બંગલાદેશના શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

નવી દિલ્હીઃ બંગલાદેશથી આવેલા ગેરકાયદે પ્રવાસીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. જોકે તેમણે જણાવવું પડશે તે તો ભારત ક્યારે આવ્યા હતા. ભારતીય નાગરિકતા માટે નવ દસ્તાવેજ સાબિત કરશે કે અરજીકર્તા પાકિસ્તાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિક છે કે નહીં. આ શરણાર્થીઓ CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે નાગરિકતા અધિનિયમની કલમ 6A માટે એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય ખંડપીઠે આસામ સમજૂતીને આગળ ધપાવવા માટે 1985માં સંશોધનના માધ્યમથી નાગરિકતા કાયદાની કલમ 6Aની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ બહુમતી ચુકાદો સંભળાવ્યો હતો, જ્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ અસંમતિ વ્યક્ત કરી હતી. કલમ 6એને 1985માં આસામ સમજૂતીમાં સામેલ કરવામાં આવી હતી જેથી બંગલાદેશમાંથી ગેરકાયદે વસાહતીઓને નાગરિકતાનો લાભ આપી શકાય જેથી એક જાન્યુઆરી 1966 અને 25 માર્ચ, 1971 વચ્ચે આસામમાં આવ્યા હોય.

CJI ચંદ્રચૂડે કહ્યું હતું કે બહુમતીનો નિર્ણય એ છે કે નાગરિકતા કાયદાની કલમ 6A બંધારણીય રીતે યોગ્ય છે. જસ્ટિસ પારડીવાલાએ કાયદામાં થયેલા સુધારાને ખોટો ગણાવ્યો છે. નોંધનીય છે કે બહુમતીએ સંશોધનને યોગ્ય ગણાવ્યું છે, એટલે કે 1 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1971 દરમિયાન બંગલાદેશથી આસામ આવેલા લોકોની નાગરિકતા પર કોઈ ખતરો નહીં હોય. આસામમાં 40 લાખ ગેરકાયદે વસાહતીઓ છે. પશ્ચિમ બંગાળમાં આવા લોકોની સંખ્યા 57 લાખ છે, તેમ છતાં આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને ત્યાં માટે અલગ કટ-ઓફ તારીખ બનાવવી જરૂરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું હતું કે 25 માર્ચ 1971ની કટ ઓફ ડેટ સાચી છે.