‘ભારતમાં કોરોનાની ચોથી લહેર આવી નથી’

નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) સંસ્થાએ જાણકારી આપી છે કે તાજેતરની વિગતો પરથી એવો નિર્દેશ મળતો નથી કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર શરૂ થઈ ગઈ છે.

ઉક્ત સંસ્થાના એડિશનલ ડાયરેક્ટર જનરલ સમીરન પાંડાએ કહ્યું છે કે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં હાલ જે ઉછાળો આવ્યો છે એને ચેપી રોગચાળાની ચોથી લહેર તરીકે ગણાવી શકાય નહીં. નવા કેસોની સંખ્યામાં વધારો જિલ્લાઓના સ્તરે જોવા મળ્યો છે તેથી એમ ન કહી શકાય કે આખા દેશમાં બીમારીની ચોથી લહેર ફરી વળી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]