ગાંધી જયંતીએ બિહાર સરકારે જારી કર્યો જાતીય જનગણતરી રિપોર્ટ

પટનાઃ બિહારમાં હાલમાં કરાવવામાં આવેલી જાતિ આધારિત જન ગણતરીનો રિપોર્ટ જારી કરી દેવામાં આવ્યો છે. મુખ્ય સચિવ વિવેક કુમાર સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. રાજ્યની કુલ 13 કરોડની વસતિમાં પછાત વર્ગની સંખ્યા 27.13 ટકા છે. અત્યંત પછાત વર્ગની કુલ વસતિ 36.01 ટકા છે.

તેમણે કહ્યું હતું કે પછાત વર્ગ અને અન્ય પછાત વર્ગની સંયુક્ત વસતિ 63.14 ટકા છે. માત્ર 15.52 ટકા લોકો સામાન્ય વર્ગના છે. અનુસૂચિત જાતિના લોકો 19.65 ટકા અને અનુસૂચિત જનજાતિની કુલ વસતિ 1.68 ટકા છે. બિહારમાં 2.83 કરોડ પરિવારો છે.

બિહારની લગભગ 82 ટકા વસતિ હિંદુ છે અને 17.7 ટકા મુસ્લિમ છે. બિહારના મુખ્ય પ્રધાને જાતિ આધારિત જન ગણતરિના આંકડા જારી થવા પર કહ્યું છે કે ગાંધી જયંતીના શુભ અવસરે બિહારમાં કરવામાં આવેલી જાતિ આધરિત ગણતરીના આંકડા પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે.

ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, દાયકાઓના સંઘર્ષનું પરિણામ છે. બિહારમાં કોઈરી- 4.2 કુર્મી, 2.8 કાયસ્થ,.60 મોચી, ચમાર, રવિદાસ, 5.2 બ્રાહ્મણ, 3.65 ભૂમિહાર, 2.86 મુસહર, 3.08 રાજપૂત, 3.45 વેપારી,  2.31 નાવિક, 2.60 યાદવ અને રાજ્યમાં માત્ર 17.7 ટકા મુસલમાન છે. બાકી ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન તથા અન્ય ધર્મને માનનારાની સંખ્યા માત્ર એક ટકાથી પણ ઓછી છે.બિહાર વિધાનસભાના તમામ નવ પક્ષોની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર તેના પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે અને તેની મંજૂરી બીજી જૂન, 2022એ મંત્રી પરિષદમાંથી આપવામાં આવી હતી. તેને આધારે રાજ્ય સરકારે પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી છે.