કોરોના સામે જંગઃ 20 લાખ કરોડના પેકેજમાં કોને શું મળ્યું?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના પહેલા તબક્કાને રજૂ કર્યો હતો. તેમણે આ વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને ગઈ કાલે આર્થિક પેકેજની જાહેરાત કરી એમાં કેટલાય નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. તેમનો ઇરાદો આર્થિક ગ્રોથ ઝડપી કરવાનો અને દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમણે આ પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપ્યું હતું.  તેમણે કહ્યું હતું કે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેમોગ્રાફી, સિસ્ટમ અને માગ જેવા પાંચ સ્તંભો પર આ અભિયાન નિર્ભર રહેશે. સ્થાનિક બ્રાન્ડને વૈશ્વિક બનાવવાનું આ અભિયાન ભાગ છે. DBT, માઇક્રો ઇન્શ્યોરન્સ સ્કીમ, ઉજ્જવલા સ્કીમથી ગરીબોને ઘણી મદદ મળી છે. આ બધી યોજનાઓ આર્થિક સુધારાને લીધે શરૂ કરી શકાઈ.

DBT હેઠળ રૂ. 52,000 કરોડ  ટ્રાન્સફર

સરકારે કહ્યું હતું કે 41 કરોડ ખાતાઓમાં DBT હેઠળ રૂ. 52,000 કરોડ  ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ મોટી રાહત આપવામાં આવ્યા છે. નાણાપ્રધાને કહ્યું હતું કે અમે લિક્વિડિટી વધારવા માટે પગલાં લઈ રહ્યા છે. અમે 15 પગલાંની જાહેરાત કરીએ છીએ, જેમાં છ કુટિર ઉદ્યોગ માટે છે, એક પગલું ડિસ્કોમ માટે અને ત્રણ ટેક્સ સાથે સંકળાયેલાં પગલાં છે.

MSME માટે ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર

નાણાપ્રધાને કહ્યું હતું કે  MSME  આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ ફ્રી આપવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે કુલ લોનના 20 ટકા હશે. આ લોન ચાર વર્ષ માટે હશે. આના પર એક વર્ષનું મોરેટોરિયમ હશે, એટલે કે પહેલા વર્ષે મૂળ મુદ્દલ ચૂકવવું નહીં પડે. એનો લાભ 45 લાખ નાની-મોટી કંપનીઓને મળશે. આના માટે કોઈ ગેરન્ટી આપવાની જરૂર નથી.

25 કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે

25 કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે, જેનું ટર્નઓવર રૂ. 100 કરોડ છે. સરકાર ફંડ્સ ઓફ ફંડ બનાવશે, જેનો હેતુ રૂ. 50,000 કરોડની ઇક્વિટીની વ્યવસ્થા MSME  માટે કરવાની છે. આ ફંડસ ઓફ ફંડનું કદ રૂ. 1000 કરોડ હશે.

સંકકટગ્રસ્ત MSME માટે રૂ. 20,000 કરોડ

જે MSME, કુટિર ઉદ્યોગ આ સમયે સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના માટે રૂ. 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં આશરે બે લાખ MSME , કુટિર ઉદ્યોગને લાભ મળશે. આમાં બધી NPA અથવા તણાવગ્રસ્ત લોનને પણ આ યોજનાનો લાભ મળશે. સરકાર CGTMSE  માટે રૂ. 4000 કરોડ આપવામાં આવશે, જે બેન્કોને આંશિક ગેરન્ટી આપશે. બેન્કો આનો લાભ MSMEsને આપશે.

MSMEની વ્યાખ્યામાં બદલાવ

નાણાપ્રધાને કહ્યું હતું કે MSMEની વ્યાખ્યામાં બદલાવ થશે. પહેલાં MSMEનું કદ વધે તો એને છૂટ નહોતી મળતી પણ હવે MSME માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. અને તેમનું ટર્નઓવર વધારવામાં આવ્યું છે. હવે રૂ. એક કરોડથી ઓછા રોકાણ કરવાવાળા અને રૂ. પાંચ કરોડના ટર્નઓવરવાળા યુનિટને માઇક્રો કહેવામાં આવશે. MSME માટે પાંચમું પગલું એ છે કે સરકારી ખરીદી માટે રૂ. 200 કરોડ માટે ગ્લોબલ ટેન્ડર નહીં હોય.

સારી કામગીરીવાળા MSMEને રૂ. 50,000 કરોડનું ઇક્વિટી ઇન્ફ્યુઝન

સરકાર ફ્ડસ ઓફ ફંડ દ્વારા જે MSME સારી કામગીરી નોંધાવશે અને વિસ્તરણ કરવા માગશે એ MSMEમાં  રૂ. 50,000 કરોડની ઇક્વિટી ઇન્ફ્યુઝન કરવામાં આવશે. આને લીધે MSMEનું કદ અને ક્ષમતા વધારવાની તક મળશે.

EPFOમાં સરકાર આગામી ત્રણ મહિના યોગદાન આપશે

સરકાર આગામી ત્રણ મહિના માટે EPFOમાં યોગદાન આપશે. EPFમાં સ્ટેચ્યુટરી કોન્ટ્રિબ્યુશન  12થી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે. જેથી કર્મચારી અને કંપનીને રાહત મળશે, પણ કેન્દ્રીય સરકારી એકમો માટે આ કોન્ટ્રિબ્યુશન 12 ટકા રહેશે. આનાથી રૂ. 6750 કરોડની લિક્વિડિટીનો ટેકો મળશે.

આ ઉપરાંત સરકાર રૂ. 30,000 કરોડની યોજના NBFC માટે શરૂ કરી છે. એનાથી NBFC માટે ડેટ પેપર ખરીદી શકાશે. આમાં હાઉસિંગ કંપનીઓ (HFI) કંપનીઓ પણ સામેલ છે.

NBFC માટે રૂ. 45,000 કરોડની આંશિક ક્રેડિટ ગેરન્ટી સ્કીમ 2.0

સરકાર રૂ. 45,000 કરોડની આંશિક  ક્રેડિટ ગેરન્ટી સ્કીમ 2.0ની જાહેરાત કરી હતી. આ સ્કીમ ભારત સરકાર આશિંક ઋણ ગેરન્ટી યોજના છે. આમાં કેન્દ્ર સરકાર ગેરન્ટર હશે. આમાં ઓછા રેટિંગવાળા પેપર પર પણ પૈસા મળી શકશે. સરકાર 20 ટકા નુકસાન પણ ભોગવશે.

 ડિસ્કોમ માટે રૂ. 90,000 કરોડની ફાળવણી

ડિસ્કોમ કંપનીઓએ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા માટે સરકારે રૂ. 90,000 કરોડની ફાળવણી કરી છે. PFC અને REC ડિસ્કોમને એ પૈસા આપશે. આનાથી ડિસ્કોમ કંપનીઓને મદદ મળશે.

કોન્ટ્રેક્ટર્સ માટે રાહત

બધી કેન્દ્રીય એજન્સીઓ માટે છ મહિના સુધીની મુદત વધારવામાં આવી છે. તેમને પૈસાની ખેંચ ના પડે એટલા માટે આંશિક રિલીઝની જોગવાઈ કરવામાં આવી છે.

રિયલ એસ્ટેટ માટે જાહેરાત

નાણાપ્રધાને કહ્યું હતું કે રિયલ એસ્ટેટ માટે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી રાજ્યો માટે એડવાઇઝરી મોકલશે, જેથી રેરા હેઠળ કમ્પિલશન અને રજિસ્ટ્રેશન તારીખ છ મહિના માટે આગળ વધારવામાં આવી છે. રેગ્યુલેટરી ઓથોરિટીને પણ આના માટે અરજ કરવામાં આવશે. આના માટે અલગથી અરજી મગાવવાની જરૂર નહીં પડે.

TDS  રેટ ઘટ્યો

રેસિડેન્ટ્સ માટે નોન સેલરી પેમેન્ટ માટે TDS/TCSનો રેટ 31 માર્ચ, 2021 સુધી ઘટાડીને 25 ટકા કરવામાંઆવ્યા છે. આનો અર્થ એ થયો કે હવે રૂ. 100 TDSની જગ્યાએ રૂ. 75 આપવા પડશે. રૂ. 50,000 કરોડની લિક્વિડિટી લોકોના હાથમાં આવશે.

ઇન્કમ રિટર્નની પણ મુદતમાં વધારો

આ ઉપરાંત સરકારે ઇન્કમ રિટર્નની ફાઇલિંગની મુદતમાં વધારો કર્યો હતો. સરકારે કહ્યું છે કે ટેક્સના રિફંડ જલદી જારી કરવામાં આવશે. આના હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટ  ઇન્કમ ટેક્સ રિટર્ન પાછલા નાણાકીય વર્ષ 2019-20 માટે 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આ સાથે વિવાદથી વિશ્વાસ યોજનાની સમયમર્યાદા વધારવામાં આવી છે, જે હવે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે.

વડા પ્રધાન મોદીએ મંગળવારે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પેકેજ GDPના 10 ટકા બરાબર છે. આનાથી ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે.