ભૂતકાળની યાદો, 75-વર્ષની સંસદીય સફળતાઓઃ આઠ બિલ રજૂ થશે

નવી દિલ્હીઃ સંસદનું પાંચ દિવસનું સત્ર આજથી શરૂ થયું છે. આ સત્ર નવા સંસદ ભવનમાં  22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં દેશમાં એક ચૂંટણી, મહિલા અનામત, સમાન નાગરિક સંહિતા બંધારણ સંશોધન સહિત આશરે આઠ બિલો રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. સંસદમાં રાજ્યસભામાં સંસદીય યાત્રાની સફળતાઓ, અનુભવ, યાદો અને શીખ વર વાત થશે.ત્યાર બાદ લોકસભામાં અધિવક્તા (સંશોધન વિધેયક, 2023, પ્રેસ અને પત્ર-પત્રિકા રજિસ્ટ્રેશન વિધેયક 2023 પર ચર્ચા થશે.

જૂની સંસદમાં સોમવારે સંસદીય કાર્યવાહીનો છેલ્લો દિવસ છે. મંગળવારથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં ચાલશે. જૂની સંસદના છેલ્લા ભાષણમાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશે ફરી એક વાર 75 વર્ષની સંસદીય યાત્રાને યાદ કરવી જોઈએ અને નવા ગૃહમાં જતા પહેલાં તે પ્રેરણાદાયી ક્ષણો અને ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોને યાદ કરીને આગળ વધવું જોઈએ. આપણે બધા આ ઐતિહાસિક ઇમારતને વિદાય આપી રહ્યા છીએ. આ ભવનમાં પીએમ મોદીએ 50 મિનિટનું છેલ્લું ભાષણ આપ્યું હતું. આ સાથે આશરે 27 વર્ષથી લંબિત મહિલા અનામત બિલ સંસદમાં રજૂ થવાની શક્યતા છે. હાલમાં લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી પણ ઓછી છે, જ્યારે કેટલાંય રાજ્યોની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી પણ ઓછું છે.

સર્વપક્ષી બેઠકમાં નેતાઓને સૂચિત કરવામાં આવ્યા હતા કે વરિષ્ઠ નાગરિકોથી જોડાયેલું એક બિલ તથા અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ આદેશ સંબંધિત બિલનો એજન્ડામાં જોવામાં આવ્યો હતો. સંસદના વિશેષ સત્ર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્ર પહેલાં સંસદ બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બન્યો. તેમણે કહ્યું કે ચંદ્ર પર આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે. સંસદનું આ સત્ર ઐતિહાસિક નિર્ણયોથી ભરપૂર હશે.