નાણાપ્રધાને વિવિધ મંત્રાલયોને બજેટમાંથી ફાળવેલી રકમ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વચગાળાના બજેટમાં સંરક્ષણ મંત્રાલયને સૌથી વધુ અને કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રાલયને સૌથી ઓછું બજેટ ફાળવ્યું છે. બજેટ ભાષણમાં નાણાં મંત્રીએ દેશના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સુધારાની વાત કરી હતી.

નાણાપ્રધાને કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં ટેક્નોલોજીને મજબૂત કરવા માટે નવી યોજના શરૂ કરવામાં આવશે. આ માટે નવી ડીપ-ટેક ટેક્નોલોજી લાવવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે સંરક્ષણ બજેટ ગત વખત કરતાં વધારે છે. વર્ષ 2024-25 માટે સંરક્ષણ બજેટ ઘટાડીને રૂ. 6.20 લાખ કરોડ કરવામાં આવ્યું છે. માર્ગ અને પરિવહન મંત્રાલયનું બજેટ વર્ષ 2024-25 માટે વધારીને રૂ. 2.78 લાખ કરોડ કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રાલયના બજેટને રૂ. 2.55 લાખ કરોડ ફાળવ્યામાં આવ્યા છે. ગયા વર્ષે આ મંત્રાલયનું બજેટ 2.4 લાખ કરોડ રૂપિયા હતું.બજેટમાં ગ્રાહક બાબતો અને ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય  માટે રૂ. 2.13 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. ગૃહપ્રધન અમિત શાહના મંત્રાલયને રૂ. 2.03 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ગયા વર્ષના બજેટમાં આ મંત્રાલયને 1.69 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય ખાતે રૂ. 1.77 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. વર્ષ 2023-24ના બજેટમાં આ મંત્રાલયને રૂ. 1.57 લાખ કરોડ નું બજેટ ફાળવવામાં આવ્યું હતું. સંચાર મંત્રાલયને માટે રૂ. 1.37 કરોડનું બજેટ ફાળવ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને રૂ. 1.27 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.