સ્માર્ટફોન વેચતા દુકાનદારોની ય હવે હડતાલ!: ઓનલાઇન વેચાણ સામે વિરોધ

નવી દિલ્હી: સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે, કારણ કે, અહીં મળતી ઓફર્સ અને ઓછી કિંમતો ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. જેની વિપરીત અસર સ્માર્ટફોનની ઓફલાઈન માર્કેટ પર પડી છે, ઓફલાઈન માર્કેટ તરફ ગ્રાહકોનું આકર્ષણ ઘટયું છે. એજ કારણે ઓફલાઈન રિટેલર્સનું અસ્તિત્વ ખોવાવા લાગ્યું છે અને હવે તે આજ અસ્તિત્વને બચાવવા લડી રહ્યા છે. મોબાઈલ પ્રોડક્ટ ઓનલાઈન એક્સક્લૂસિવ ન રહે એ માટે 8 જાન્યુઆરીએ ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

AIMRA એ તેમના ફેસબુક એકાઉન્ટ મારફતે દેશભરના મોબાઈલ રિટેલર્સને આગામી 8 જાન્યુઆરીએ દિલ્હીના રામલીલા મેદામાં એક્ઠા થવા કહ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે, ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર કોઈપણ સ્માર્ટફોન એક સરખી કિંમત અને ઓફર સાથે મળવો જોઈએ.

મહત્વનું છે કે, મોબાઈલ ખરીદદારી માટે ઓનલાઈ પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયકા અને માંગને કારણે ઓફલાઈ રિટેલર્સને બિઝનેસમાં મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા 8 જાન્યુઆરીએ દેશભરના મોબાઈલ સ્ટોર્સને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જેથી AIMRA તેમની માંગો સરકાર સામે રાખી શકે. આ પ્રદર્શનમાં દેશભરમાંથી લગભગ ત્રીસ હજાર મોબાઈલ રિટેલર્સ રામલીલા મેદાન ખાતે એક્ઠા થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, આજે મોટાભાગના સ્માર્ટફોન ઓનલાઈન સ્ટોર્સ પર એક્સક્લૂસિવ ઉપલબ્ધ હોય છે અને તેની ખરાબ અસર ઓફલાઈન રિટેલર્સ પર પડે છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ અને અનેક આકર્ષક ઓફર્સ સાથે ખરીદી શકે છે. ખાસ કરીને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર ઈએમઆઈની ઓફર્સ. આ સ્થિતિમાં ગ્રાહકો ઓફલાઈનને બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોબાઈલની ખરીદી કરવી વધુ પસંદ કરે છે. આ કારણે ઓફલાઈન રિટેલર્સને નુકસાન થઈ રહ્યું છે. હવે ઓફલાઈન મોબાલઈ સ્ટોર્સ રિટેલર્સની માંગ છે કે, ભારતમાં લોન્ચ થતો કોઈપણ સ્માર્ટફોન ઓનલાઈનની સાથે ઓફલાઈન સ્ટોર્સ પણ ઉપલબ્ધ હોય અને સાથે બંને પ્લેટફોર્મ પર ગ્રાહકોને એક સરખી કિંમત અને ઓફર્સની સુવિધા મળે.