શરદ પવાર જૂથનો દાવોઃ 18 વિધાનસભ્યો ‘ઘરવાપસી’ માટે તૈયાર

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર મોટો ઊલટફેર જોવા મળી શકે છે. શરદ પવારની પાર્ટી તરફથી ફરી એક વાર દાવો કરવામાં આવ્યો હતો કે અજિત પવાર જૂથના કેટલાક વિધાનસભ્યો તેમની સાથે આવે એવી શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં આઠ લોકસભા સીટો પર જીત નોંધાવ્યા પછી પવારના નેતૃત્વ પાર્ટીવાળી NCPનો જુસ્સો બુલંદ છે.

પક્ષના વડા શરદ પવારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે 19માંથી 18 વિધાનસભ્યો તેમના પક્ષમાં છે. તેઓ ક્યારેય પણ તેમની પાર્ટીમાં સામેલ થાય એવી સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં આ બધા 18-19 વિધાનસભ્યો તેમના પક્ષમાં ભળી જાય એવી અપેક્ષા છે. જોકે તેમણે કહ્યું હતું કે તેઓ બધા વિધાનસભ્યોને સામેલ કરાવતાં પહેલાં તેમના સહયોગીઓની સલાહ જરૂર લેશે. ત્યાર પછી તેઓ તેમના વિશે કોઈ નિર્ણય લેશે.

ભૂતપૂર્વ  કેન્દ્રીય મંત્રી સૂર્યકાંત પાટિલના NCP-શરદ પવાર જૂથમાં પરત આવવા દરમ્યાન મિડિયાથી વાત કરી રહ્યા હતા. જે પણ પાર્ટીને તોડવાવાળા વિધાનસભ્યો રહ્યા છે, જો તેઓ પાર્ટીમાં સામેલ થશે તો પાર્ટી વધુ મજબૂત થશે. જે લોકોએ પક્ષમાં રહીને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે, તેમને અમે પરત નહીં લઈએ, કેમ કે અમારે અમારા કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન કરવાનું છે, એમ તેમણે કહ્યું હતું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહારાષ્ટ્રમાં શિવસેના અને NCPમાં મોટી તૂટ જોવા મળી હતી. એક બાજુ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં તૂટ થઈ હતી, તો અજિત પવારના નેતૃત્વમાં NCPમાં તૂટ જોવા મળી હતી. બંને જગ્યે પાર્ટી બળવાખોર નેતાઓની પાસે ગઈ હતી.