રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિને સરકારી ઓફિસોમાં હાફ ડે રહેશે

અયોધ્યાઃ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિને 22 જાન્યુઆરીએ દેશઆખામાં અડધા દિવસની રજા રહેશે. સવારથી લઈને બપોરે 2.30 કલાક સુધી દેશની સરકારી ઓફિસોમાં અને સ્કૂલ-કોલેજોમાં અડધા દિવસની રજા રહેશે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે લોકો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું સીધું પ્રસારણ જોઈ શકે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારની બધી ઓફિકોમાં 22 જાન્યુઆરીએ બંધ રહેશે. આ નિર્ણય લોકોમાં જબરદસ્ત ઉત્સાહને લઈને લેવામાં આવ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં મુખ્ય યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે. તેમને હસ્તે આ પૂજા કરવામાં આવશે, એમ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે આ માહિતી આપી હતી. રામ મંદિરમાં 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલાં કરવામાં આવેલા અનુષ્ઠાનો હેઠળ બીજા દિવસે બુધવારે સરયૂ નદીના તટે કળશ પૂજા કરવામાં આવશે.

આ અનુષ્ઠાનોનો સિલસિલો 22 જાન્યુઆરી સુધી જારી રહેશે. અનુષ્ઠાનોનો સિલસિલો મંગળવારે શરૂ થયો, જે બુધવારે બુધવારે સરયૂ નદીના તટ પર કળશ પૂજનની સાથે જારી રહ્યો હતો. જ્યારે ગુરુવારે અનુષ્ઠાનના ક્રમમાં ગણેશ પૂજન અને વરુણ પૂજન કરવામાં આવશે. આ સાથે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચૂકી છે.

અયોધ્યામાં રામ મંદિરના પ્રણ પ્રતિષ્ઠા સમારંભ પહેલાં મંદિરમાં ભીડની સાથે-સાથે ભક્તોનું દાન પણ વધી ગયું હતું.આ સિવાય ભેટ ને દાન પણ પ્રતિ દિન રૂ. ચારથી રૂ. પાંચ લાખ થયું છે અને મહિને આશરે રૂ. બે કરોડનું દાન આવે છે.