હજુ તો નાગરિકતા સુધારા ખરડો કાનૂન નથી બન્યો ત્યાં સુપ્રીમમાં અરજી

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થઈ ચૂક્યું છે. નાગરિકતા બિલ વિરુદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે દાખલ કરી છે. IUML અરજીમાં બિલને અસંવૈધાનિક ગણાવતા રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ ધર્મના આધાર પર વર્ગીકરણ કરે છે અને આનાથી ભારતીય સંવિધાનના આર્ટિકલ 14 નું ઉલ્લંઘન થાય છે.

આનું પત્યક્ષ અને ગંભીર પરિણામ એ આવશે કે વિદેશી ટ્રિબ્યૂનલ સમક્ષ એનઆરસી પ્રક્રિયા અને કાર્યવાહી વિશેષ રુપથી મુસ્લિમો માટે જ થશે અને આ પ્રકારે ભારતીય સંવિધાનના આર્ટિકલ 14 નું ઉલ્લંઘન છે. આ ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોને તોડે છે અને આ પ્રકારે સંવિધાનની મૂળ સંરચનાનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં CAB પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રને આદેશ આપવામાં આવે કે આ મામલે આગળની કાર્યવાહી ના કરે.

નાગરિકતા સંશોધન બિલને લઈને અસમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે સંસદે આ બિલને પોતાની મંજૂરી આપી દીધી છે. રાજ્યસભામાં વિસ્તૃત ચર્ચા બાદ આ બિલને પાસ કરી દેવામાં આવ્યું છે. સદને બિલને પ્રવર સમિતિમાં મોકલવાના વિપક્ષના પ્રસ્તાવ અને સંશોધનોને ફગાદી દીધો.