ્ચિત રૂપે ભારત અને યુવા ભારતીયો માટે એક મોટી તક છે. અમે ભારતના ઓનલાઇન ગેમિંગ ઇકોસિસ્ટમને કઈ અબજ ડોલરના ઉદ્યોગમાં વિસ્તારિત અને વિકસિત થતા જોઈ રહ્યા છીએ અને 2025-26 સુધી ભારતના એક ટ્રિલિયન ડોલરથી ડિજિટલ અર્થતંત્રના લક્ષ્ય માટે એક મહત્ત્વનું પગલું બની શકે છે. એમાં ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર પર પ્રતિબંધ ઘણો સ્પષ્ટ છે.
