હવે રાષ્ટ્રપતિ પદ માટે શરદ પવારના નામની ચર્ચા શરૂ થઇ છે

નવી દિલ્હીઃ શિવસેનાના નેતા સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું છે કે એનસીપી પ્રમુખ શરદ પવારના નામ પર 2022 ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ રાજનૈતિક દળો દ્વારા વિચાર કરવામાં આવવો જોઈએ. રાઉતે દાવો કર્યો કે 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. પવારે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટી સાથે ગઠબંધનમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને શિવસેનાને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, શરદ પવાર દેશના એક વરિષ્ઠ નેતા છે. મને લાગે છે કે રાષ્ટ્રપતિ પદ માટે તમામ રાજનૈતિક દળોને તેમના નામ પર વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટે વર્ષ 2022 માં ચૂંટણી યોજાશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામ કરી ચૂકેલા પર અન્ય રાજનૈતિક દળોના મત મામલે રાઉતે કહ્યું કે, તેમણે પવારના નામનો માત્ર પ્રસ્તાવ રાખ્યો છે. રાજ્યસભા સદસ્ય રાઉતે કહ્યું કે, મને લાગે છે કે અન્ય રાજનૈતિક દળ રાષ્ટ્રપતિ પદ માટે કોઈ અન્ય ઉમેદવારને પણ પ્રસ્તાવિત કરી શકે છે. 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં પવારની પાર્ટીને ગૃહ અને નાણા સહિતના મંત્રાલયે મળ્યા છે.

જેએનયૂ મામલે પવારે ટ્વીટ કરીને કહ્યું કે, જેએનયૂના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલો હુમલો પહેલાથી જ સમજી વિચારીને કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ કારગર સાબિત નથી થાય. પવારની ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે તેમની પાર્ટીના મંત્રી જિતેન્દ્ર અવહાદ ગેટ વે ઓફ ઈન્ડિયા પર હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો સાથ આપવા માટે પહોંચ્યા.

પવારે કહ્યું કે, આ હુમલો પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો છે. હું હિંસા અને તોડ-ફોડની આ અલોકતાંત્રિક છે અને આ ઘટનાની હું કડક શબ્દોમાં નિંદા કરું છું. લોકતાંત્રિક મૂલ્યો અને વિચારોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ સાચો સાબિત નહી થાય.